SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી ‘તીવ્ર મુમુક્ષુતા’ ઉત્પન્ન ન જ હોય, જીવી રહેલા મનુષ્યમાં અનેક પ્રકારની ચિત્રવિચિત્રતાઓ દેખાય છે. કોઈ ક્રોધી છે, કોઈ કામી છે, કોઈ લોભી છે, કોઈ માયાચારી છે, કોઈ નાસ્તિકપણે વર્તે છે, કોઈ આડંબરમાં ફસાયેલો છે, કોઈ શોકમગ્ન છે, કોઈ ભયભીત છે, કોઈ ઉડાઉ છે, કોઈ શરાબી છે, કોઈ શિકારમાં આનંદ માને છે, કોઈ લડાઈઝઘડો ઉત્પન્ન કરાવે છે, કોઈ સતત નિંદામાં જ રચ્યોપચ્યો રહે છે તો બીજો વળી ખોટાં આળ લગાવીને કે ચાડી ખાઈને કલહ ઉત્પન્ન કરવામાં મશગૂલ છે. અજ્ઞાની જીવોના અતિ અતિ વિસ્તારવાળા દોષોનું વર્ણન કોણ કરી શકે ? જેમ અનંત પ્રકારનાં કર્મો છે તેમ તે તે કર્મોને વશ પડેલા જગતના જીવોના દોષો પણ અનંત છે. તે સર્વ તો સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં ઝબકે છે છતાં પ્રાયશ્ચિત્ત કરતો સાધક વિધવિધ પ્રકારે કબૂલે છે ઃ ૫ ૧. ૨. * આતમ ધ્યાનથી રે, સંતો સદા સ્વરૂપે રહેવું,કર્માધીન છે સહુ સંસારી, કોઈને કાંઈ નવ કહેવું,-આતમ૦ કોઈ જન નાચે, કોઈ જન રુએ, કોઈ જન યુદ્ધ કરંતા, કોઈ જન જન્મે, કોઈ જન ખેલે, દેશાટન કોઈ ફરતા.-આતમ૦* “હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું દીનાનાથ દયાળ; હું તો દોષ અત્યંતનું, ભાજન છું કરુણાળ. ૬,૧ અથવા “ઈત્યાદિક પાપ અનંતા હમ કીને શ્રી ભગવંતા; સંતતિ ચિરકાલ ઉપાઈ વાની તે કહિય ન જાઈ.”ર આ જીવે એટલાં બધાં દુષ્કર્મો કર્યાં છે કે જેનો કોઈ અંત નથી. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૨૬૪, આલોચના પાઠ-૨૭. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy