Book Title: Ras Mimansama Anuyoga Vaigyanik Drushtibindu
Author(s): Kanji Patel
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230213/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રસ–મીમાંસામાં યાનસૂત્રોનું પ્રદાન કાનજીભાઈ પટેલ શ્વેતામ્બર જૈનાગમામાં અનુયોગદૂર (સંકલન આ. ઈ. સ. ૩૫૦) તેમાં અપાયેલ કેટલીક સાંસ્કૃતિક સામગ્રી માટે તેાંધપાત્ર છે. અનુયોગદ્દારસૂત્રકારે સૂત્ર ૨૬૨માં નવ નામની ચર્ચા કરતી વખતે નવ રસ ગણાવ્યા છે ઃ ૧. વીર, ૨. શૃંગાર, ૩. અદ્દભુત, ૪. રૌદ્ર, ૫. ત્રીડનક, ૬. ખીભત્સ, ૭. હાસ્ય, ૮. કરુણુ અને ૯. પ્રશાન્ત, સૂત્રકારે રસ અંગે કોઈ શાસ્ત્રીય ચર્ચા કરી નથી, પણ આ અંગેનુ' તેમનુ` કેટલુ ક પ્રદાન મૌલિક અને નાંધપાત્ર છે. એમની રસમૌલિકતા ખે પ્રકારની છે, ૧. રસના ક્રમ અંગેની ૨. પર`પરાસ્વીકૃત ‘ભયાનક' રસને સ્થાને' ગ્રીડનક' રસની રવીકૃતિ. મૌલિકતાના નિર્દેશને અહી ઉપક્રમ રાખ્યા છે. રસ એટલે શુ? 'रस्यन्ते आस्वाद्यन्ते इति रसाः । એવી રસ શબ્દની વ્યુત્પત્તિ છે. વૈદિક સાહિત્યમાં રસ શબ્દના પ્રયાગ છે. પણ રશમાં વનસ્પતિમાંથી નિચાવીને જે પાણી જેવા પદાર્થ કાઢવામાં આવે તેને માટે તે પ્રયુક્ત થતા. જેમ કે, સામલતાને વાટીને તેમાંથી નિચેવીને કાઢેલે રસ તે સેમરસ. આ રસમાં વિશિષ્ટ સ્વાદ હશે. તેથી જેને આસ્વાદ થાય, સ્વાદ માણવામાં આવે તે રસ' એ અર્થ કાળે કરીને થતા ગયા. આ રસનું પાન કરવાથી કે આસ્વાદ માણુવાથી શક્તિ આવે, મદ થાય, ઉત્સાહ ઉદ્ભવે અને અ ંતે આહ્લાદ જન્મે. આ રીતે રસના અં ધીમે ધીમે માનસિક ફૂલદ થતા ગયે. ઉપનિષત્કાલ આ વાતની સાક્ષી પૂરે છે. જ્યારે એ વિશ્વના પરમતત્ત્વરૂપ બ્રહ્મને રસમય કહે છેઃ ‘રસો મૈં સઃ । તું હેવાય હથ્થાનન્દી મર્વાત।' (તૈત્તિરીય ઉપનિષદ્-૨/૭) : ત્યારે તે કેવળ આાદમય કે આનંદમય છે એ દર્શાવવા હેતુ સ્પષ્ટ થાય છે. રસ શબ્દના અર્ધાં વિશ્વકેશ મુજબ—— "" 'रसो गन्धरसे स्वादे तिक्तादौ विषरागयोः । शृंगारादौ द्रवे वीर्ये देहधात्वम्बुपारदे || " આ માંથી શૃંગાર વગેરેની સાથે જે રસ પ્રયુક્ત થાય છે, તેની ચર્ચા અહી અભિપ્રેત છે. શૃંગાર વગેરે રસ' એવા પ્રયોગ સહુ પ્રથમ આપણને રામાયણમાં મળી આવે છે. પણ રામાયણના ભાલકાંડના આ અંશ પ્રક્ષિપ્ત હાવાની સંભાવના છે. આથી કામસૂત્રના નિર્દેશને સૌથી પ્રાચીન માનવામાં વાંધો નથી, જ્યાં વાત્સ્યાયન કહે છે—ષ્ટિમાવટીજાનુવર્તનમ્ ।” (કા. સૂ. ૬/૨-૩૫). આ સ્થળે સ્પષ્ટ રીતે શૃંગારાદિ રસની વાત છે, તે સહુ માં સમજી શકાય છે. કેમકે, તેના પરની “જયમ ગલા”. ટીકામાં લખ્યું છે : “નાયચણગાર વિષુ ચ ો તો માત્રઃ સ્થાયિતશ્ચાર્િ સાવિત્રેવુ સ્ટીલ્ડા વેદિતાનિ સેવામનુવર્તનમ્ ।'' (-તગેન્દ્રઃ સિદ્ધાન્ત પૃ. ૮) વાત્સ્યાયનના સમય ઈ. સ. પૂર્વે લગભગ છઠ્ઠી સદીનેા મનાય છે, આથી સાહિત્યશાસ્ત્રમાં રસ શબ્દની પ્રચલિત વિભાવના પણ તેટલી પ્રાચીન હશે એમ કહી શકાય. સની વ્યાખ્યા “વિમાવાનુમાનર્થામા સંયોગદ્રસનિવૃત્તિઃ | ” (ના. શા.-ગા. એ, સિ. ભા. ૧, પૃ. ૨૭૨) Page #2 -------------------------------------------------------------------------- ________________ કાનજીભાઈ પટેલ <3 (C એમ ભરતમુનિએ નાટયશાસ્ત્રમાં સની ચર્ચામાં જણાવ્યું છે. વિદ્વાને આને ભરતનુ રસસૂત્ર ગણાવે છે. અને તે ઉપરથા ૧. ઉત્પત્તિત્રાદ, ર. અનુમિતિવાદ, ૩. ભુક્તિવાદ, ૪. અભિવ્યક્તિવાદએવા ચાર સિદ્ધાન્તાના વિકાસ થયા છે. અનુયોગદ્રારસૂત્રકારે કેવળ ‘નવ વરના વાત્તા' એમ કહ્યું છે. 7 શબ્દ અહીં ‘કાવ્ય'ના વ્યાપક અમાં સૂત્રકારને અભિપ્રેત હેાય એમ લાગે છે. તેમણે રસની વ્યાખ્યા કરી નથી. પણ ટીકાકાર (હપુરીય ગચ્છના) મલધારી હેમચંદ્રે રસ શબ્દની શાબ્દિક વ્યુત્પત્તિ અને વ્યાખ્યા આપતાં જણાવ્યું છેઃ રહ્યન્ત બન્તાબનાડનુંમૂયન્ત કૃતિ સાઃ તત્તાનरिकारणसन्निधानोद्भूताश्वेतोविकारविशेषा इत्यर्थः उक्तं च बालम्बना यस्तु विकारो માનલો મવેત્ । સ માવ: વ્યંતે સમસ્તસ્યોર્જે સઃ સ્મૃતઃ ।' (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫) અર્થાત્ અંતરાત્માથી જે અનુભવાય છે તે રસ કહેવાય છે. એ રસે તત્તત્સહકારી કારણેની સમીપતાથી ચિત્તમાં ઉત્કષ વિશેષ ઉત્પન્ન કરે છે. તે અનુપમ હોય છે. કહ્યું પણ છે કે ખાદ્યાર્થીના અવલ બનથી જે માનસિક ઉલ્લાસ હેાય છે તે ભાવ છે. ભાવના ઉત્કષ રસ છે. અલબત્ત, ટીકાકારની વ્યાખ્યા સૂત્રકાર પછી સારા એવા સમયે (ઈ. સ.ને ૧૧-૧૨મે સા) થયેલી હાઈ તે દરમિયાનના સમયગાળામાં રસની ચર્ચા ભારતીય સાહિત્યશાસ્ત્રમાં વિસ્તારથી થઈ ચૂકી હતી. રસ–સંખ્યા : ભરતમુનિના નાટષશાસ્ત્રમાં રસની વ્યાખ્યા, પ્રકારો ઇત્યાદિની વિસ્તૃત ચર્ચા છે. ત્યાં તેમણે શૃંગાર, હાય, કરુણુ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એ આઠ રસા નાટકમાં સ્વીકાર્યાં છે : शृंगार हास्य करुणा रौद्रवीरभयानकाः । વીમત્સાવ્મુતસંજ્ઞો વેચી નાટને લાઃ સ્મૃતાઃ ।। (ના. શા. ૬/૧૫) : આઠ રસ માનવાની પરરંપરા ભરતમુનિ કરતાં પણ પ્રાચીન છે. કારણ કે, તેમણે મહાત્મા ગ્રુહિણે રસ આઠે છે એમ કહ્યું છે' એવે। હવાલો આપ્યા છે તે ઘટી લાઃ ત્રોવ્રુદ્િળન મહાત્મના |’ (ના. શા. ૬/૧૬) : ભરતમુનિના ટીકાકાર અભિનવે ‘સ નવ છે, પણ શાન્તને અપલાપ-નિષેધ કરતાર ત્યાં આઠ' એમ પાઠ આપ્યા છે : તેના પ્રથમ સાઃ । તે જ નવ | શાન્તાપાવિનત્ત્વષ્ટામિતિ સત્ર યત્તિ 1 ( તા.શા—ગા. એ. સિ, પૃ. ૨૬૭ ) : પણ તે ખરાખર લાગતું નથી. કારણ કે, રસની ઉત્પત્તિ, વ, અધિદેવતા વગેરેની ચર્ચામાં પણ ભરતે આઠ રસની જ ચર્ચા કરી છે; નવની નહી. નવમા શાંત નામને રસ પાછળથી ઉમેરાયેા છે. ભરતમુનિ પછી પ્રાચીન આચાર્યાંમાં મહાકવિ કાલિદાસ (ઈ. સ. ૪-૫ શતાબ્દી), અમરસિંહ (ઠ્ઠી શતાબ્દી, ભામહ (ઠ્ઠી શતાબ્દી) અને દંડી (!. ઈ. સ. ૬૭૫-૭૨૫) આદિએ પણ નાટકામાં આઠ રસોને જ ઉલ્લેખ કર્યા છે. નાટકમાં શાન્ત સહિત નવ રસના પ્રથમ ઉલ્લેખ ઉપલબ્ધ ગ્રંથામાં સૌથી પહેલાં ઉદ્ભટના ‘ કાવ્યાલ કારસંગ્રહ 'માં મળે છે : शृंगारहास्य करुणरौद्रवीरभयानकाः । बीभत्साद्भुत शान्ताश्च नव नाटये रसा स्मृताः । ( ४-४ ) રામચ`દ્ર–ગુણ, ( ઈ. સ. ૧૨ મી શતાબ્દી મધ્યભાગ ) પણ નવ રસે। માન્યા છે: शृंगारहास्य करुणा: रौद्रवीरभयानकाः । શ્રીમન્ના ભૂત્તરાન્તાએ સાઃ સદ્ધિનાત્ર સ્મૃતાઃ ॥ (ના. ૬. ૩/૯): Page #3 -------------------------------------------------------------------------- ________________ રસમીમાંસામાં અનુગદ્વારસૂત્રકારનું પ્રદાન આ સ્વીકૃત નવ રસમાં રૂટ પ્રેયાન નામના દસમા રસને ઉમેરી દીધું છે: शृंगारवीरकरुणा बीभत्सभयानकाद्भुता हास्यः। ૌદ્ર શાન્તિઃ પ્રેણાનિતિ મન્તવ્યા હતા તે (કા. સ. ૧૨૯૩): અલબત્ત, રકટને કઈ અનુયાયી કે શિષ્ય મળ્યો નહીં. આ ઉપરાંત સ્નેહ, લૌલ્ય અને ભક્તિને રસ તરીકે નિર્દેશ થયો છે અને વિદ્વાનોએ એનું ખંડન પણ કર્યું છે. (જુઓ હેમચંદ્રાચાર્ય–કાવ્યાનુશાસન : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. પૃ. ૧૦૬) ટૂંકમાં, નવ રસોની સ્વીકૃતિ સામાન્ય રીતે થઈ છે. ડો. વી. રાઘવનનું માનવું છે કે નવમા શાંત રસની સ્વીકૃતિ માટે ઘણું કરીને જૈન અને બૌદ્ધો જવાબદાર છે. (The Number of Rasas : synopsis page XIV) ઉભટે નવ રસો નાટકમાં હોય છે તેમ કહ્યું છે, તે કટના સમસામયિક સુભટે તે નવ રસ કાવ્યમાં હોય છે એવી ઘેષણ કરીને “નવ વાગ્યે સાઃ કૃતા” એમ કહી દીધું. અભિનવગુપ્ત રસ નવ જ છે એમ કહી શાન્ત રસની નાટક અને કાવ્ય બનેમાં પ્રતિષ્ઠા કરી છે : “વમેતે લા શેયા નતિ' (ના. શા. ગા. ઓ. સિ, પૃ. ૩૪૧). મમ્મટે ‘નવરિ ' ભારતીની સ્તુતિ કરી છે જે અત્યન્ત પ્રસિદ્ધ છે. ( કા. પ્ર ૧.૧ ) અનુગાર સત્રકારે પણ “નવ વરણા પuત્તા તં કદા-ચો હિરો અમુકો ૨ શેરો ય ઢોડુ વધો . ઢળગો વામો હૃાો વહુનો પસંતો ય ! ” (અનુ. સત્ર. ૨૬૨), એમ કહી કાવ્યના નવ રસો આપ્યા છે. અર્થાત અહીં તેમણે વીર, શૃંગાર, અદ્ભુત, રદ્ર, ગ્રીડનક, બીભત્સ, હાસ્ય, કરુણ અને પ્રશાંત એમ કાવ્યના નવ રસ ગણાવ્યા છે. આમાંથી પાંચમો ગ્રીડનક નામને જે રસ તેમણે દર્શાવ્યો છે તેને નિર્દેશ સાહિત્યશાસ્ત્રના કોઈ પણ આચાર્યના ગ્રંથમાં મળતો નથી. નાટયશાસ્ત્રમાં જ્યાં વ્યભિચારી ભાવોની ચર્ચા છે તેમાં બીડા નામના વ્યભિચારી ભાવને સમાવેશ થાય છે. ગ્રીડનકને થાયીભાવ આ ગ્રીડા યા લજજા ગણવામાં આવ્યો છે. ભરતમુનિએ બ્રીડા માટે લખ્યું છે: ગ્રીલા નામ-અર્ચદાણાત્મિવા સા જ ગુરુસ્થતિમUવજ્ઞાનપ્રતિજ્ઞાતાનિર્વાपश्चात्तापादिभिर्विभावैः समुत्पद्यते।......किञ्चिदकार्य कुर्वन्नेवं यो दृश्यते शुचिभिरन्यैः । पश्चात्तापेन युतो ब्रीडित इति वेदितव्योऽसौ॥ लज्जानिगूढवदनो भूमि विलिखिन्नखांश्च विनिकृन्तन् । वस्त्राङ्गुलीચનાં સંસ્પર્શ ગ્રહિત કુર્યાત છે (ના. શા–ગા. એ. સિ. ભા. ૧, પૃ. ૩૬૩-૬૪) વ્રડાના ભરતમુનિએ આપેલાં લક્ષણે સાથે સત્રકારનું વ્રીડનક રસનું વર્ણન સહજમાં સરખાવી શકાય તેમ છે: विणओवयारगुज्झगुरुदारमेरानतिक्कमुप्पण्णो । वेलणओ नाम रसो लज्जासंकाकरणलिंगो । અહી જોઈ શકાય છે કે ગુરતિકમણની વાત શબ્દશઃ બનેમાં એક છે. પશ્ચાત્તાપજનિત લજજા પણ અને સ્વીકારે છે. આથી એક અનુમાન થઈ શકે કે સરકારને થ્રીડનક રસની ક૯૫ના ઉદ્દભવી છે તેમાં ભરતમુનિએ દર્શાવેલ બ્રીડા નામના વ્યભિચારી ભાવે ભાગ ભજવ્યો હોય. સૂત્રકારે વડનક રસનાં લક્ષણ અને ઉદાહરણ પણ આપ્યાં છે. વાસ્તવમાં તેમને પુરોગામીઓ નથી કે કોઈ અનુગામીઓ નથી કે જેણે વડનક નામને રસ સ્વીકાર્યો હોય. રામચંદ્ર-ગુણચંદ્ર જેવા જેન કાવ્યશાસ્ત્રીઓએ પણ વોડનક રસ સ્વીકાર્યો નથી. એ રીતે મૂલવતાં આ તેમનું મૌલિક પ્રદાન કહેવાય. ભયાનકને ન સ્વીકારી સૂત્રકારે રસની સંખ્યા તો નવ જ રાખી છે. ભયાનક રસને સ્વીકાર ન કરવા માટે તેમણે પોતે કોઈ કારણ આપ્યું નથી. પણ ટીકાકાર મલધારી હેમચંદ્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ કાનજીભાઈ પટેલ ૫ બ્રીડનકને સ્થાને કેટલાક ભયજનકસંગ્રામ દિવસ્તુદશ નથી ઉત્પન્ન થતા ભયાનક રસ ગણાવે છે. પરન્તુ ભયાનક તે તેના કારણભૂત રસ રૌદ્રનું જ અંગ છે. માટે તેની પૃથક સત્તા નથી.' એમ કહી તેને અહીં રૌદ્ર રસની અત ત ગઝુતાં જુદે નગણુવા જણાવ્યુ છે. (અતુ. હેમ. વૃત્તિ પૃ ૧૩૫). સૂત્રકારે જેને પ્રશાંત રસ કહ્યો છે તે શાંતરસનું નામાન્તર છે એમ માનવામાં વાંધા નથી. અનુયોગદ્દારસૂત્રમાં પ્રશાંત રસની સ્વીકૃતિમાં માત્ર ધાર્મિક દૃષ્ટિ છે, તને નાટક કે કાવ્ય સાથે કઈ સંબંધ નથી એવુ મંતવ્ય ૐ1, એસ, કે. ડેએ દર્શાવ્યુ છે. (Sanskrit Poetics Vol. I p. 36 f. n ) પણ ડૅા, વી, રાઘવને તેમના આ મતનું ખંડન કર્યું છે. ( The Number of Rasas, page 23 ). સેાના વિશેષક્રમ : ભરતમુનિએ શૃંગાર, હાસ્ય, ક ુણુ, રૌદ્ર, વીર, ભયાનક, ખીભત્સ અને અદ્ભુત એ પ્રકારે રસાને ક્રમ આપ્યા છે ( ના. શા. ૬/૧૫). અભિનવભારતીમાં તે ક્રમનું કારણુ વિગતથી જણાવવામાં આવ્યું છે. શુ`ગાર દરેકને અતિ સુલભ અને સુપરિચિત હેાવાથી સૌને માટે હદ્ય છે, માટે શૃંગારને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. (અનુ. હેમ, વૃત્તિ પૃ. ૧૩૪-૩૫ ૫૨ અનુયોગદ્દારસૂત્રના ટીકાકારે પણ આને ઉલ્લેખ કર્યાં છે. ) હાસ્ય એ શૃંગારનેા અનુગામી છે, માટે શૃંગાર પછી હાસ્યનું સ્થાન છે. હુ!સ્યથી વિપરીત સ્થિતિ કરુણુની છે. એથી તેનું સ્થાન હાસ્ય પછીતુ છે. કરુણતુ... નિમિત્ત રૌદ્રરસ હોવાથી કરુણ પછી રૌદ્રરસનુ` સ્થાન છે. એ પછી કાળ, અર્થ અને ધર્મપ્રધાન વીરરસ આવે છે. વીરરસનુ મુખ્ય કાર્ય ભયમીતને અભય પ્રદાન કરવાનું હાઈ વીરરસની સાથે તેના વિરાધી ભયાનકને સ્થાન આપવામાં આવે છે. વીરરસના પ્રભાવથી ખીભત્સ દશ્ય ઉપસ્થિત થાય છે, એથી ભયાનક પછી ખીસસને મૂકવામાં આવે છે. કહ્યુ` છે કે “ અંતમાં અદ્ભુતને સ્થાન આપવુ જોઈએ.” : પર્યંતે ર્તવ્યો નિત્યં સોડમ્રુત: II ( ના. શા. ૧૮.૪૩ ) : એથી આઠ રસામાં છેલ્લું સ્થાન અદ્ભુતનું છે. ત્યાર પછી ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગના સાધનભૂત પ્રવૃત્તિ ધર્માથી વિપરીત નિવૃત્તિધર્મપ્રધાન અને મેાક્ષફળવાળા શાંત રસ આવે છે. ( તા. શા−ગા. એ. સિ, પૃ. ૨૬૭). અનુયોગદ્દારસૂત્રકારે શૃંગારને સ્થાને વીરરસને પ્રથમ સ્થાન આપ્યું છે. એ માટે તેમણે કોઈ કારણ નથી આપ્યું. પણ ટીકાકાર મલધારી હેમદ્રે આપેલ કારણ વિશેષ નોંધપાત્ર છે. તેમના જણાવ્યા પ્રમાણે વીરરસના પાઠ પહેલેા રાખવામાં આવ્યા છે, તેનું કારણ એ છે કે લેાકોને તપ અને કનિગ્રહ કરવામાં જે પ્રેરણાત્મક ગુણુ હાય છે તે ફક્ત વીરરસમાં જ હોય છે. હારે। ગુણુ કરતાં પણ વધારે પડતો ત્યાગ ગુણુ મનાય છે. તપ અને શ્રુત પશુ મેાક્ષ આપનારાં છે. અનુ. હેમ, વૃત્તિ, પૃ. ૧૩૫ ) વળી, વિચાર કરતાં જણાય છે કે જૈનધર્મના આ આચાર્ય નિજ ધર્માંના મહાપુરુષ ભગવાન મહાવીર સ્વામીનુ શૃંગાર રસ વિષયક કોઈ ઉદાહરણ મળી શકે જ નહી. તેથી તને રથાને વીરરસથી જ ક્રમને આરભ કર્યા હોય. વીરરસની ચર્ચા જો પ્રથમ થાય તા પ્રથમ મહાવીર સ્વામીનું ઉદાહરણ શકય બને. વળી, ‘ મહાવીર' માં ‘વીર ’ શબ્દને સમાવેશ થઈ જાય છે. ઉપરાંત, વીરરસના ત્રણે પ્રકારા – ધર્મ વીર, દાનવીર, યુદ્ધવીર્—તે સમાવી શકાય તેવુ એક જ ઉદાહરણુ અને તે પણુ મહાવીર સ્વામીનું પ્રથમ આવે તેા તે વિશેષ ઉપયુક્ત ગણાય. આથી સૂત્રકારે વીરરસને પ્રથમ સ્થાન આપ્યું હોય એમ બને. વીર્ પછી શુંગાર આવે છે. અદ્ભુત રસ શૃગાર પછી તરત જ તેમણે મૂકયો છે. રૌદ્રના ક્રમ એ જ રાખ્યા છે; જ્યારે Page #5 -------------------------------------------------------------------------- ________________ e રસમીમાંસામાં અનુયાગદ્વારસૂત્રકારનું પ્રદાન અસલમાં આવતા વીરરસના પાંચમા ક્રમે ભયાનકના સ્થાને આવેલ નવા ત્રીડનક રસ મૂકયો છે અને ભયાનકને રૌદ્રની અંતર્ગત ગણી લીધા છે. ખીભત્સ રસ ટ્ટો મૂકયો છે. હાસ્યને કરુણુની પહેલાં તા રાખ્યા છે, પણ કરુણ અને અદ્ભુતના સ્થાનની અદન્નાબદલી થતાં તે સાતમે આવ્યા છે. શાંતને સ્થાને આવેલ પ્રશાંતનું સ્થાન છેલ્લુ છે. આમ, સૂત્રકારે નાટયશાસ્ત્રના આઠ રસ અને કાવ્યાલંકારના નવ રસના ક્રમમાં મેટલ ફેરફાર કર્યા છે, જે નીચેના કોઠા પરથી જોઈ શકાય છે. કાવ્યાલ કાર નાચશાસ્ત્ર ૧ શૃંગાર ૨ હાસ્ય ૩ કરુણ ૪ રૌદ્ર ૫ વીર } ભયાનક ૭ બીભત્સ ૮ અદ્ભુત હું ૧ શૃંગાર ૨ હાસ્ય ૩ કરુણ ૪ રૌદ્ર . ૫ વીર્ ૬ ભયાનક ૭ બીભત્સ ૮ અદ્ભુત ૯ શાંત લક્ષણ અને ઉદાહરણ : સૂત્રકારે નવ રસનાં લક્ષણૈાતી શાસ્ત્રીય ચર્ચા કરી તથી, માત્ર તે કેવી રીતે લક્ષમાં આવે છે તે જણાવી દરેકનાં ઉદાહરણ જ આપ્યાં છે. આ માટે વીર, શૃંગાર, રૌદ્ર, ગ્રીડનક, હાસ્ય અને કરુણ માટે હિંદ શબ્દને અને અદ્ભુત તથા ખૌભત્સ માટે વળ શબ્દના પ્રયોગ કર્યા છે. રસનાં ઉદાહરણા પણ કેટલાંક તેા અસરકારક બની શકયાં નથી, દરેકનુ પૃથક્ વિવેચન કરતાં આને ખ્યાલ આવી શકે છે. વીરરસ :-સૂત્રકાર પ્રમાણે દાન દેવામાં પશ્ચાત્તાપ ન કરવે, તપશ્ચર્યામાં ધીરજ ધરવી અને શત્રુએના વિનાશમાં પરાક્રમ કરવા પણ વ્યાકુળ ન થવું. આવાં લક્ષણા વીરરસનાં છે. ટીકાકારે વીરરસની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે — જે રસ માણસને વીરત્વપૂર્ણ કરે છે; ત્યાગમાં, તપમાં અને કર્માંરૂપ શત્રુઓના નિગ્રહકાર્યમાં પ્રેરિત કરે છે તે વીરરસ છે. ( હેમ. વૃત્તિ, પૃ. ૧૩૪). વાસ્તવમાં આ સ્થળે વીરરસનાં લક્ષÌા નથી. પણ ભરતમુનિએ જે દાનવીર, ધર્મવીર અને યુવીર એમ ત્રણ પ્રકારના વીરરસ કહ્યો છે, તે ત્રણે પ્રકારા સુત્રકારે વીરરસનું લક્ષ ખાંધતાં આપી દીવાં છે, જેમ કે— અનુયાગઢારસૂત્ર ૧ વીર ૨ શૃંગાર ૩ અદ્ભુત ૪ રૌદ્ર ૫ ત્રીડનક ૬ ખીભત્સ ૭ હાસ્ય ૮ કરુણ ૯ પ્રશાંત વીરરસના ઉદાહરણમાં સૂત્રકારે જે ગાથા આપી છે તેમાં મહાવીરનું વર્ણન છે. ત્યાં તેમને રાજ્યના વૈભવને ત્યજી દેનાર' ગણાવી દાનવીર, દીક્ષિત થનાર' કહી ધર્મવીર અને કામક્રોધરૂપ ભચકર શત્રુઓને ‘ વિનાશ કરતાર ’ કહીને યુદ્ધુવીર એમ ત્રણે પ્રકારના વીર બતાવ્યા છે. આમ, એક જ ઉદાહરણમાં ત્રણેને સમાવી લેવાતી સૂત્રકારની શક્તિ અહીં ઉલ્લેખનીય છે. दानवीरं धर्मवीरं युद्धवीरं तथैव च । સં વીવિ પ્રાદ શ્રદ્ધા ત્રિવિધમે દ્વિ । ના, શા.૬/૭૯ શૃંગાર રસ -શૃંગાર વિશે સૂત્રકારે કહ્યું છે કે શૃંગારરસ રતિના કારણુભૂત રમણી આદિ સબધી અભિલાષાના જનક હોય છે. વૃત્તિકારે જે રસ પ્રધાનતયા વિષયા તરફ વાળે છે તેને Page #6 -------------------------------------------------------------------------- ________________ * કાનજીભાઈ પટેલ ગાર કહ્યો છે. (અનુ. હેમ. વૃત્તિ-પૃ. ૧૩૬) અહીં ભરતમુનિનું વાક્ય સરખાવવું રસપ્રદ થઈ પડશે કે-“ તત્ર સમોનસ્તાવન ઋતુમાત્યાનુપનનાdgઝનવિષયવમવનોપમોનોપવન નાનુસસરકારની રાત્રીરસિઘિા ( ના. શા-ગા. આ. શિ. ભા. ૧, પૃ. ૩૦૩) વળી, પૃ. ૩૦૮ પર શુંગારને રિઝમઃ કહ્યો છે. સૂત્રકારે પશુ શુંગાર રસને તરંગોઢિારસંવાળો કહ્યો છે અને જે મંડન, વિલાસ, બિબેક, હાસ્ય, લીલા વગેરે શૃંગારનાં લક્ષણે ગણાવ્યાં છે તેમાં પણું નાટયશાસ્ત્રની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં એક વાત નોંધવાની છે કે ભારતના વાસમાં શગારના સંભોગ અને વિપ્રલંભ એવા જે બે પ્રકારે ગણાવ્યા છે તેની ચર્ચા સૂત્રકારે ટાળી છે. તેમનો ઉદ્દેશ જેન સાધુઓને બોધ આપવાનું હોવાથી શંગારની વિસ્તૃત ચર્ચા તેઓ ન કરે તે સ્વાભાવિક છે. એટલું જ નહીં, પણ તેમણે તે શંગારનું ઉદાહરણ આપ્યા પછી સ્પષ્ટ કહી દીધું છે કે ઉપરોક્ત સ્વરૂપવાળા શૃંગારને “ધિકાર છે, ધિક્કાર છે. આ રસ મુનિઓ માટે ત્યાજ્ય કહેવામાં આવ્યો છે. તે મોક્ષરૂપી ઘરની અર્ગલા છે. તેથી મુનિ આ રસનું સેવન ન કરે. અદ્દભુત રસદ નાટયશાસ્ત્રમાં રસોની ચર્ચામાં અદ્દભુત છેલ્લે આવે છે. પણ અહીં સૂત્રકારે તેને શુંગાર પછી તરત જ મૂક્યો છે. સૂત્રકાર અને ટીકાકાર (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫) મુજબ પૂર્વે કેઈ દિવસ ન અનુભવેલ અથવા અનુભવેલ એવા કોઈ પદાર્થને જોઈને આશ્ચર્ય થાય તે અદ્દભુત રસ છે. હર્ષ અને વિષાદ અભુત રસનાં લક્ષણ છે. આશ્ચર્યજનક બાબતથી વિસ્મય જન્મ અને વિસ્મય એ અદ્દભુત રસને થાયીભાવ છે. આ બાબત ભરતમુનિમાં પણ છે. પરંતુ અદ્ભૂત રસનાં હર્ષ અને વિષાદ એ બે લક્ષણ છે એમ સૂત્રકારે જે કહ્યું છે તે વિચારવા જેવું છે. નાટયશાસ્ત્રમાં અદ્દભુત રસના વર્ણનમાં કહ્યું છેઃ સ્તન્મશ્રાદુરોનાલ્ઝાકાસામનડતાકરચયઃા (ના. શા. ગા. એ. સિ ભા. ૧, પૃ ૩૨૮-૩૩૦) અહીં જે જડતા, પ્રલય વગેરે કહ્યાં છે તે ઉપરથી વિષાદને સુત્રકારે અદ્ભુતનું લક્ષણ માન્યું હશે, અન્યથા અન્ય કેઈએ વિષાદને અદૂભુતનું લક્ષણ કહ્યું નથી. ૪. રૌદ્રરસ : સૂત્રકારે ભયજનક રૂ૫, શબ્દ, અંધકારના ચિંતન, કથા અને દર્શનથી ઉત્પન્ન થનાર તથા સંમોહ, સંભ્રમ, વિષાદ અને મરણ લિંગવાળો રૌદ્રરસ ગણાવ્યો છે. ટીકાકારે કહ્યું છે: “જે અતિદારુણ હેવા બદલ રડાવે છે એટલે કે અશ્રુ વહેવડાવે છે તે રૌદ્ર છે. શત્રુઓ, મહારણ્ય, ગાઢ તિમિર વગેરે રૌદ્ર છે. એમના દર્શનથી ઉદભવેલ વિકૃત અથવસાયરૂ૫ રસ રૌદ્ર છે.' (અનુ. હેમ. વૃત્તિ પૃ. ૧૩૭) સૂત્રકારે આપેલા લક્ષણોની સરખામણી ભારત મુનિના રૌદ્રરસના વિવેચન સાથે કરવા જતાં કેઈ નેંધપાત્ર સામ્ય મળી આવતું નથી. સૂત્રકારે જે ઉદાહરણ આપ્યું છે, તેમાં રૌદ્રને બદલે ભયાનક રસ જોવા મળે છે. ટીકાકારે આનું કારણ આપતાં જણાવ્યું છે : “જે કે લક્ષણક ભયાનકને નિર્દેશ કરે છે. પણ તે ભયાનકના કારણભૂત રૌદ્રને સ્પર્શે છે, તેમ સમજવાનું છે.” (અનુ હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫). ડે. વી. રાધવને ટીકાકારની આ દલીલ તર્કસંગત ગણી નથી (The Numbar of Rasas, Page 142). અન્યને કારણે ઉત્પન્ન થયેલા રસને ના સ્વીકારવામાં આવે તો તે ભારતે કહ્યું છે તેમ માત્ર ચાર જ મૂળ રસ રહે (ના. શા. ૬/૩૯-૪૧) વળી, કારણભૂતને સ્વીકારો અને કાર્યભૂતને ન સ્વીકાર એ યોગ્ય નથી. તેનાથી ઊલટું કેમ નહીં ? ૫. ગ્રીડનક રસઃ સૂત્રકાર અને ટીકાકાર (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫) ના જણાવ્યા પ્રમાણે વિનય કરવા યોગ્ય માતા-પિતા વગેરે વડીલો સાથે અવિનયપૂર્ણ વ્યવહાર કરવાથી, મિત્ર વગેરેની Page #7 -------------------------------------------------------------------------- ________________ ૮૮ રસમીમાંસામાં અનુગદ્વારસૂત્રકારનું પ્રતાન ગુપ્ત વાત પ્રકટ કરવાથી તેમજ માન્યજનોની ધર્મપત્નીઓ સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહારના અતિક્રમથી વીડનક રસ ઉત્પન્ન થાય છે. લજા અને શંકા ઉત્પન્ન થવી તે આ રસનું ચિહ્ન છે. આ રસની બાબતમાં સૂત્રકારનું પ્રદાન મૌલિક છે અને તેની ભરતમુનિએ વર્ણવેલ ૩૩ વ્યભિચારી ભાવમાંના બ્રીડા સાથે સરખામણી શક્ય છે. એ વાત અગાઉ જણાવી દીધી છે. વરવધૂના પ્રથમ સમાગમ પછી વડીલો ( સાસુ-સસરા) વધૂએ પહેરેલાં વસ્ત્રોનાં વખાણ કરે છે. તે જોઈને વધુ શરમાઈ જાય છે એવું જે ઉદાહરણ છે તે સમસામયિક સામાજિક પરિસ્થિતિને વ્યક્ત કરતું, - લોકવ્યવહારને દર્શાવતું અને સાથે સાથે નવપરિણીતાના લજજાભાવોને સુંદર રીતે વ્યક્ત કરતું છે. આને ઉત્તમ કાવ્યનું ઉદાહરણ કહી શકાય તેમ છે. સૂત્રકાર ધર્મશાસ્ત્રના જ્ઞાતા હોવા ઉપરાંત લેકવૃત્તાન્તની પણ જ્ઞાતા હશે એ વાત અહીં પ્રતીત થાય છે. ૬, બીભત્સ રસ : બીભત્સ રસની નાટયશાસ્ત્રમાં ચર્ચા વખતે ભારતે એક આર્યા છંદ આ છે ? अनभिमतदर्शनेन च गन्धरसस्पर्शशब्ददोषैश्च । કનૈશ્ચ દુમિર્કીમત: સમુર્મવતિ ૫ (ના. શા. ૬/૭૩) સૂત્રકાર અનુસાર અશુચિ, કુણપ (શબ), દુર્દશનના સંયોગ, દુધને અભ્યાસ બીભત્સ રસ જન્માવે છે. નિર્વેદ અને અવિહિંસા (જીવઘાતથી નિવૃત્તિ) એ બીભત્સ રસનાં લક્ષણ છે. ટીકાકાર પ્રમાણે શુક્ર, શોણિત, મતવિષ્ટા, મૂત્ર વગેરે જે અનિષ્ટ અને ઉદ્દે નજનક વસ્તુઓ છે તે બીભત્સ કહેવાય છે. એમને જોવા-સાંભળવાથી જે જુગુપ્સાત્મક ભાવ ઉત્પન્ન થાય છે તે જ જુગુપ્સાપ્રકર્ષ રસ બીભત્સ રસ કહેવાય છે. (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫). ભરત અને સૂત્રકારની વ્યાખ્યામાં કેટલાક સમાન અંશે છેજેવા કે, અનભિમત દર્શન ભરતમુનિની વ્યાખ્યામાં છે, અહીં દુર્દર્શન શબ્દ છે. ગંધરસસ્પર્શ વગેરેના ની વાત ભરતમુનિએ કરી છે. સૂત્રકાર દુર્ગધને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. આ ઉપરાત સરકારે નિર્વેદ અને અવિહિંસા લક્ષણવાળા બીભત્સ રસ પણ કહ્યો છે. ભરતમુનિ એ બીભત્સ રસના ભાવોની ગણના કરી છે કે “માવાસ્યાસ્વાપરમાર નામોચ્ચાધિકાદ:” (ના. શા –ગા. એ. સિ. ભા. ૧ પૃ. ૩૨૮) અહીં ઉગ વગેરેમાં નિવેદ આવે, પણ જે અવિહિંસાની વાત સૂત્રકારે કરી છે તે તેમની જૈનસંસ્કારજન્ય વિચારધારાને દર્શાવે છે. બીભત્સ રસનું સૂત્રકારનું ઉદાહરણું પણ નોંધપાત્ર છે. તેમણે શરીરમાં રહેલ અપવિત્ર મળ અને ઈન્દ્રિયોના વિકાર રૂપી ઝરાઓની વાત કરી છે, તેમાં સદાકાળ દુર્ગધ છે અને એ સર્વ મળ છે એમ તે જણાવે છે. પણ આટલેથી તે અટકતા નથી. ભાગ્યશાળી વ્યક્તિએ તે શરીરની મૂછને ત્યાગ કરી પોતાની જાતને ધન્ય બનાવે છે એમ ઉદાહરણમાં દર્શાવી જૈન સાધુઓ માટે આડકતરો પણ ઉપાદેય ઉપદેશ આપ્યો છે. આમ બીભત્સ રસનાં વિવેચના અને ઉદાહરણ બને વધુ સંતર્પક લાગે છે, અને સૂત્રકારની શક્તિનાં ઘાતક છે. ૭. હાસ્ય રસ : ભરતમુનિએ શૃંગાર પછી તરત હાસ્યરસની ચર્ચા કરી છે, કારણ કે એ બનેને એકબીજા સાથે સંબદ્ધ છે; જ્યારે સૂત્રકારે હાસ્યરસને બીભત્સ રસની પછી મૂક્યો છે. આ ક્રમમાં કોઈ વૈજ્ઞાનિકતા નથી. હાસ્યની ઉત્પત્તિ માટે ભરતમુનિ લખે છે: “સ જ વિકૃતવેપારધાદર્યટૌડુવાસબસ્ટાર્ચનોવોટાદiામિમિ દ્વૈપા ' (ન. શા-ગા, એ. * સિ. ભા. ૧ પૃ. ૩૧૨–૩૧૩). Page #8 -------------------------------------------------------------------------- ________________ ૮ કાનજીભાઈ મ. પટેલ હવે જ્યારે રૂ૫, વય, વેશ અને ભાષાના વિપરીતપણુથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે, એમ સૂત્રકાર અને ટીકાકાર (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫) ની વ્યાખ્યા વાંચીએ છીએ ત્યારે લાગે છે કે ભરતની વ્યાખ્યામાંથી કેટલીક બાબતે ગાળી નાખીને સૂત્રકારે આ વ્યાખ્યા તૈયાર કરી હશે. નાટયશાસ્ત્રમાં આર્યા ઉદ્દત કરી છે કે –“ વિતાવાગૈવિશ્વાશ્ચ વિશ્વ | દારૂતિ ચસ્મારHIણેયો સો દુ: || ” (ના. શા. ૬/૫૦). એમ પણ ઈ શકે કે સંસ્કૃત નાટકને ફક્ત વિદુષક તનની દષ્ટિમાં હોય. વિદુષકની વ્યાખ્યા છે : વિતાવવોઃ ટ્રાચવા વિદ્રુપ” આ ઉપરથી સૂત્રકારે પોતાની વ્યાખ્યા આપી હેય. ભરતમુનિ અનુસાર હાસ્યરસ આમસ્થ અને પરસ્થ એમ બે પ્રકારનો હોય છે. (ના. શા. પૃ. ૩૧૩) સૂત્રકાર આ બાબતમાં મૌન સેવે છે. ભરતમુનિએ સ્મિત, હસિત, વિહસિત, ઉપહસિત, અપહસિત અને અતિસિત એવા હાસ્યના છ ભેદ દર્શાવ્યા છે. (ના. શા. ૬/૫૩) આમાંથી કોઈને સીધે નિર્દેશ સૂત્રકાર કરતા નથી, પણ જ્યારે તેઓ કહે છે કે મુખનું વિકસિત થવું, પેટનું પ્રૂજવું, અટ્ટહાસ્ય વગેરે હાસ્યનાં લક્ષણો છે. ત્યારે તેમના મનમાં આ પ્રકારનો કદાચ ખ્યાલ હશે. સૂત્રકારે આપેલું ઉદાહરણ એ હાસ્યનું રમણીય ઉદાહરણ છે. રાત્રે પત્નીના નેત્રનું કાજળ તેના દિયરને ગાલ ઉપર લાગેલું જોઈને ભાભી ખડખડાટ હસી પડે છે. અહીં શૃંગારની છાંટ પણ આહૂલાદક છે. ૮, કરુણરસઃ કરુણરસની ભરતમુનિની ચર્ચા આ પ્રમાણે છેઃ સ જ વાપરાવાનિત છત્તરવિકામિનારવિધવવિદ્રોપધાતવ્યસનરંથો અર્વિમા સમુપાયા (ના.શા. પૃ. ૩૧૭) સૂત્રકાર કહે છે કે પ્રિયને વિયોગ, બંધ, વધ, તાડન, વ્યાધિ, વિનિપાત અને પરચક્રના ભયથી કરુણરસ ઉત્પન્ન થાય છે. અનુ. ટીકાકારની વ્યાખ્યા પણ આવી જ છે. (અનુ. હેમ. વૃત્તિ પૃ ૧૩૫) અહીં પરચકના ભય સિવાયની અન્ય વાતો ભરતમુનિની ચર્ચાને મળતી આવે છે. શોક, વિલાપ, મુખશુષ્કતા, રુદન વગેરે કરુણરસનાં લક્ષણ છે, એમ સૂત્રકાર જે કહે છે તે કરુણરસને અભિનય કેવી રીતે કરો એ વાત દર્શાવે છે. સૂત્રકારનું કરુણરસનું ઉદાહરણ સાદું છે. તેમાં પુત્રીની કરુણદશાનું વર્ણન છે. ૯, પ્રશાન્ત રસ : “શાન્તોડ નવમો રતઃ' એ વાત પાછળથી આવી છે. ભરતમુનિએ નાટકના આઠ રસોની ચર્ચા કરી હોવાથી “નાદ અષ્ટસ: સ્મૃતા:” એમ કહ્યું છે. શાંત રસના સૌથી પ્રબળ વિરોધી ધનંજય અને ધનિકે પણ શાંતરસ નિવૃત્તિપ્રધાન હોય છે અને અભિનયમાં તો પ્રવૃત્તિનું પ્રાધાન્ય હોય છે એમ જણાવી નાટકમાં શાંતરસને સ્વીકાર કર્યો નથી. પણ દશરૂ૫કની એ ચર્ચાથી એટલું જ સિદ્ધ થાય છે કે નાટકમાં શાંતરસની ઉપયોગિતા નથી; પણ એથી શાંતરસને અભાવ ન માની શકાય. શ્રી રામસ્વામી શાસ્ત્રીના મત પ્રમાણે “મને નદિ સાઃ તાઃએવા ભરતમુનિના કથનનો આશય માત્ર નાટકમાં આઠ રસોનું પ્રતિપાદન કરવાને છે; કાવ્યમાં શાંતરસ હોઈ શકે છે. એટલે કે કાવ્યમાં નવ રસ સ્વીકૃત છે. અનુયોગદ્વારસૂત્રકારે ‘ઇવિ વરસા quTત્તામાં નવ રસ એટલે કે શાંત રસને સ્વીકાર કર્યો છે તે ઉક્ત ભાવનાને અનુરૂપ જ છે, ૧૨. Page #9 -------------------------------------------------------------------------- ________________ સમીમાંસામાં અનુયેાગઢારસૂત્રકારનું પ્રદાન હિંસા વગેરે દાષાથી રહિત થયેલ મનની એકાગ્રતાથી જેની ઉત્પત્તિ થયેલ છે તેમ જ વિકારરહિતતા જેનુ લક્ષણુ છે એવા પ્રશાન્ત ભાવને સૂત્રકારે પ્રશાંત સુ કહ્યો છે. ટીકાકારે ઉપશમની પ્રક તારૂપ રસને પ્રશાન્ત રસ કહ્યો છે. આની તુલના શાંતરસના સ્વીકૃત સ્થાયીભાવ નિવેદ સાથે થઈ શકે તેમ છે. ૯૦ ઉપસ`હાર : સૂત્રકારે નવરસેાની ચર્ચા પછી ઉપસ’હારમાં એક નવીન અને નેધપાત્ર વાત કરી છે કે આ રસેાની ઉત્પત્તિ ૩ર સૂત્રદોષ ( અલીક, ઉપઘાતજનક, નિરક આદિ ૩૨ સૂત્રદ્વેષ માટે જુએ વિશેષાવશ્યકસૂત્ર ગાથા ૯૯૯)માંથી થાય છે. આ વાતને ટીકાકારે નીચે મુજબ ઉદાહરણુ આપીને સમજાવી છે. અલીકતાના દ્વેષથી અદ્ભુત રસ ઉત્પન્ન થાય છે. જેમ કે, “ તેના હાથીના કાલતટ પરથી ઝરતા મદના બિંદુએથી હાથી, ધાડા અને રથને વહાવતારી ધાર નદી ઉત્પન્ન થઈ’’ તેવાં તતટશ્રીનાનાં મચિન્તુમિઃ । પ્રાવર્તત નવી ધોરા પથવા ફ્રેની । (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૯-૧૪૦) આ સ્થળે વાસ્તવમાં અદ્ભુત રસ છે. પણ આ વાત જીવનમાં કયારેય સત્ય ત હાઈ શકે. એટલે અહીં અલીકતાના દોષ રહેલા છે. (વિશેષાવશ્યકસૂત્રમાં આ ઉદાહરણને અલિટતા થત બતાવી અયુક્તદોષ કહેલ છે.) એવી જ રીતે ટીકાકારે ઉપઘાત દોષથી ઉત્પન્ન થતા રસનુ ઉદાહરણ આપ્યુ છે કે—એ જ માણસ જીવે છે કે જેણે પોતાના ધનથી પ્રેમપૂર્વક માંગનારને ખુશ કર્યાં છે અને ક્રોધથી દુશ્મનના લેાહીથી પેાતાના બાણાને પ્રસન્ન કર્યા છે.' સ વ પ્રાિિત્ત કાળી પ્રીતેન વિત્તેન ૨ વિજ્ઞવિપક્ષ તૈશ્ચ શ્રીગિતા ચેન માર્થનાઃ ।। (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૪૦) : અહી’ છે તેા વીરરસ, પશુ એ ઉપધાત દોષને કારણે ઉત્પન્ન થયેલે છે. ઉપરાંત ટીકાકારે એક વાત સુદર જણાવી છે કે જે ૩૨ દષામાંથી રસ ઉત્પન્ન થવાની વાત કરી છે તેને પ્રાયાવૃત્તિ-પ્રાયેાવાદ ગણવા જોઈએ, કારણ કે તપ અને દાન જેતે વિષય છે તેવા વીરરસ કે પ્રશાંત વગેરે રસા અમૃત વગેરે દાષા વિના પણ સંભવી શકે છે: તોાવિષયસ્ય રીલક્ષ્ય પ્રશાન્તાવિજ્ઞાનાંવિદ્યુતાવિવોષાન્તરેપ નિવત્તેિિત્ત | (અનુ. હેમ. વૃત્તિ પૃ. ૧૪૦) આમ સૂત્રકાર અને ટીકાકાર બન્નેએ રસેના છૅ વિભાગ કર્યા છે.—૧ અદ્ભુત, ઉપઘાત જેવા સૂત્રદૃષોથી ઉત્પન્ન થતા અને ૨. સૂત્રદેષો સિવાય ઉત્પન્ન થતા. યુદ્ધવીર પાપધાતથી ઉત્પન્ન થાય છે. અદ્ભુત અનુતોષથી ઉત્પન્ન થાય છે. પશુ તપવીર અને દાનવીર પ્રશાન્તરસની જેમ સૂત્રદોષથી પર હાઈ શકે. રસની બાબતમાં એક ખીજી માંધપાત્ર હકીકત અહીં એ છે કે સૂત્રકારે શુદ્ધ' અને ‘મિશ્ર’ એમ એ પ્રકારના રસની નિષ્પત્તિની વાત કરી છે. જો ગ્રંથમાં કેવળ એક જ રસ આવે તા તે શુદ્ધ' અતે જ્યાં એથી વધુ રસાની નિષ્પત્તિ થાય તે ‘મિશ્ર’એમ ટીકાકાર જણાવે છે : क्वचित्काव्ये शुद्ध एक एव रसो निबध्यते, क्वचित्तु द्वयादिरससंयोग इति भाव इति गाथार्थः । (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૪૦) સંસ્કૃત કાવ્યશાસ્ત્રીએ પણ પ્રભુ ધના અંગ એટલે ગૌણુ અને અંગી એટલે મુખ્ય એવા રસની વાત કરેલી જ છે, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની અંગી રસ-કલ્પના પાતે એક અત્યંત રાચક પ્રસ`ગ છે. પ્રબ ધકાવ્યના આસ્વાદનુ સ્વરૂપ-વિશ્લેષણ કરવા માટે કદાચ આ કલ્પના કરવામાં આવી હતી. એ દૃષ્ટિએ એનુ મહત્ત્વ અસધિ છે. આવી સકેંસ્કૃત કાવ્યશાસ્ત્રની મહત્ત્વની કલ્પનાના ટીકાકારે નિર્દેશ કર્યો છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ કાનજીભાઈ પટેલ સંદર્ભ ગ્રંથ 1. अनुयोगद्वारसूत्र-सं. मुनि पुण्यविजयजी, महावीर जैन विद्यालय, मुंबई 2. अनुयोगद्वार-वृत्ति (हरिभद्र) - देवचंद लालभाई जैन पुस्तकोद्धार, मुंबई 3. अनुयोगद्वार वृत्ति (मलधारी हेमचन्द्र)-आगमोदय समिति, मुबई 4. अनुयोगगद्वार-चूर्णि- ऋषभदेवजी केसरीमलजी श्वेताम्बर संस्था, रतलाम 5. विशेषावश्यकभाष्य (जिनभद्र) - सं. पं. दलसुख मालवणिया - ला.द.भारतीय संस्कृति विद्यामंदिर, अहमदाबाद 8. आवश्यक नियुक्ति -- सं. ज्ञानसागर सूरि, दे. ला. जैन पुस्तकोद्धार 7. ब्रहत्कल्पसूत्र-सं. मनि पुण्यविजयजी : आत्मानन्द सभा, भावनगर 8. काव्यानुशासन (हेमचन्द्र) सं. परीख - कुलकर्णी : महावीर जैन विद्यालय, मुंबई 4. नाट्यशास्त्र - (भरत) - सं. रामकृष्ण कवि : गा. ओ. सि., बरोडा 10. नाटयदर्पण (रामचन्द्र - गुणचन्द्र) - सं. गांधी - श्रीगान्डेकर, गा. ओ. सि., बरोडा 11. काव्यालंकारसंग्रह (उद्भट) - के. एस. रामस्वामी शास्त्री : गा. ओ. सि., बरोडा 12. काव्यालंकार - (भामह) - सं. देवेन्दनाथ शर्मा 13. काव्यादर्श - (दण्डी) - सं. रामचन्द मिश्र : विद्याभवन संस्कृत ग्रंथमाला, वाराणसी 14. कामसूत्र (वात्स्यायन) - सं. शास्त्री गोस्वामी दामोदर : हरिदास संस्कृत प्रथमाला 15. तैत्तिरीय उपनिषद - आनन्दाश्रम संस्कृत ग्रंथावलि 14. विक्रमोर्वशीय (कालिदास)- सं. पंडित शंकर पी. : बोम्बे संस्कृत सिरीज 17. काव्यप्रकाश (मम्मट) सं. डा. नगेन्द्र : ज्ञानमंडल लिमिटेड, वाराणसी 18. रससिद्धान्त - डो. नगेन्द्र : नेशनल पब्लिशिंग हाउस, दिल्ली / 96. The Number of Rasas - Dr. V. Raghvan : Adyar Library, Adyar