SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ અધ્યાત્મ પંથની યાત્રા અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ જોકે સામાન્યપદે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, ભોગત બંધ ન હો યદિ કહતા ભોગેચ્છા ક્યા છે મનમેં? જ્ઞાનલીન બન નહીં તો રતિવશ જકડેગા વિધિ* બંધનમેં.' “જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહિ, પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય; એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે.” નિજસ્વરૂપનો દઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગદુવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂન દશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે?” “અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રીતીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી... જેટલી સંસારને વિષે સાર-પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે.” આ પ્રમાણે, જ્ઞાનીના જીવનદર્શનનું સામાન્ય પ્રરૂપણ અધ્યાત્મપદ્ધતિથી અને સિદ્ધાંતપદ્ધતિથી કર્યું . તે જ વિષયનું વિસ્તારથી પ્રતિપાદન કરવાના હેતુથી ‘પ્રમાદ અને જ્ઞાની એ મુદ્દાની શ્રીગુરુ હવે છણાવટ કરે છે : સામાન્ય દૃષ્ટિએ વિચારતાં જ્ઞાનીને આત્મજાગૃતિનો સદ્દભાવ હોવાને લીધે ધર્મમાં અનાદરરૂપ અથવા આત્મભાવ પ્રત્યે અસાવધાનીરૂપ પ્રમાદભાવ હોતો નથી. આમ હોવા છતાં, પ્રમાદના અનેક પ્રકારોમાંથી * વિધિઃકર્મો ૧. નિજામૃતપાન, ૧૫૧ (પૂ. શ્રી ૧૦૮ વિદ્યાસાગરજી મહારાજકૃત સમયસાર કળશનો હિંદી પદ્યાનુવાદ) ૩. એજન પત્રાંક-પ૭પ. ૨. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-પકo. ૪. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-પપ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy