________________
જત ન્યાયના ક્રમિક વિકાસ
[ ૧૦૮૫
જીવન આદિની વિગત એટલી બધી લાંખી છે કે, તે આપતાં વિષયાંતર થઈ જાય. તેથી જે તે વિષયના જિજ્ઞાસુ હેય તેની જાણ ખાતર છેવટે એક એવું પરિશિષ્ટ આપવામાં આવે છે કે જેની અંદર ઉપર આવેલા આચાર્યોના સંબંધમાં માહિતી આપનાર ગ્રંથો નાંધેલા છે અને તેનુ પ્રકાશિત થયેલું કેટલું ક સાહિત્ય તોંધેલું છે. એ સાહિત્ય અને એ ગ્રંથા જોવાથી તે તે આચાયૅના સબંધમાં મળતી આજ સુધીની માહિતી ઘણેભાગે કાઈ પણ જાણી શકશે.
આ લેખમાં જૈન ન્યાયના પ્રણેતા અમુક જ વિદ્વાનોને ઉલ્લેખ છે; બીજા પાને છોડી દીધા છે. તેનુ કારણ એ નથી કે તેને! જૈન ન્યાયના વિકાસમાં સ્વપ પણ હિસ્સા નથી. હાય છતાં તેવા નાના મોટા દરેક ગ્રંથકારના ઉલ્લેખ કરતાં લેખનું કલેવર કંટાળાભરેલ રીતે વધી જાય તેથી જે વિદ્ધનેનું જૈન ન્યાયના વિકાસમાં ચાડું છતાં વિશિષ્ટ સ્થાન મને જણાયું છે, તેના જ ઉલ્લેખ કર્યો છે. બાકીનાનાં નામનું બીજું એક પરિશિષ્ટ અંતમાં આપી દેવામાં આવે છે.
આ લેખ સમાપ્ત કરતાં એક વાત તરફ વાચકેાનું ધ્યાન ખેંચું છું તે —હિંદુસ્તાનના કે બહારના વિદ્રાને ગુજરાતના સાક્ષરોને એમ પૂછે છે કે ગુજરાતના વિદ્વાનેએ દાાનિક સાહિત્ય રચ્યું છે? અને રચ્યું હોય તો કેવું અને કેટલું ? આ પ્રશ્નના કાઈ પણ સાક્ષર હા માં અને પ્રામાણિક ઉત્તર આપી ગુજરાતનું નાક રાખવા ઈચ્છે તે તેણે જૈન વાય તરફ પ્રેમ દષ્ટિપાત કરવા જ પડશે. એવી સ્થિતિમાં ગુજરાતના દાનિક સાહિત્યનું મુખ ઉજ્જ્વલ કરવા ખાતર અને દાર્શનિક સાહિત્યની સેવામાં ગુજરાતનું વિશિષ્ટ સ્થાન જણાવવા માટે દરેક સાહિત્યપ્રેમી વિદ્વાનની એ ફરજ છે કે, તેણે કેવળ સાહિત્યોપાસનાની શુદ્ધ દૃષ્ટિથી જૈન ન્યાય સાહિત્યના ગુજરાતીમાં સરલ અને વ્યવસ્થિત અનુવાદો કરી સર્વસાધારણ સુધી તેનો ધોધ પહોંચતા કરવા. જૈનોનુ આ સંબંધમાં ખેવડુ કેવ્ય છે. તેઓએ તે સાંપ્રદાયિક માહથી પણ. પેાતાના દાનિક સાર્સાહિત્યને વિશિષ્ટ રૂપમાં અનુવાદિત કરી પ્રચારવાની આવ
ક્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org