SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ e રસમીમાંસામાં અનુયાગદ્વારસૂત્રકારનું પ્રદાન અસલમાં આવતા વીરરસના પાંચમા ક્રમે ભયાનકના સ્થાને આવેલ નવા ત્રીડનક રસ મૂકયો છે અને ભયાનકને રૌદ્રની અંતર્ગત ગણી લીધા છે. ખીભત્સ રસ ટ્ટો મૂકયો છે. હાસ્યને કરુણુની પહેલાં તા રાખ્યા છે, પણ કરુણ અને અદ્ભુતના સ્થાનની અદન્નાબદલી થતાં તે સાતમે આવ્યા છે. શાંતને સ્થાને આવેલ પ્રશાંતનું સ્થાન છેલ્લુ છે. આમ, સૂત્રકારે નાટયશાસ્ત્રના આઠ રસ અને કાવ્યાલંકારના નવ રસના ક્રમમાં મેટલ ફેરફાર કર્યા છે, જે નીચેના કોઠા પરથી જોઈ શકાય છે. કાવ્યાલ કાર નાચશાસ્ત્ર ૧ શૃંગાર ૨ હાસ્ય ૩ કરુણ ૪ રૌદ્ર ૫ વીર } ભયાનક ૭ બીભત્સ ૮ અદ્ભુત હું ૧ શૃંગાર ૨ હાસ્ય ૩ કરુણ ૪ રૌદ્ર . ૫ વીર્ ૬ ભયાનક ૭ બીભત્સ ૮ અદ્ભુત ૯ શાંત લક્ષણ અને ઉદાહરણ : સૂત્રકારે નવ રસનાં લક્ષણૈાતી શાસ્ત્રીય ચર્ચા કરી તથી, માત્ર તે કેવી રીતે લક્ષમાં આવે છે તે જણાવી દરેકનાં ઉદાહરણ જ આપ્યાં છે. આ માટે વીર, શૃંગાર, રૌદ્ર, ગ્રીડનક, હાસ્ય અને કરુણ માટે હિંદ શબ્દને અને અદ્ભુત તથા ખૌભત્સ માટે વળ શબ્દના પ્રયોગ કર્યા છે. રસનાં ઉદાહરણા પણ કેટલાંક તેા અસરકારક બની શકયાં નથી, દરેકનુ પૃથક્ વિવેચન કરતાં આને ખ્યાલ આવી શકે છે. Jain Education International વીરરસ :-સૂત્રકાર પ્રમાણે દાન દેવામાં પશ્ચાત્તાપ ન કરવે, તપશ્ચર્યામાં ધીરજ ધરવી અને શત્રુએના વિનાશમાં પરાક્રમ કરવા પણ વ્યાકુળ ન થવું. આવાં લક્ષણા વીરરસનાં છે. ટીકાકારે વીરરસની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે — જે રસ માણસને વીરત્વપૂર્ણ કરે છે; ત્યાગમાં, તપમાં અને કર્માંરૂપ શત્રુઓના નિગ્રહકાર્યમાં પ્રેરિત કરે છે તે વીરરસ છે. ( હેમ. વૃત્તિ, પૃ. ૧૩૪). વાસ્તવમાં આ સ્થળે વીરરસનાં લક્ષÌા નથી. પણ ભરતમુનિએ જે દાનવીર, ધર્મવીર અને યુવીર એમ ત્રણ પ્રકારના વીરરસ કહ્યો છે, તે ત્રણે પ્રકારા સુત્રકારે વીરરસનું લક્ષ ખાંધતાં આપી દીવાં છે, જેમ કે— અનુયાગઢારસૂત્ર ૧ વીર ૨ શૃંગાર ૩ અદ્ભુત ૪ રૌદ્ર ૫ ત્રીડનક ૬ ખીભત્સ ૭ હાસ્ય ૮ કરુણ ૯ પ્રશાંત વીરરસના ઉદાહરણમાં સૂત્રકારે જે ગાથા આપી છે તેમાં મહાવીરનું વર્ણન છે. ત્યાં તેમને રાજ્યના વૈભવને ત્યજી દેનાર' ગણાવી દાનવીર, દીક્ષિત થનાર' કહી ધર્મવીર અને કામક્રોધરૂપ ભચકર શત્રુઓને ‘ વિનાશ કરતાર ’ કહીને યુદ્ધુવીર એમ ત્રણે પ્રકારના વીર બતાવ્યા છે. આમ, એક જ ઉદાહરણમાં ત્રણેને સમાવી લેવાતી સૂત્રકારની શક્તિ અહીં ઉલ્લેખનીય છે. दानवीरं धर्मवीरं युद्धवीरं तथैव च । સં વીવિ પ્રાદ શ્રદ્ધા ત્રિવિધમે દ્વિ । ના, શા.૬/૭૯ શૃંગાર રસ -શૃંગાર વિશે સૂત્રકારે કહ્યું છે કે શૃંગારરસ રતિના કારણુભૂત રમણી આદિ સબધી અભિલાષાના જનક હોય છે. વૃત્તિકારે જે રસ પ્રધાનતયા વિષયા તરફ વાળે છે તેને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230213
Book TitleRas Mimansama Anuyoga Vaigyanik Drushtibindu
Original Sutra AuthorN/A
AuthorKanji Patel
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size814 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy