Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી અન્તરિક્ષ પાર્શ્વનાથાય નમઃ પ્રભુ શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરાય નમઃ
અભૂત અને ચમકાર પૂર્ણ શ્વેતામ્બર તીર્થ
શ્રી અઉતરિક્ષ પાર્વનાથ ( તીર્થોત્પત્તિ, ઈતિહાસ, અને સંપૂર્ણ માર્ગદર્શન )
मरि
नगर
લખ્યક મુનિરાજશ્રી જખ્ખવિજયજી મ.
| સંપાદક છે મુનિશ્રી જયાનંદવિજયજી મ.
Page #2
--------------------------------------------------------------------------
________________
58227
मुनिराज श्री जयानन्द विजयजी म. सा. द्वारा लिखित एवं संपादित पुस्तकें
555555
5 5
-
558512555555555
2 02555555
555
6500
6
हिन्दी
आत्मस्वरूप
हिन्दी चार गति के जीवों का स्वरूप मुक्ति पथ के साथी हिन्दी तत्वत्रयी का स्वरूप स्वात्म निंदा पच्चीसी हिन्दी आत्म निंदा मुनि जीवननी वातो
गुजराती साध्वाचार हित चिंता के मोती हिन्दी साध्वाचार मुक्ति महेलनो राजमार्ग गुजराती दान, शील, तप, भाव पर विवेचन | दो प्रतिक्रमण सार्थ संपादित तृतीय आवृत्ति देव वंदन सूत्र सार्थ संपादित मुक्ति का मंगल प्रारंभ हिन्दी नियमावली
दो प्रतिक्रमण मूल हिन्दी संपादित १ भक्तों के उद्गार हन्दा
हिन्दी स्तवनादि संग्रह गागर में सागर
हिन्दी ANS
संख्या पर संग्रह सूरि राजेन्द्र वाणी
संपादित पथ प्रदर्शक
सुदेव सुगुरुस्वरुप प्रगति का प्रथम सोपान हिन्दी मार्गानुसारी जीवन मुक्ति का मंगलद्वार
हिन्दी नौ तत्वों का स्वरुप चिंतन की रश्मियाँ
हिन्दी नवकार मंत्र पर चिंतन जिज्ञासा पूर्ति
गुजराती शंका समाधान श्रावक को क्या करना चाहिए ? हिन्दी संपादित आर्दश जीवन की चाबियाँ हिन्दी संपादित उपधान विधि प्रकरण चतुष्टय
हिन्दी
संपादित २३ भव्यात्माओं का भोजन से हिन्दी सज्झाय संग्रह २४. मुक्ति नगरमा प्रवेश हिन्दी पुद्गल वोसिराववानी विधि २५. श्री विंशती स्थानक तप विधि हिन्दी संपादित मुनि जीवननो मार्ग
गुजराती साध्वाचार प्रभु दरिशन सुख संपदा हिन्दी जिनदर्शन पूजन विधि भव्यात्माओं की भक्ति हिन्दी सुपात्रदान विधि
भक्तामर स्तोत्र गुरुगुण इक्कीसा स्वात्म निंदा पच्चीसी सह हिन्दी-गुजराती 138530308GRA
C 380868625582300 /85805 श्री चम्पकमाला श्री जगडूशाह श्री कयवत्रा शेठ श्री अघटकुमार चरित्र संस्कृत संपादित समाधान की राह पर
हिन्दी श्रावकोपयोगी प्रश्नोत्तर समाधान की रश्मियाँ
हिन्दी श्रावकोपयोगी प्रश्नोत्तर ३३. समाधान की ज्योत
हिन्दी साध्वाचारोपयोगी प्रश्नोत्तर स्त्रात्र पूजा श्री वीरविजयजी कृत संपादित
蝙 蝙蝠听听听听听听听听听听听听听听听听听听听听听听听
5 5555555555516652025252323260338455535034625253522558225-30-3200
4555555555555520255555555555555555555
1302003000हन्दी संपादित
क्ति नगरमा प्रवश150620803
8
58335522333333331
250000000000000000020505
33333896205051
166555
1
| ज
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી અન્તરિક્ષ પાર્શ્વનાથાય નમઃ પ્રભુ શ્રી મદ્વિજયરાજેન્દ્ર સૂરીશવરાય નમઃ
અભૂત અને ચમત્કાર પૂર્ણ શ્વેતામ્બર શ્રી અન્તરિક્ષ પાર્શ્વનાથ તીર્થ (તીર્થોત્પત્તિ ઈતિહાસ અને સંપૂર્ણ માર્ગદર્શન)
આશીર્વાદ છે રાષ્ટ્રસંત શ્રી જયંતસેનસૂરીશ્વરજી
- લેખક . મુનિરાજશ્રી જમ્બવિજયજીમ.
| સંપાદક : મુનિ શ્રી જયાનંદ વિજયજી મ.
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી રામચંદ્ર જ્ઞાનમાળા ૧૦૯ પુષ્પ
પુસ્તક ' : શ્રી અન્તરિક્ષ પાર્શ્વનાથ
લેખક
: મુનિરાજ શ્રી જખ્ખવિજયજી
સંપાદક
: મુનિશ્રી જયાનંદવિજયજી
દ્રવ્યસહાયક : અદાણી ચુનિલાલ નાગરદાસ
આંબલીશેરી થરાદ-૩૮૫૫૫
પ્રકાશક
: શ્રી ગુરૂરામચંદ્ર પ્રકાશન સમિતિ
સં. સુમેરલ કેવલજીનાહર ભીનમાલ-30૨૯
પ્રાપ્તિ સ્થાનઃ શાદેવીચંદજી છગનલાલજી
સદરબજાર, ભીનમાલ-૩૪૩૦૨૯
મુદ્રક
: પારદર્શી પ્રિન્ટર્સ
૨૬૧, તામ્બાવતી માર્ગ, આયડ , ઉદયપુર-૩૧૩ ૦૦૧ ફોન નં : ૪૧૧ ૧૨૯
Page #5
--------------------------------------------------------------------------
________________
S:
પ્રસ્તાવના દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવંતના અદભૂત અને ચમત્કારપૂર્ણ તીર્થનો ઈતિહાસ અને એ તીર્થનું ગૌરવ બતાવતું પુસ્તક પ્રકાશિત થાય એવું મારૂ સ્વપ્ન પરમપૂજ્ય પંડિતપ્રવર મુનિશ્રી જંબૂવિજય મહારાજની કૃપાથી મૂર્ત સ્વરૂપમાં આવ્યું તે જોઈ મને પરમ સંતોષ થયો. અને અલ્પકાળમાં જ તે પુસ્તકની બીજી આવૃતિ છપાવવાનો પ્રસંગે ઉપસ્થિત થયો એ જોઈ મારા આનંદનો પાર રહ્યો નહી.
વિદ્વાન મુનિ શ્રી જંબુવિજય મહારાજે સંશોધનપૂર્વક વિદ્ધભોગ્ય ટિપ્પણીઓ આપી હતી, તે સામાન્ય વાચકો માટે તદન નિરૂપિયોગી છે. માટે તે બાદ કરી બીજી આવૃતિ વધુ સુલભ કરો તો સારૂ, એવી અનેકો તરફથી સૂચનાઓ મળી. તેથી આ આવૃત્તિમાં તેની ટિપ્પણીઓ કાઢી નાખી અગર મૂળ સાથે ભેળવી દેવામાં આવી છે. જેથી પુસ્તકના આકારમાં ઘટાડો થયો છે. પણ મૂળ વસ્તુમાં જરાએ ઓછું કરવામાં આવ્યું નથી
આ મૂળ પુસ્તકનો મરાઠી ભાષામાં અનુવાદ કરી તે પણ પ્રગટ કરવામાં આવ્યો છે. એ પુસ્તક પણ અત્યંત લોકપ્રિય થયેલું છે.
આ બીજા આવૃતિના આધાર પર જ હિંદી આવૃતિ પણ પ્રગટ કરવામાઁ આવશે. માલેગામ
સાહીત્યચંદ્ર બાલચંદ હીરાચંદ અક્ષય તૃતિયા
સંપાદક સંવત ર૦૧૮
શિરપુર આવવાના માર્ગો ૧. મુંબઈથી નાગપુર જનારી ગાડીમાંઆકોલા ઉતરવું. ત્યાંથી શિરપુર ૫ કિલો
મિટર થાય છે. મોટરની સગવડ થઈ શકે છે. આકોલામાં મંદિર, ધર્મશાળા
છે રસ્તામાં માલેગામ નામનું ગામ આવે છે. ત્યાં ઘર્મશાળા છે. ૨. સુરત થી ભુસાવળ આવી નાગપુર તરફની ગાડીથી આકોલા આવવું. ૩. કલકત્તા તરફથી નાગપુર માર્ગે આકોલા આવવું. ૪. મદ્રાસ તરફથી બલારશા તરફથી વર્ધા થઈ આકોલા અવાય છે. ૫. ખાંડવા-હિંગોલી મીટરગેજ લાઈન હાલમાં નખાઈ છે. તેના જવળકા નામના
સ્ટેશનથી શિરપુર ૧૫ કિલોમિટર દૂર છે. વિકાસ છે થી અંતરિક્ષ પાર્શ્વનાથ
Page #6
--------------------------------------------------------------------------
________________
तीर्यते डनेनेति तीर्थ : જે આત્માને ડૂબતા તારે અને કેનારે પહોંચાડી દે તેનું નામ તીર્થ અથવા જે સંસાર રૂપી સમુદ્રમાંથી મુક્તિનગરના કિનારા ઉપર ક્ષેમ કુશળ પહોંચાડી દે તેનું નામ તીર્થ.
તીર્થના બે ભેદ બે-બે પ્રકારે છે. ૧ દ્રવ્યતીર્થ. ભાવતીર્થ ૧. જંગમતીર્થ, ૨. સ્થાવરતીર્થ,
અપેક્ષાએ નામ અલગ-અલગ છે પણ અર્થ એક છે. જંગમતીર્થ છે તે જ ભાવ તીર્થ છે. સ્થાવરતીર્થ છે તે જ દ્રવ્યતીર્થ છે.
| તીર્થ શબ્દની વ્યાખ્યામાં ચતુર્વિધ સંઘને, ગણધર ભગવંતને અને તીર્થકર પરમાત્માને તીર્થ શબ્દથી સમજાવેલ છે. અને એ ભાવતીર્થ છે. ક્રોધાદિ શત્રુઓનો નિગ્રહ કરવામાં સમર્થવાન પ્રવચન જ ભાવ તીર્થ છે.
અસંખ્ય પ્રદેશી આત્માના એક-એક પ્રદેશ પર અનંત કાર્મણ વર્ગણા રૂપી રજનો સંચય અનેક ભવોમાં થયો છે તે કર્મ રૂપી રજના સંચયને તપતથા સંયમ દ્વારા ધોઈ શાફ કરવા યોગ્ય હોવાથી પ્રવચન ને ભાવતીર્થ કહ્યું છે. આ અપેક્ષાએ પ્રવચન-દ્વાદશાંગી પણ ભાવતીર્થ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ભાવતીર્થ છે. એમાં દર્શન મુખ્ય છે. દર્શન છે તો જ્ઞાન છે. દર્શન અને જ્ઞાન છે તો ચારિત્ર્ય છે. અર્થાત જિનશાસન માં દર્શનનો મુખ્યતા છે. દર્શન ની પ્રાપ્તિ માટે અને દર્શનની સ્થિરતા અને શુદ્ધિ માટે જિન ભક્તિ મુખ્ય સાધન છે. જિનેવર પરમાત્મા પ્રત્યેક સમયમાં પ્રત્યેક સ્થળે ઉપસ્થિત ન રહી શકવાને કારણે મંદિર અને મૂર્તિઓ છે. શાસન અનાદિ કાળથી છે તો મંદિર મૂર્તિઓ પણ અનાદિકાળથી છે.
જે જિન મંદિરો અને જિન મૂર્તિઓ એ અનેક ભવ્યાત્માઓના અંતર મલને દૂર કરવાનું કામ કરી ને અનંત આત્માઓ ને મુક્તિનગરમાં પહોંચાડી દીધા છે.
આ કળિકાળમાં પણ જિનમંદિરો અને જિનમૂર્તિઓ અનેક ભવ્યાત્મા ઓ ના મિથ્યાત્વમાળ ને દૂર કરી સમ્યગ્દર્શન ની નિર્મળતા પ્રાપ્ત કરાવવામાં સહાયક બની રહી છે.
એમાનું જ એક તીર્થ શ્રી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ' જે શિરપુરમાં આવેલું છે. એનો ઈતિહાસ આદિ થી યુક્ત આ પુસ્તક મારા વાંચવામાં આવ્યું. જે મુ. શ્રી જંબુવિજયજી દ્વારા લખાયેલું અને બાલચંદ હીરાચંદ માલેગામ દ્વારા સંપાદિત હતું.
સંસારીપણામાં આ તીર્થની યાત્રા બે વાર કરવાનો અનહદ આનંદ મળેલ છે. પ્રથમ વખત તો સહજભાવે તે અમે બે મિત્રોં એ વિચાર કર્યો અને એના બાવીસ જણા પ્રથમ વાર આ તીર્થની યાત્રા કરવા ગયા અને પ્રતિમાજીની સુંદરતા અદ્ધરતાએ ભાવોલ્લાસમાં અભિવૃદ્ધિ કરી. એ તીર્થના ઈતિહાસને વધારે પ્રસારિત કરવા માટે આ પુસ્તક વાંચી ત્યારે પ્રકાશન કરાવવાની ભાવના થઈ. પેઢી અને સંપાદકો ની પત્ર દ્વારા રજા મેળવી આ પ્રકાશન કરવામાં આવેલ છે. પાઠકગણ આ પ્રકાશનને વાંચી દ્રવ્ય-ભાવતીર્થ યાત્રા દ્વારા કર્મરજ ને દૂર કરવા પ્રયત્નશીલ બને એજ ૨૦૫૩ ચૈત્રપૂર્ણિમા જયાનંદ' પાલીતાના.
શ્રી અંતરિક્ષા પાર્શ્વનાથ
થી
તા
નાના નાના
Page #7
--------------------------------------------------------------------------
________________
I નમ: શ્રી ઉત્પરિક્ષાર્શ્વનાથાય || श्री अंतरिक्षपार्श्वनाथजी तीर्थ - ઈતિહાસ અને માહાભ્ય
આ તીર્થનું સતત ચાલતું સ્મરણ. अंतरिक्ष वरकाणो पास, जीरावलो ने थंमणपास । गाम नगर पुर पाटण जेह, जिनवर चैत्य नमुं गुणगेह ॥
આ સત્તતીર્થર્વવન સ્તોત્રની કડીથી પ્રાત:કાલના પ્રતિક્રમણમાં આપણે જેમને નિત્ય નમન કરીએ છીએ તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ હમણાં વરાડાને નામે ઓળખાતા પ્રાચીન વિર્ષ દેશના આકોલા જીલ્લાના વાશીમ તાલુકાના લગભગ ૨૦ ઉત્તર અક્ષાંશ અને ૭૦ પૂર્વ રેખાંશ ઉપર રહેલા શિરપુર નામના ગામમાં આવેલું છે. ગામના એક છેડા ઉપર આપણું જિનાલય છે. તેમાં ભોયરાની અંદર એક મોટા ગોખલામાં લગભગ મસ્તક સુધી ૩૬ ઈંચ ઊંચી અને ફણા સુધી ૪ર ઈચ ઊંચી તથા ૩૦ ઈંચ પહોળી શ્રી અંતરિક્ષપાર્શ્વનાથસ્વામીની મૂર્તિ બિરાજે છે. મન્તરિક્ષ શબ્દનો અર્થ “આકાશ' થાય છે એટલે ઊંચે આકાશમાં અર્થાત કોઈપણ આધાર વિના ભૂમિથી અદ્ધર રહેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા એવો શ્રી મન્તરિક્ષપાર્શ્વનાથ શબ્દનો અર્થ થાય છે. અને ખરેખર આ પ્રતિમાજી ભૂમિનો જરા પણ આધાર રાખ્યા સિવાય તેમ જ પાછળ તથા બંને પડખે ભીંતનો જરા પણ સ્પર્શ કર્યા વિના ભૂમિથી એક આંગળ અદ્ધર જ વિરાજે છે. પ્રતિમાજીની નીચેથી બરાબર અંગભૂંછણું પસાર થાય છે. તેમ જ પ્રતિમાજીની પલાંઠી પાસે બંને પડખે દીવા મૂકીને પણ મૂર્તિની નીચે તેમજ પાછળ સર્વત્ર પથરાઈ જતો પ્રકાશ જોઈ શકાય છે.
એક નાનું સરખું પાંદડું પણ આકાશમાં અદ્ધર નથી રહી શકતું, છતાં આટલાં મોટા અને વજનદાર પ્રતિમાજી સેંકડો વર્ષોથી કોઈ પણ આધાર વિના અદ્ધર બિરાજે છે એ એક મહાન અતિશય જ છે અંધકારમય કલિયુગમાં પણ અપાર તેજથી ઝગમગતી ખરેખર આ તેજસ્વી જ્યોત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા અને પ્રગટ પ્રભાવ સુપ્રસિદ્ધ છે જ, છતાં સર્વ માણસો પ્રત્યક્ષ જોઈ શકે એવો પ્રભાવ તો અહીંયા જ દષ્ટિગોચર થાય છે. આ પ્રતિમાનાં દર્શન કરીને આસ્તિકના આનંદ અને વિસ્મયનો તો પાર રહેતો નથી જ, પરંતુ નાસ્તિકની બુદ્ધિ પણ અહીંયા તો આવીને નમી જાય છે અને તેને આસ્તિક બનાવી દે તેવો આ ચમત્કાર છે. માત્ર જૈનો જ નહીં, પણ શિરપુરમાં તેમ જ આજુબાજુના ગામોમાં વસતા જૈનેતરો પણ આ મૂર્તિ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને દર્શનાર્થે તથા વંદનાર્થે આવે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
આવા પ્રભાવશાળી આ તીર્થની યાત્રા કરવા માટે સેંકડો વર્ષોથી ભારતવર્ષના ખૂણેખૂણેથી લાખોની સંખ્યામાં આજ સુધી યાત્રાળુઓ આવ્યા છે અને અત્યારે પણ યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યા જ કરે છે. જિનાલયના કંપાઉન્ડમાં તેમ જ કંપાઉંડ બહાર મોટી ધર્મશાળા છે. યાત્રાળુઓને માટે ભોજનશાળા પણ અત્યારે ચાલુ છે. શિરપુર જવા માટે મધ્ય (Central) રેલ્વેના આકોલા સ્ટેશને ઉતરવું પડે છે. આકોલામાં તાજના પેઠમાં આપણું જિનાલય, ઉપાશ્રય તેમ જ ધર્મશાળા છે. અહીંથી શિરપુર ૪૪ માઈલ દૂર છે. આકોલાથી ઠેઠ શિરપુર સુધીની મોટર સડક બંધાયેલી છે અને મોટર વ્યવહાર હમેશાં ચાલ્યા જ કરે છે. પોસ દશમ (માગશર વદ ૧૦) ના શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણ દિવસે દર વર્ષે મેળો ભરાય છે.
विदर्भदश જે દેશમાં આ તીર્થ આવેલું છે તે દેશ આજકાલ વરાડના નામથી પ્રસિદ્ધ છે, પરંતુ તેનું પ્રાચીન નામ વિદર્ભ છે. સુરતના ચંદ્રનવાતા મનોરમા મયળનેહા મયંતિ આ ભરફેસરની પંકિતથી આપણે જેનું નિત્ય પ્રાત:કાલમાં સ્મરણ કરીએ છીએ તે નળ રાજાની પત્ની મહાસતી દમયંતીનો જન્મ પણ આ વિદર્ભ દેશની રાજધાની કુંડિનપુરમાં થયો હતો. વિદર્ભ દેશના રાજાની પુત્રી હોવાને લીધે દમયંતી વૈવર્મી ના નામથી પણ ઓળખાય છે. અત્યારે પણ કુંડિનપુર વિદ્યમાન છે અને તે અમરાવતી જિલ્લાના ચાંદૂર તાલુકામાં અમરાવતી શહેરથી લગભગ ૨૮ માઈલ દૂર પૂર્વ દિશામાં વર્ધા નદીના બરાબર પશ્ચિમ કિનારે ૨૦/૫૮ ઉત્તર અક્ષાંશ અને ૭૮/૯ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે.
पउमावई अ गोरी गंधारी लक्खमणा सुसीमा य ।
जंबूवई सच्चभामा रुप्पिणी कण्हट्ठ महसिओ ॥ આ મહેલ ની ગાથામાં જેમનો ઉલ્લેખ છે અને જે અંતે શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને મોક્ષમાં ગયાં છે તે મહાસતી રૂકિમણીનો જન્મ પણ ત્યાં થયો હતો. અત્યારે જો કે કુંડિનપુર બહુ નાનું ગામડું જ કહ્યું છે, છતાં પણ વૈદિકો (હિંદુઓ) એને મોટું તીર્થધામ માને છે. નદીના કાંઠા ઉપર જ બરાબર કૃષ્ણ (વિઠ્ઠલ) - રુકિમણીનું એક મંદિર છે અને ત્યાં કાર્તિકી પૂર્ણિમા ઉપર પ્રતિવર્ષ ઘણી મોટી યાત્રા (મેળો) ભરાય છે.
श्री अन्तरिक्षपार्श्वनाथजी तीर्थनो इतिहास આવા આ પ્રાચીન વિદર્ભ દેશની ભૂમિને પવિત્ર કરી રહેલા આપણા તીર્થની સ્થાપના ક્યારે કોના હાથે અને શી રીતે થઈ વગેરે જાણવું આવશ્યક અને ખાસ રસદાયક છે. આ તીર્થની યાત્રા કરવા માટે પૂર્વે આનેક આચાર્યાદિ મુનિવરો આવી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ , , , ,
, ,
Page #9
--------------------------------------------------------------------------
________________
ગયા છે. વાચકપ્રવર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ પણ અહીં આવી ગયા છે અને તેમણે અંતરિક્ષજીના બે સ્તવનો બનાવ્યા છે. યાત્રાર્થે આવેલા મુનિરાજો પૈકી કેટલાક આ તીર્થના સંબંધમાં સંક્ષિપ્ત અથવા વિસ્તૃત નોંધ પણ લખતા ગયા છે કે જેમાંથી આપણને આ તીર્થને લગતી ઐતિહાસિક માહિતી મળી શકે છે. આપણે પણ આ તીર્થનો ઈતિહાસ જાણવા માટે એ જ પ્રાચીન ઉલ્લેખો અને પ્રમાણો તરફ વળવું જોઈએ.
શ્રી અંતરિક્ષજીના સંબંધમાં તપાસ કરતા પ્રાચીન ઉલ્લેખો ઘણા મળી આવે છે. જો કે તેમાંના ઘણાખરામાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના નામનો જ ઉલ્લેખ છે, છતાં પાંચ-સાત એવા પણ ઉલ્લેખો છે કે જેમાં શ્રી અંતરિક્ષજી તીર્થને ઈતિહાસ પણ આપેલો છે. આ ઉલ્લેખો કેટલીક વાતોમાં પરસ્પર મળતા છે જ્યારે કેટલીક વાતોમાં પરસ્પર ભેદ પણ પડે છે. ઉલ્લેખો વાંચવાથી અને સરખાવવાથી ભેદ આપોઆપ સમજાઈ જશે.
આ ઉલ્લેખો સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી એમ ત્રણે ભાષામાં અને તે લેખના છેવટના ભાગમાં યથાલભ્ય યથાશકય અક્ષરશઃ આપવામાં આવ્યા છે તે પહેલાં તેનો ભાવાર્થ ગુજરાતીમાં નિચે મુજબ આપવામાં આવે છે. કાળક્રમને મુખ્ય રાખીને આપણે એ ઉલ્લેખોમાં આવતા ઈતિહાસને અનુક્રમે જોઈએ.
શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલો ઈતિહાસ -ખરતરગચ્છના શ્રી જિનપ્રભસૂરિજી કે જેમનો દિલ્હીના બાદશાહ મહમદ તઘલક ઉપર ઘણો પ્રભાવ પડ્યો હતો. તેમણે ભારતવર્ષના ચારે ખૂણાના અનેક તીર્થોની માહિતી આપતા લગભગ ૫૮ જેટલા કલ્પોની રચના કરી હતી. આ કલ્પો વિવિધતીર્થત્વ નામના ગ્રંથમાં છપાયેલા છે. આમાં અંતરિક્ષના સંબંધમાં એક શ્રીપુર મન્તરિક્ષ પાર્શ્વનાથત્વ પણ છે કે જેની રચના વિક્રમ સં. ૧૩૬૪ થી ૧૩૮૯ દરમિયાન થઈ હશે એમ લાગે છે. શ્રી જિનપ્રભસૂરિ ગ્રામાનુગ્રામ ચૈત્યપરિપાટી કરતા દક્ષિણ દેશમાં મહારાષ્ટ્રમાં પધાર્યા હતા અને દેવગિરિ (વર્તમાન દોલતાબાદ) તથા પ્રતિષ્ઠાનપુર (વર્તમાન પૈઠણ) ની યાત્રા કરી હતી. પ્રાય: તે અરસામાં જ તેમણે આ તીર્થની યાત્રા કરી હતીને શ્રીપુરમન્તરિક્ષ પાર્શ્વનાથન્ય ની રચના કરી હતી અંતરિક્ષના સંબંધમાં આપણે ત્યાં મળતાં ઉલ્લેખોમાં સહુથી પ્રાચીન ઉલ્લેખ હોય તો હજુ સુધી આ જિનપ્રભસૂરિજીવાળો જ ઉલ્લેખ છે. આ કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી નીચે પ્રમાણે જણાવે છે કે -
શ્રી પૂરનગરના આભૂષણ સમાન-પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને અંતરિક્ષમાં (આકાશમાં અદ્ધર) રહેલી તેમની પ્રતિમાના કલ્પને
કંઈક કહું છું - -
છે. આ તક
કે મારી થી અંતરિક્ષ પાર્શ્વનાથ
Page #10
--------------------------------------------------------------------------
________________
પૂર્વે લંકાનગરીના રાજા પ્રતિવાસુદેવ રાવણે માલિ અને સુમાલિ નામના પોતાના સેવકોને કોઈક કારણસર કોઈક સ્થળે મોકલ્યા હતા. વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતાં તેમને વચમાં જ ભોજનનો અવસર થયો. વિમાનમાં બેઠેલા ફૂલમાળી નોકરને ચિંતા થઈ કે-‘આજે ઉતાવળમાં હું જિનપ્રતિમાના કરંડિયાને ઘેર જ ભૂલી ગયો છું. અને આ બંને પુણ્યવાનો જિનપૂજા કર્યા સિવાય ક્યાંયે પણ ભોજન કરતા નથી. જ્યારે તેઓ પૂજાના અવસરે પ્રતિમાનો કરંડિયો નહીં જુએ ત્યારે નક્કી મારા ઉપર કોપાયમાન થશે.' આ ચિંતાથી તેણે વિદ્યાબળથી પવિત્ર વાલુકા (વાળુ-રેતી)ની ભાવીજિનેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક નવી પ્રતિમા બનાવી. માલિ અને સુમાલિએ પણ તે પ્રતિમાની પૂજા કરીને ભોજન કર્યું. પછી જ્યારે તેઓ ફરીથી આકાશમાર્ગે ચાલવા લાગ્યા તે વખતે ફૂલમાલી નોકરે તે પ્રતિમાને નજીકમાં રહેલા કોઈ સરોવરમાં પધરાવી. પ્રતિમા દૈવીપ્રભાવથી સરોવરમાં અખંડિત જ રહી કાલક્રમે તે સરોવરનું પાણી ઘટી ગયું અને તે નાના ખાબોચિયા જેવું દેખાતું હતું.
આ બાજુ કાલાંતરે વિંગઉલ્લી (વિંગોલી-હિંગોલી) દેશમાં વિંગહ્લ નામનું નગર છે, ત્યાં શ્રીપાલ નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજા સર્વાંગે કોઢના વ્યાધિથી પીડાતો હતો. એક વખત શિકાર માટે તે બહાર ગયો હતો, ત્યાં તરસ લાગવાથી શ્રી અંતરિક્ષજીની પ્રતિમાવાળા તે ખાબોચિયા પાસે અનુક્રમે આવી પહોંચ્યો. ત્યાં પાણી પીધું અને હાથ મો ધોયા તેથી રાજાના હાથ-મોં નીરોગી અને કનક જેવી કાંતિવાળા થઈ ગયા. ત્યાંથી રાજા ઘેર ગયા પછી જોતાં આશ્ચર્ય પામવાથી રાણીએ પૂછ્યું કે-સ્વામી ! તમે આજે કોઈ સ્થળે સ્નાન વગેરે કર્યું છે ? રાજાએ સર્વ હકીકત કહી સંભળાવી. રાણીએ વિચાર કર્યોં કે ‘નક્કી પાણીમાં જ કોઈ દૈવી પ્રભાવ હોવો જોઇએ.’ આથી બીજે દિવસે રાજાને ત્યાં લઈ જઈને રાણીએ સર્વ અંગે સ્નાન કરાવ્યું તેથી રાજાનું શરીર નીરોગી અને નવું-સુંદર કાંતિવાળું થઈ ગયું. પછી રાણીએ બલિપૂજા વગેરે કરીને પ્રાર્થના કરી કે ‘અહીં જે કોઈ દેવ હોય તે પ્રગટ થાઓ' ત્યાંથી રાણી ઘેર આવ્યા પછી દેવે સ્વપ્નમાં રાણીને કહ્યું કે “અહીં ભાવી તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, અને તેના પ્રભાવથી જ રાજાનું શરીર નીરોગી થયું છે. આ પ્રતિમાને ગાડામાં મૂકીને અને ગાડાને સાત દિવસના જન્મેલા વાછરડાં જોડીને રાજાએ પોતે સારથી બનીને તેમાં બેસવું, અને પછી કાચા સુતરની બનાવેલી દોરીથી (લગામથી) વાછરડાઓને પોતાના નગર તરફ રાજાએ ચલાવવા. (પણ પાછું વાળીને જોવું નહીં, કેમકે) રાજા જ્યાં પાછું વાળીને જોશે ત્યાં જ પ્રતિમા સ્થિર થઈ જશે.’’ બીજે દિવસે રાજાએ ત્યાં જઈને ખાબોચિયામાંથી પ્રતિમા શોધી કાઢી અને દેવે કહ્યા પ્રમાણે ગાડામાં સ્થાપીને પોતાના સ્થાન તરફ ચાલવા લાગ્યો. કેટલેક દૂર ગયા પછી તેના મનમાં શંકા આવી કે-પ્રતિમા આવે છે કે નહીં ? એટલે પાછું વાળીને જોયું,
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
Page #11
--------------------------------------------------------------------------
________________
તેથી પ્રતિમા ત્યાં જ આકાશમાં સ્થિર થઈ ગઈ અને ગાડું તેની નીચેથી આગળ નીકળી ગયું. પ્રતિમા આગળ ન આવવાથી ખેદ પામેલા રાજાએ પછી ત્યાં જ પોતાના નામને અનુસારે શ્રીપુર (સિરિ) ગામ વસાવ્યું અને ત્યાં જિનાલય બંધાવીને તેમાં અનેક મહોત્સવપૂર્વક પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. રાજા હંમેશા તેની ત્રિકાળ પૂજા કરતો હતો. - અત્યારે પણ તે પ્રતિમા તે જ પ્રમાણે આકાશમાં અદ્ધર રહેલી છે. પૂર્વે, માથા ઉપર પાણીનું બેડું ચડાવીને પ્રતિમાજીની નીચેથી સ્ત્રી નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પરંતુ કાલક્રમે નીચેની ભૂમિ ઊંચે ચડી જવાથી અથવા મિથ્યાત્વ આદિથી દૂષિત કાલના પ્રભાવથી પ્રતિમા નીચે નીચે દેખાવા લાગી. છેવટે અત્યારે તેની નીચેથી માત્ર અંગલુછણું નીકળી શકે છે, અને (પ્રતિમાની) બંને બાજુએ નીચે દીવા મૂકવાથી પ્રતિમા અને તેની નીચેની ભૂમિ વચ્ચે દીવાનો પ્રકાશ બરાબર દેખાય છે એટલી અદ્ધર છે. - જે વખતે રાજાએ પ્રતિમાને ગાડામાં સ્થાપી હતી તે વખતે અંબાદેવી ને ક્ષેત્રપાલ પણ પ્રતિમા સાથે હતા. અંબાદેવીને સિદ્ધ અને બુદ્ધ નામના બે પુત્રો હતા. ઉતાવળ ઉતાવળમાં અંબાદેવીએ તેમાંથી એક પુત્ર સાથે લીધો, પણ એક પુત્ર ભૂલથી પાછળ રિહી ગયો. અંબાદેવીએ ક્ષેત્રપાળને હુકમ કર્યો કે “પાછળ રહી ગયેલા પુત્રને લઈ આવ.” પણ અતિ વ્યાકુળપણે ચાલતો ક્ષેત્રપાળ પણ પાછળ પાછળ રહી ગયેલા પુત્રને ન લાવ્યો, તેથી અંબાદેવીએ કોપાયમાન થઈને ક્ષેત્રપાળના માથામાં ટુંબો માર્યો. અત્યારે પણ ક્ષેત્રપાળની મૂર્તિના માથામાં તે પ્રમાણે જ જોવામાં આવે છે. આ પ્રમાણે અંબાદેવી અને ક્ષેત્રપાલ જેની સેવા કરી રહ્યા છે અને ધરણેન્દ્ર તથા પદ્માવતી જેની ઉપાસના કરે છે, એવી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભવ્ય લોકોથી અત્યારે પૂજાય છે, તેમ જ યાત્રાળુ લોકો યાત્રા મહોત્સવ કરે છે. આ પ્રતિમાના વણનું પાણી આરતી ઉપર છાંટવામાં આવે તો પણ આરતી બુઝાતી નથી, તેમ જ પ્રતિમાના હવણનું પાણી લગાવવાથી દાદર, ખસ તથા કોઢ વગેરે રોગો નાશ પામે છે એવો અત્યારે પણ પ્રભાવ છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં જે કંઈ સાંભળવામાં આવ્યું તે પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિએ સ્વ-પરના ઉપકારને માટે શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના કલ્પમાં લખ્યું છે.
શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ તીર્થકલ્પનો સાર આ પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલા ઉપરના વૃત્તાંતમાંથી નીચેની મુખ્ય વાતો તરી આવે છે.
રાવણના સેવક માલી અને સુમાલી કોઈ કાર્યાર્થે વિમાનમાં બેસીને જતા હતા તે વખતે વચમાં ભોજનનો અવસર થવાથી નીચે ઉતર્યા, પણ પ્રતિમા સાથે લાવવી
કે વી" તરિક્ષ પાર્શ્વનાથ
Page #12
--------------------------------------------------------------------------
________________
ભૂલાઈ ગઈ હતી અને પ્રતિમાપૂજા સિવાય ભોજન ન કરવાની તેમની પ્રતિજ્ઞા હતી; તેથી તેમના ફૂલમાળી નોકરે વિદ્યાબળથી વાળુ(રેતી)ની શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવી હતી અને જતી વખતે નજીકના સરોવરમાં પધરાવી દીધી હતી. પાણીમાં પધરાવવાથી સ્વાભાવિક રીતે જ મૂર્તિ નાશ પામી જાય, પરંતુ દેવપ્રભાવથી અંખડ જ રહી. કાલક્રમે આ સરોવર નાનું ખાબોચિયું બની ગયુ.
વિંગઉલ્લી (વિંગોલિ-હિંગોલિ) પ્રદેશના વિંગઉલ્લ (હિંગોલિ) નગરના રાજા શ્રીપાલને સવગે કોઢનો રોગ થયો હતો. તે રોગ આ પ્રતિમાના સ્પર્શથી પવિત્ર થયેલા ખાબોચિયાના પાણીથી સ્નાન કરવાથી સર્વથા મૂલથી નાશ પામ્યો હતો. રાત્રે રાજાની રાણીને સ્વપ્નમાં દેવે આવીને કહ્યું – “આ પાણીની અંદર ભવિષ્યમાં થનારા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, તેને ગાડીમાં સ્થાપીને સાત દિવસના જન્મેલા વાછરડા જોડાને, રાજાએ ગાડીમાં આગળ બેસીને કાચા સુતરના તાંતણાથી બનાવેલી દોરીની લગામથી વાછરડા હાંકીને પોતાના સ્થાન તરફ ગાડીને લઈને જવી, પણ પાછું વાળીને ન જવું. રાજે તે પ્રમાણે બધું કર્યું, પણ કેટલેક દૂર ગયા પછી મૂર્તિ આવે છે કે નહીં એવી શંકાથી પાછું વાળીને લેવાથી મૂર્તિ ત્યાં જ ઊંચે સ્થિર થઈ ગઈ. મૂર્તિ આગળ ન આવવાથી રાજાએ પોતાના નામ ઉપરથી ત્યાં જ સિરિપુર (શ્રીપુર) ગામ વસાવ્યું અને
ત્યાં જ ચૈત્ય બંધાવીને તેમાં પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. શ્રી જિનપ્રભસૂરિના આ લખાણથી એમ ફલિત થાય છે કે શ્રીપાળરાજા સંબંધી આ આખોય પ્રસંગ શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પહેલાં જ બની ગયેલો છે.
શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કે “પહેલાં નીચેથી પાણિયારી સ્ત્રી નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પણ કલિયુગના પ્રભાવથી અત્યારે અંગલુછણું જ નીચેથી નીકળે તેટલી અદ્ધર છે” આથી એમ લાગે છે કે જિનપ્રભસૂરિના વખતમાં એટલે કે આજથી લગભગ સવા છસો (૬૨૫) વર્ષ વહેલાં પણ આપણે અત્યારે (૨૧મી સદીમાં) જેટલી અદ્ધર પ્રતિમા જોઈએ છીએ તેટલી જ અદ્ધર હતી. અત્યારે પણ અંગલુછણું નીચેથી નીકળે તેટલી અદ્ધર છે જ
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થનો સં. ૧૩૮૫ આસપાસ શ્રી જિનપ્રભસૂરિજીએ લખેલો ઐતિહાસિક વૃત્તાંત આવી ગયો છે ત્યારપછી કાલાનુક્રમે જોતાં દેવગિરિ(દૌલતાબાદ)માં વસતા રાજા નામના સંઘવીએ વિ. સં ૧૪૭૩ પૂર્વે અંતરિક્ષ તીર્થની યાત્રા કર્યાનો ઉલ્લેખ મળે છે, પરંતુ બ્રાં અંતરિક્ષજીનો માત્ર નામોલ્લેખ જ હોવાથી આ અને આવા બીજા માત્ર નામોલ્લેખળા ભાગો અંતે અક્ષરશઃ યથાશક્ય આપવામાં આવ્યા છે. હમણાં તો આ તીર્થની ઐતિહાસિક માહિતી આપતા હોય તેવા ઉલ્લેખો જ તપાસીશું. થિી અંતરિક્ષ પાર્શ્વનાથ તા
Page #13
--------------------------------------------------------------------------
________________
આ દષ્ટિએ કાલાનુક્રમે જોતાં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા વિવિધતીર્થકલ્પન્તર્ગત શ્રીપુર મન્તરિક્ષપાર્શ્વનાથhત્પ પછી વિ. સં. ૧૫૦૩માં રચાયેલા સોમધર્મગણિકૃત ઉપવેશસતતિ નામના ગ્રંથનું સ્થાન આવે છે. પશHતિ ના કર્તા તપાગચ્છાધિપતિ આ.શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી ચારિત્રરત્નગણીના શિષ્ય પં. શ્રી સોમધર્મગણી છે તેમણે ઉપદેશસમતિમાં બીજા અધિકારના દશમા ઉપદેશમાં ૨૪ શ્લોકોમાં અંતરિક્ષનો ઈતિહાસ વર્ણવ્યો છે. તેમાં આવતું વર્ણન અમુક પ્રકારનો શાબ્દિક ભેદ હોવા છતાં પણ શ્રી જિનપ્રભસૂરિજીએ કરેલા વર્ણનને જ બહુ અંશે મળતું છે ઉપદેશસસતિમાં અંતરિક્ષજીના અધિકારમાં ૨૧, ૨૨ તથા ૨૪મા શ્લોકમાં ગ્રંથકાર જણાવે છે કે –
निवेश्य नगरं नव्यं श्रीपुरं तत्र भूपतिः । अचीकरच्च प्रोत्तुं गं प्रासादं प्रतिमोपरि ॥२१॥ घटौ गर्गे रिकायुक्तौ न्यस्य नारी स्वमस्तके । तद बिम्बाघः प्रयाति स्म पुरेति स्थविरा जगुः ।।२२।। कि यदन्तरमद्यापि भूमि-प्रतिमयोः खलु ।
अस्तीति तत्र वास्तव्या वदन्ति जनता अपि ।।२४।।
ભાવાર્થ:- “ત્યાં રાજાએ શ્રીપુર (સિરિપુર) નગર વસાવીને પ્રતિમા ઉપર (ફરતો) ઊંચો પ્રસાદ બંધાવ્યો. ઉપરાઉપરી બે ઘડા ઉપર ગાગર મૂકીને તે માથા ઉપર ઉપાડીને પહેલા (પાણીયારી) સ્ત્રી પ્રતિમાજીની નીચેથી નીકળી શકે એટલી મૂર્તિ અદ્ધર હતી એમ જૂના માણસો કહે છે. હમણાં પણ ભૂમિ અને પ્રતિમા વચ્ચે કેટલુંક અંતર છે. એમ ત્યાંના (સિરપુરના) વતની લોકો કહે છે.
આ જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે સોમધર્મગણિજીએ અંતરિક્ષ સંબંધી વૃત્તાંત અંતરિક્ષજીતીર્થનાં સ્વયં દર્શન કરીને લખ્યો નથી, પણ ઊઁવ કાનપરંપરાએ સાંભળીને કિંવા પહેલાંના લખાણને આધારે જ લખ્યો છે. અધિક સંભવ તો એ છે કે-તેમણે જિનપ્રભસૂરિજીને અનુસરીને અંતરિક્ષનો વૃત્તાંત લખ્યો છે. રાવણની, માલિસુમાલિની પ્રતિમાપવિત્રિત જલથી સ્નાન કરવાથી વિગિલ્લ (ઈગોલી) નગરના શ્રીપાળ રાજાનો કોઢ રોગ ગયાની, અધિષ્ઠાયક દેવે કહેલી વિધિ પ્રમાણે તે સમયની અપેક્ષાએ ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ગાડામાં લાવ્યાની, રસ્તામાં રાજાએ પાછું વાળીને જોતાં મૂર્તિ અદ્ધર રહી ગયાની, પછી ત્યાં શ્રીપુરનગર વસાવીને મંદિર બંધાવ્યા વગેરેની એની એ જ હકીકત આમાં પણ છે. મહત્વનો ભાગ એ છે કે-શ્રીજિનપ્રભસૂરિજીએ અંબાદેવી અને ક્ષેત્રપાલ સંબંધી જે કહીકત આપી છે, તે આ ઉપદેશસમતિમાં બિલકુલ નથી. તેમજ બીજા કોઈ લખાણમાં પણ જોવામાં આવતી નથી.
અંતરિક્ષ પાશ્વના,
જ
રૂર જ રા
Page #14
--------------------------------------------------------------------------
________________
કવિશ્રી લાવણ્યસમય મુનિવિરચિત શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ
આ પછી શ્રી લાવણ્યસમયજીએ વિ. સં. ૧૫૮૫ની અક્ષયતૃતીયાને દિવસે ગુજરાતી ભાષામાં રચેલા ૫૪ કડીના શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ છંદનું કાલાનુક્રમે સ્થાન આવે છે આમાં તીર્થની સ્થાપના આદિના સંબંધમાં વર્ણનાત્મક તેમ જ અલંકારાત્મક ભાગ ઘણો છે, પરંતુ શ્રી જિનપ્રભસૂરિજી અને શ્રી સોમધર્મ ગણિજીએ વર્ણવેલા વૃત્તાંતથી આમાં કેટલીક મહત્ત્વની ભિન્નતા નજરે પડે છે. જિનપ્રભસૂરિજી અને શ્રી સોમધર્મગણિ એ જ્યાં રાવણના સેવક માલિ અને સુમાલિનું નામ આપ્યું છે ત્યાં લાવણ્યસમયજીના છંદ પછી રચાયેલાં બીજા તમામ લખાણોમાં પણ ખરદૂષણ રાજાનું જ નામ જોવામાં આવે છે.)
બીજો એક ખાસ મહત્ત્વનો ભેદ એ છે કે-અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અધિષ્ઠાયક દેવે વિગઉલ્લી (ઈંગોલી) નગરના શ્રીપાલ રાજાને ‘ભાવિતીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા છે' એમ કહીને ખાબોચિયામાંથી પ્રતિમા કાઢવાનું જણાવ્યાની જે કહીકત શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી સોમધર્મ ગણિજીએ આપી છે, તેના બદલે લાવણ્યસમયજીએ એલચપુરના એલચદે(૧) રાજાનું નામ આપ્યું છે. અને ‘ભાવિતીર્થંકર’ એવો ઉલ્લેખ નથી. એલચપુર નગર વરાડ (વિદર્ભ) દેશમાં ૨૧/૧૮ ઉત્તર અક્ષાંશ તથા ૭૭/૩૩ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે, વરાડના ઐતિહાસિકોની પરંપરાનુસારી માન્યતા પ્રમાણે ફ્ક્ત (આને જ इलच તથા अलच પણ કહે છે) નામનો રાજા વિ. સં. ૧૧૧૫ માં એલચપુરની રાજગાદી ઉપર આવ્યો હતો. આ જોતાં આ તીર્થની સ્થાપના શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પૂર્વે નહીં, પણ પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી ઘણા કાળે વિ. સં. ૧૧૧૫ પછી જ થઈ છે. આ વાતનું આગળ આવતા શ્રી ભાવવિજયજી ગણિને પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને કહ્યું છે કે ‘આ તીર્થની સ્થાપના વિ. સ. ૧૧૪૨ ના મહા સુદ ૫ ને રવિવારને દિવસે વિજય મુહૂર્તમાં એલચપુર નગરના શ્રીપાલ અપરનામ એલચ રાજાની વિનંતિથી પધારેલા શ્રી અભયદેવસૂરિ મહારાજના હાથે થયેલી છે. અને લાવણ્યસમયજી પછીના બધાં લખાણોમાં પણ એલચપુરના એલચ (અથવા ફ્ન ) રાજાનું નામ આવે છે. લાવણ્ય સમયજીના છંદથી અંતરિક્ષના ઈતિહાસમાં આ મહત્ત્વનો ફેરફાર શરૂ થાય છે. જ્યારે શ્રી જિનપ્રભસૂરિજી અને સોમધર્મ ગણિજીના કથન પ્રમાણે આ રાજા અને તીર્થની સ્થાપના પાર્શ્વનાથ ભગવાન થયા પૂર્વે થયેલાં છે.
આ સિવાયનો શ્રી જિનપ્રભસૂરિ અને સોમધર્મગણિજીએ આપેલા વૃત્તાંતથી લાવણ્યસમયજીના છંદમાં જે ભેદ જોવામાં આવે છે તે માત્ર શાબ્દિક અને વર્ણનાત્મક છે. મુખ્ય બનાવો અને નામો વગેરે એક જ છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવવિજયજી ગણિત રચિત
श्री अन्तरिक्षपार्श्वनाथ स्तोत्र આ પછી તપાગચ્છાધિપતિ આ૦ શ્રી વિજયદેવસૂરિમહારાજના શિષ્ય શ્રી ભાવવિજયજી ગણિએ સંસ્કૃતભાષામાં રચેલા ૧૪૫ શ્લોકના શ્રી મન્તરલ પાર્શ્વનાથ સ્તોત્ર નું સ્થાન આવે છે. આ સ્તોત્ર અનેક દષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. વર્તમાનમાં અંતરિક્ષજીની પ્રતિમા જ્યાં વિરાજમાન છે તે જિનાલય ભાવવિજયજીગણિના ઉપદેશથી જ બંધાયેલું છે અને પાસેના બીજા મંદિરમાંથી ફેરવીને ફરીથી તેમાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા વિ. સ. ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬, ને રવિવારે તેમના હાથે જ થયેલી છે. આજે પણ પાસેના માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા ભોયરામાં શ્રી વિજય દેવસૂરિજીની તેમજ શ્રી ભાવવિજયજીની પાદુકાઓ (પગલાં) વિદ્યમાન છે. એકના ઉપર પં. શ્રી વિનયવસૂરિપાકુ અને બીજી ઉપર પં. શ્રી માવિનયપિયુવા એવા કોતરલા અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. આ માણિભદ્રજીની
સ્થાપનાવાળા બીજા ભોંયરામાં જ પહેલાં અંતરિક્ષજીની મૂર્તિ વિરાજમાન હતી. એમનું પ્રાચીન આસન અત્યારે પણ વિદ્યમાન છે. અત્યારે તે આસન પર બીજી માણિભદ્રજીની સ્થાપના કરેલી છે. ભોંયરામાં કુલે ૨, માણિભદ્રજી છે. વર્તમાન પ્રતિષ્ઠા કરનાર શ્રી ભાવવિજયજીગણિએ જ રચ્યું હોવાથી તેમજ બીજી ઘણી નવી તથા બાહ્ય પ્રમાણોથી પણ પુષ્ટ થતી માહિતી તેમાં હોવાથી આ સ્તોત્રનું મહત્વ ઘણું જ ઘણું વધી જાય છે. પોતાનાં માતા-પિતા, જન્મસ્થાન, દીક્ષા આદિથી માંડીને સ્તોત્રની રચના કરી ત્યાંસુધી બધી પ્રાસંગિક રસપ્રદ માહિતી તેમણે આપી છે એ આખા સ્તોત્રનો ભાવાર્થ નીચે પ્રમાણે છે.
