SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ 1 જ્ઞાનાંજલિ જાય છે, તે છતાં કવાદનું વ્યાખ્યાન અને વર્ણન તે એક જ રૂપમાં રહ્યું છે. એ જ કારણ છે કે દરેક તાત્ત્વિક વિષયમાં બન્નેય સપ્રદાય સમાનત ત્રીય તરીકે ઓળખાય છે. એ સાહિત્યની વિશેષતાના વિષયમાં પણ ઉભય સંપ્રદાય સમાન દરજ્જામાં ઊભા છે. અલબત્ત, ગ્રંથકર્તાઓના ક્ષયાપશમાનુસાર ગ્રંથરચના અને વસ્તુવનમાં સુગમ-દુર્ગામતા, ન્યૂનાધિકતા કે વિશદાવિશદતા હશે અને હાઈ શકે, તે છતાં, વાસ્તવિક રીતે જોતાં, બન્નેય પૈકી કોઈનાય કર્મવાદ-વિષયક સાહિત્યનું ગૌરવ એન્ડ્રુ આંકી શકાય તેમ નથી. અવસરે અવસરે, જેમ દરેક વિષયમાં બને છે તેમ, કર્મવાદવિષયક સાહિત્યમાં પણ ઉભય સંપ્રદાયે એકબીજાની વસ્તુ લીધી છે, વર્ણવી છે અને સરખાવી પણ છે. એ જ પુરવાર કરે છે કે કર્મવાદવિષયક સાહિત્યમાં બન્નેય પૈકી એકેયનું ગૌરવ એન્ડ્રુ નથી. બન્નેય સંપ્રદાયમાં કવાદવિષયક નિષ્ણાત આચાર્યાં એકસમાન દરજ્જાના થયા છે, જેમના વક્તવ્યમાં કયાંય સ્ખલના ન આવે. ક પ્રકૃતિ, પ`ચસંગ્રહ જેવા સમ ગ્રંથે, તેને વિષય અને તેનાં નામ આપવા વગેરે બાબતમાં પણ બન્નેય સ'પ્રદાય એક કક્ષામાં ઊભા છે. શ્વેતાંબર સપ્રદાયમાં ભગવાન શ્રી શિવશર્રસૂરિ, ચૂર્ણિકાર આચાર્ય, શ્રી ચંદ્રષિ મહત્તર, શ્રીમાન ગર્ષિં, નવાંગીકૃત્તિકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિ, શ્રી મુનિચંદ્રસૂરિ, મલધારી શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી ચક્રેશ્વરસૂરિ, શ્રીમાન ધનેશ્વરાચાય, ખરતર આચાર્ય શ્રી જિનવલ્લભસૂરિ, આચાર્ય શ્રી મલયગિરિ, શ્રી યશે દેવસૂરિ, શ્રી પરમાનંદસૂરિ, બૃહદ્ગચ્છીય શ્રી હરિભદ્રસૂરિ, શ્રી રામદેવ, તપા આચાર્યાં શ્રી દેવેન્દ્રસૂરિ, શ્રી ઉદયપ્રભ, શ્રી ગુણરત્નસૂરિ, શ્રી મુનિશેખર, આમિક શ્રી જયતિલકસૂરિ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યરોવિજયજી વગેરે સખ્યાબંધ મૌલિક તેમ જ વ્યાખ્યાત્મક કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા નિષ્ણાત આચાર્યાં અને સ્થવિરા થઈ ગયા છે. એ જ રીતે દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી પુષ્પદંતાચા, શ્રી ભૂતબલિ આચાર્ય, શ્રી કુન્દુકુન્દાચાય, સ્વામી શ્રી સમન્તભદ્રાચાર્ય, શ્રી ગુણધરાચાર્ય, શ્રી સતિષભાચાર્ય, શ્રી વીરસેનાચાય, શ્રી નેમિચદ્ર, સિદ્ધાન્તચક્રવર્તી વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યાં અને સ્થવિરા થયા છે. બન્નેય સ ંપ્રદાયના વિદ્વાન ગ્રંથકારાએ કર્મવાદવિષયક સાહિત્યને પ્રાકૃત-માગધી, સંસ્કૃત તેમ જ લેાકભાષામાં ઉતારવા એકસરખા પ્રયત્ન કર્યાં છે. શ્વેતાંબર આચાર્યાએ કર્યું પ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચીન-અર્વાચીન કથ્રથા અને તેના ઉપર ચૂર્ણિ, ભાષ્ય, ટીકા, અવચૂર્ણિ, ટિપ્પનક, બાએ આદિપ વિશિષ્ટ ક સાહિત્યનું સર્જન કર્યુ છે; જ્યારે દિગંબર આચાર્યએ મહાકપ્રકૃતિપ્રાભુત, કષાયગ્રામૃત, ગામ્ભટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, પંચસંગ્રહ વગેરે શાસ્ત્રો અને તેના ઉપર માગધી, સંસ્કૃત, હિન્દી આદિ ભાષામાં વ્યાખ્યાત્મક વિશાળ ક`સાહિત્યની રચના કરી છે. કવાદવિષયક? ઉપર્યુક્ત ઉભય સપ્રદાયને લગતા સાહિત્યમાં અનેક પ્રકારની વિશેષતા હાઈ એકબીજા સ’પ્રદાયના સાહિત્ય તરફ દુર્લક્ષ કરવું કે ઉપેક્ષા કરવી એ કર્મવાદવિષયક અપૂર્વ જ્ઞાનથી વંચિત રહેવા જેવી જ વાત છે. છેવટે ટૂંકમાં એટલું જ કહેવું બસ છે કે જૈનદનમાન્ય કવાદને પુષ્ટ બનાવવામાં ઉભય સ'પ્રદાયે એકસરખા કાળેા આપ્યા છે. જૈન કર્મવાદસાહિત્યની વિશેષતા જૈન તે કવાદના વિષયમાં વિચાર કરતાં કર્મ શી વસ્તુ છે? જીવ અને કર્મના સંચાગ કેવી ૧. શ્વેતાંબર-દિગંબર કવાવિષયક સાહિત્યના પરિચય મેળવવા ઇચ્છનારે શ્રી જૈન આત્માનદ સભા, ભાવનગર તરફથી બહાર પડેલ અને પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારા૨ે સંપાદિત કરેલ સટીનાશ્ચવાર: ત્રીનાઃ ર્મન્ત્રાઃની પ્રસ્તાવના અને તપાગચ્છનાયક શ્રી દેવેન્દ્રસૂરિ વિરચિત વાર:ર્મપ્રન્યાઃમાંના છઠ્ઠા પરિશિષ્ટ્રને જોવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230109
Book TitleJain Karmasahitya ane Panchsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size531 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy