SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. પ્રાર્થના, પ્રતિક્રમણ વગેરે બોલી જવાં કે શરીરની બેસવાની, ઊઠવાની, નમવાની, સ્થિર થવાની કે એવી બીજી ક્રિયાઓમાં પ્રવર્તવું તેને ધર્મીપણું, આરાધકપણું કે મુમુક્ષુપણું માને છે. પરંતુ આ રીત પરમાર્થ ધર્મની નથી. “ગચ્છ મતની જે કલ્પના, તે નહીં સવ્યવહાર ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર.” એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈયો તે તત્ત્વચિંતન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો. “અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન આદિ કહેવાતાં હોય અને મતવાળા હોય તો તે અહિતકારી છે, મતરહિત હિતકારી છે.” ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર-ભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિયા કળિકાળ રાજે....... ધાર તરવાની જેણે સાચી મુમુક્ષુતા પ્રગટાવવી છે તેણે તો સર્વ પ્રકારના મોહથી રહિત થવાનો અપ્રતિમ પુરુષાર્થ કરવાનો છે. મોહરૂપ જે આસક્તિ (રાગાંશો) તેનાથી અકળામણ-ગૂંગળામણ અનુભવીને તેથી રહિત થવાની લગની ન લાગે, ધૂન ન ચડે, નિર્ણય ન બને અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ૧૩૩. ભક્તકવિ નરસિંહ મહેતા. ઉપદેશછાયા, શ્રીમદ્ રાજચન્દ્ર, ૭. યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy