Book Title: Gujaratna Aetihasik Lekho
Author(s): Lalchandra B Gandhi
Publisher: Lalchandra B Gandhi
Catalog link: https://jainqq.org/explore/249687/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ઐતિહાસિક લેખ” પુસ્તકમાં ગંભીર ખલનાઓ લેખક–શ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી. પ્રાચવિદ્યામંદિર, વડોદરા. કાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી તેની ગ્રંથાવલિના નં. ૧૫ તરીકે “ગુજરાતના અતિહાસિક લેખો' નામનું જે પુસ્તક ૩ ભાગોમાં પ્રકાશિત થયેલું છે અને જેના સંગ્રહ કરનાર એડીટર તરીકે આચાર્ય ગિરજાશંકર વલ્લભજી બી. એ; એમ. આર. એ. એસ. નિવૃત્ત કયુરેટર, આર્કીઓલોજિકલ વિભાગ, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ-એમનું નામ જોડાયેલું છે–તે સંબંધમાં વાચકનું લક્ષ્ય ખેંચવા ઇચ્છું છું. ગૂજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખો જે અન્યત્ર અંગ્રેજી પરિચય–ભાષાંતર સાથે કે તે વિના પ્રકાશિત થયા હતા, તેનો એકત્ર સંગ્રહ ગૂજરાતી પરિચય-ભાષાંતર સાથે ઉપર્યુક્ત પુસ્તકમાં કરવામાં આવ્યું છે; એથી ઈતિહાસપ્રેમીઓને-ગુજરાતના અભ્યાસીઓને-આનંદ થવો જોઈએ પરંતુ તેનું આંતર નિરીક્ષણ કરતાં વિષાદ થાય એવું વિશેષ જણાય છે. એમાં કેટલેક સ્થળે અક્ષમ્ય વિચિત્ર ગંભીર ભૂલભરેલા અથો કરવામાં આવ્યા છે અને અશુદ્ધિએની પરંપરા છે. એથી ઇતિહાસના અભ્યાસીઓને અને અન્ય વાચકને ગેરસમજ થવી સંભવિત છે તથા તેને પ્રવાહ અન્યત્ર આગળ વધે એ શક્ય છે. એથી એ સંબંધમાં અહીં થોડું સૂચન કરવાનું ઉચિત ધાર્યું છે. આશા છે કે સત્ય-પ્રેમીઓ તટસ્થ દૃષ્ટિથી એનું અવકન કરશે. ઉપર્યુક્ત પુસ્તકને ત્રીજો ભાગ, જે સંવત ૧૯૯૮માં સન ૧૯૪રમાં પ્રકટ થયેલ છે, તેમાં માત્ર એક પહેલા લેખ સંબંધમાં જ અહીં વક્તવ્ય શક્ય છે. ત્યાં “વાઘેલા વંશના લેખે' એવા મથાળા નીચે આબુગિરિ ઉપર દેલવાડાને રાજા વિરધવલના સમયને શિલાલેખ” જેને નં. ૨૦૬ તરીકે ઓળખાવેલ છે અને “પ્રા. સં. ઈ. ભા. પા. ૧૭૪” સંજ્ઞાથી અન્યત્ર પ્રસિદ્ધ જણાવેલ છે તે લેબ, પહેલાં ભાવનગર રાજ્યના પુરાતન સંશોધનખાતા તરફથી પ્રકાશિત થયેલા “કલેકશન ઓફ પ્રાકૃત એ૩ સંસ્કૃત ઈસ્ક્રિપ્શન્સ' નામના પુસ્તકમાં પ્રકટ થયેલ હતો. (જે પુસ્તક અત્યારે મારી સામે નથી.) પૂર્વોક્ત “ગુજરાતના ઐતિહાસિક લેખ” પુસ્તકના ત્રીજા ભાગમાં એ શિલાલેખને પ્રાથમિક પરિચય કરાવતાં જણાવ્યું છે કે-“અણહિલવાડના રાજાઓના પ્રધાને વસ્તુપાલ અને તેજપાલ નામના બે ભાઈઓએ આદિનાથના મંદિરમાં કેટલુંક સમારકામ તથા સુધાર કરાવ્યાનું લેખમાં લખ્યું છે.” Page #2 -------------------------------------------------------------------------- ________________ અંક : ૪ ] ગુજરાતના...............ખલનાઓ [૮૧ એવી રીતે પરિચય કરાવતાં લેખકે એ લેખનો આશય સમજવામાં અને તેની સ્પષ્ટતા કરવામાં શોચનીય અનભિજ્ઞતા દર્શાવી છે, એમ કહેવું જોઈએ. કારણ કે એ લેખ (લે. ૬૦–૬૧)નો આશય સમજનારા સુજ્ઞોને સમજાય તેમ છે કે મંત્રીશ્વર તેજપાલે આબુપર્વત ઉપર ઉલવાડામાં “લસિંહવસહિકા ' એ નામનું નેમિનાથદેવનું: વિશાલ નવું જે જિનમંદિર તૈયાર કરાવ્યું હતું, જે (પર) દેવકુલિકાઓથી અલંકૃત અને વિશાલ હસ્તિશાલાથી શોભતું રચાવ્યું હતું, તેનું એ શિલાલેખમાં વર્ણન છે. એ સંબંધમાં ગૂર્જરેશ્વરના માન્ય પુરોહિત કવિ સંમેશ્વરદેવે ૭૪ કાવ્યોવાળી રચેલી પ્રશસ્તિ શિલાલેખમાં ઉત્કીર્ણ કરેલી છે. ઉપર્યુક્ત પરિચયમાં, મૂળ સંસ્કૃત લેખમાં અને તેના ગુજરાતી ભાષાંતરમાં એ લેખને સંવત ૧૨૬૭-ઈ સન ૧૨૧૧ જણાવેલ છે, પરંતુ એની સાથેના બીજા લેખના આધારે અને અન્ય સાધનો દ્વારા તપાસ કરતાં ત્યાં વાસ્તવિક સંવત ૧૨૮૭ સમજવો જોઈએ. તથા અંતમાં “શ્રીના કારણે શ્રીવિષયનામ પ્રતિષ્ઠા છતા” અસ્પષ્ટ પણ ત્યાં વંચાય છે, તે હેવું જોઈએ. ઉપર્યુક્ત પુસ્તકમાં મૂળ સંસ્કૃત લેખ જે પંક્તિબદ્ધ છપાયે છે, તેમાં હસ્વ દીધ, પદછંદ, પદ-વેજના, પૃથક્કરણ આદિ કરવામાં યથાયોગ્ય કુશલતા અને કાળજી દર્શાવાઈ જણાતી નથી, જેને પરિણામે તેમાં અનેક ભૂલે જણાય છે. વિશેષનામમાં અને અન્યત્ર પણ વર્ણવ્યત્યય, વર્ણ-લેપ જેવી અસ્ત-વ્યસ્તતા નજરે ચડે છે. તેમાંથી કેટલીક દર્શાવી શકાય. શુદ્ધ અશુદ્ધ શ્લો. ૩માં મળાપુર જોઈએ, ત્યાં સાષ્ટ્રિપુર છપાયેલું છે. ૪માં ક્રિમ कल्पद्रुम આ કમાં કરવામાં सश्वराजः ક ૧૪માં વિશ્વતિ विरयचति ૧૭માં સાં મા ધનદેવી साकु माकु वनदेवी सौंदर्यः - ૪૫માં ક્ષેત્રસિંઃ જૈત્રઃ ૪૮માં -જુન૪૯માં અનુપમવ્યા अनुपदेव्याः ૫૮માં યુતિવેરમ सकृतवेश ૬૩માં મથતાં प्रतयो 9. દ્રશ-મૂર્તઃ રા-પુત્રયા (?) ૬૪માં મૂર્તાનામિદ मुद्धनीनामिव , , રિવધૂBE करिदधुः स्वेष्ट9 , –વેન્યુઃ - વન્દુિ ૬૯માં થાવા प्याचंदा, ૭૦માં શ્રીરૈનશાસનવની श्रीजैनशासवनी છે કે ઉત્ત खन्नक Page #3 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ –એ લેખનું ભાષાંતર જોઈએ, તે તે પણ યથાયોગ્ય સંતોષકારક લાગતું નથી, અનેક ભૂલોથી ભરેલું જણાય છે. તેમાં અધરાજ જઈ એ ત્યાં શરાજ (લૈ. ૭-૮માં) છે, કુમાર કાર્તિકેયસ્વામીની માતા પાર્વતી જોઈએ, ત્યાં કાર્તવીર્યની માતા જણાવેલ છે (લે. ૭), ચંડપ્રસાદ જોઈએ ત્યાં ચંડપ્રસાદ અને પ્રહાદન જોઈએ, ત્યાં પ્રહાણ વગેરે જોવા મળે છે. તેમાં મંગલાચરણને બીજો લેક તેના ભાષાંતર સાથે વિચારવા યોગ્ય છે. “ચઃ []tતિમાન[:] પ્રશ્નો તો િરીતઃ સ્મનિમાયા. निमीलिताक्षोपि समग्रदर्शी स वः शिवायास्तु शिवातनूजः॥" તેનું ત્યાંનું ભાષાંતર– “શાંતિમાન હોવા છતાં કોપથી રક્ત, શાન્ત હોવા છતાં સ્મરનિગ્રહમાં પ્રદીપ્ત, અને ચક્ષુ બંધ છતાં જે સર્વ જુએ છે તે પાર્વતીનો પુત્ર ગણપતિ તમારું કલ્યાણ કરે.” –આ સ્થળે રાજા-નૂનને અર્થ નેમિનાથદેવ કરે સુસંગત છે, કારણકે આ પ્રશસ્તિ, નેમિનાથદેવના નવા બનેલા જિનમંદિરને ઉદ્દેશી રચાયેલી છે, મિનાથની માતાનું નામ શિવા (શિવદેવી) જૈનસાહિત્યમાં પ્રસિદ્ધ છે, નેમિનાથ ક્ષમાવાન હોવા છતાં કોપ પ્રત્યે અરુણ (લાલ-કોપ દૂર કરનાર), શાંત હોવા છતાં કામદેવને નિગ્રહ કરવામાં દીપ્ત (ઉગ્ર ) કહી શકાય, ધ્યાન-મગ્નાવસ્થામાં તે નિમીલિતાક્ષ હોય છે, છતાં તેઓ સર્વજ્ઞ હેઈ સમગ્રદશી છે, તે શિવા-તનૂજ નેમિનાથ તમારા શિવમંગલ, કલ્યાણ, મેક્ષ માટે . –કવિએ અહીં વિરોધાલંકારથી અનેકાંતવાદ ઘટાવી દયથી શબ્દ પ્રયોગ કરી ખૂબીથી નેમિનાથદેવનું આશીર્વાદાત્મક મંગલાચરણ કર્યું છે એ લક્ષ્યમાં લેવું જોઈએ. ઉપર્યુક્ત પુસ્તકમાં છપાયેલું ૧૭મું કાવ્ય અને તેનું ભાષાંતર જેવા જેવું છે – ___“जाल्लूमाकुसाकुवनदेवीसोहगावयजुकाख्याः । पदमलदेवी चैषां क्रमादिमाः सप्त सौंदर्यः॥" તથા ત્યાં તેનું ભાષાંતર આ પ્રમાણે છપાયેલું છે તેને જાલુ, માકુ, સાકુ, વનદેવી, સેહગા, વયજુકા અને પદમલદેવી એવા અનુક્રમવાળી સાત પરણેલી પત્નીઓ હતી.' –ઉપરના શ્લોકમાં લણિગ, મલ્લદેવ, વસ્તુપાલ અને તેજપાલ એ ચાર ભાઈઓનાં નામ જણાવેલાં છે, એમને એ અનુક્રમે ૭ સગી-સહેદર બહેનો હતી, તેને અહીં ભાતાંતરકારે અર્થને અનર્થ કરી પરણેલી પત્નીએ જણાવી છે !! મૂળ શિલાલેખમાં પહેલી ચાર બહેનનાં જાહુ, માઊ, સાઊ,ધનદેવિ એવાં નામો વંચાય છે, તેને બદલે ઉપર્યુક્ત પુસ્તકમાં ઉપર જણાવ્યા પ્રમાણે સંસ્કૃત શ્લોકમાં, તથા તેના ભાષાંતરમાં જા, માક, સાક, વનદેવી એવાં નામો છપાયેલાં છે. વિશેષમાં મૂળ શિલાલેખમાં સરઃ પાઠ છે, તે એડીટરને શુદ્ધ તરીકે સમજાય જણાતું નથી એટલે ત્યાં દર્ય છપાવ્યું લાગે છે; એડીટરે ત્યાં સુંદરી શબ્દ સમજી Page #4 -------------------------------------------------------------------------- ________________ [ ૮૩ અંક : ૪ ] ગુજરાતના..................સ્કૂલનાઓ તેનું એવું રૂપ કલ્પી લીધું લાગે છે. એથી તેનો અર્થ તે વિચિત્ર કર્યો લાગે છે. વાસ્તવિક રીતે વિચારીએ તે ત્યાં સોઢઃ પાઠ શુદ્ધ છે, સોરી (સહેદરી-સગીબહેન અર્થ–વાચક) શબ્દનું બહુવચનનું એ રૂપ છે. કવિએ એ પહેલાં ઇષ પદ દ્વારા પૂર્વે જણાવેલા ચાર બંધુઓ (૧ લણિગ, ૨ મલ્લદેવ, ૩ વસ્તુપાલ અને ૪ તેજપાલ) એમની અનુક્રમે જણાવેલી આ ૭ સહોદરી-સગીબહેને હતી, તેમ જણાવ્યું છે. વિશેષ તપાસ કરતાં જણાય છે કે મંત્રીશ્વર તેજપાલે ત્યાં આબૂ તીર્થમાં પોતે કરાવેલ “લૂણસીહ-વસહી ' નામના નેમિનાથદેવના તે ચૈત્યમાં, જગતીમાં પિતાની એ સાતે બહેનેના શ્રેય માટે પણ જુદા જુદા ૭ તીર્થંકરની પ્રતિમાઓથી અલંકૃત જુદી જુદી ૭ દેવકુલિકાએ કરાવી હતી અને સં. ૧૨૯૩ વર્ષના ચિત્ર વદિ ૮ શુક્રવારે નાગૅદ્રગચ્છના શ્રીવિજયસેનસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી. શિલાલેખો સાથે હાલમાં પણ એ વિદ્યમાન છે, ત્યાં સ્પષ્ટ આવા ઉલ્લેખ છે – -स. १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे श्रीअर्बुदाचलतीर्थे स्वयकारितलूणसीहवसहिकाख्यશ્રીનેમિનાથવેચે નાં ................મહં. શ્રીનપાન (૧) મા વાઉ જલ્દિવ્ય- શ્રેડર્થ... (૨) , ની માસ (૩) » » રાવ્યા (૪) धणदेवि» સોહા એ યાં(૭) ' , , T –આ શિલાલેખો એપિગ્રાફીઆ ઈંડિકા' . ૮, પૃ. ૨૨૭ થી ૨૨૯માં નં. ૨૬થી ૩૧માં, તથા પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ બીજામાં લેખાંકઃ ૯૪ થી ૯૯ અને ૧૦૩માં, અને “અબુંદ-પ્રાચીન જૈન લેખસંગ્રહ' (આબુ ભાગ બીજા)માં લેખાંક ૩૨૫ થી ૩૨૮, ૩૩૦, ૩૩૧ અને ૩૩૭માં મૂળ સંસ્કૃતમાં પ્રકાશિત થયેલા છે; તથા પહેલામાં અંગ્રેજીમાં અને પાછળના બે ગ્રંથમાં તેને ગુજરાતી સાર પણ પ્રકાશિત થઈ ગયેલ છે. એથી અહીં વિશેષ સમર્થનની અપેક્ષા નથી. વિશેષમાં એટલે અંશે સંતોષ માનીએ કે ઉપર્યુક્ત ગુજરાતના ઐતિહાસિક લેખ” ભાગ ત્રીજામાં, સંગ્રહ કરનાર એડીટરે પ્રાસ્તાવિક ઐતિહાસિક વિવેચન (પૃ. ૧૧)માં “વસ્તુપાલ તથા તેજપાલનું વંશવૃક્ષ” દર્શાવ્યું છે, તેમાં ઉપર જણાવેલ નામવાળી ૭ બહેને તેમની બહેને તરીકેના ક્રમમાં દર્શાવી છે. એના લો. ૬૨ થી ૬૬ના ભાષાંતરમાં (પૃ. ૧૨માં) અર્થ ન સમજવાથી કંઈક વિચિત્ર જ જણાવ્યું છે કે– “. ...ધર્મકાર્યોના પ્રભાવથી વાદળને પણ નમાવનાર..ધીમત લાવણ્યસિંહ દિગ્નાયક સમાન હતા અને હાથી પર આરોહણ કરી જિનેશ્વરના દર્શને જતી તેમની ૧૦ (દશ) પુત્રીએ રમ્ય લાગે છે Page #5 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ સોલંકી નૃપ વીરધવલના અતુલ કર જેવા વસ્તુપાલના સુમતિવાળા અનુજ તેજપાલે આ જિનના મ ંદિરમાં આ પુત્રીનાં (?) હાથી પર વિરાજતાં પત્થરનાં ૧૦ (દશ) પુતળાં કરાવ્યાં. સરવર સમીપમાં ફલસહિત .આમ્રવૃક્ષ સમાન તેની પત્નીના આધાર, તેજપાલ નિજ પત્નીસહિત વસ્તુપાલના મહેલમાં દેખાય છે. ’ વાસ્તવિક રીતે ત્યાં આવા અર્થ જોઈએ—[ શ્રીમાન ૧૨ંડપના પુત્ર ચંડપ્રસાદ થયા, તેના પુત્ર સૈામ, તેના પુત્ર ૪અશ્વરાજ થયા. તેમના પવિત્ર આશયવાળા પુત્રા પલૂજ઼િગ, ટૅમલદેવ, સ્તુપાલ અને તેજપાલ થયા; જે જિનમતરૂપી આરામ ( બગીચા)ને ઉન્નત કરવામાં નીર–મેઘ જેવા છે. ૬૨ શ્રીમંત્રીશ્વર વસ્તુપાલના પુત્ર ચૈત્રસિંહ નામનો, અને તેજપાલના પુત્ર લાવણ્યસિહ ૧૦ વિશ્રુત વિખ્યાત મતિવાળા છે; હાથણીએના સ્કંધ પર ચડેલી, એ દેશની મૂર્તિ આ એવી રીતે લાંબા સમય સુધી શેભે છે કે-જાણે જિન -દર્શન માટે જતા નાયકા (૧૦ દિક્પાલા)ની એ મૂર્તિઓ હાય. ૬૩ ચૌલુકય ક્ષિતિપાલ વીરધવલના અદ્વિતીય બંધુ અને વસ્તુપાલના અનુજ લઘુબંધુ સુબુદ્ધિશાલી આ મત્રો તેજપાલે અહીં હાથણીઓની પીઠ પર પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિઓની પાછળ તેમની (તે ઉપર જણાવેલ ૧૦ની) કાંતા-પત્ની સાથે દશ મૂર્તિ આ વિમલ ઉજજવલ અશ્મ ( આરસ પાષાણુ)ના ખત્તક ( તાકા-ગાખલામાં રહેલી કરાવી હતી. ૬૪ સકલ પ્રજાના ઉપબ્ધ (આશ્રય કરવા યેાગ્ય) વસ્તુપાલની પાસે તેજપાલ, સરાવરની પાસે રહેલ સફળ ( ફળવાળા ) સહકાર ( આમ્રવૃક્ષ ) જેવા શાભે છે. ૬૪ તે બંને ભાઈઓએ (વસ્તુપાલે અને તેજપાલે ) પ્રત્યેક પુર, ગામ, મા, પત અને સ્થળમાં વાવ, કૂવા, નિપાન ( અવેડા ), ઉદ્યાન, સરાવર, પ્રાસાદ ( મદિર), સત્ર ( દાનશાલા–પરબ) વગેરે ધર્માંસ્થાનાની પરંપરા અત્યંત નવી કરી અને જીણુ થઈ હતી, તેને ઉષ્કૃત કરી; તેની સખ્યા પણ જાણી શકાતી નથી, જો તે કેાઈ જાણુતું હોય તે તે પૃથ્વી જ જાણે છે. હું પૂ. ૧૩માં પાછળના શ્લેાકેાના ભાષાંતરમાં આચાર્યાંનાં નામેા વગેરેમાં બહુ ગોટાળા કર્યા છે. આનંદ, અમરરને બદલે ‘ ચંદ્રામરસુરિ આવ્યા, ' શ્રીવિજયસેનસુરને બદલે મેરૂ સુનિધર હતા' વિ. વિ. કેટલી ભૂલો અહીં જણાવી શકાય? આ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુ ઈતિહાસના અભ્યાસીએએ તુલનાત્મક દૃષ્ટિથી નીચે જણાવેલા પ્રથા જોવા જોઇએ— ભાવનગર