Book Title: Jain Nyayano Kramik Vikas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249269/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ન્યાયનો ક્રમિક વિકાસ [ ૯ ] ન્યાય અને ન્યાયશાશ્વઃ જે અનુમાનપ્રણાલિકાથી સંદિગ્ધ વસ્તુને નિર્ણય કરી શકાય છે તે અનુમાનપદ્ધતિને “ન્યાય' કહેવામાં આવે છે. જે શાસ્ત્રમાં આવી અનુમાનપદ્ધતિને વિચાર મુખ્યપણે હોય છે, તે શાસ્ત્ર ન્યાય-સાહિત્યમાં સ્થાન લે છે. ન્યાયશાસ્ત્રમાં માત્ર ન્યાયની અનુમાનપદ્ધતિની જ ચર્ચા હોય તેમ કાંઈ નથી હોતું, તેમાં સમગ્ર પ્રમાણેનું નિરૂપણ હોય છે; એટલું જ નહિ, પણ તેમાં પ્રમેયોનું નિરૂપણ સુધ્ધાં હોય છે. છતાં એટલું ખરું કે તેવી જાતના સાહિત્યમાં પ્રમાણના નિરૂપણે અને તેમા અનુમાન પદ્ધતિના નિરૂપણે મોટો ભાગ રેકેલું હોય છે. તેથી જ તેવી જાતનું સાહિત્ય “પ્રાધાન્યન ચંશા મવતિ' એ ન્યાયને અનુસરી ન્યાય–સાહિત્ય કહેવાય છે. ચેતન સૃષ્ટિમાં મનુષ્યજાતિનું મહત્ત્વ તેની બુદ્ધિને લીધે છે. તેની બુદ્ધિની મહત્તા વિચાર-સ્વતંત્રતાને લીધે છે. વિચાર-સ્વાતંત્ર્ય એ તર્ક અને જિજ્ઞાસાશક્તિનું પરિણામ છે. તેથી જ્યારે કઈ બહારનું કે અંદરનું દબાણ ન હેય ત્યારે હરકેઈમનુષ્યની બુદ્ધિ આપોઆપ શંકા અને તર્ક કર્યા કરે છે, અને તેમાંથી જ કલ્પનાશકિત ખીલતાં ક્રમે અનુમાનપદ્ધતિ નિષ્પન્ન થાય છે. આ કારણથી ન્યાય એ કોઈ પણ દેશની કે કોઈ પણ મનુષ્યજાતિની વિકિસત કે વિકાસ પામતી બુદ્ધિનું એક દશ્ય સ્વરૂપ છે. થેડામાં કહીએ તે મનુષ્યજાતિની વિચારશક્તિ એ એકમાત્ર ન્યાયશાસ્ત્રનું ઉદ્ગમ સ્થાન છે. છતાં દેશભેદ કે સંપ્રદાયભેદથી ન્યાયશાસ્ત્રના વિભાગ પડી જાય છે, જેમ કે, પશ્ચિમીય ન્યાયશાસ્ત્ર, પૂર્વીય ન્યાયશાસ્ત્ર, પૂર્વના ન્યાયશાસ્ત્રમાં પણ વિદિક, બૌદ્ધ અને જૈન એ મુખ્ય ભાગ છે. ત્રણ ભેદનું પારસ્પરિક અંતર : આવા ભાગો પડી જવાનું મુખ્ય કારણ સંપ્રદાયભેદ એ તો છે જ, પણ બીજા ખાસ કારણે છે; જેમ કે ભાષાભેદ, નિરૂપણપદ્ધતિની ભિન્નતા અને ખાસ કરી સાંપ્રદાયિક પ્રમેની અને માન્યતાઓની ભિન્નતાને લીધે ઉપસ્થિત થયેલે પ્રસ્થાનભેદ. વૈદિક ન્યાયનું Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૮ ] દર્શન અને ચિંતન પ્રસ્થાન વેદને પ્રમાણ માની તેને અનુકૂળ ચાલવામાં છે. બૌદ્ધે ન્યાયનું પ્રસ્થાન વેદ કે અન્ય આગમ પ્રમાણને આશ્રિત ન રહીં પ્રધાનપણે અનુભવને આધારે ચાલવામાં છે. જૈન ન્યાયનું પ્રસ્થાન વેદના પ્રામાણ્યને સ્વીકાર ન કર્યો છતાં પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકાર ચાલવામાં છે. તે ઉપરાંત આ ત્રણે મુખ્ય સ'પ્રદાયના ન્યાયની ભિન્નતાનું એક બીજાં પણ બીજ--કારણ છે, અને તે વિષયભેદ, વૈદિક ન્યાય કાઈ પણ તત્ત્વને સિદ્ધ કરતા હોય ત્યારે તે સાધ્ય તત્ત્વોને અમુક એકરૂપે જ સિદ્ધ કરે છે; જેમ કે આત્મા વગેરે તત્ત્વને વ્યાપક અથવા નિત્ય રૂપે જ અને ધટ આદિ પદાર્થોને અનિત્ય રૂપે જ, બૌદ્ધ ન્યાય આંતર કે બાહ્ય સમગ્ર તત્ત્વોને એક રૂપે જ સિદ્ધ કરે છે, પણ તે એક રૂપ એટલે માત્ર ક્ષણિકત્વ. તેમાં ક્ષણિકત્વના વિરુદ્ધ પક્ષ સ્થાયિત્વને કે નિત્યત્વને બિલકુલ અવકાશ નથી. જૈન ન્યાય એ વૈદિક અને બૌદ્ધ ન્યાયની વચ્ચે રહી પ્રત્યેક સાધ્ય તત્ત્વને માત્ર એક રૂપે સિદ્ધ ન કરતાં અનેક રૂપે સિદ્ધ કરે છે. આ કારણથી જૈન ન્યાય બીજા ન્યાયેા કરતાં જુદે પડે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે જે ન્યાય, જૈનાચાર્યોએ રચેલા હાય, જે