Book Title: Swetambara Guru Vimalsurini Prashnottar Ratnamala
Author(s): Lalchandra B Gandhi
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/212075/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્વે॰ ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તર-રત્નમાલા પં. લાલચંદ્ર ભગવાન ગાંધી જિજ્ઞાસુ શિષ્યના ઉપયોગી પ્રશ્નોના, ગુરુએ આપેલા તાત્ત્વિક ઉત્તરોથી ગૂંથાયેલી આ પ્રશ્નોત્તરમાલા સર્વમાન્ય અમૂલ્ય ઉપદેશ-રત્નોથી શોભતી હોઈ એ ખરેખર રત્નમાલા જેવી મહત્ત્વની કીમતી છે, રત્નમાલાના નામને સાર્થક કરે છે. બાહ્ય રત્નોની માલા કરતાં આંતરિક ગુણ-રત્નોની આ માલા અધિક પ્રભાવક, મંગલ-કલ્યાણકારક, આરોગ્યદાયક, આયુષ્ય-વર્ધક, હિતકર, શાંતિકર અને સુખકારક થઈ શકે તેવી છે. સાચા રત્ન-પરીક્ષકો ( ઝવેરીઓ ) તેની ઊંચી કિંમત આંકી શકે છે. એની રચના હજારેક વર્ષ પૂર્વની હોવા છતાં તેનાં તેજસ્વી રત્નો જરાય ઝાંખાં પડ્યા વિના હજી ઝળહળતાં જણાય છે. સંસ્કૃત ભાષામાં ૨૯ આ—ગાથામાં એ રચાયેલી છે, તેની પહેલી ગાથા મંગલ અને અભિધેય દર્શાવે છે અને તેની છેલ્લી ગાથા કવિના નામની નિર્દેશક છે. એ એ ગાથાઓને માલાના મેર તરીકે ગણીએ તો ૨૭ ગાથાનક્ષત્રોથી દીપતી આ રત્નમાલા નક્ષત્રમાલા જેવી શોભે છે. કંઠને ભાર ન કરે અને કંઠને શોભાવે એવી એ નાજુક અને સુંદર હોઈ સુંદરીઓએ જ નહિ, સત્પુરુષોએ પણ કંઠે ધારણ કરવા યોગ્ય છે—કંઠસ્થ કરવા યોગ્ય છે. એની મનોહરતાએ જૈન–જૈનેતર જનતાને આકર્ષી જણાય છે. એ રત્નમાલા રચનાર તરીકે શ્વે જૈનાચાર્ય સિવાય દિગંબર જૈન રાજા, શંકરાચાર્ય અને શુક યતીન્દ્રનાં પણ નામ જોડાયેલાં છે, તેમાંથી આના વાસ્તવિક સાચા કવિ-ઉપદેશક કયા હોવા જોઇએ? તેની પ્રામાણિક ગવેષણા કરી સત્ય શોધવા અહીં પ્રયત્ન કરવામાં આવે છે. શ્વેતાંબર જૈન-સમાજમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંધમાં ચિરકાલથી એનું લેખન, પાન–પાન, વ્યાખ્યાન, ઉપદેશાદિ પ્રચલિત રહેલું જણાય છે. શ્વે૰ જૈન-સમાજે પાય સ્વાધ્યાયપુસ્તિકામાં, પ્રકરણ-પુસ્તિકામાં, પ્રકરણ-સંગ્રહમાં અને પ્રકીર્ણ-ગ્રંથ-સંગ્રહમાં પણ એને સ્થાન આપી સૈકાઓથી તેના પ્રત્યે આદર દર્શાવેલો જણાય છે. પાટણ, વડોદરા, ખંભાત, છાણી, ડભોઈ, લિંબડી, પાલીતાણા, મુંબઈ, જેસલમેર, બિકાનેર, પૂના, પંજાબ, કલકત્તા ( બંગાળ) અને પરદેશોના પ્રખ્યાત સંગ્રહો–ભંડારો—જ્ઞાનમંદિરોમાં આ રત્નમાલાની પચાસ જેટલી પ્રાચીન પ્રતિયો જાણવામાં આવી છે. કાગળો પર જ નહિ, સાતસો વર્ષ પહેલાં તાડપત્રો પર પણ લખાયેલી તેની કેટલીક હસ્તલિખિત પ્રતિયો મળી આવે છે. ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણના પ્રાચીન ગ્રંથ-ભંડારમાં રહેલી તેવી ૧૫ પ્રતિયોનો નિર્દેશ અમે પાટણ જૈન ગ્રંથ-ભંડાર-સૂચી( તાડપત્રીય પ્રથમ ભાગ ગા. ઓ. સિ. નં. ૭૬, સન ૧૯૩૭, પૃ. ૨૪, ૬૪, ૭૦, ૧૦૨, ૧૨૯, ૧૩૩, ૧૪૬, ૧૪૯, ૧૭૪, ૨૬૨, ૨૭૮, ૨૯૬, ૩૮૬, ૪૧૦, ૪૧૨ )માં કર્યો છે, જેમાંની કેટલીક વિક્રમની ચૌદમી સદીમાં સંવત ૧૩૦૩માં, ૧૩૨૬માં, સં. ૧૭૩૪માં, અને સ. ૧૭૮૮માં પણ લખાયેલી છે. ડભોઈમાં શ્રીજંબૂસૂરિજીના જ્ઞાનમંદિરની એક પત્રવાળી પ્રતિ (નં. ૬૫૦ ) સંવત ૧૪૮૨માં કા. વ. ૮ શનિવારે મુંજિંગપુરમાં લખાયેલી જણાવી છે. તેવી જ રીતે વિક્રમના ૧૫મા, ૧૬મા સૈકામાં, તથા તે પછીના સમયમાં લખાયેલી મૂળની પ્રતિયો સંખ્યાબંધ મળે છે. તે સર્વમાં તેના રચનાર કવિનું નામ સ્પષ્ટ રીતે વ્યે ગુરુવિમલ' છેલ્લી ર૯મી ગાથામાં દર્શાવ્યું છે. તથા આ રચનાને કવિએ વિમલ – નામાંકિત કરી યુક્તિપૂર્વક ‘વિમલ – - Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ૫૮ પ્રશ્નોત્તર - રત્નમાલા ' એવા નામથી ઓળખાવી છે. તેમાં વીરજિતેંદ્રના મંગલવાળી, અભિધેય સૂચવતી પ્રથમ ગાથા આવી છે : “ પ્રશિવસ્ય બિનવરેન્દ્ર, પ્રશ્નોત્તરમાણિાં વધ્યે । નાગ-નરામર-વન્ત્ર, વેવ વેવાવિવું શ્રીમ્ ॥ ૨ ॥” ખીજી તથા ૨૮મી ગાથામાં વિમલ-પ્રશ્નોત્તર રત્નમાલા નામનો નિર્દેશ આવી રીતે કર્યો છેઃ << ઃ વહુ ના ંયિતે ?, દષ્ટાદશાર્થ-સાધન-પટીયાન્ । તે મુક્તામળા રવિ, વિમાન્તિ વિદ્યત્તમાનેષુ || ૨૮ ॥ रचिता सितपट- गुरुणा, विमला विमलेन रत्नमालेव । પ્રશ્નોત્તરમાત્મ્ય, ઝાતા ન મૂતિ ? ॥ ૨ ॥” મૂળ રચનામાં છેલ્લી આય્યમાં કવિએ પોતાનું નામ સિતપટ - ગુરુ = શ્વેતાંબર-આચાર્ય વિમલ એવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે. == कण्ठस्थितया विमल - प्रश्नोत्तर - रत्नमालिकया || २ || " ' ' इति कण्ठगता विमला, प्रश्नोत्तर - रत्नमालिका येषाम् । ~~~ વિશેષમાં બે શ્વેતાંબર જૈનાચાર્યોએ વિક્રમના તેરમા અને પંદરમા સૈકામાં આ લઘુકૃતિ પર પ્રાસંગિક બોધક દૃષ્ટાંતો સાથે સંક્ષિપ્ત અને વિસ્તૃત વ્યાખ્યાઓ સંસ્કૃતભાષામાં રચેલી છે. [1] આ પ્રશ્નોત્તર-રત્નમાલા પર પહેલી વૃત્તિ વિ. સં. ૧૨૨૩માં હિરપાલ મંત્રીની વિજ્ઞપ્તિથી હેમપ્રભસૂરિએ રચી હતી, જેનું શ્લોકપ્રમાણ ૨૧૩૪ જણાવેલ છે. આ વૃત્તિકાર, ચંદ્રપ્રભસૂરિના પટ્ટધર ધર્મઘોષસૂરિના પ્રશિષ્ય અને યશોધોષસૂરિના શિષ્ય હતા, જે ધર્મઘોષસૂરિ જયસિંહરાજા( સિદ્ધરાજ )થી સન્માનિત થયા હતા. વૃત્તિકારે પોતાનો ઉચિત પરિચય તેના અંતમાં કરાવ્યો છે.ર આ વૃત્તિની પ્રાચીન પ્રતિ વિક્રમની ચૌદમી સદીમાં લખાયેલી જણાય છે. કારણ કે સાધુ ( શાહ) અભયચંદ્રે લખાવેલ એ ૧. પાડાંતરમાં ‘ પ્રથમમ્ ’ છે, અન્યત્ર અન્ય સહજ ફેરફારવાળાં પાઠાંતરો મળે છે, ૨. “ શ્રીનૈનરાક્ષનાંમાધિ-સમુહાસ-સુધાળા: શિરે નાતિ ફ્લાતા:, શ્રીચંદ્રામસૂચઃ ॥ धर्माधारतया सुदुश्चरतपश्चारित्रतेजस्तया नानासूरिविनेयसेविततया तेस्तैर्गुणैर्विश्रुतः । श्रीचंद्रप्रभसूरिपट्टतिलक (को) निग्रंथचूडामणि- जैशे श्रीजयसिंहभूपतिनुतः श्रीधर्मघोषप्रभुः ॥ સરીયલપદ્મન, સભ્યશ્રીપૂરિસંવz: 1 યમૂત્યુનૈનાં તીર્થં, શ્રીયશોષોષસૂચઃ ॥ ૧ ॥ आवर्जिते गुणगणैर्येषां गभीरिमादिभिः । समं लक्ष्मी-सरस्वत्यौ, समायातां स्वर्ग ( १ ) तले ॥ १० ॥ તેમાં સવુન્ય-વળ્ય-વ-વંચિત્યસંપતાં ! વધસ્તઢી ક્ષત: શિષ્ય:, શ્રીહેમદ્રસૂરિશિઃ || ૧૧ | મુવન-શ્રુતિ-રવિ-સંજ્યે વર્ષ પામંત્રિ-વિશÅ1 33 ૫ણા વડે વૃત્તિ:, પ્રરનોત્તરત્નમાયાઃ ॥ ૨ ॥ – જેસલમેર ભાં. ગ્રંથસૂચી (ગા. ઓ. સિ. નં. ૨૧, પૃ. ૧૦) Page #3 -------------------------------------------------------------------------- ________________ ધે ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તર-રત્નમાલા ૫૯ પુસ્તિકાના અંતમાં શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય દેવમૂર્તિ ઉપાધ્યાયે રચેલી ૨૫ શ્લોકની પ્રશસ્તિ છે.૩ આ જિનેશ્વરસૂરિ વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં તથા ચૌદમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. ) જેસલમેર-ગ્રંથ-ભંડારમાં રહેલી હજી સુધી અપ્રકાશિત આ વૃત્તિનો આદ્યન્ત ભાગ અમે જેસલમેરભંડાર-ગ્રંથ-સી( ગા. ઓ. સિ. નં. ૨૧, પૃ. ૧૦, પ્ર. સન ૧૯૨૩)માં દર્શાવ્યો છે. તથા ત્યાં અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રંથકૃત પરિચય(પૃ. ૪૦ )માં, જૈનોપદેશગ્રંથોમાં એનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રતિમાં પણ ‘રચિતા સિતમુળા' ગાથા છે, અને તેની વ્યાખ્યામાં મૂલકાર કવિને શ્વેતાંબર-ગુરુ વિમલ જણાવેલ છે. [૨] આ પ્રશ્નોત્તર-રત્નમાલાની દૃષ્ટાંતો સાથે વિવરણુરૂપ બીજી વૃત્તિ વિક્રમસંવત ૧૪૨૯માં ચંદ્રગચ્છ( રુદ્રપલ્લીયગચ્છ )ના દેવેન્દ્રસૂરિએ ૭૭૮૦ શ્લો. પ્રમાણ રચી હતી, જેનું સંશોધન મુનિભદ્રસૂરિએ કર્યું હતું. ૪ આ વૃત્તિકારે અંતમાં પોતાનો પરિચય વિસ્તારથી પ્રશસ્તિમાં આપ્યો છે, તથા જે એ સગૃહસ્થોની—ભોલા અને ખેતા નામના ભાઈઓની પ્રેરણાથી તેમણે એ વૃત્તિ રચી હતી, તે ઉપદેશજ્ઞાતિના લિગાવંશનો પણ પરિચય પ્રશસ્તિ દ્વારા કરાવ્યો છે. (કેટલાક વિદ્વાને ભૂલથી આ સુનિભદ્રસુરિને પણ આના વૃત્તિકાર જણાવ્યા છે.) આ વૃત્તિની વિક્રમસંવત ૧૪૪૧, સં. ૧૪૮૯ અને સં. ૧૫૭૯માં લખાયેલી પ્રાચીન પ્રતિયો પાટણ ( શ્વે. જૈનાચાર્ય જયાનંદસૂરિના ઉપદેશથી પૂછશ્રાવિકાએ લખાવેલ ), પૂના ( પૂના ડે. કૉલેજના સન ૧૮૮૮માં પ્રકટ થયેલા કેટલૉગમાં ૧૮૮૧-૮૨ના કલેકશનમાં સૂચિત નં. ૧૬૪) અને પરદેશમાં બર્લિનના પુસ્તકસંગ્રહમાં વિદ્યમાન છે. ચાણસ્મામાં સંવત ૧૬૪૦ની પ્રતિ છે. આ વૃત્તિને જામનગર-નિવાસી શ્રાવક પં. હીરાલાલ હંસરાજે સંવત ૧૯૭૧માં છપાવી પ્રસિદ્ધ કરેલ છે. તે વૃત્તિના અંતમાં પણ મૂળ ‘રવિતા સિતપદ્મકુળ ’ ૨૯મી આર્યાં જોવામાં આવે છે. તથા તેની વ્યાખ્યામાં શ્વેતાંબરાચાર્ય વિમલસૂરિએ રચેલી તે પ્ર૦ રત્નમાલા જણાવી છે~~ 3. व्या० " सितपटा: श्वेताम्बरास्तेषु गुरुः सूरिपदं प्रतिष्ठस्तेन सितपटगुरुणा श्वेताम्बराचार्येण विमलेन विमनाम्ना सूरिणा विमला गतकल्मषा निर्मला वा रत्नमालेव रचिता विहिता इयं प्रश्नोत्तर रत्नमाला कण्ठगता सती गलस्थिता सती पठिता सती कं भविकं न भूषयत्यलंकरोतीत्यर्थः । यथा रत्नमाला गलकन्दलस्था पुमांसं स्त्रियं वा भूषयति तथेयमपि प्रश्नोत्तररत्नमाला कण्ठपीठस्था अर्थापत्त्याऽयता सती नरं नारीं वा शृङ्गारयतीत्यार्याऽर्थः ॥ समाप्ता चेयं प्रश्नोत्तर रत्नमाला वृत्तिः ॥ " ( પં. હી. હું. પ્ર. પૃ. ૫૬૭) “श्रीजिनेश्वरसूरीणां पादांभोजमधुव्रतैः । श्रीदेवमूत्युपाध्यायैर्निर्मितैषा प्रशस्तिका ॥ इति प्रश्नोत्तररत्नमालावृत्तिपु० साधुभभयचंद्रलेखितायाः प्रशस्तिः समाप्ता ॥ " “ તસ્યાનુબેન ટ્રેવેન્દ્રસૂરિના વિશ્વમાત: । મન્ત્ર-યુઅપચોરાશિ-શાદ-પ્રમવત્સરે (૬૪૨૧) ॥ ૭॥ प्रक्षोत्तररत्नमालाया वृत्तिर्विदधे मुदा । शोधिता च लसद्भदैः श्रीमुनिभद्रसूरिभिः ॥ १८ ॥ युग्मम् " – પ્રશ્નોત્તરરત્નમાલા સટીકા (પ્ર. પું. હી. હું.) જે, ભું. ગ્રંથસૂચી Page #4 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ – આ વૃત્તિના પ્રારંભમાં પણ મૂલકારને ગૌરવપૂર્વક વિમલાચાર્ય, વિમલચંદ્રસૂરિ એવા નામથી ઓળખાવ્યા છે– " तत्पट्टाम्भोजतिग्मांशुः, श्रीदेवेन्द्रमुनीश्वरः। भोला-खेताऽभिध-भ्रातृयुगेनात्यर्थमर्थितः ॥ प्रश्नोत्तररत्नमालां, विमलाचार्यनिर्मिताम् । विवृणोति सुदृष्टान्तैर्युपकारी सतां श्रमः ॥ युग्मम् ॥ इह हि श्रेयाश्रीनिवेशजिनेशसदुपदेशप्रासादमहास्तम्भे प्रश्नोत्तररत्नमाला-प्रकरणप्रारम्भे कुन्दावदातप्रशमादिगुणभूरिः श्रीविमलवन्द्रसूरिः शिष्टसमयपालनाय........." (पृ. २) [3] આ પ્ર૦ રત્નમાલાના ભાવાર્થને તત્કાલીન ચાલુ ભાષામાં–ગૂજરાતીમાં--સમજાવવા બાલાવબોધ નામથી પણ કેટલાક કો જૈન વિદ્વાન મુનિજનોએ પ્રયત્ન કર્યા છે. તેની પંદરમી-સોળમી સદીમાં લખાયેલી પ્રાચીન પ્રતિયો મળી આવે છે. વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં રહેલી નં. ૨૧૨૬ની ૬ પત્રવાળી પ્રતિ સં. ૧૫૪૩માં માધ વ. ૧૪ દિને વિશ્વલનગરમાં લખેલી જણાવી છે, તે . તપાગછાલંકાર-હાર શ્રીલક્ષ્મીસાગરસૂરિના શિષ્ય સહચારિત્રગણિએ સ્વ-પરોપકાર માટે લખેલી જણાવી છે, તથા અંતના સૂચન પ્રમાણે તે પ્રવર્તિની પુછપચૂલાને અપાયેલી હતી. તેમાં પણ છે ગુરુ વિમલના નામવાળી આર્યા છે, તથા ગુજરાતીમાં તેના અર્થમાં એનો ઉલ્લેખ છે. ૫ [४] વડોદરા–પ્રાચ્યવિદ્યામંદિરમાં (નં. ૭૦૦) આ ગ્રંથની ત્રણ પત્રવાળી બાલાવબોધ સાથેની બીજી પ્રતિ પણ ૧૬ મી સદી જેટલી પ્રાચીન છે, જે ત. જવૃદ્ધ સા. સોમા પાસે લખાવેલ છે. તેમાં પણ એ જ પ્રમાણે છે. ગુરુ વિમલનો નામ-નિર્દેશ છે. ૬ ५. “श्वेतांबर गुरु विमलि रत्नमालानी परिई विमल प्रश्नोत्तररत्नमाला कीधी। ए प्रश्नोत्तररत्नमाला कंठि कर्हि प्रतिं न भूषइ ? अपि तु सविकहिनइ अलंकरइ । इणिई शाखिई भणिई पुरुष शोभा पामइ । अर्थ जाणिई पुण्य हुइ । इसिउ अर्थ ॥ इति प्रश्नोत्तररत्नमालाप्रकरणबालावबोधः समाप्तः । संवत् १५४३ वर्षे माधवदि १४ दिने लिखि श्रीविश्वलनगरे तपागच्छालंकारहारश्रीलक्ष्मीसागरसूरिशिष्य पं. सहजचारित्रगणिना स्वपरोपकाराय ॥ प्र. पुप्फचूलायाः प्रदत्ता॥" १. "श्वेतांबर गुरु विमलिई रत्नमालानी परिरं विमल प्रश्नोत्तररत्नमाला कीधी ए प्रश्नोत्तररत्नमाला कठि : रही कहि प्रति न भूषइं? अपि तु सविकहिनई अलंकरइ । ईणि शास्त्रि भणिइ पुरुष शोभा पामइ । अर्थ जांणिई पुण्य हुइ । इसिउ अर्थ । इति प्रश्नोत्तररत्नमाला-बालावबोध समाप्तः । श्रीत. जयवृद्धण लिखापितं सा. सोमापावें । श्रीः ॥" Page #5 -------------------------------------------------------------------------- ________________ છે. ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તર રત્નમાલા [૫-૧૨] – એ જ પ્રમાણે વડોદરા, ડભોઈ અને અન્ય સ્થળોના ગ્રંથ-સંગ્રહોની બાલાવબોધ સાથેની એ ગ્રંથની બીજી પ્રાચીન પ્રતિયોમાં પણ તેવા ઉલ્લેખ જોવામાં આવે છે. વડોદરા-જૈનજ્ઞાનમંદિરમાં પ્ર. કાંતિવિજયજી મ. શાસ્ત્રસંગ્રહમાં નં. ૮૯૦માં બીજી વૃત્તિની પ્રતિ કથા-સંવત ૧૬૪૮માં લખાયેલી છે. તથા ૫૬પમાં, નં. ૫૬૭માં, ૨૦ પત્રવાળી પ્રતિમાં આ પ્ર ૨૦ સાથે સંક્ષિપ્ત કથા-સંબંધ છે, પ્રતિ સં. ૧૯૭પમાં લખાયેલી છે. વડોદરામાં શ્રી આત્મારામજી–જૈનજ્ઞાનમંદિરમાં શ્રીહંસવિજયજી-શાસ્ત્રસંગ્રહમાં નં. ૨૧૬૪ની ચાર પત્રવાળી પ્રહ ૨૦ પ્રતિ તબક-ગુજરાતી બા–ભાવાર્થ સાથે છે, તેના અંતમાં જણાવ્યા પ્રમાણે તે સાધ્વી શ્રીરૂપલક્ષ્મીપદસેવિ સાવી ગુણલક્ષ્મી-પઠનાર્થ લખેલી જણાવી છે. તેમાં પણ પૂર્વોક્ત ગાથા છે, તથા તેના અર્થમાં “નીપજાવી વેતામ્બર આચાર્યઈ વિમલ ઇસિનામાં જણાવેલ છે. ડભોઈમાં શ્રી જંબુસૂરિજીના જૈનજ્ઞાનમંદિરમાં નં. ૪૬પમાં રહેલી ચાર પત્રવાળી પડીમાત્રામાં લખાયેલી પ્ર૦ રત્નમાલા--બાલાવબોધની પ્રતિ, સંવત ૧૬૯૪ આધિન વ. ૩ ભીમે લખાયેલી છે. તે નાગબાઈને પઠન માટે લખાઈ હતી–તેવો તેના અંતમાં ઉલ્લેખ છે – તેમાં પણ સિત પટગુરુ વિમલ નામવાળી આર્યા છે, તેના ભાવાર્થમાં નીપજાવી સેતિબરનઈ આચાર્યાઈ વગેરે ઉલ્લેખ છે. ——એ જ જ્ઞાનમંદિરની નં. ૯૫૪ની ૨૮ પત્રવાળી, વૃત્તિને આધારે સંક્ષિપ્ત કથાવાળી બાલાવબોધ સાથેની પ્ર. ૨૦ની પ્રતિ, ઋષિ સહસકરણજીના ચરણ-પ્રસાદથી ઋ. સાદુલે લખી હતી–તેમાં પણ વિમલ નામવાળી ગાથાના ભાવાર્થમાં “નીપજાવી શ્વેતાંબર-ગુરુઈ વિમલનામા આચાર્ય વગેરે જણાવેલ છે. —એ જ સંગ્રહની નં. ૧૦૦૧ની ૧૦ પત્રવાળી, તથા નં. ૧૨૮૪ની ૬ પત્રવાળી પ્ર. ૨૦ બાલાવબોધની પ્રતિમાં પણ તે જ નામ જણાવેલ છે. મુંબઈ-લાલબાગમાં, મંડલાચાર્ય કમલસરિ-ભંડારની સં. ૧૭પરમાં લખેલી બાવાળી પાંચપત્રવાળી પ્રવ્ય રત્નમાલાની પ્રતિમાં પણ તે આર્યા છે અને ત્યાં તેવો ઉલ્લેખ જોવાય છે. વડોદરાના આત્મારામજી જૈનત્તાનમંદિરમાં શ્રીહંસવિજયજી-જૈનશાસ્ત્રસંગ્રહની નં. ૨૧૮૩ મૂળ પ્રતિમાં, તથા નં. ૨૧૩૩ ગુજરાતી ભાવાર્થવાળી પ્રઢ રત્નમાલાની પ્રતિમાં પણ ગુરુ વિમલાચાર્યનો નામનિર્દેશ જોઈ શકાય છે. - પ્રો. પીટર્સનસાહેબના હ. લિ. પુસ્તકોના રિપોર્ટમાં પણ એ જ નામ મળે છે. એ કેટલૉગ ઑફ સં. મેન્યુ. ઈન ધી લાયબ્રેરી ઑફ હીજ હાઈનેસ ધી મહારાજા ઓફ બીકાનેર (કે. રાજેન્દ્રલાલ મિત્ર, પ્ર. સન ૧૮૮૦, કલકત્તા) નં. ૧૫૦૬માં જણાવેલ પ્રરત્નમાલાના અંતમાં પૂવૉક્ત સિત પટગુરુ વિમલનામવાળી આર્યા છે “કેટલૉગ ઑફ ધી સં, મેન્યુ. ઈન ધી બ્રિટિશ મ્યુઝિયમ સન ૧૯૦૨માં લંડનથી પ્રકાશિત પુ. પૃ. ૧૨૮માં નં. ૩૧૧માં પણ એ પ્રમાણે આર્યા જણાવેલ છે. ‘નોટીસીઝ ઓફ સં. મેન્યુ. ૧૮૯૪ એ. સી. બંગાલ” પ્ર. સન ૧૯૦૭ વો. ૩, પૃ. ૧૨૫, ને. ૧૯૪માં સિત પટગુરુ વિમલ નિર્દેશવાળી આર્યા સાથે પ્ર. રત્નમાલાની ૬ પત્રવાળી પ્રતિ બનારસની દિકમંડલાચાર્ય ભ. બાલચંદ્રની જણાવી છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ભૂલથી બુદ્ધિસ્ટ મેન્યુ. તરીકે ડિ. કેટલૉગ સં. મેન્યુ. ગવર્નમેન્ટ કલેકશન અંડર ધી ચેર ઑફ ધી એ. સ. બંગાલ, વાં. ૧ બુદ્ધિસ્ટ મેન્યુ.” સન ૧૯૧૭માં પ્ર. પુ. પૃ. ૧૭૭-૧૭૮માં નં. ૯૯૯૫ “બ્રોકન પામલીફ ” જણાવી સં. ભ. હરપ્રસાદ શાસ્ત્રીજીએ જે અવતરણો આપ્યાં છે, તે . વિમલસૂરિની પૂર્વોક્ત પ્ર” રત્નમાલાની આર્યા ૧૩ “ો નરઃ ? પરવશતા, જિં સરહ્યું ? સર્વવિરતિ ” આર્યા ૧૮ “ત્ર વિષે થનો? વિદ્યાભ્યાસે સૌષધે ને ||. યવીર વવ ? વઢ-પુરોષિત-પરવું ?' –નિ. સા. કાવ્યમાલા સપ્તમ ગુચ્છક(પૃ. ૧૨૨)માં અને અન્યત્ર જોઈ શકાય છે. આ પ્રહ રત્નમાલા પર શ્રી આનંદસમુદ્રની સંક્ષિપ્ત વૃત્તિ, તથા અવચૂરિ વગેરે મળે છે, તેમાં પણ - ગુરુ વિમલને તેના કર્તા જણાવ્યા છે. પ્રશ્નોત્તર રત્નમાલા (પ્રાકૃતમાં) વડોદરા-જૈનજ્ઞાનમંદિરમાં શ્રીહવિજ્યજી-શાસ્ત્રસંગ્રહમાં નં. ૧૦૯૨માં ૨૧ પત્રવાળી નવી પ્રતિ છે, તે સં. પ્ર. રત્નમાલાના પ્રાકૃત રૂપાંતર - ભાષાંતરરૂપ છે, તેમાં સાથે ઉત્તમષિએ કરેલ વાર્તિક છે, તે પ્રાચીન ગૂજરાતીમાં ભાવાર્થરૂપ છે. તેના પ્રારંભમાં–માવે ! વિમુદ્દેયં? ગુરુવ ” ઈત્યાદિ છે. મૂળની ૨૯મી અંતિમ ગાથા આવી છે–– "पण्हुत्तररयणमालं, कंठे धारेइ सुद्धभावेण । સો નર-નિવ-સુહ૪છી, વર અશ્વિન મા !” વાર્તિકના