રાજ્યના પુરાતત્ત્વ સંશાધનખાતા તરફથી પ્રકાશિત પ્રાકૃત સંસ્કૃત લેખ સંગ્રહ'માં અંગ્રેજી ભાષાંતર સાથે પ્રકટ થયેલ સ ંસ્કૃત પ્રશસ્તિવાળા એ શિલાલેખ, ઉપર્યુક્ત ‘ ગુજરાતના ઐતિહાસિક લેખા' ભાગ ત્રીજામાં ગુજરાતી ભાષાંતર સાથે પ્રકટ થયેલ છે, તે ઉપરાંત ખીજે પાંચ સ્થળે પ્રકાશિત થયેલ જાણવામાં આવેલ છે— Page #6 -------------------------------------------------------------------------- ________________ અંક : 4 ] ગુજરાતના..........અલનાઓ [ 85 (1 ઈસ્વીસન ૧૮૨૮માં એશિયાટિક રિસર્ચીસ' વ. ૧૬માં (પૃ. 302 ) એય. એચ. વિલ્સને ઉપર્યુક્ત લેખનું અંગ્રેજીમાં ભાષાંતર પ્રકટ કરાવ્યું છે. (2) “એપીયાક્ષિા ઈડિકા' વ. ૮માં ડો. પ્રો. એચ લ્યુડર્સ “જન ઈન્સિક્રપશન્સ એટ ધી ટેમ્પલ ઓફ નેમિનાથ ઓન માઉન્ટ આબૂ” એ હેડીંગ નીચે પૃ. 24 થી 208 માં પરિચય આપ્યા પછી પૃ. 208 થી 213 માં ઉપર્યુક્ત મૂળ સંસ્કૃત શિલાલેખની ફોટો કેપી જોડી છે અને તે સાથે 32 લેખો અંગ્રેજી ભાષાંતર સાથે ત્યાં પ્રકટ કર્યા છે. આ પુસ્તકનું ટાઈટલ ગયેલ હોવાથી પ્રકાશન સન દર્શાવી શકાતું નથી) | (3) ઈસ્વીસન ૧૮૮૩માં બેબે ગવર્નમેન્ટ સેન્ટ્રલ બૂક ડીપ દ્વારા પ્રકટ થયેલી કવિ સેમેશ્વરદેવે રચેલી “કીતિ કૌમુદી'ના પરિશિષ્ટ (A.)માં ઉપયુક્ત શિલાલેખને અંગ્રેજી ભાષાતર સાથે એડીટર આબાજી કાથવટે દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. (ત્યાં સંસ્કૃત લેખના અંતમાં સં. 1293 જણાવેલ છે, પરંતુ અંગ્રેજીમાં સંવત 1287 જણાવેલ છે.) તથા તેની સાથે સંબંધવાળો ત્યાંને બીજો શિલાલેખ જે સં. 1287 વાળે છે, જેમાં તે ધર્મસ્થાનની રક્ષા, તથા ઉત્સવદિ વ્યવસ્થા સૂચવેલી છે, તે પણ ત્યાં પરિશિષ્ટ (B) માં દર્શાવેલ છે. (4) સંવત 1978 ઈસ્વીસન 1921 માં જૈન આત્માનંદ સભા, ભાવનગર દ્વારા પ્રકટ થયેલ “પ્રાચીન જૈન લેખસંગ્રહ' (ભાગ બીજા) માં એ શિલાલેખ લે. 94 તરીકે ગુજરાતી સાર સાથે સુપ્રસિદ્ધ સાક્ષર શ્રીજિનવિજયજીના પ્રયત્નથી પ્રકટ થયેલ છે (5) સંવત 1994 માં શ્રીવિજ્યધર્મસૂરિજેન ગ્રંથમાળા, ઉન તરફથી પ્રકટ થયેલ “અબુંદ પ્રાચીન જેન લેખસદેહ' (આબુ ભાગ બીજે) એ પુસ્તકમાં ઈતિહાસપ્રેમી સ્વ. મુનિરાજ જયંતવિજયજીના પ્રયત્નથી લે. 250 તરીકે એ લેખ ગુજરાતી અવલોકન સાથે પ્રકાશિત થયેલ છે. આશા છે કે સત્ય સંશોધન-પ્રકાશનથી ગુજરાતને સાચે ઈતિહાસ પ્રકાશમાં આવશે, ત્યારે સર્વને આનંદ થશે. સંવત 2007 શ્રાવણ શુલ પંચમી શ્રીનેમિનાથ-જન્મકલ્યાણક છે