કેવળ પૌરુષેય આગમનું પ્રામાણ્ય સ્વીકારી ચાલતા હોય અને કોઈ પણ તત્ત્વનું સાપેક્ષ દૃષ્ટિએ નિરૂપણ કરતા હાય તે જૈન ન્યાય. : એીજાના પ્રભાવથી થયેલ વિચારક્રાંતિ એક સંપ્રદાય અમુક તત્ત્વો ઉપર વધારે ભાર આપતા હોય, ત્યારે જાણે કે અાણે તેને પ્રભાવ ખીજાપાડેાશી સંપ્રદાયા ઉપર અનિવાય રીતે પડે છે. જે જૈન અને બૌદ્ધ સંપ્રદાયની અહિંસાનો પ્રભાવ વૈદિક સંપ્રદાય ઉપર પડવાની વાત માની લેવા તૈયાર થઈ એ તે સત્ય ખાતર એ પણ માની લેવું જોઈએ કે વૈદિક વિદ્વાનાની દાનિક પદ્ધતિની અસર ખીજા બે સંપ્રદાયે! ઉપર પડી છે. જોકે સામાન્ય ન્યાય—સાહિત્યના વિકાસનાં ત્રણે સમ્પ્રદાયોના વિદ્વાનોએ અને આચાર્યોએ રાજેશ આપ્યો છે, છતાં પહેલેથી છેલ્લે સુધીના ન્યાય-સાહિત્યના તથા પાનપાદનને ઇતિહાસ જોતાં ઍવા નિણૅય ઉપર આપેઆપ આવી જવાય છે કે ન્યાયનાં તત્ત્વાની વ્યવસ્થા કરવામાં પ્રધાનસ્થાન વૈદિક વિદ્વાનેનુ છે. એ વિષયમાં તેના પ્રભાવ સ્પષ્ટ છે, અને આ જ કારણથી ક્રમે ક્રમે બૌદ્ધ અને જૈન વિદ્વાને પોતાની આગમમાન્ય પાલિ અને પ્રાકૃત ભાષા છેડી વૈદિક સમ્પ્રદાયમાન્ય સંસ્કૃત ભાષામાં પોતાની પતિએ ન્યાયના ગ્રંથો રચવા ભડી ગયેલા છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ જે ન્યાયનો ક્રમિક વિકાસ [ ૧૦ ૨૯ જૈન સાહિત્યના પ્રધાન બે શાખાઓ ભગવાન મહાવીરના સમયમાં જૈન સંધ પ્રધાનપણે મગધ અને તેના આસપાસના પ્રદેશમાં હતા. પછી લગભગ એક સકા બાદ તે સંધ બે દિશામાં વહેંચાયઃ એક ભાગ દક્ષિણમાં અને બીજો ઉત્તરમાં. ત્યાર બાદ થોડાક સકાઓ વ્યતીત થયા કે તે વહેંચાયેલા બે ભાગે સ્પષ્ટ રૂપે જુદા પડી ગયા. એક દિગંબર અને બીજે શ્વેતાંબર. દક્ષિણવતી શ્રમણસંધ પ્રધાનપણે દિગંબર સંપ્રદાયી થયો, અને ઉત્તરવર્તી શ્રમણુસંધ પ્રધાનપણે વેતાંબર સંપ્રદાયી શે. આ રીતે વિભક્ત થયેલ શ્રમણસ જે સાહિત્ય રચ્યું તે પણ બે ભાગમાં આપોઆપ વહેંચાઈ ગયું. પહેલું દિગંબરીય સાહિત્ય અને બીજું શ્વેતાંબરીય સાહિત્ય. મૂળમાં અવિભક્ત જૈન સાહિત્યના આ રીતે મુખ્ય બે ભાગલા પડી ગયા. દિગંબરીય શ્રમણ સંધનું પ્રાધાન્ય દક્ષિણમાં હોવાથી તે સંપ્રદાયનું મૌલિક સાહિત્ય ત્યાં જ ઉત્પન્ન થયું, પોષાયું, વિકાસ પામ્યું અને સંગ્રહાયું. તે સાહિત્યના રચયિતા પ્રધાન પ્રધાન આચાર્યો જેવા કે કુંદકુંદ, સમંત ભદ્ર વગેરે ત્યાં જ થયા. શ્વેતાંબર શ્રમણુસંધનું પ્રાધાન્ય પહેલાં તે ઉત્તર હિન્દુસ્તાન (રાજપુતાના - માં અને ક્રમે ક્રમે પશ્ચિમ હિન્દુસ્તાન (કાઠિયાવાડ, ગુજરાત)માં વધતું ગયું. તેથી તે સંપ્રદાયનું સાહિત્ય ઉત્તર અને પશ્ચિમમાં ઉત્પન્ન થયું અને વિકસ્યું છે. તેમ જ તે સાહિત્યના રચયિતા આચાર્યો પણ તે જ પ્રદેશમાં થયેલા છે. ઉત્તર કરતાં પશ્ચિમ હિન્દુસ્થાનમાં શ્વેતાંબર સંપ્રદાયની સત્તા વધેલી તેથી જ છેલ્લાં લગભગ પંદરસો વરસનું તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠિયાવાડમાં અને ગુજરાતમાં લખાયું, રચાયું, પિવાયું, વિકસિત થયું અને સંગ્રહાયું છે. આ રીતે જૈન સાહિત્યની મુખ્ય બે શાખાઓ આપણું નજરે પડે છે. બને શાખાઓના સાહિત્યમાં નવયુગ આ બને શાખાઓના શરૂઆતના ગ્રંથે જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે, તેની નિરૂપણપદ્ધતિ મંત્રસિદ્ધાંત રૂપે હતી. તત્વજ્ઞાન હોય કે આચાર હોય, બનેલું નિરૂપણ ઉપનિષદ્ જેવી સરળ પ્રાચીન પદ્ધતિએ થતું, પણ પહેલાં કહેવામાં આવ્યું છે તેમ વૈદિક દર્શનમાં ન્યાયદર્શને વિશિષ્ટ સ્થાન અને વિસ્ત્રિયતા મેળવ્યા પછી જન સાહિત્યમાં પણ નવો યુગ દાખલ થયો. ન્યાય દર્શનની તપદ્ધતિને પ્રભાવ બૌદ્ધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બન્નેની મિશ્રિત અસર જૈન વાડ્મય ઉપર પણ થઈ. તેથી જેન આચાર્યો પણ બૌદ્ધ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૦ ] દર્શન અને ચિંતન આચાની પેઠે પોતાની આગમસિદ્ધ ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં થે રચવા લાગ્યા. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કાઈ ખાસ પ્રમાણ નથી. પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જેન સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું સામ્રાજ્ય હતું. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તર્ક પદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર શ્વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય ?-એ કહેવું કઠણ છે. પણ એમ કહી શકાય છે કે, બને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ. જેને ન્યાયનું કાળમાન અને વિકાસની દષ્ટિએ તેના ચાર ભાગ - શાસ્ત્ર પ્રદેશમાં વિચારક્રાંતિ તથા ભાષા અને શૈલીભેદ થવાને પરિણામે જંન સાહિત્યમાં રવતંત્ર ન્યાયપદ્ધતિ જન્મી. તેથી પ્રથમ એ જોવું જોઈએ કે આ જૈન ન્યાયનું વથ-કાળમાન કેટલું છે અને તેના વિકાસક્રમને સમજવા માટે તેને કેટલા ભાગમાં વહેંચી શકીએ. જૈન ન્યાયના જન્મસમયની પૂર્વસીમાં વધારેમાં વધારે વિક્રમના પહેલા સૈકાથી આગળ લંબાવી શકાતી નથી. અને તેના વિકાસની ઉત્તર સીમા વિક્રમના અઢારમા સૈકાથી આગળ આવતી નથી. આ રીતે વધારેમાં વધારે જૈન ન્યાયનું કાળમાન અઢારસો વરસ જેટલું આંકી શકાય. પણ ઉત્તર સીમા નિશ્ચિત છતાં વિવાદાસ્પદ પૂર્વ સીમાને ઓછામાં ઓછી પાંચમી શતાબ્દીથી શરૂ કરીએ તેય તેનું કાળમાન તેરસો વરસ જેટલું તે છે જ. * જૈન ન્યાયના વિકાસની ક્રમિક પાયરીઓના ભેદ સમજવા ખાતર તે કાળમાનને સ્થૂળ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છે. પહેલે ભાગ વિક્રમના પાંચમા સૈકા સુધીને, બીજે છઠ્ઠા સૈકાથી દશમા સુધીને, ત્રીજો ભાગ અગિયારથી તેરમા સુધી અને ચોથે ચૌદમાથી અઢારમા સુધી. આ ચાર ભાગને અનુક્રમે બીજારોપણુકાળ, પલ્લવિતકાળ, પુસ્તિકાળ અને ફળકાળના નામે ઓળખીએ તો જૈન ન્યાયના વિકાસને વૃક્ષના રૂપથી સમજી શકીએ. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાની પ્રતિષ્ઠા થતાં જ શરૂઆતમાં કયા વિષે ઉપર ગ્રંથો લખાયા એ વિચાર પ્રસ્તુત નથી, પણ જૈન સાહિત્યમાં ન્યાયને સૂત્રપાત કોણે અને ક્યારે કર્યો એટલું જ અહીં કહેવાનું છે. દિગંબર સાહિત્યમાં તપદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમંતભદ્ર અને તાંબર સાહિત્યમાં તર્ક પદ્ધતિની બલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બન્ને આચાર્યમાં કેણ પૂર્વવર્તિ અને કણ પશ્ચાત્વર્તિ એ હજી નિર્ણત થયું નથી; પણ એ બે વચ્ચે વિશેષ અંતર ન હોવું જોઈએ, એવી સંભાવના માટે Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન ન્યાયના ક્રમિક વિકાસ [ ૧૮૧ પ્રમાણો છે. આ એ આચાર્યોની ઉત્તર સીમા ઈ. સ. પાંચમા સૈકાથી આગળ લખાવી શકાય તેમ નથી અને પૂર્વ સીમા લગભગ ઈ. સ. ના આરંભ પહેલાં નિર્દિષ્ટ કરી શકાય તેમ નથી. સિદ્ધસેન અને સમન્તભદ્ર એ બન્નેની કૃતિઓ સંપ્રદાયે। જુદા હોવા છતાં એ બન્નેનું એક એવું પરંપરાગત સામ્ય છે કે જે તરફ ધ્યાન ગયા વગર રહેતુ નથી. દિગમ્બર સંપ્રદાયમાં ગજ્હસ્તિના નામથી સમતભદ્ર પ્રસિદ્ધ છે, અને તત્ત્વાર્થે ઉપરની ગંધહસ્તિમહાભાષ્ય ટીકા તેની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે અને ઉપલબ્ધ આપ્તમીમાંસા તે જ મહાભાષ્યનું મંગલ મનાય છે. શ્વેતાંબર સપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર ગધહસ્તિ કહેવાય છે અને તત્ત્વાર્થં ઉપર તેઓએ ગંધહસ્તિમહાભાષ્ય રચ્યું હતુ એમ મનાય છે, બન્ને સંપ્રદાયની આ માન્યતાએ નિરાધાર નથી, કારણ કે અને સંપ્રદાયના ઘણા ગ્રંથેામાં તે બાબતના સૂચક ઉલ્લેખો મળી આવે છે. આ મે આચાર્યાંની વિશેષતા થાડામાં આ પ્રમાણે બતાવી શકાય. સંમતભદ્ર પેાતાના દરેક ગ્રન્થામાં જૈન દર્શન, તેના પ્રણેતા અર્જુન અને તેના સિદ્ધાંત અનેકાંત એટલાં તત્ત્વાની તક પદ્ધતિએ એસ્થિની પ્રવાહબદ્દ સંસ્કૃત ભાષામાં સમ ચર્ચા કરે છે; અને સાથે સાથે અન્ય દશના, તેના પ્રણેતાએ અને એકાંતને સાપહાસ પ્રતિવાદ કરે છે. તેમની ઉપલબ્ધ કૃતિએ જોતાં એમ જણાય છે કે, સમતભદ્ર તર્ક સિદ્ધ દાર્શનિક મીમાંસા કરવામાં સિદ્ધહસ્ત હતા. સિદ્ધસેન દિવાકરે પણ જૈન દર્શન, તેના પ્રણેતા તીર્થંકર અને સ્વાાદ એ વિષયેની તાર્કિક પદ્ધતિએ પ્રતિષ્ઠા કરવા સાથે અન્ય દાને સરિહાસ નિરાસ કર્યો છે. તેની મધુર અને પ્રાસાદિક રવતસિદ્ધ સંસ્કૃત ભાષાના પદ્યપ્રવાહ જોઈ આચાય હેમચંદ્રે તેને *વિશ્રેષ્ઠ જણાવવા અનુસિલેન દ્રવ્ય ” એ ઉદાહરણ ટાંકયુ છે. સિદ્ધસેને જૈન ન્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ બાંધી તેનો સક્ષેપમાં અભ્યાસ કરવા ઇચ્છનાર માટે ન્યાયાવતાર નામના એક નાનકડી પદ્યમય ગ્રંથ રચ્યો છે, જેની મર્યાદાને આજ સુધીના સમગ્ર પ્રસિદ્ધ શ્વેતાંબર-દિગંબર વિદ્વાને અનુસર્યાં છે. તે સિવાય તત્કાલીન સમગ્ર ભારતીય દર્શનને સંક્ષેપમાં પણ મૌલિક અભ્યાસ કરવા ઈચ્છનાર માટે તે છે દર્શનનું યથાર્થ સ્વરૂપ બતાવનારા પદ્યમય ગ્રંથા રચ્યા છે અને એ રીતે આચાય હરિભદ્રને બદનસમુચ્ચય રચવાની અને માધવાચાર્ય તે સદનસંગ્રહ રચવાની કલ્પનાના ખારાક પૂરો પાડયો છે. << Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૨ ] દર્શન અને ચિંતન તત્કાલીન ભારતીય સમસ્ત દર્શનનું નિરૂપણ કરનાર બીજી કઈ કૃતિ તેનાથી પ્રાચીન ન મળે ત્યાં સુધી દર્શનસંગ્રહ કરવાનું પ્રાથમિક ગૌરવ સિદ્ધસેનને આપનું જોઈએ. સિદ્ધસેનની એક વેદવાદ હાર્નેિશિકા જોતાં એમ તુરત ભાસે છે કે, તેમણે વેદ અને ઉપનિષો મૌલિક તેમ જ તલસ્પર્શી અભ્યાસ કરેલે. સિદ્ધસેન દિવાકરને પ્રસિદ્ધ ગ્રંથ સમ્મતિ તર્ક છે, જે પદ્યમય પ્રાકૃતમાં ત્રણ ભાગમાં કુંદકુંદના પ્રવચનસારની પેઠે પૂરે થયેલું છે. આ ગ્રંથ ઉપર શ્વેતાંબર અને દિગંબર એમ બને આચાર્યોએ ટીકાઓ રચી છે. તેમાં વર્ણવેલા સિદ્ધાંત એટલાં સતર્ક અને હૃદયગ્રાહી છે કે આગળને આચાર્યો પણ તેથી વધારે મૂળ વસ્તુ કહી શક્યા નથી. સમતભદ્રની ઉપલબ્ધ કૃતિઓમાં સિદ્ધ સેનના ન્યાયાવતાર જેવી કે વૈદિક છયે દર્શન અને બૌદ્ધ દર્શનનું નિરૂપણ કરનાર બત્રીશીઓ જેવી કોઈ કૃતિ નથી. વાચકોએ સિદ્ધસેનની ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓ અને સંમતભદ્રની આતમીમાંસા, યુકચનુશાસન અને સ્વયંભૂસ્તોત્ર એ એકસાથે સામે રાખી અવકવાં, જેથી બન્નેનું પરસ્પર સાદસ્ય અને વિશેષતા આપોઆપ ધ્યાનમાં આવશે. બીજા ભાગનું પલ્લવિતકાળ એ નામ રાખ્યું છે, તેને અભિપ્રાય એટલો છે કે, સિદ્ધસેન અને સમતભદ્ર દ્વારા અને સંપ્રદાયમાં જે જન ન્યાયનું બીજાપણું થયું, તેને જ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અલંક, વિદ્યાનંદ અને પ્રભાચંદ્ર એ એ ત્રણ પ્રધાન આચાર્યોએ મુખ્યપણે જૈન ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. શ્વેતાંબરમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જન ન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યો છે. મત્સ્યવાદી, હરિભદ્ર અને રાજગચ્છીય અભયદેવ—-એ ત્રણેએ અનુક્રમે કાંઈ ને કાંઈ વધારે વિશેષતા અપી છે. અકલંક આદિ ત્રણે દિગંબર આચાર્યોએ જેન ન્યાયના સ્વતંત્ર ગ્રંથ લખ્યા છે, અને સંમતભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણીને પલવિત પણ કરી છે. તેવી જ રીતે મલવાદી વગેરે આ યુગના તાંબર આચાર્યોએ જેને ન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયના ગ્રંથ લખ્યા છે અને પિતાપિતાની પહેલાંની તર્કવાણને પલવિત પણ કરી છે. તે ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉક્ત શ્વેતાંબર ત્રણ આચાર્યોની કૃતિઓ બરાબર સામે રાખી દેવામાં આવે તો એક બીજા ઉપર પડેલ પ્રભાવ પરસ્પરનું સાદસ્થ અને વિશેષત્વ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી. છે ત્રીજા ભાગનું નામ પુષિતકાળ છે. પુષે કાંઈ સંખ્યામાં પલ્લા જેટલાં નથી હોતાં કદાચિત પુનું પરિમાણ પલ્લેથી નાનું પણ હૈયુ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ જેતન્યાયને ક્રમિક વિકાસ [ ૧૦૮૩ છતાં પુષ્પ એ પલ્લવની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતને વિશિષ્ટ પરિપાક હોય છે. બીજા યુગમાં જૈન ન્યાયને જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયાં તેને પરિણામે ત્રીજો યુગ જ . આ યુગમાં અને આ પછી ચોથા યુગમાં દિગંબર આચાર્યોએ ન્યાય વિષેક કેટલાક ગ્રંથ રચ્યા છે, પણ હજુ સુધી મારી નજરે એવો એક ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈન ન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજી યુગના શ્વેતાંબર સંપ્રદાયમાં વાદી દેવસૂરિ અને હેમચન્દ્ર એ બેનું મુખ્ય સ્થાન છે. એ ખરું કે આયાર્ય હેમચંદ્રની પરિચિત કૃતિઓમાં જૈન ન્યાય વિષયક બહુ કૃતિઓ નથી, તેમ પરિમાણમાં મોટી પણ નથી. છતાં તેની બે બત્રીશીઓ અને પ્રમાણુમીમાંસા જેનારને પિતાની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહીં રહે અને એમ આપોઆપ જણાશે કે મોટા મોટા અને લાંબા લાંબા થથી કંટાળેલ અભ્યાસીઓ માટે સંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી અને કૂલનું સૌરભ તેમાં આપ્યું. વાદી દેવસૂરિ કાંઈ કંટાળે તેવા ન હતા. તેઓએ તે રત્નાકરની સ્પર્ધા કરે એ એક સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ રએ અને કેઈ અભ્યાસીને જૈન ન્યાય માટે તેમ જ દાર્શનિક ખંડનમંડન માટે બીજે ક્યાંય ન જવાની સગવડ કરી દીધી. ચોથે ફળકાળ આ યુગમાં જે સાહિત્ય રચાયું તે ફળરૂપ છે. ફળમાં બીજથી ફૂલ સુધીના ઉત્તરોત્તર પરિપાકને સાર આવી જાય છે. તેવી રીતે આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં થયેલે પરિપાક એકસાથે આવી જાય છે. આ યુગમાં જે જૈન સાહિત્ય રચાયું છે, તે જ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે, કારણ કે, ત્યાર બાદ તેમાં કોઈએ જરાયે ઉમેરે કર્યો નથી. મલ્લીષણની યાદમંજરી બાદ કરીને આ યુગના ફલાયમાન ન્યાય વિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તે જણાશે કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી. તેના લેખક ફક્ત એક જ છે અને તે સત્તરમી-અઢારમાં સૈકામાં થયેલા, લગભગ સે શરદો સુધી મુખ્યપણે શાસ્ત્રોમ સિદ્ધ કરનાર સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને મારવાડી એ ચારે ભાષાઓમાં વિવિધ વિષયની ચર્ચા કરનાર ઉપાધ્યાય યશોવિજયજી છે. ઉપાધ્યાયજીના જૈન તત્વજ્ઞાન, આચાર, અલંકાર, છંદ વગેરે અન્ય વિષયના ગ્રંથોને બાદ કરી માત્ર જૈન ન્યાય વિષયક ગ્રંથો ઉપર નજર નાખીએ તો એમ કહેવું પડે છે કે, સિદ્ધસેન ને સમંતભથી Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૪ ] દર્શન અને ચિંતન વાદી દેવસૂરિ અને હેમચન્દ્ર સુધીમાં જૈન ન્યાયને આત્મા જેટલે વિકસિત થયો હતો, તે પૂરેપૂરે ઉપાધ્યાયજીના તર્કગ્રંથોમાં મૂર્તિમાન થાય છે, અને વધારામાં તે ઉપર એક કુશળ ચિત્રકારની પેઠે તેઓએ એવા સ્મતાના, સ્પષ્ટતાના અને સમન્વયના રંગે પૂર્યા છે કે જેનાથી મુદિતમના થઈ આપઆપ એમ કહેવાઈ જાય છે કે પહેલા ત્રણ યુગનું અને સંપ્રદાયનું જૈન ન્યાયવિષયક સાહિત્ય કદાચ ન હોય અને માત્ર ઉપાધ્યાયજીનું જૈન ન્યાય વિષયક સંપૂર્ણ સાહિત્ય ઉપલબ્ધ હોય તે જૈન વાડ્મય કૃતકૃત્ય છે. ઉપાધ્યાયજીએ અધિકારી ભેદને ધ્યાનમાં રાખી, વિષયોની વહેંચણી કરી, તે ઉપર નાનામોટા અનેક જૈન ન્યાયના ગ્રંથ લખ્યા. તેઓએ જૈન તર્કપરિભાષા જે જેન ન્યાયપ્રવેશ માટે લધુ ગ્રંથ રચી જૈન સાહિત્યમાં તર્કસંગ્રહ અને નકભાષાની ખોટ પૂરી પાડી. રહસ્યપદાંક્તિ એક આઠ ગ્રંથો કે તેમાંના કેટલાક સ્ત્રી જૈન ન્યાય-વાલ્મયમાં તૈયાયિક પ્રવર ગદાધર ભટ્ટાચાર્યના ગ્રંથોની ગરજ સારી. નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃતરંગિણી સહિત નોપદેશ, સ્યાદાદકલ્પલતા, ન્યાયાલેક, ખંડનખંડખાદ્ય, અષ્ટસહસ્ત્રીટીકા આદિગ્રંથ રચી જૈન વાય વાડ્મયને ઉદયનાચાર્ય, ગંગેશ ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશની પ્રતિભાનું નૈવેદ્ય ધર્યું. અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદ્ જેવા ગ્રંથોથી જૈન ન્યાય વાલ્મયને ગીતા, ગવાસિષ્ઠ આદિ વૈદિક ગ્રંથો સાથે સંબંધ . થોડામાં એટલું જ કહેવું બસ છે કે વૈદિક અને બૌદ્ધ સાહિત્ય દાર્શનિક પ્રદેશમાં સત્તરમા સૈકા સુધીમાં જે ઉત્કર્ષ સાબે હવે, લગભગ તે બધા ઉત્કર્ષને આસ્વાદ જૈન વાને આપવા ઉપાધ્યાયજીએ પ્રામાણિકપણે આખું જીવન વ્યતીત કર્યું અને તેથી તેઓના એક તેજમાં જૈન ન્યાયનાં બીજાં બધાં તેને લગભગ સમાઈ જાય છે, એમ કહેવું પડે છે. ઉપસંહાર આ લેખમાં જૈન ન્યાયના વિકાસક્રમનું માત્ર દિગ્દર્શન અને તે પણ અધૂરી રીતે કરાવવામાં આવ્યું છે. આ સ્થળે જૈન ન્યાયના વિકાસક તરીકે જે જે આચાર્યોનાં નામ લેવામાં આવ્યાં છે, તેઓનાં જીવન, તેઓને સમય, તેઓની કાર્યાવલિ વગેરેનો ઉલ્લેખ જરાયે નથી કર્યો. તેવી જ રીતે તેના સંબંધમાં જે કાંઈ ડું ઘણું લખ્યું છે, તેની સાબિતી માટે ‘ઉતારાઓ આપવાના લેભનું પણ નિયંત્રણ કર્યું છે. આ નિયંત્રણ કરવાનું કારણ જોઈત અવકાશ અને સ્વાસ્થને અભાવ એ એક જ છે. આચાર્યોનાં Page #9 -------------------------------------------------------------------------- ________________ જત ન્યાયના ક્રમિક વિકાસ [ ૧૦૮૫ જીવન આદિની વિગત એટલી બધી લાંખી છે કે, તે આપતાં વિષયાંતર થઈ જાય. તેથી જે તે વિષયના જિજ્ઞાસુ હેય તેની જાણ ખાતર છેવટે એક એવું પરિશિષ્ટ આપવામાં આવે છે કે જેની અંદર ઉપર આવેલા આચાર્યોના સંબંધમાં માહિતી આપનાર ગ્રંથો નાંધેલા છે અને તેનુ પ્રકાશિત થયેલું કેટલું ક સાહિત્ય તોંધેલું છે. એ સાહિત્ય અને એ ગ્રંથા જોવાથી તે તે આચાયૅના સબંધમાં મળતી આજ સુધીની માહિતી ઘણેભાગે કાઈ પણ જાણી શકશે. આ લેખમાં જૈન ન્યાયના પ્રણેતા અમુક જ વિદ્વાનોને ઉલ્લેખ છે; બીજા પાને છોડી દીધા છે. તેનુ કારણ એ નથી કે તેને! જૈન ન્યાયના વિકાસમાં સ્વપ પણ હિસ્સા નથી. હાય છતાં તેવા નાના મોટા દરેક ગ્રંથકારના ઉલ્લેખ કરતાં લેખનું કલેવર કંટાળાભરેલ રીતે વધી જાય તેથી જે વિદ્ધનેનું જૈન ન્યાયના વિકાસમાં ચાડું છતાં વિશિષ્ટ સ્થાન મને જણાયું છે, તેના જ ઉલ્લેખ કર્યો છે. બાકીનાનાં નામનું બીજું એક પરિશિષ્ટ અંતમાં આપી દેવામાં આવે છે. આ લેખ સમાપ્ત કરતાં એક વાત તરફ વાચકેાનું ધ્યાન ખેંચું છું તે —હિંદુસ્તાનના કે બહારના વિદ્રાને ગુજરાતના સાક્ષરોને એમ પૂછે છે કે ગુજરાતના વિદ્વાનેએ દાાનિક સાહિત્ય રચ્યું છે? અને રચ્યું હોય તો કેવું અને કેટલું ? આ પ્રશ્નના કાઈ પણ સાક્ષર હા માં અને પ્રામાણિક ઉત્તર આપી ગુજરાતનું નાક રાખવા ઈચ્છે તે તેણે જૈન વાય તરફ પ્રેમ દષ્ટિપાત કરવા જ પડશે. એવી સ્થિતિમાં ગુજરાતના દાનિક સાહિત્યનું મુખ ઉજ્જ્વલ કરવા ખાતર અને દાર્શનિક સાહિત્યની સેવામાં ગુજરાતનું વિશિષ્ટ સ્થાન જણાવવા માટે દરેક સાહિત્યપ્રેમી વિદ્વાનની એ ફરજ છે કે, તેણે કેવળ સાહિત્યોપાસનાની શુદ્ધ દૃષ્ટિથી જૈન ન્યાય સાહિત્યના ગુજરાતીમાં સરલ અને વ્યવસ્થિત અનુવાદો કરી સર્વસાધારણ સુધી તેનો ધોધ પહોંચતા કરવા. જૈનોનુ આ સંબંધમાં ખેવડુ કેવ્ય છે. તેઓએ તે સાંપ્રદાયિક માહથી પણ. પેાતાના દાનિક સાર્સાહિત્યને વિશિષ્ટ રૂપમાં અનુવાદિત કરી પ્રચારવાની આવ ક્યતા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ નામ સિદ્ધસેન દિવાકર મક્ષવાદી. હરિભદ્ર અભયદેવ (રાજગછીય) વાદી દેવસૂરિ આચાય હેમચંદ્ર परिशिष्ट नं. १ નિખ'ધાંતગત દાનિકા ( ૪ ) શ્વેતાંબરીય. ન્યાય વિષયક કૃતિઓ. સન્મતિતક, ન્યાયાવતાર અને બત્રીશી. દાદાર તયચક્ર, સન્મતિ ટીકા. અનેકાંતજયપતાકા, પદ્દનસમુચ્ય, લલિત વિસ્તરા, ન્યાય પ્રવેશ-પ્રકરણ ઉપર ટીકા, શાસ્ત્રવાર્તા – સમુચ્ચય, લોકતત્ત્વનિણૅČય, ધમ સંગ્રહણી, અને ન્યાયાવ તાર--વૃત્તિ, સન્મતિટીકા, સાઠાદ રત્નાકર, પ્રમાણમીમાંસા, અન્યયેાગવ્યવચ્છેદદ્ાત્રિ'શિકા. તેમની માહિતીનાં સાધને. પ્રભાવક ચરિત, પ્રશ્નધ ચિંતામણિ, તુવિ તિ પ્રબંધ, જૈનસાહિત્ય સ’શોધક વર્ષ ૧. સુવ્યવલી, વીરવંશાવલી (જૈન. સા॰ સ. વ. ૧ અ. ૩). પ્ર૦ ચ॰, પ્રમ॰ ચિ', ચતુ॰ પ્ર” ગુૌવલી, વીરવંશાવલી (જૈન. સા. સ, વ. ૧ ૦ ૩) * ચ॰,ચતુ॰ પ્ર૦, શ્રી હરિભદ્રસૂરિચરિત્ર, જૈન દર્શન (૫. બેચરદાસ કૃત)ની પ્રસ્તાવના, જૈન સા॰ સ. ૨૦ ૧ વીરવંશાવલી, ધર્માંસંગ્રહણિની પ્રસ્તાવના, ઉપમિતિભવપ્રપ ચાની પ્રસ્તાવના વગેરે. પિટર્સન રિપાર્ટ ૪ માં લેખકાની અનુક્રમણિકા. પ્રશ્ન ચ., પ્રમ, ચિ., વીરવંશાવલી, પ્ર. ચ., પ્રા. ચિ', ચતુ. પ્ર., કુમારપાળપ્રતિક્ષેાધ, કુમારપાળ પ્રબંધ, કુમારપાળ ચરિત્ર, રાસમાળા વગેરે. Page #11 -------------------------------------------------------------------------- ________________ મહિષેણ મહાપાધ્યાય યા વિજયજી. સમતભદ્ર અફલક વિદ્યાનદ સ્યાદ્નાંદ મંજરી. અધ્યાત્મમતપરીક્ષા સટીક, અધ્યાત્મસાર, અધ્યા વિવરણ, ઉપદેશરહસ્ય સટીક,જ્ઞાનબિંદુ, જૈનત ભાષા, ભાપનિષદ્, આધ્યાત્મિકમતદલન સટીક, અસહસ્ત્રી દ્વાત્રિ શદ્ધાત્રિ'શિકા-ટીક, ધČપરીક્ષા સટીક, નયપ્રદીપ, નયામૃતતરંગીણી, ન્યાયખડનખાદ્ય-સટીક, | ન્યાયાલાક, પાત જલ યોગદર્શન વિવરણુલેશ, ભાષારહસ્ય સટીક, શાસ્રવાર્તાસમુચ્ચય, નયરહસ્ય, તત્ત્વાર્થ સૂત્ર-વૃત્તિ. વગેરે. ૩) દિગમ્બરીય. દેવાગમસ્તોત્ર, તત્ત્વાનુશાસન, યુકેત્યનુશાસન, સ્વયંભૂસ્તાત્ર. રાજવાતિ, અષ્ટશતી, ન્યાયવિનિશ્ચય, લઘીયસ્ત્રી. પ્રમાણપરીક્ષા, અસહસ્રી, શ્ર્લેાકવાતિક, આપ્ત પરીક્ષા, પત્રપરીક્ષા વગેરે. યશોવિજય જીવન-ચરિત્ર ( આ. બુદ્ધિસાગરકૃત ). આનંદધન પદ્યરત્નાવલી પ્રસ્તાવના (મે. ગિ. કાપ ડીયા કૃત), આત્માનંદ પ્રકાશ પુ॰ : ૩ અ’. ૬,શાસ્ત્રવાર્તાસમુચ્ચયની પ્રરતાવના, ધસંગ્રહણીની પ્રસ્તાવના વગેરે. જૈન હિતેષી ભા. ૬-અ. ૨, ૩, ૪, વિદ્ રત્નમાળા ભા. ૧, અષ્ટસહસ્રીની પ્રસ્તાવના. લધીયસ્ત્રયી આદિની પ્રસ્તાવના, વિદ્વદ્રત્નમાળા ભા. ર, રાજયાર્તિકની પ્રસ્તાવના. જૈન હિતૈષી ભા. ૮ પૃ. ૪૩૯, યુકર્ત્યનુશાસનની પ્ર., અષ્ટસહસ્રીની મ. પ્રભાયદ્ર ન્યાયકુમુદચંદ્રોદય, પ્રમેયકમલભાત ડ નોંધ આ આચાયોએ અનેક વિષય ઉપર અનેક ગ્રન્થા લખ્યાનાં પ્રમાણા મળે છે, પણ સાહિત્યના ઉલ્લેખ પ્રસ્તુત હાવાથી તે દરેક આચાર્યની ન્યાયવિષયક કૃતિઓનો જ ઉલ્લેખ કરેલા છે. વિદ્વત્નમાળા ભા.૨, પ્રમેય કમળ મા ડની પ્રસ્તાવના. • અહીં ફક્ત તેના ન્યાયવિષયક Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ. ↑ * 3 સ ૫ ૧૦ ૧૧ ૧૨ અનુક્રમ. ૧ શ્રી બુદ્ધિસાગર : શ્રી મુનિચંદ્ર શ્રી રાજશેખર ૧ મ m परिशिष्ट नं. २ નિબંધ બાહ્ય જૈન ન્યાયના લેખકે (૪) શ્વેતાંબરીય. નામ. શ્રી ગુણરત્નસૂરિ શ્રી ચંદ્રસેન શ્રી ચંદ્રપ્રભસૂરિ શ્રી દેવભદ્ર મલ્લધારી શ્રી દેવચંદ્રજી શ્રી પદ્મસુંદર શ્રી રત્નપ્રભ શ્રી શુભવિજય શ્રી શાંતિસૂરિ ગ્રંથકાર અનતાચાય શ્રી સુમતિ શ્રી દેવસેન શ્રી ધમ સાગરસ્વામી ન્યાયવિષયક ગ્રંથો. યદર્શનસમુચ્ચયવૃત્તિ ઉત્પાદસિદ્ધિપ્રકરણ પ્રમેયરત્નકાષ ન્યાયાવતારપ્પિન ન્યા પ્રમાણસુંદર પ્રમાણલક્ષ્યલક્ષણ અનેકાંતજયપતાકાટિપ્પન સ્યાદ્વાદકલિકા, રત્નાકરાવતારિકાપ્પિન રત્નાકરાવતારિકા સાદાદભાષા પ્રમાણપ્રમેયકલિકા વૃત્તિ (ઘ) દિગ શ્મરીય. ન્યાયવિષયક ગ્રંથો. ન્યાયવિનિશ્ચયાલ કારત્તિ સિસૈનના સન્મતિતક પર ટીકા, ઉલ્લેખ. શ્રવણ ખેલગુલાની મહિષકૃત પ્રશસ્તિ તથા વાદીરાજ કૃત પાર્શ્વનાથચરિત્ર નયચક્ર, આલાપપદ્ધતિ નય Page #13 -------------------------------------------------------------------------- ________________ 5. શ્રી ધર્મભૂષણ | ન્યાય દીપિકા, પ્રમાણુવિસ્તાર શ્રી પ્રભાદેવસ્થામાં ! પમિતિવાદ, મુક્તિવાદ, અવ્યાખવાદ, તકવાદ તથા નયવાદ શ્રી નરેન્દ્રસેન પ્રમાણપ્રમેયકલિકા શ્રી પંડિતાચાર્ય પ્રમેયરનાલંકાર, પ્રમેયરત્નમાલિકા પ્રકા _શિકા, સપ્તભાગીતરંગિણી ટીકા. શ્રી ભાવસેનાચાર્ય ન્યાયદીપિકા શ્રી ભાવસેન કવિ વિશ્વતપ્રકાશ શ્રી વાદીરાજ મુનિ વાદમંજરી શ્રી વાદસિંહ પ્રમાણનૌકા, તર્કદીપિકા શ્રી વિમળદાસ સપ્તભંગીતરંગિણી શ્રી શ્રતસાગરસ્વામી સન્મતિતિક 15 | શ્રી કૃતસાગર તર્કદીપક परिशिष्ट नं. 3 જૈનેતર ન્યાય ઉપર લખનારા જનાચાર્યો (6) શ્વેતાંબરીય નામ . ન્યાયવિષયક ગ્રંથો. શ્રી અભયતિલક શ્રી ક્ષમા કલ્યાણ શ્રી ગુણરત્ન શ્રી જયસિંહ શ્રી જિનવર્ધન શ્રી નરચંદ્રસૂરિ શ્રી મુલ્લાવાદી શ્રી ભુવનસુંદર શ્રી રત્નશખર શ્રી રાજશેખર શ્રી શુભવિજય 12. શ્રી હરિભક ન્યાયાલંકારટિપ્પન તકિકા તર્ક રહસ્યદીપિકા ન્યાયસારવૃત્તિ (મૂળ ભાસર્વશ કૃત) સપ્તપદાથ–ટીકા કંદલોટિપન (મૂલ શ્રીધરત) ન્યાયબિંદુવૃત્તિટિપન (મૂળ વૃતિ ધર્મોત્તર મહાવિદ્યાવિડ બનાવૃત્તિ રચિત). લક્ષણસંગ્રહ કંદલિપજિક તકભાષાવાર્તિક [ ગાચાર્ય રચિત ન્યાયપ્રવેશપ્રકરણ-વૃત્તિ (મળ દિગના