Book Title: Ras Mimansama Anuyoga Vaigyanik Drushtibindu Author(s): Kanji Patel Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 1
________________ રસ–મીમાંસામાં યાનસૂત્રોનું પ્રદાન કાનજીભાઈ પટેલ શ્વેતામ્બર જૈનાગમામાં અનુયોગદૂર (સંકલન આ. ઈ. સ. ૩૫૦) તેમાં અપાયેલ કેટલીક સાંસ્કૃતિક સામગ્રી માટે તેાંધપાત્ર છે. અનુયોગદ્દારસૂત્રકારે સૂત્ર ૨૬૨માં નવ નામની ચર્ચા કરતી વખતે નવ રસ ગણાવ્યા છે ઃ ૧. વીર, ૨. શૃંગાર, ૩. અદ્દભુત, ૪. રૌદ્ર, ૫. ત્રીડનક, ૬. ખીભત્સ, ૭. હાસ્ય, ૮. કરુણુ અને ૯. પ્રશાન્ત, સૂત્રકારે રસ અંગે કોઈ શાસ્ત્રીય ચર્ચા કરી નથી, પણ આ અંગેનુ' તેમનુ` કેટલુ ક પ્રદાન મૌલિક અને નાંધપાત્ર છે. એમની રસમૌલિકતા ખે પ્રકારની છે, ૧. રસના ક્રમ અંગેની ૨. પર`પરાસ્વીકૃત ‘ભયાનક' રસને સ્થાને' ગ્રીડનક' રસની રવીકૃતિ. મૌલિકતાના નિર્દેશને અહી ઉપક્રમ રાખ્યા છે. રસ એટલે શુ? 'रस्यन्ते आस्वाद्यन्ते इति रसाः । એવી રસ શબ્દની વ્યુત્પત્તિ છે. વૈદિક સાહિત્યમાં રસ શબ્દના પ્રયાગ છે. પણ રશમાં વનસ્પતિમાંથી નિચાવીને જે પાણી જેવા પદાર્થ કાઢવામાં આવે તેને માટે તે પ્રયુક્ત થતા. જેમ કે, સામલતાને વાટીને તેમાંથી નિચેવીને કાઢેલે રસ તે સેમરસ. આ રસમાં વિશિષ્ટ સ્વાદ હશે. તેથી જેને આસ્વાદ થાય, સ્વાદ માણવામાં આવે તે રસ' એ અર્થ કાળે કરીને થતા ગયા. આ રસનું પાન કરવાથી કે આસ્વાદ માણુવાથી શક્તિ આવે, મદ થાય, ઉત્સાહ ઉદ્ભવે અને અ ંતે આહ્લાદ જન્મે. આ રીતે રસના અં ધીમે ધીમે માનસિક ફૂલદ થતા ગયે. ઉપનિષત્કાલ આ વાતની સાક્ષી પૂરે છે. જ્યારે એ વિશ્વના પરમતત્ત્વરૂપ બ્રહ્મને રસમય કહે છેઃ ‘રસો મૈં સઃ । તું હેવાય હથ્થાનન્દી મર્વાત।' (તૈત્તિરીય ઉપનિષદ્-૨/૭) : ત્યારે તે કેવળ આાદમય કે આનંદમય છે એ દર્શાવવા હેતુ સ્પષ્ટ થાય છે. રસ શબ્દના અર્ધાં વિશ્વકેશ મુજબ—— "" 'रसो गन्धरसे स्वादे तिक्तादौ विषरागयोः । शृंगारादौ द्रवे वीर्ये देहधात्वम्बुपारदे || " આ માંથી શૃંગાર વગેરેની સાથે જે રસ પ્રયુક્ત થાય છે, તેની ચર્ચા અહી અભિપ્રેત છે. શૃંગાર વગેરે રસ' એવા પ્રયોગ સહુ પ્રથમ આપણને રામાયણમાં મળી આવે છે. પણ રામાયણના ભાલકાંડના આ અંશ પ્રક્ષિપ્ત હાવાની સંભાવના છે. આથી કામસૂત્રના નિર્દેશને સૌથી પ્રાચીન માનવામાં વાંધો નથી, જ્યાં વાત્સ્યાયન કહે છે—ષ્ટિમાવટીજાનુવર્તનમ્ ।” (કા. સૂ. ૬/૨-૩૫). આ સ્થળે સ્પષ્ટ રીતે શૃંગારાદિ રસની વાત છે, તે સહુ માં સમજી શકાય છે. કેમકે, તેના પરની “જયમ ગલા”. ટીકામાં લખ્યું છે : “નાયચણગાર વિષુ ચ ો તો માત્રઃ સ્થાયિતશ્ચાર્િ સાવિત્રેવુ સ્ટીલ્ડા વેદિતાનિ સેવામનુવર્તનમ્ ।'' (-તગેન્દ્રઃ સિદ્ધાન્ત પૃ. ૮) વાત્સ્યાયનના સમય ઈ. સ. પૂર્વે લગભગ છઠ્ઠી સદીનેા મનાય છે, આથી સાહિત્યશાસ્ત્રમાં રસ શબ્દની પ્રચલિત વિભાવના પણ તેટલી પ્રાચીન હશે એમ કહી શકાય. સની વ્યાખ્યા “વિમાવાનુમાનર્થામા સંયોગદ્રસનિવૃત્તિઃ | ” (ના. શા.-ગા. એ, સિ. ભા. ૧, પૃ. ૨૭૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10