SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ - અધ્યાત્મ પંથની યાત્રા પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; (ચોપાઈ) “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન પ્રભુ મેળવવા ગુરુ ભગવાન" “અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.” સમ્યકત્વવંત જીવો નિઃશંકિત તેથી છે નિર્ભય અને, છે સખ ભય પ્રવિમુક્ત જેથી, તેથી તે નિશંક છે.” જેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન પ્રગટ્યું હોય તેટલા પ્રમાણમાં જીવનમાં પારમાર્થિક નિર્ભયતા પ્રગટે છે; જે ક્રમે કરીને વર્ધમાન થતાં મુનિદશામાં વિકાસ પામી (આઠમા ગુણસ્થાનને અંતે) પૂર્ણ થાય છે. અજ્ઞાનરૂપી ગ્રંથી છૂટી જતાં અંતરંગ નિઃસંગતા પ્રગટે છે અને સર્વસંગપરિત્યાગની દશા અંગીકાર કરતાં સર્વથા નિઃસંગપણું સિદ્ધ થાય છે. બાહ્યાંતર સર્વ પરિગ્રહની મમતા છોડી નિઃસંગપણું સિદ્ધ કરવાનો જ્ઞાનીઓ અભ્યાસ કરે છે. જગતની અનેક પ્રકારની વિટંબણાઓમાં ફસાયેલા જીવને ઘણા પ્રકારનાં વળગણ છે તે પ્રત્યક્ષપણે જોઈ શકાય છે. અહીં તો શ્રીગુરુ કહે છે કે જીવ સાથે લાગેલી (જ્ઞાનાવરણીય આદિ) કર્મપ્રકૃતિનો વિસ્તાર અનંત છે અને તે તે કર્મને આધીન થઈને અજ્ઞાનપૂર્વક જીવન શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૧૦૭. એજન, ૭૦૯. શ્રી સમયસાર ગાથા-૨૨૮. (શ્રી હિંમતભાઈ જે. શાહ કૃત પદ્યાનુવાદ), ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy