SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા ‘તીવ્ર મુમુક્ષુતા” વિષે અત્ર જણાવવું નથી પણ ‘મુમુક્ષુતા” વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ થાય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. પુરુષાર્થ ન ઉલ્લુસે તો કદાપિ સાચું મુમુક્ષુપણું પ્રગટી શકે નહિ. આ મોહના બે પ્રકાર છે-દર્શનમોહ (ખોટી માન્યતા) અને ચારિત્રમોહ (ખોટું આચરણ). કર્મ મોહનીય ભેદ બે, દર્શન, ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા અચૂક ઉપાય આમ.”૧ મોહથી રહિત થવાથી આરાધનાના ક્રમમાં સદ્બોધનો પરિચય ક૨વો આવશ્યક છે, અને તે સદ્બોધને પોતાના જીવનમાં સ્થિર કરી તે પ્રમાણે પોતાના જીવનની શુદ્ધિના પ્રયોગરૂપ આચરણ કરવાનું પણ જરૂરી છે. આ પ્રકારે માત્ર મોક્ષરૂપી પ્રયત્ન જ જ્યારે જીવનમાં અગ્રીમતાને પામે, અને તેને અનુરૂપ જ્યારે જીવનવ્યવહારનું આયોજન કરવામાં આવે ત્યારે જાણવું કે મુમુક્ષુપણું - આત્માર્થીપણું ખરેખર પ્રગટ્યું છે. ,92 મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.’૩ “ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુજીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્તૃત થઈ જાય છે.”” ૧. ૨. ૩. ૪. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૦૩. શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૯૫૪. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૩૮. શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૬૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy