SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા અથવા ‘મુમુક્ષુતા’ જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ ‘મુમુક્ષુતા’ નથી. તો તે બધાં કથનમાં કેમ આવી શકે ? તેથી શ્રીગુરુ આ જીવ ઉપર કરુણા લાવીને તેના બધા દોષોમાંનો મુખ્ય દોષ બતાવતાં કહે છે કે જે દોષને આધીન થઈને વર્તવાથી પોતે પોતાના સાચા સ્વરૂપને જાણવાની કે પામવાની જિજ્ઞાસા જ ઉત્પન્ન કરી શક્તો નથી. આમ આ અજ્ઞાની જીવ મારે સર્વ કર્મોથી અને સર્વ દોષોથી રહિત થવું છે અને શાશ્વત જ્ઞાન અને આનંદને પામવાં છે એવી વૃત્તિ-સદ્ભાવ-મોક્ષાભિલાષ, આત્માર્થિતા જ ઉત્પન્ન કરતો નથી. જ્યાં સાધારણ મોક્ષેચ્છા પણ ઉત્પન્ન કરવાનો ઉદ્યમ કરતો નથી ત્યાં તીવ્ર મોક્ષાભિલાષ ઉપજાવી ઉગ્ર મુમુક્ષુપણું ક્યાંથી ઉત્પન્ન કરે ? આમ, સત્ય શાશ્વત નિજવસ્તુ પ્રત્યે બેદરકાર એવો જીવ અનાદિ કાળથી જન્મ-જરા-મરણ અને આધિ-વ્યાધિ-ઉપાધિ જેવાં અનેક દુઃખોને પામી રહ્યો છે. આવા સંસાર-પરિભ્રમણમાં અટવાયેલા આ જીવને મહપુણ્યના ઉદયથી કાકતાલીય ન્યાયે મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. ત્યારે તેનું સાર્થકપણું કરી લેવા માટે કેવી જીવનદૃષ્ટિ કેળવવી જોઈએ તે શ્રીગુરુ કરુણા કરીને રૂડા ભવ્ય જીવોને બતાવે છે. આ દુનિયામાં અત્યારે અનેક ધર્મમતો પ્રવર્તે છે. કોઈ પોતાને હિંદુ, કોઈ મુસલમાન, કોઈ ખ્રિસ્તી, કોઈ શીખ, કોઈ જૈન, કોઈ સ્વામીનારાયણ, કોઈ વૈષ્ણવ, કોઈ વેદાંતી, કોઈ પારસી કે કોઈ વળી અન્ય પ્રકારે માને છે, જે માતા-પિતાને ત્યાં દેહ ધારણ કર્યો તે માતાપિતાના કુળને, ધર્મને, આચારને, રીતરિવાજને, માન્યતાને, ધર્મવ્યવસ્થાને, રૂઢિગત ક્રિયાઓને, ધર્મસ્થાનકોને કે પહેરવેશાદિને મનુષ્ય પોતાનાં માને છે અને એમ ક૨વાથી પોતે ધર્મી છે એવી માન્યતામાં પ્રવર્તી રહ્યો છે. મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ગુરુદ્વારા, દેરાસર, ઉપાશ્રય કે અગિયારીમાં જવું, રૂઢિગત રીતે પૂજા, બંદગી, Jain Education International For Private & Personal Use Only 9 www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy