SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા અંતરમાં નિશ્ચય થાય તો તેવા ભાવોથી પાર, અવિનાશી, સત્ત્વશીલ કૃતકૃત્યતાને આપનાર, જ્ઞાન-આનંદમય, અપૂર્વ એવા ચૈતન્યાત્મક ભાવ પ્રત્યે તેનું લક્ષ જાય. જેટલું જગતના પદાર્થનું માહાસ્ય અંતરમાં ઘટે તેટલા પ્રમાણમાં તેનું સ્વયંસ્મરણ ઓછું થાય અને જેટલું જગતનું સ્મરણ ઓછું થાય તેટલા સતુના સંસ્કાર વૃદ્ધિગત થતાં પરમાર્થવિચારણાનું સાધકનું બળ વધતું જાય. આમ, જ્ઞાનીઓએ કહેલો જગત-વિસ્મૃતિનો અને તત્ત્વવિચારણાનો ક્રમ ધીરે ધીરે સાધકના રોજબરોજના જીવનમાં આવિર્ભાવ પામે. જે સાધકને આવી મહાન સાધકદશા વર્તે તેને શુદ્ધાત્મપદની પ્રાપ્તિ જરા પણ દૂર નથી એવો શ્રીગુરુઓનો બોધ અને અનુભવ છે. કહ્યું છે કે : આમ, સંસારનું સ્વરૂપ જાણીને અને ખૂબ આદરથી (સમ્યક્ત્વ, વ્રત, ધ્યાનાદિની સાધના દ્વારા) મોહનો ત્યાગ કરીને તે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરો, જેથી સંસારનો નાશ થાય.' પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એક, પરમ પુરુષથી રાગમાં એકત્વતા હો દાખી ગુણગેહ, 8ષભ નિણંદશું પ્રીતડી. આગળ શ્રીગુરુ કહે છે કે અમોને વિશેષ સમાધિનો લાભ નિરંતર રહે તે અર્થે સર્વ પ્રકારના બાહ્યાંતર સંગોથી અમારે રહિત જ થવું છે અને તેથી આ જે થોડો ઉપાધિરૂપ બાહ્ય પ્રપંચ અમને વર્તે છે તેનાથી કેવી રીતે છૂટવું તેના ઉપાય-પ્રવર્તનમાં જ અમે લય લગાવી છે. જે પણ કાળ તે ઉપાધિથી રહિત થવામાં વ્યતીત થઈ રહ્યો છે તે અમારા પોતાના જ દોષનું અને પ્રમાદનું કારણ છે એમ અમને તો સ્પષ્ટ લાગે છે અને તે કારણે જ તેવી સર્વ ઉપાધિથી રહિત થવા ક્ષણે ક્ષણે પૂર્વશક્તિ લગાડીને પ્રયત્નશીલ થઈ રહ્યા છીએ. इति संसारं ज्ञात्वा मोहं सर्वादारेण त्यक्त्वा । तं ध्यायत स्वस्वभावं संसरणं येन नश्यति ।। શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, ૭૩ શ્રીમદ્ દેવચંદજી કૃત આદિનાથ પ્રભુનું સ્તવન. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy