Book Title: Jain Karmasahitya ane Panchsangraha
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230109/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેન કર્મસાહિત્ય અને “પંચસંગ્રહ* ભારતીય દર્શન સાહિત્યમાં કર્મવાદનું સ્થાન કેવલજ્ઞાનદિવાકર, સર્વતવરંહસ્યવેદી, વિપકર્તા અને જગદુદ્ધતાં બમણુ ભગવાન શ્રી વીર-વર્ધમાન તીર્થંકર પ્રતિપાદન કરેલ જૈનદર્શનમાં સ્યાદ્વાદ, અહિંસાવાદ વગેરે વાદે જેમ એના મહત્વના અંગસ્વરૂપ છે. એ જ રીતે અને એટલા જ પ્રમાણમાં કર્મવાદ એ પણ એનું એવું જ પ્રધાન અંગ છે. સ્યાદ્વાદ અને અહિંસાવાદના વ્યાખ્યાન અને વર્ણનમાં જેમ જૈનદર્શને જગતભરના સાહિત્યમાં એક ભાત પાડી છે, એ જ પ્રમાણે કર્મવાદના વ્યાખ્યાનમાં પણ એણે એટલાં જ કૌશલ અને ગૌરવ દર્શાવ્યાં છે. એ જ કારણ છે કે, જૈનંદશંને કરેલી કર્મવાદની શોધ અને તેનું વ્યાખ્યાન એ બનેય ભારતીય દર્શન સાહિત્યમાં તેના અનેકાન્તવાદ, અહિંસાવાદ વગેરે વાની માફક ચિરસ્મરણીય મહત્વનું સ્થાન ભોગવી રહેલ છે. જૈનદર્શનમાં કર્મવાદનું સ્થાન આજે સામાન્ય માન્યતા એવી છે કે “જૈનદર્શન કર્મવાદી છે.” અલબત્ત, આ માન્યતા અસત્ય તો નથી જ; છતાં આ માન્યતાની આડે એક એવી બ્રાન્તિ જન્મી છે કે “જૈનદર્શન માત્ર કર્મવાદી છે.” આ સંબંધમાં કહેવું જોઈએ કે “જૈનદર્શન માત્ર કર્મવાદી છે એમ નથી, પણ તે વિશ્વવાદી છતાં ટૂંકમાં મહાતાર્કિક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરના– कालो सहाव नियई पुव्वकयौं पुरिसकारणेगंता। मिच्छत्त ते चेवा समासओ होति सम्मत्तं ॥ આ કથનાનુસાર કાલવાદ, સ્વભાવવાદ વગેરે પાંચ કારણવાદને માનનાર દર્શન છે. ” કર્મવાદ એ ઉપરોક્ત પાંચ કારણવાદ પૈકીનો એક વાદ છે, આમ છતાં ઉપર જણાવેલી બ્રાન્ત માન્યતા ઉભવવાનું મુખ્ય કારણ એટલું જ છે કે, જૈનદર્શને માન્ય કરેલ પાંચ વાદો પછી કર્મવાદે સાહિત્યના ક્ષેત્રમાં જે વિશાળ સ્થાન રોકેલું છે એના શતાંશ જેટલુંય સ્થાન બીજા એક પણ વાદે રોકવું નથી. આ * શ્રી ચંદ્રમહત્તરાચાર્યકૃત “પંચસંગ્રહ'-આચાર્ય ભલયગિરિકૃત ટીકાના અનુવાદ સહિત દ્વિતીય ખંડ–(અનુવાદક અને પ્રકાશક : શ્રી હીરાલાલ દેવચંદ શાહ, અમદાવાદ, સને ૧૯૪૧)નું આમુખ. Page #2 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ જૈન કસાહિત્ય અને પંચસંગ્રહ ઉપરથી સમજી શકાશે કે “જૈનદર્શન માત્ર કર્મવાદને માનનાર દર્શન નથી, પણ તે ટૂંકમાં પાંચ કારણવાદને માનનાર અનેકાન્તવાદી દર્શન છે.” મૌલિક જેન કર્મ સાહિત્ય જૈન કર્મવાદનું સ્વરૂપ અને તેનું વ્યાખ્યાન અત્યારે વિદ્યમાન જૈન આગમોમાં છૂટું છૂટું અમુક પ્રમાણમાં હોવા છતાં એ એટલું અપૂર્ણ છે કે જે જે કર્મવાદની મહત્તાના અંગરૂપ ન બની શકે, તેમ જ જૈન આગમો પૈકીનું કોઈ પણ આગમ એવું નથી જે કેવળ કર્મવાદવિષયને લક્ષીને હોય. આ સ્થિતિમાં સૌઈને એ જિજ્ઞાસા સહેજે જ થાય અને થવી જ જોઈએ કે, “ત્યારે જૈનદર્શનના અંગભૂત કર્મવાદના વ્યાખ્યાનનું મૂળ સ્થાન યું ?” આ વિષે જેને કર્મવાદવિષયક સાહિત્યના વ્યાખ્યાતા અને પ્રણેતાઓનો એ જવાબ છે કે “જૈન કર્મવાદવિષયક પદાર્થોનું મૂળભૂત, વિસ્તૃત અને સંપૂર્ણ વ્યાખ્યાન કર્મપ્રવાદપૂર્વમાં અર્થાત્ કર્મપ્રવાદ પૂર્વ નામક મહાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે; એ મહાશાસ્ત્રના આધારે અમારું કર્મવાદનું વ્યાખ્યાન, ગ્રંથરચના વગેરે છે.” આજે આ મૂળભૂત મહાશાસ્ત્ર કાળના પ્રભાવથી વિસ્મૃતિ અને નાશના મુખમાં પડી ગયું છે. આજે આપણી સમક્ષ વિદ્યમાન કર્મવાદવિષયક સાહિત્ય એ ઉપરોક્ત મહાશાસ્ત્રના આશયને આધારે નિર્માણ કરાયેલ અંશરૂપ સાહિત્ય છે. ઉપર જણાવેલ મહાશાસ્ત્રની વિસ્મૃતિ અને અભાવમાં કર્મ સાહિત્યના નિર્માતાઓને કર્મવાદવિષયક કેટલીયે વસ્તુઓનાં વ્યાખ્યાનો પ્રસંગે પ્રસંગે છોડી દેવાં પડ્યાં અને કેટલીયે વસ્તુઓનાં વિસંવાદ પામતાં તાત્વિક વર્ણને શ્રધરો ઉપર છોડી દેવામાં આવ્યાં છે” જન કર્મ સાહિત્યના પ્રણેતાઓ જેને કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતાઓ તાંબર અને દિગંબર એમ બે વિભાગમાં વહેંચાઈ ૧. (૪) “અરજ ગુજા, યજુરાધરે 1ળવવામિ છે ?” " करणं क्रिया, ताए विणा जा उवसामणा सा अकरणोवसामणा......ताते अणुओगो वोच्छिन्नो तो तं अजाणतो आयरिओ जाणंतस्स नमोक्कार करेति ॥” कर्मप्रकृति चूर्ण-उपशमनाकरणे ॥ " अकरणकृतोपशमनाया नामधेयद्वयम्, तद्यथा-अकरणोपशमना, अनुदीर्णोपशमना च । तस्याश्च सम्प्रत्यनुयोगो व्यवच्छिन्नः ।" मलयगिरीया टीका ॥ (ख) तत्र या करणरहिता तस्या व्याख्या नास्ति, तद्वेतृणामभावात् ।” __ पंचसंग्रहे स्वोपज्ञटीका। (ग) “जीवपदप्रतिबद्धानां त्वालापगणनादीनां द्वाराणां प्ररूपणा सम्प्रदायाभावाद् न क्रियते" बृहत्कल्पसूत्रविभाग ४, पत्र १२१६ (घ) " शेषाणि तु द्रव्यप्रमाणादीनि सप्तानुयोगद्वाराणि कर्मप्रकृतिप्राभृतादीन् ग्रन्थान् सम्यक परिभाव्य वक्तव्यानि । ते च कर्मप्रकृतिप्राभतादयो ग्रन्था न सम्प्रति वर्तन्ते इति लेशतोऽपि दर्शयितुं न शक्यन्ते । यस्त्वैदंयुगीनेऽपि श्रुते सम्यगत्यन्तमभियोगमास्याय पूर्वापरौ परिभाष्य दर्शयितुं शक्नोति तेनावश्य दर्शयितव्यानि । प्रशोन्मेषो हि सतामद्यापि तीव्रतीव्रतरक्षयोपशममभावेनासीमो विजयमानो लक्ष्यते । अपि चान्यदपि यत् किञ्चिदिह झूणमापतितं तत् तेनापनीय तस्मिन् स्थानेऽन्यत् समीचीनमुपदेष्टव्यम् । सन्तो हि परोपकारकरणकरसिका भवन्तीति ।। सप्ततिका गाथा ५३, मलयगिरीया टीका, पत्र २४१ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ 1 જ્ઞાનાંજલિ જાય છે, તે છતાં કવાદનું વ્યાખ્યાન અને વર્ણન તે એક જ રૂપમાં રહ્યું છે. એ જ કારણ છે કે દરેક તાત્ત્વિક વિષયમાં બન્નેય સપ્રદાય સમાનત ત્રીય તરીકે ઓળખાય છે. એ સાહિત્યની વિશેષતાના વિષયમાં પણ ઉભય સંપ્રદાય સમાન દરજ્જામાં ઊભા છે. અલબત્ત, ગ્રંથકર્તાઓના ક્ષયાપશમાનુસાર ગ્રંથરચના અને વસ્તુવનમાં સુગમ-દુર્ગામતા, ન્યૂનાધિકતા કે વિશદાવિશદતા હશે અને હાઈ શકે, તે છતાં, વાસ્તવિક રીતે જોતાં, બન્નેય પૈકી કોઈનાય કર્મવાદ-વિષયક સાહિત્યનું ગૌરવ એન્ડ્રુ આંકી શકાય તેમ નથી. અવસરે અવસરે, જેમ દરેક વિષયમાં બને છે તેમ, કર્મવાદવિષયક સાહિત્યમાં પણ ઉભય સંપ્રદાયે એકબીજાની વસ્તુ લીધી છે, વર્ણવી છે અને સરખાવી પણ છે. એ જ પુરવાર કરે છે કે કર્મવાદવિષયક સાહિત્યમાં બન્નેય પૈકી એકેયનું ગૌરવ એન્ડ્રુ નથી. બન્નેય સંપ્રદાયમાં કવાદવિષયક નિષ્ણાત આચાર્યાં એકસમાન દરજ્જાના થયા છે, જેમના વક્તવ્યમાં કયાંય સ્ખલના ન આવે. ક પ્રકૃતિ, પ`ચસંગ્રહ જેવા સમ ગ્રંથે, તેને વિષય અને તેનાં નામ આપવા વગેરે બાબતમાં પણ બન્નેય સ'પ્રદાય એક કક્ષામાં ઊભા છે. શ્વેતાંબર સપ્રદાયમાં ભગવાન શ્રી શિવશર્રસૂરિ, ચૂર્ણિકાર આચાર્ય, શ્રી ચંદ્રષિ મહત્તર, શ્રીમાન ગર્ષિં, નવાંગીકૃત્તિકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિ, શ્રી મુનિચંદ્રસૂરિ, મલધારી શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી ચક્રેશ્વરસૂરિ, શ્રીમાન ધનેશ્વરાચાય, ખરતર આચાર્ય શ્રી જિનવલ્લભસૂરિ, આચાર્ય શ્રી મલયગિરિ, શ્રી યશે દેવસૂરિ, શ્રી પરમાનંદસૂરિ, બૃહદ્ગચ્છીય શ્રી હરિભદ્રસૂરિ, શ્રી રામદેવ, તપા આચાર્યાં શ્રી દેવેન્દ્રસૂરિ, શ્રી ઉદયપ્રભ, શ્રી ગુણરત્નસૂરિ, શ્રી મુનિશેખર, આમિક શ્રી જયતિલકસૂરિ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યરોવિજયજી વગેરે સખ્યાબંધ મૌલિક તેમ જ વ્યાખ્યાત્મક કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા નિષ્ણાત આચાર્યાં અને સ્થવિરા થઈ ગયા છે. એ જ રીતે દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી પુષ્પદંતાચા, શ્રી ભૂતબલિ આચાર્ય, શ્રી કુન્દુકુન્દાચાય, સ્વામી શ્રી સમન્તભદ્રાચાર્ય, શ્રી ગુણધરાચાર્ય, શ્રી સતિષભાચાર્ય, શ્રી વીરસેનાચાય, શ્રી નેમિચદ્ર, સિદ્ધાન્તચક્રવર્તી વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યાં અને સ્થવિરા થયા છે. બન્નેય સ ંપ્રદાયના વિદ્વાન ગ્રંથકારાએ કર્મવાદવિષયક સાહિત્યને પ્રાકૃત-માગધી, સંસ્કૃત તેમ જ લેાકભાષામાં ઉતારવા એકસરખા પ્રયત્ન કર્યાં છે. શ્વેતાંબર આચાર્યાએ કર્યું પ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચીન-અર્વાચીન કથ્રથા અને તેના ઉપર ચૂર્ણિ, ભાષ્ય, ટીકા, અવચૂર્ણિ, ટિપ્પનક, બાએ આદિપ વિશિષ્ટ ક સાહિત્યનું સર્જન કર્યુ છે; જ્યારે દિગંબર આચાર્યએ મહાકપ્રકૃતિપ્રાભુત, કષાયગ્રામૃત, ગામ્ભટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, પંચસંગ્રહ વગેરે શાસ્ત્રો અને તેના ઉપર માગધી, સંસ્કૃત, હિન્દી આદિ ભાષામાં વ્યાખ્યાત્મક વિશાળ ક`સાહિત્યની રચના કરી છે. કવાદવિષયક? ઉપર્યુક્ત ઉભય સપ્રદાયને લગતા સાહિત્યમાં અનેક પ્રકારની વિશેષતા હાઈ એકબીજા સ’પ્રદાયના સાહિત્ય તરફ દુર્લક્ષ કરવું કે ઉપેક્ષા કરવી એ કર્મવાદવિષયક અપૂર્વ જ્ઞાનથી વંચિત રહેવા જેવી જ વાત છે. છેવટે ટૂંકમાં એટલું જ કહેવું બસ છે કે જૈનદનમાન્ય કવાદને પુષ્ટ બનાવવામાં ઉભય સ'પ્રદાયે એકસરખા કાળેા આપ્યા છે. જૈન કર્મવાદસાહિત્યની વિશેષતા જૈન તે કવાદના વિષયમાં વિચાર કરતાં કર્મ શી વસ્તુ છે? જીવ અને કર્મના સંચાગ કેવી ૧. શ્વેતાંબર-દિગંબર કવાવિષયક સાહિત્યના પરિચય મેળવવા ઇચ્છનારે શ્રી જૈન આત્માનદ સભા, ભાવનગર તરફથી બહાર પડેલ અને પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારા૨ે સંપાદિત કરેલ સટીનાશ્ચવાર: ત્રીનાઃ ર્મન્ત્રાઃની પ્રસ્તાવના અને તપાગચ્છનાયક શ્રી દેવેન્દ્રસૂરિ વિરચિત વાર:ર્મપ્રન્યાઃમાંના છઠ્ઠા પરિશિષ્ટ્રને જોવાં. Page #4 -------------------------------------------------------------------------- ________________ [૧૪] જૈન કર્યસાહિત્ય અને પંચસંગ્રહ રીતે થાય છે તેમ જ એ સંયોગ ક્યારે અને ક્યા રૂપમાં છે ? કર્મનાં દલિક, તેની વર્ગણાઓ, તેના ભેદે, તથા તે કેવી રીતે બંધાય અને ઉદયમાં આવે છે? ઉદયમાં આવવા પહેલાં તેના ઉપર છવ દ્વારા શી શી ક્રિયાઓ થાય છે ? કર્મોને આશ્રયીને જીવ દ્વારા થતી વિવિધ ક્રિયાઓ, જેને કરણ કહેવામાં આવે છે, એ શી વસ્તુ છે અને તેને કેટલા પ્રકાર છે? કર્મના બંધ અને નિર્જરાનાં શાં શાં કારણો અને ઇલાજ છે? કર્મબંધ અને તેના ઉદયાદિને પરિણામે આત્માની કઈ કઈ શક્તિઓ આવૃત તેમ જ વિકસિત થાય છે ? ક્યા કારણસર કર્મોનો બંધ દઢ અને શિથિલ થાય છે ? કર્મના બંધ અને નિર્જરાને લક્ષી જીવ કેવી કેવી વિશિષ્ટ ક્રિયાઓ કરે છે ? કર્મના બંધ અને નિર્જરાનો આધાર શાના ઉપર છે? આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહજનિત બાહ્ય શુભાશુભ ક્રિયા કર્મબંધાદિકના વિષયમાં કે ભાગ ભજવે છે ? શુભાશુભ કર્મો અને તેના રસની તીવ્ર-મંદતાને પરિણામે આત્મા કેવી કેવી સમ-વિષમ દશાઓનો અનુભવ કરે છે? વગેરે સંખ્યાતીત પ્રશ્નોને વિચાર અને ઉકેલ કરેલ છે. આ ઉપરાંત અનાદિ કર્મ પરિણામને પ્રતાપે આત્મા કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયો છે, થાય છે અને વિવિધ ક્રિયાઓ કર્યું જાય છે, એનું વાસ્તવિક અને વિશિષ્ટ વર્ણન જેનદર્શને વર્ણવેલ કર્મવાદમાં જેટલા વિપુલ અને વિશદ રૂપમાં મળી આવશે, એટલા સ્પષ્ટ રૂપમાં ભારતીય ઇતર દર્શન સાહિત્યમાં ક્યારેય લભ્ય નથી. ભારતીય અન્ય દર્શન સાહિત્યમાં આત્માની વિકસિત દશાનું વર્ણન વિશદ રૂપમાં મળી આવશે પણ અવિકસિત દશામાં એની શી સ્થિતિ હતી ? કઈ કઈ પરિસ્થિતિઓ એણે વટાવી અને તેમાંથી તેને વિકાસ કઈ વસ્તુના પાયા ઉપર થયે, એ વસ્તુનું વર્ણન લગભગ ઘણું જ ઓછા પ્રમાણમાં મળી આવશે. મહાન આચાર્ય શ્રી સિદ્ધર્ષિની ઉપમિતિભવપ્રપંચ કથા, માલધારી શ્રી હેમચન્દ્રસૂરિની વિભાવના, મંત્રી યશપાલનું મોહરાજ પરાજય નાટક; મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની વૈરાગ્યકલ્પલતા વગેરે જૈનદર્શનના કર્મવાદને અતિબારીકાઈથી રજૂ કરતી કૃતિઓનું નિર્માણ અને એ કૃતિઓ આજે ભારતીય સાહિત્યમાં અજોડ સ્થાન શોભાવી રહી છે એ જૈનદર્શનના કર્મવાદને જ આભારી છે. - પ્રસંગોચિત આટલું જણાવ્યા પછી હવે મૂળ વિષય તરફ આવીએ. મૂળ વિય પંચસંગ્રહ મહાશાસ્ત્રને ગુજરાતી અનુવાદ છે. એ અનુવાદને અંગે કાંઈ પણ કહેવા પહેલાં પંચસંગ્રહ શી વસ્તુ છે અને તેને લગતું કર્યું ક્યું વિશિષ્ટ સાહિત્ય આજે લભ્ય છે ઈત્યાદિ જાણવું-જણાવવું અંતિ આવશ્યક હોઈ શરૂઆતમાં આપણે એ જ જોઈએ. પંચસંગ્રહ અને તેને લગતું સાહિત્ય પંચસંગ્રહ એ કર્મવાદનિષ્ણાત આચાર્ય શ્રી ચંદ્રર્ષિ મહત્તર વિરચિત કર્મસાહિત્યવિષયક પ્રાસાદભૂત મહાન ગ્રંથ છે. એમાં આચાર્યશ્રીએ જણાવ્યા પ્રમાણે શતક આદિ પાંચ ગ્રંચેનો સંક્ષેપથી સમાવેશ હોઈ અથવા એમાં પાંચ કારોનું વર્ણન હેઈ એને પંચસંગ્રહ એ નામથી ઓળખાવવામાં આવ્યો છે. ગ્રંથકારે મૂળ ગ્રંથમાં પાંચ કારોનાં નામો આપ્યાં છે, પણ શતક આદિ પાંચ ગ્રંથ કયા એ મૂળમાં કે પજ્ઞ ટીકામાં ક્યાંય જણાવ્યું નથી. છતાં આચાર્ય શ્રી મલયગિરિએ આ ગ્રંથની ટીકામાં જણાવ્યું છે તે મુજબ આ ગ્રંથમાં આચાર્યો (૧) શતક, (૨) સપ્તતિકા, (૩) કષાયપ્રાભૃત, (૪) સત્કર્મ, અને (૫) કર્મ પ્રકૃતિ આ પાંચ ગ્રંથોનો સંગ્રહ કર્યો છે. આ પાંચ ગ્રંથો પૈકી સપ્તતિકા અને કર્મપ્રકૃતિ ૧. “પૂજાનાં શત-કપ્તત-વાયત્રીમંત વર્મ-કર્મપ્રતિરક્ષાનાં પ્રસ્થાના ” Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ) જ્ઞાનાંજલિ એ એ પ્રથા આમાં સ્પષ્ટ રીતે જોવામાં આવે છે, પણ બાકીના ત્રણ ગ્રંથેાના આચાર્યે કેરી રીતે સમાવેશ કર્યા છે એ સ્પષ્ટ રીતે સમજવું ધણું કઠિન છે. ખાસ કરીને આજે જે એ પ્રથા આપણને મળતા નથી એવા સત્કર્મો અને કષાયપ્રાભૂતને સમાવેશ આચાયે કયે ઠેકાણે અને કેવી રીતે કર્યાં છે એ સમજવાનું કે કલ્પના કરવાનુ કામ તે। અત્યારે આપણા માટે અશકય જ છે. આ સ્થિતિમાં આપણે એટલુ અનુમાન કરી શકીએ કે કપ્રકૃતિ અને સપ્તતિકા એ બે પ્રથાના વિષયે અતિ સ્વતંત્ર હાઈ આચાર્યે એ એ ગ્રંથૈને સ્વતંત્ર રીતે આમાં સંગ્રહ્યા છે અને બાકીના ત્રણ પ્રથાને વિષય પરસ્પર સંમિલિત થઈ જતા હોઈ તે ગ્રંથાને સ`મિલિત રૂપે સંગ્રહ્યા હશે. ભગવાન શ્રી ચંદ્રષિ મહત્તરે પ્રસ્તુત ગ્રંથમાં શતક આદિ જે પાંચ થાને સંગ્રહ કર્યો છે, તે પૈકી એક પણ ગ્રંથના નામનેા સાક્ષી તરીકે સ્વાપર ટીકામાં કાંય ઉલ્લેખ કર્યાં નથી. પરંતુ આચાય શ્રી મલયગિરિની ટીકામાં કષાયપ્રાભૂત સિવાયના ચાર ગ્રંથાનેા પ્રમાણુ તરીકે અનેક ઠેકાણે ઉલ્લેખ થયેલા જોવામાં આવે છે. સત્કર્મના ઉલ્લેખ॰ તેમણે એ ઠેકાણે કર્યાં છે પણ તે એક જ રૂપ હાઈ ખરી રીતે એ એક જ ગણી શકાય. શતક, સપ્તતિકા અને કર્મપ્રકૃતિ એ ત્રણ ગ્રંથા અત્યારે અલભ્ય હાઈ એ વિષે આપણે ખાસ કશું જાણી કે કહી શકતા નથી. આ ઠેકાણે આપણે એટલું કહી શકીએ કે, આચાર્ય શ્રી મલયગિરિ સમક્ષ સકશાસ્ત્ર વિદ્યમાન હતું, પરંતુ કષાયપ્રામૃત ગ્રંથ તે તેમને આપણી જેમ લભ્ય નહેાતે જ; નહિ તે તેએ આ ગ્રંથને ઉલ્લેખ કાઈ તે કઈ ઠેકાણે કર્યા સિવાય રહેત નહિ. આચાર્ય શ્રી ચંદ્રષિ મહત્તરે પાંચસ’ગ્રહ ગ્રંથમાં જે પાંચ થાનેા સંગ્રહ કર્યાં છે તે પૈકી શતક, સપ્તતિકા અને કર્મપ્રકૃતિ એ મૌલિક ગ્રંથે શ્વેતાંબરાચાર્ય કૃત જ છે એ વસ્તુ અત્યારે મળતા આ ત્રણ ગ્રંથા સાથે પોંચસંગ્રહમાં સંગૃહીત વિષયની સરખામણી કરતાં નિર્વિવાદ રીતે સમજી શકાય છે. ફક્ત સત્કર્મ અને કષાયપ્રાભૂત એ એ શાસ્ત્ર, જે અત્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં લક્ષ્ય ન હેાઈ, દિગંબર સપ્રદાયમાં લભ્ય હાવાનું માનવામાં આવે છે. એટલે આચાર્ય શ્રી ચદ્રષિએ સંગૃહીત સત્કર્મ અને કષાયપ્રાભૂત ગ્રંથા દિગંબમાન્ય ગ્રંથા હશે કે શ્વેતાંબરમાન્ય સ્વતંત્ર ગ્રંથા હશે એ શકા સ્વાભાવિક રીતે જ ઉપસ્થિત થયા સિવાય રહી શકતી નથી. આનું સમાધાન સ્પષ્ટ રૂપે કરવુ ધારી લઈ એ તેટલું સરળ ભલે ન હોય, તે છતાં એટલી વાત તે। નિર્વિવાદ છે કે પ્રસ્તુત પાંચસ ગ્રહ શાસ્ત્રમાં શ્વેતાંબરાચાર્ય કૃત પ્રકરણાના સંગ્રહને જ સ`ભવ અધિક સ`ગત તેમ જ ઔચિત્યપૂર્ણ છે. અહીં એક વસ્તુ સ્પષ્ટ કરી દેવી યેગ્ય છે કે, · કષાયપ્રાભૂત એ નામ પ્રાભૂતશબ્દાન્ત હેાઈ સમયપ્રામૃત, ષટ્કાભૃત વગેરે પ્રાભૃતાન્ત ગ્રંથા દિગંબર સંપ્રદાયના હાઈ કષાયત્રાભૂત ગ્રંથ પણ દિગ બરાચામૃત હાવા જોઈ એ,' એમ કાઈ ને લાગે; આ સામે એટલું જ કહેવુ ખસ છે કે, શ્વેતાંબરમાન્ય ગ્રંથરાશિમાં સિદ્ઘપાહુડ, સિદ્ધપ્રાભૃત, કર્મપ્રાભૂત વગેરે ગ્રંથા સુપ્રસિદ્ધ છે, એ રીતે શ્વેતાંબર સંપ્રદાયમાં કષાયપ્રભૃત ગ્રંથ હેાવામાં બાધક થવાને કશુ' જ કારણ નથી. પ્'ચસંગ્રહ વગેરેની જેમ સમાન નામના અને સમાન વિષયના ગ્રંથે! આજે પણ લભ્ય છે. < ૧. ये पुनः सत्कर्माभिधग्रन्थकारादयस्ते क्षपकक्षीणमोहान् व्यतिरिच्य शेषाणामेव निद्राद्विकस्योदयमिच्छन्ति । तथा च तद्ग्रन्थः - " निद्दादुगस्स उदओ, खीण ( ग ) खवगे परिचज्ज | તન્મ तेनोदीरणाऽपि इत्यादि ॥ मुक्ता० आवृत्ति पत्र ११६ । '' 11 ,, તવૃત્ત' સર્મપ્રત્યે-‘નિર્દ્યુત ઉદ્દબો, લીલવો વચન ।। पत्र २२७ ।। Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય અને પંથસ ંગ્રહ [ ૧૪૩ ** પાંચસંગ્રહ ઉપર સ્નાપન અને આચાર્ય શ્રી મલયગિરિરિકૃત એમ એ સમ ટીકાઓ મળે છે, જે અનુક્રમે દશ હજાર અને અઢાર હજાર શ્લાક પ્રમાણ છે. આ બન્નેય ટીકાએ એકીસાથે અતિ વ્યવસ્થિત રૂપમાં “ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર, ડભાઈ ” તરફથી પ્રસિદ્ધ થઈ ચૂકેલ છે. તેમ જ શ્રેષ્ઠિવ દેવચંદ લાલભાઈ વગેરે તરફથી આ ટીકાએ છૂટી છૂટી પણ પ્રકાશિત થઈ ચૂકેલ છે. આ ઉપરાંત ખંભાતના શાંતિનાથના તાડપત્રીય જૈન જ્ઞાનભંડારમાં વા(રા ?)મદેવકૃત ૨૫૦૦ સ્લેક પ્રમાણ દીપક નામની ટીકા હોવાની નોંધ મળે છે, પરંતુ આ ટીકા મારા જોવામાં હજી સુધી આવી નથી. આ દીપક ગમે તેવા હોય તે છતાં કહેવું જોઇ એ કે સ્વાપર ટીકા અને મલયગિરિષ્કૃત ટીકાની કક્ષાથી એ હેઠળ જ હશે અથવા આ ટીકાને અનુસરીને જ એ સક્ષિસ કૃતિ બની હશે. પસ ગ્રહકારતા સમય પાંચસંગ્રહકાર આચાર્ય કયા સમયમાં થયા હશે અથવા તેઓશ્રી કઈ શાખાના હશે ઇત્યાદિ વિષે કશેય સ્પષ્ટ ઉલ્લેખ કયાંય જોવામાં આવતા નથી. ફક્ત સ્વાપન ટીકાના અંતની પ્રશસ્તિમાં પેાતે પાનિા શિષ્ય છે એટલુ જ જણાવ્યું છે. એટલે પંચસ ંગ્રહકાર ભગવાન શ્રી ચંદ્રષિ શ્રી પાર્શ્વ વિના શિષ્ય હતા એથી વિશેષ આપણે એમને વિષે ખીજું કશું જ સ્પષ્ટ રૂપમાં જાણી શકતા નથી. તેઓશ્રી મહત્તરપદ વિભૂષિત હતા કે કેમ એ વિષેના ઉલ્લેખ પણ તેમની કૃતિમાં મળતા નથી. સ્વાપન્ન ટીકામાં પેાતા માટે ‘અવિળા' ચન્દ્રર્ધ્યમિધાનેન સાધુના એટલે જ ઉલ્લેખ છે; તેમ જ આચાય શ્રી મલયગિરિએ પણ મયા ચન્દ્રવિનાન્ના સાધુના એટલા જ ઉલ્લેખ કર્યાં છે. આમ હોવાથી પાંચસંગ્રહકાર આચાર્યં મહત્તરપદ વિભૂષિત હતા એ માટે બીજા સામાન્ય રીતે ચાલુ ઉલ્લેખના જ આધાર આપણે રાખી શકીએ. આચાર્ય શ્રી ચ ંદ્રષિના સત્તાસમય વિષે એટલું જ અનુમાન કરી શકાય કે, ગર્ષિ, સિષિ, પાર્ષ, ચદ્રષિ આદિ ઋષિ શબ્દાન્ત નામેા મેટે ભાગે નવમી–દશમી શતાબ્દીમાં વધારે પ્રચલિત હતાં. એટલે પ`ચસંગ્રહકાર આચાર્ય શ્રી ચંદ્રષિ મહત્તર નવમાદશમા સૈકામાં થઈ ગયેલા હાવા જોઈ એ. એ જમાનામાં મહત્તરપદ પણ ચાલુ હતું એટલે ચર્ષિ મહત્તરના ઉપર જણાવેલ સત્તા સમય માટે ખાસ કોઈ બાધ આવતા નથી. ‘ઉપમિતિભવપ્રપ’ચા કથા'ના પ્રણેતા આચાર્ય શ્રી સિદ્ધષિના ગુરુ ગષિના પ્રગુરુ દેલ મહત્તર મહત્તરપદ વિભૂષિત હતા. ચંદ્રષ્ટિ મહત્તરની અન્ય કૃતિએ ભગવાન શ્રી ચંદ્ર મહત્તરકૃત શ્ર'થામાં પચસંગ્રહ અને તેના ઉપરની સ્વાપન્ન ટીકા સિવાય તેમની બીજી કઈ કૃતિ હજી સુધી જોવામાં નથી આવી. સિત્તરિ–સપ્રતિકા કČગ્રંથ તેમની કૃતિ તરીકે પ્રચલિત છે; પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે, એ મેં શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રસિદ્ધ થયેલ કગ્રંથના ખીજા વિભાગની મારી પ્રસ્તાવનામાં સ્પષ્ટ રીતે સાબિત કર્યું' છે. આ ઉપરાંત સિત્તરિ કર્મગ્રંથ ઉપરની પ્રાકૃત વૃત્તિ-ચૂર્ણિ તેમની કૃતિ હોવાનું માનવામાં આવે છે; પરંતુ સિત્તરિચૂર્ણિની અર્વાચીન પ્રતિના અંતમાં તેવા કશા ઉલ્લેખ મળતેા નથી, અને પ્રાચીન તાડપત્રીય પ્રતિ, જે મારા જોવામાં બે–ત્રણ આવી, તે અંતમાંથી ખડ઼િત થઈ ગયેલી હાઈ એ વિષે ચાક્કસપણે કશુ જ કહી શકાય તેમ નથી. 1. अभूद् भूतहितो धीरस्ततो देल्लमहत्तरः । ज्योतिर्निमित्तशास्त्रज्ञः प्रसिद्धो देशविस्तरे || उपमितिभवप्रपंचकथा प्रशस्ति ॥ Page #7 -------------------------------------------------------------------------- ________________ 144] જ્ઞાનાંજલિ પંચસંગ્રહને અનુવાદ - આજે કર્મવાદવિષયના રસિકે સમક્ષ જે પંચસંગ્રહ મહાશાસ્ત્રનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ રજૂ કરવામાં આવે છે, એ રચના શ્રાદ્ધવર્ય માસ્તર હીરાચંદ દેવચંદની છે. પંચસંગ્રહ જેવા પ્રાસાદભૂત ગ્રંથને સરળ અને વિશદ રીતે લેકમાનસમાં ઊતરે એ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવો એ કામ કોઈ પણ વિદ્વાન માની લે તેટલું સરળ કે સુખસાધ્ય નથી. એક સાધારણમાં સાધારણ ગ્રંથને લેકભાષામાં ઉતારવા માટે કેટલાય પરિશ્રમ કરવો પડે છે, તો કર્મસાહિત્ય જેવા ગહન અને ગંભીર વિષયના પ્રાસાદભૂત મહાશાસ્ત્રને લોકભાષામાં ઉતારવા માટે એ વિષયનું કેટલું ઊંડું જ્ઞાન અને ચિંતન હોવાં જોઈ એ એ સહેજે સમજી શકાય તેવી વસ્તુ છે. ભાઈશ્રી હીરાચંદભાઈએ પંચસંગ્રહને અનુવાદ કરવા ઉપરાંત અનેક સ્થળે વિષયને સ્પષ્ટ કરવા માટે વિશિષ્ટ ટિપ્પણીઓ કરી એના ગૌરવમાં ખૂબ જ ઉમેરે કર્યો છે. - અહીં એક ખાસ મુદ્દાની વસ્તુ દરેકના ધ્યાનમાં રહેવી જરૂરી છે કે માસ્તર હીરાચંદભાઈએ જૈન સમાજનું અણમોલું રત્ન છે. આજે જૈન સમાજમાં કર્મસાહિત્યમાં ઊંડે રસ, અભ્યાસ અને ચિંતન ધરાવનાર જે ગણીગાંઠી વિશિષ્ટ વ્યક્તિઓ છે, તેમાં હીરાભાઈનું સ્થાન વિશિષ્ટ છે. એટલે એમણે કરેલે આ અનુવાદ કેટલે વિશિષ્ટ છે એને ઉત્તર સ્વાભાવિક રીતે જ મળી રહે છે. ભાઈશ્રી હીરાચંદભાઈએ આવા પ્રાસાદભૂત ગ્રંથ ગુજરાતી અનુવાદ કરી માત્ર જૈન સાહિત્ય અને જૈન સમાજની જ સેવા નથી કરી પણ એક વિશિષ્ટમાં વિશિષ્ટ તાવિક કૃતિ અર્પણ કરી ગુર્જરગિરા અને ગુજરાતી સાહિત્યને પણ સમૃદ્ધ કર્યા છે. તેમની આ કૃતિ તેમના કર્મ સાહિત્યવિષયક અગાધ જ્ઞાન સાથે ચિરંજીવ રહી જશે. - પંચસંગ્રહ ગ્રંથમાં શાસ્ત્રકારે જે ગૌરવપૂર્ણ વિષે ચર્ચા છે તેને પરિચય વાચકે ગ્રંથની શરૂઆતમાં આપેલી વિષયાનુક્રમણિકા જોઈને જ કરી લે એ વધારે યોગ્ય છે. અંતમાં, જૈન પ્રજા, આજકાલ ગૂજરાતી ભાષામાં ઉતરાતા તાત્વિક જૈન સાહિત્યમાં દિનપ્રતિદિન વધારે ને વધારે રસ લેનારી અને જ્ઞાન-ચારિત્ર સમૃદ્ધ થાઓ એટલું ઈછી વિરમું છું. [ “પંચસંગ્રહ, દ્વિતીય ખંડ, આમુખ, સને 1941 ]