પ્રારંભમાં—“શ્રીમનિને ના, તમવિરાળવિમા __ ऋष्युत्तमेन आत्मार्थ, क्रियते वार्तिकं मुदा ॥' અમોઘવર્ષ નામ સાથે આ પ્રશ્નોત્તરરત્નમાલા (મૂળ, નિર્ણયસાગર-મુદ્રણાલય, મુંબઈ તરફથી પ્રકટ થયેલી કાવ્યમાલાને સપ્તમ ગુચ્છકમાં (સન ૧૮૯૦થી સન ૧૯૨૬ ચાર આવૃત્તિમાં પ્રકાશિત થયેલ છે, ત્યાં પણ છેલ્લી આર્યામાં મળતા ઉલેખ પ્રમાણે આ કૃતિને શ્રીવિમલ-પ્રણીતા (વિરચિતા) પ્રશ્નોત્તર– રત્નમાલા નામથી જણાવી છે. તેમ છતાં સંપાદકે તેમને મળેલ બે પત્રવાળી બીજી એક પ્રતિ, કે જે સુરતથી શેઠ ભગવાનદાસ કેવલદાસે મોકલી હતી, તેમાં ૨૯મી આર્યાને બદલે મળતું જુદું પદ્ય (અનુષ્યપ શ્લોક) પાઠાંતર તરીકે ટિપ્પણીમાં જણાવ્યું છે -- "विवेकात्त्यक्तराज्येन राज्ञेयं रत्नमालिका । रचितामोघवर्षेण सुधियां सदलंकृतिः ॥" દિગંબર જૈન વિદ્વાનો આ પદ્ય જોઈ આ કૃતિને રાજા અમોઘવર્ષની-રાજ્યનો ત્યાગ કરી થયેલા દિ. જૈન સાધુની રચના જણાવે છે. ઇન્ડિયન એન્ટિવેરી વૉ. ૧૫, પૃ. ૩૭૮ અને અન્યત્ર આ ગ્રંથના કર્તા તરીકે અમોઘવર્ષને હરાવવા દિ૦ વિદ્વાનોએ પ્રયત્ન કર્યા જણાય છે. સુપ્રસિદ્ધ લેખક ૫૦ નાથુરામ પ્રેમીજીના સન ૧૯૪૨માં પ્રકાશિત થયેલા હિંદી “જૈન સાહિત્ય ઔર ઇતિહાસ' પુસ્તકમાં તીન મહાન ગ્રન્થકર્તા સંબંધમાં જણાવતાં, અમોઘવર્ષ(પ્રથમ)નો ઉલ્લેખ કરતાં તેવા આશયનું Page #7 -------------------------------------------------------------------------- ________________ થૈ ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તર-રત્નમાલા ૬૩ સૂચન પૃ. ૫૧૮માં કર્યું છે. વિશેષમાં પૃ. ૫૨૦માં ‘ ક્યા અમોઘવર્ષ જૈન થે ? · એને પ્રમાણિત કરવા માટે અન્યોન્યાશ્રિત આ પ્રશ્નોત્તરરત્નમાલા સંબંધમાં જણાવ્યું છે કે << ऊपर हम अमोघवर्षकी प्रश्नोत्तररत्नमालाका जिक्र कर आये हैं । एक तो उसके मंगलाचरण में वर्द्धमान तीर्थकरको नमस्कार किया गया और दूसरे उसमें अनेक बातें जैनधर्मानुमोदित ही कही गई है। इससे कमसे कम उस समय जब कि रत्नमाला रची गई थी, अमोघवर्ष जैनधर्मके अनुयायी ही जान पड़ते हैं । प्रश्नोत्तररत्नमालाका तिब्बती भाषामें एक अनुवाद हुआ था जो मिलता है और उसके अनुसार वह वर्षकी ही बनाई हुई है। ऐसी दशामें उसे शंकराचार्यकी, शुक यतीन्द्रकी या विमलसूरिकी रचना बतलाना जबर्दस्ती है । " -- તથા ત્યાં નીચે ૪૫ ટિપ્પણીમાં જણાવ્યું છે કે " शंकराचार्य और शुक यतीन्द्रके नामकी जो प्रतियाँ मिली हैं उनमें छह सात श्लोक नये मिला दिये ये हैं परन्तु वे वसन्ततिलका छन्दमें है जो बिल्कुल अलग मालूम होते हैं और उनके अन्त्यपद्यो में न शुकयतीन्द्रका नाम है और न शंकरका । 'श्वेताम्बर साहित्य में ऐसे किसी विमलसूरिका उल्लेख नहीं मिलता जिसने प्रश्नोत्तररत्नमाला बनाई हो । विमलसूरिने अपने नामका उल्लेख करनेवाला जो अन्तिम पद्य जोड़ा है वह आर्याछन्दमें है, परन्तु ऐसे लघु प्रकरण-ग्रन्थोंमें अन्तिम छन्द आम तौरसे भिन्न होता है जैसा कि वास्तविक प्र० २० मालामें है और वही ठीक मालूम होता है । " k પ્ર૦ રત્નમાલાના રચનાર વે૰ જૈનાચાર્ય વિમલને બદલે દિ અનોધવર્ષને હરાવવા પં. પ્રેમીએ કરેલી દલીલો યુક્તિ-યુક્ત નથી ---- – એમ પૂર્વમાં જણાવેલાં પ્રમાણે જોનાર-વાંચનાર વિચારક વાચકોને સમજાશે. અમોધવર્ષના નામનિર્દેશવાળી પ્રતિ કેટલી પ્રાચીન છે? તે કોણે ક્યારે લખાવી છે? અથવા તેમાં છેલ્લા શ્લોકનું લેખન કેટલું પ્રાચીન છે? તે કોઈ એ જણાવ્યું નથી. પૂર્વે દર્શાવેલાં પ્રમાણો જોતાં-વિચારતાં સંભવ તો એ છે કે આ†મય એ કૃતિમાં જુદો તરી આવતો અમોધવર્ષ નામવાળો અંતનો અનુષ્ટુપ્ શ્લોક કોઈ એ પાછળથી જોડી દીધો જણાય છે. આ કાંઈ મહાકાવ્ય નથી કે મહાકાવ્યનાં લક્ષણો પ્રમાણે તેના સર્ગ-પરિચ્છેદના અંતની જેમ પ્રકરણના અંતમાં પણ શ્લોક ભિન્ન છંદમાં હોવો જોઈ એ. શ્વે૰ જૈન સાહિત્યમાં વિમલસૂરિ નામના અનેક જૈનાચાર્યોનાં નામ મળી આવે છે, તેમાં વિ. સં. ૬૦ ( મહાવીર નિર્વાણ પછી ૫૩૦ વર્ષે) પ્રા. ર૩મન્વરિય રચનાર વિમલસૂરિ સુપ્રસિદ્ધ છે, કે જેની રચનાનું સંસ્કૃતમાં પલ્લવિત રૂપાંતર પદ્મવરિત નામથી દિ૰ જૈન કવિ વિષેણે કરેલું જાણીતું છે. એ જ શ્વે॰ વિમલસૂરિની કે તે પછીના બીજા વિમલસૂરિની આ રચના માનવી જોઈ એ. વિવેકથી રાજ્યનો ત્યાગ કરનાર નિસ્પૃહ ત્યાગી આવી લઘુકૃતિના અંતમાં પોતાને રાજા અમોધવર્ષ તરીકે ઓળખાવે, પોતાના પૂર્વનામને પ્રકટ કરે, એવા પૂર્વનામના મોહનો ત્યાગ ન કરે અને પોતાની સાધુ-અવસ્થાનું નામ પ્રકાશિત ન કરે ! એ સર્વ વિચાર કરતાં પણ અમોધવર્ષ-નામવાળો શ્લોક પાછળથી કોઈએ જોડી દીધો હોય તેમ જણાઈ આવે છે. અમોધવર્ષ દિ જૈને આ પ્ર॰ રત્નમાલા રચી એવું દિ॰ સાહિત્યમાં ક્યાં ક્યાં મળે છે? એવું પં. પ્રેમીએ ત્યાં જણાવ્યું નથી. પ્ર૦ રત્નમાલાના તિશ્રૃતી અનુવાદમાં અમોઘવર્ષનું નામ મળે છે ~~~ એ કથન માટે પણ ત્યાં પ્રમાણ દર્શાવ્યું નથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ શંકરાચાર્ય નામ સાથે બહસ્તોત્રરત્નાકર (લક્ષ્મી વેંકટેશ્વર ટીમ પ્રેસ સં. ૧૯૮૫માં પ્ર.) પૃ. ૫૬૮-૫૭૨માં તથા બહસ્તોત્રરત્નહાર (સન ૧૯૨૫માં મ. ઈ. દેસાઈ દ્વારા ગુજરાતી ન્યુઝ ઝિં. પ્રેસ, મુંબઈથી પ્ર.)માં પૃ. ૮૩૮થી ૮૪૦માં વેદાંતસ્તોત્રોમાં આ પ્રશ્નોત્તરરત્નમાલિકા પ્રકાશિત થઈ છે, તેમાં “કળિg€ નિન –એ મંગલાચરણવાળી પ્રથમ આર્યા નથી, તથા અંતની બનિતા સિતારાના? નામવાળી આર્યા નથી. ૨૮ આર્યા પછી અંતમાં ગદ્યમાં “તિ શ્રીમFરમહં. “મજાવાર્યતા આ કૃતિને જણાવી છે. “ધી વકર્સ ઑફ શ્રીશંકરાચાર્ય હૈ. ૧૬ (શ્રીરંગમ શ્રીવાણીવિલાસ પ્રેસથી પ્રકાશિત) પ્રકરણપ્રબંધાવલિ (દ્વિતીય ભાગ પૃ. ૮૭થી ૧૦૪)માં પ્રશ્નોત્તરરત્નમાલિકા પ્રકટ કરી છે, તેમાં પણ ઉપર જણાવ્યા પ્રમાણે મંગલ, અભિધેયવાળી આર્યા નથી, “વ: વહુ નાયિતે થી પ્રારંભ છે. ૨૭ લોકો પ્રસ્તુત વિમલ-પ્રશ્નોત્તરરત્નમાલાના છે, ત્યાં “વિતા તિપદા ' વિમલનામવાળી આર્યો નથી. વધારામાં ૨૮થી ૬૬ પદ્યો છે. ૬૭મું પદ્ય આવું છે " इत्येषा कण्ठस्था, प्रश्नोत्तररत्नमालिका येषाम् । ते मुक्ताभरणा इव, विमलाश्चाभान्ति सत्समाजेषु ।।" અંતમાં ગદ્યમાં “રુતિ શ્રીમન્વરમહૃરત્રિાગાર્યસ્ય શ્રી વિદ્માવતૂપ શિષ્યસ્ય શ્રીઍ - માવતઃ તિૌ ઘરનોત્તરત્નમરિ સંપૂર્ણ ” આવો ઉલ્લેખ છે. -— પહેલાં દર્શાવેલાં પ્રમાણોનો વિચાર કરતાં આગળનું મંગલ-અભિધેયવાળું પદ્ય કાઢી નાખી પાછળથી કર્તાનું નામ બદલી આમાં કોઈએ પ્રક્ષિપ્ત ભાગનો વધારો કર્યો જણાય છે. શંકરાચાર્યનામ સાથે બીજી પ્રશ્નોત્તર-મણિરત્નમાલા શંકરાચાર્ય નામ સાથે એક બીજી પ્રશ્નોત્તર-મણિરત્નમાલા નામની કૃતિ મળે છે, પરંતુ તે આર્યા છંદમાં નથી, તે ઉપજાતિ છંદમાં કાત્રિશિકા (બત્રીશી) છે. તે રચના જુદા પ્રકારની છે. તેનાં આદિ-અંતનાં પદ્ય તથા અંતિમ ઉલ્લેખ જો છે– આદિ–“મારસંસારસમુદ્રમશે, (નિમ)નતો શરળ મિતિ? ! गुरो ! कृपालो ! कृपया वदैतद्, विश्वेशपादाम्बुज-दीर्घनौका ॥ १ ॥ અંતમાં જતા કા અવળ જાતા વા, ઘરનોત્તરાવ્યા મણિરત્નમદિા . તનોતુ મોટું વિદુષો પ્રયત્નો(સુરમ્ય), મેરા-ગૌરીશ-શેવ સવઃ || ૨૨ | श्रीमच्छङ्कराचार्यविरचिता प्रश्नोत्तररत्नमाला समाप्ता ॥" બહસ્તોત્રરત્નહારમાં (પૃ. ૮૦થી ૮૦૭) અને અન્યત્ર વેદાંતસ્તોત્રોમાં એ પ્રકાશિત થયેલ છે. કેટલાક સાક્ષરોએ વિમલસૂરિની પૂર્વોક્ત પ્રશ્નોત્તરત્નમાલાને જ બ્રમથી શંકરાચાર્યની કૃતિ સમજી લીધી જણાય છે. ખરી રીતે આંતર અવલોકન કરતાં ઉપર જણાવ્યા પ્રમાણે તે બને કૃતિઓ સ્પષ્ટ રીતે જુદી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્વેગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તર રત્નમાલા 65 બુદ્ધિપ્રકાશ' માસિક સન 1906 નવેંબરના પુ. 53, અંક ૧૧માં પૃ. ૩૩૪થી 337 ઉપર “પ્રશ્નોત્તરમાલા” સંબંધમાં લે. નરસિંહરાવ હરિલાલ ધ્રુવે ચર્ચા કરી હતી. તેના ચાર કર્તા (1) શ્વે જૈન વિમલ, (2) યતીન્દ્ર શુકદેવ, (3) શંકરાચાર્ય અને (4) અમોઘવર્ષ સંબંધમાં પોતાના વિચારો જણાવતાં “કોઈ જૈન વિદ્વાને તેમાં વિમલાચાર્યનું નામ દાખલ કરી દીધું હોય " એવો આક્ષેપ કર્યો હતો - તે અનુચિત હતો તે પહેલાં આપેલાં પ્રમાણ જોનાર-વાંચનાર વિચારક વાચકો સમજી શકે તેમ છે. તથા તે લેખકે તે ગ્રંથને જૈનેતર કતિ તરીકે ઓળખાવવા શ્લો. 8, 10, 20, 24 તથા ૩૦મા શ્લોકની જે અવતરણો આપ્યાં હતાં, તે વે, ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તરરત્નમાલાનાં નહિ, પણ ઉપર જણાવેલ શંકરાચાર્યગૃત મનાતી પ્રશ્નોત્તરમણિરત્નમાલા નામની બીજી કૃતિમાંનાં છે. લેખકે સરખા નામવાળી કતિના ભ્રમથી વિમલસૂરિની પૂવૉક્ત પ્રવ્ય રત્નમાલામાં તે જણાવેલા શ્લોકો છે કે કેમ ? તે જોયું જણાતું નથી. શુક યતીન્દ્રના નામ સાથે જર્નલ જે. એ. સો. બંગાલ વ. 16 ભા. 1, પૃ. ૧૨૩૫માં જણાવ્યા પ્રમાણે તે કૃતિના અંતમાં આવો ઉલ્લેખ છે— “તિ શ્રીરાયતીવિરચિતા ઘરનોત્તરમાં સમતા " તે બીજી પ્રશ્નોત્તરમણિરત્નમાલાના અંતમાં જણાય છે. - ઉપસંહાર વિશેષમાં, પૂના ભાં. ઓ. રિ, ઈન્સ્ટિટયૂટ તરફથી સન ૧૯૪૪માં પ્રકાશિત થયેલ, પ્રો. હરિ દામોદર વિલણકર, એમ. એ., એમના પ્રયત્નથી તૈયાર થયેલ ગ્રંથ જિનરત્નકોશ (ભા. 1, પૃ. ૨૭૬-૭૭)માં પૂવોક્ત પ્રશ્નોત્તરરત્નમાલાના કર્તા વિમલસૂરિ જણાવ્યા છે. તેની મૂળની, વૃત્તિ, ટીકા આદિની પ્રતિયો ક્યાં ક્યાં? ક્યા કયા સંગ્રહોમાં, હ. લિ. પુ. ના કયા ક્યા રિપોર્ટ, કેટલૉગમાં છે? તે જાણવા ઈરછનાર થી જાણી જોઈ શકશે--અને સત્ય સ્વીકારશે એવી આશા છે. - આ સંબંધમાં “ઘરનોત્તરરત્નમરિદ વાર્તા (?) આવો એક અમારો હિંદી લેખ વીરનિ. સં. ૨૪૭૬માં સાગરથી પ્રકાશિત "aff અભિનંદન ગ્રંથમાં પૃ. ૪૧થી ૪૨૨માં પ્રકાશિત થયેલ છે, પરંતુ તેમાં સંપાદક તરફથી કેટલુંક પરિવર્તન થયું જણાય છે, તેથી અહીં ફરીથી બીજી રીતે થોડા વિસ્તારથી પ્રમાણો સાથે પુનઃ પ્રયત્ન કર્યો છે. સત્ય-શોધકો આથી સંતુષ્ટ થશે-એવી શુભ ભાવના સાથે વિરમું છું. Allણ રneilliઘ||LI!' ||''' પાક | || WAS TO PRODUEIRUGT UP IN LAHAN ESIMSunderland છે . આ illed InfluIull i | liHitilllllllll!!!! થBE://lefilliI'rk / li ||' winni shed ilhillollii'ill willi Niululllllll