શાંતરસપૂર્ણ પરમ આનંદસ્વરૂપ (પરમાત્મા) ને નમસ્કાર કરીને હું (ભાવવિજયજીગણિએ) સ્વયં અનુભવેલા ચમત્કારનું બીજાઓના ઉપકારને માટે વર્ણન કરું છું. - જંબુદ્દીપના ભરતક્ષેત્રના મધ્ય ખંડને શોભાવતું સત્યપુર (સાચોર) નામનું ધનખંડોથી સુશોભિત નગર હતું. તે નગરમાં ઓશવાલવંશમાં રાજમલ્લ નામના ગૃહસ્થ હતા. તેમને ભૂલી નામની પત્નીથી ભાનિરામ નામનો એક પુત્ર થયો હતો. એક વખત તે નગરમાં ઉપશમ આદિ ગુણોના ભંડાર શ્રી વિજયદેવસૂરિજી સાધુઓના પરિવાર સાથે પધાર્યા હતા. જેમ મયૂરી મેઘના આગમનથી ખુશી–રાજી થાય તેમ ગુરુમહારાજાના આગમનથી આનંદિત થયેલા શ્રાવકો તેમને વંદન કરવા માટે ગયા. જેમ ચાતકો મેઘના જલને પીવા માટે અતિ ઉત્કંઠિત હોય છે તેમ શ્રાવકો ગુરુમહારાજના મુખમાંથી વરસતા વચનામૃતનું પાન કરવા માટે ઉત્કંઠિત બનીને ગુરમહારાજને વંદન કરીને તેમની દેશના સાંભળવા માટે બેઠા. પછી આચાર્ય મહારાજે સાત નય અને ચતુર્ભગીથી યુક્ત તથા દુરિત - (પાપ) ને દૂર કરનારી અમૃત કરતાં પણ અધિક મીઠી ધર્મદેશના આપી. તેમની દેશનાથી પ્રતિબોધ પામીને મૈબહુ હર્ષપૂર્વક દીક્ષા લીધી. દીક્ષા સમયે ગુરુમહારાજે મારું ભાવવિજય એવું નામ રાખ્યું. . ૧3 પર સારી છે
થી અંતરિક્ષ પાર્શ્વનાથ |
Page #16
--------------------------------------------------------------------------
________________
ત્યારપછી ગુરુમહારાજની સાથે મારવાડમાં વિચરતા મેં સૂત્ર વગેરેનો યથારુચિ અભ્યાસ કર્યો. પછી તેથી સંતુષ્ટ થયેલા ગુરુ મહારાજે જોધપુર નગરમાં સંઘસમક્ષ મને ગણિ પદવી આપી. ત્યારપછી પાટણના સંઘની વિજ્ઞમિથી ગુરુમહારાજ વચમાં આબુ(અર્બુદગિરિ)ની યાત્રા કરીને શિષ્યો સાથે ગુજરાતમાં પધાર્યા. રસ્તામાં જતાં ગ્રીષ્મઋતુની ઉષ્ણતાને લીધે મારી આંખોમાં રોગ લાગુ પડ્યો, પણ જેમ તેમ કરીને કષ્ટથી ગુરુમહારાજ સાથે પાટણ પહોંચ્યો. ત્યાંના શ્રીમંત શ્રાવકોએ ઘણા ઘણા ઔષધોપચાર કર્યો, પણ મારી આંખોમાં કશો ફાયદો થયો નહીં. છેવટે મારી આંખો ચાલી ગઈ અને હું અંધ બન્યો.
દીવા વિના ઘરની જેમ નેત્રરહિત થયેલાં મેં એક વખત આ શ્રી વિજયદેવસૂરિને ગયેલી આંખો ફરી પ્રાપ્ત થાય તે માટે ઉપાય પૂછયો. આચાર્ય મહારાજે કૃપા કરીને પૂર્ણ વિધિવિધાન સાથે પદ્માવતી દેવીનો મહાનમંત્ર મને આરાધવા માટે આપ્યો. પછી ચોમાસું પૂર્ણ થયે, એક સાધુને મારી પાસે મૂકીને આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. પછી ગુરુમહારાજે બતાવેલી વિધિપૂર્વક પદ્માવતી મંત્રનું આરાધન કરવાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને વિસ્તારથી નીચે મુજબ મને વૃત્તાંત કહ્યોઃ
હરીવંશમાં ઉત્પન્ન થયેલા તથા કાચબાના લાંછનાવાળા શ્રી મુનિવવ્રતસ્વામી ભગવાનના શાસનમાં રાવણ નામનો મહાબલવાન પ્રતિવાસુદેવ થયો હતો. એક વખત તેણે પોતાના બનેવી ખરદૂષણ રાજાને કોઈક કાર્યાર્થે શીધ્ર મોકલ્યો હતો. પાતાલલંકાના અધિપતિ તે ખરદૂષણ રાજા પણ વિમાનમાં બેસીને પક્ષીની જેમ આકાશમાર્ગે પ્રયાણ કરતો ચાલતાં ચાલતાં અનુક્રમે અનેક નગર, દેશ, વનખંડ તથા પર્વતોને ઓળંગીને ભોજનના અવસરે વિંગોલી દેશમાં આવી પહોંચ્યો. ભોજનનો અવસર થયો હોવાથી ત્યાં ભૂમિ ઉપર ઉતરીને સ્નાન કરીને પૂજાપાત્ર હાથમાં ધારણ કરીને ખરદૂષણ રાજાએ રસોઈઆને જિનચૈત્ય (પ્રતિમા) લાવવા માટે કહ્યું. સાથે જિનપ્રતિમા લાવવાનું ભૂલી ગયો હોવાથી ભયભીત બનેલા રસોઈઆએ હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિન્ન ! ગૃહચૈત્ય (ઘરમંદિર) તો હું પાતાલલંકામાં ભૂલી ગયો છું. આ સાંભળીને તરત જ રાજાએ વાલુ (રેતી) છાણ ભેગાં કરીને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બનાવી. અને નમસ્કાર મહામંત્રથી પ્રતિષ્ઠા કર્યા બાદ પૂજા કરીને આશાતના ન થાય તે માટે પાસેના કૂવામાં મૂર્તિને પધરાવી દીધી. કૂવામાં રહેલા દેવે તે પ્રતિમાને પડતાંની સાથે જ ઝીલી લીધી અને વજ જેવી દઢ મજબૂત કરી દીધી. ખરદૂષણ રાજા પણ ભોજન કરીને ત્યાંથી નીકળ્યો અને રાવણનું કાર્ય કરીને લંકા નગરીમાં પહોંચી ગયો ત્યારપછી ઘણા કાળ સુધી કૂવાના દેવે ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની બહુ ભક્તિપૂર્વક પૂજા કરી.
થી અંતરિક્ષ પાર્શ્વનાથ
દ
કે
Page #17
--------------------------------------------------------------------------
________________
વરાડ દેશના એલચપુર નામના નગરમાં શ્રીપાલ નામે ચંદ્રવંશી રાજા થયો. માતા-પિતાએ તેનું શ્રીપાત્ર નામ પાડ્યું હતું પણ ડ્રહ્ના એટલે પૃથ્વીનું સારી રીતે રાજ્ય કરતો હોવાથી લોકો તેને ફ્લવ કહી સંબોધતા હતા.
એક વખત, પૂર્વજન્મમાં કરેલા પાપના ઉદયથી રાજાના શરીરમાં કોઢનો ભયંકર વ્યાધિ લાગુ પડ્યો અને તેથી રાજાને વારંવાર મૂચ્છ આવતી હતી. વૈદ્યોએ ઘણા ઘણા ઔષધોપચાર કર્યા પણ રાજાને જરા પણ શરીરે શાંતિ થઈ નહીં. વેદનાથી પીડાતો રાજા રોગની શાંતિને માટે એક વખત-નગર બહાર નીકળ્યો. પાણીની તરસથી વ્યાકુલ થયેલો રાજા પાણી માટે આમતેમ ફરતો ફરતો આંબલીના ઝાડ નીચે જેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી તે કૂવા પાસે આવ્યો. તે કૂવાના જલથી હાથપગ-મ્હોં ધોઈને તથા સ્વચ્છ સ્વાદિષ્ટ પાણી પીને રાજા પોતાની છાવણીએ ચાલ્યો ગયો. થાકેલા રાજાને સાંજ પડતાં જ ઊંઘ આવી ગઈ. રોગની પીડાથી આખી રાત માછલાંની જેમ તરફડીને જ પૂરી કરતો હતો, તે રાજા તે રાત્રિએ નિશ્ચિત થઈને ઈચ્છાનુસાર ઊંધ્યો.
સવારમાં ઉઠ્યા પછી રાજાના હાથ, પગ તથા મોં નીરોગી જોઈને રાણીએ રાજાએ પૂછ્યું કે-“સ્વામિ ! ગઈ કાલ તમે ત્યાં હાથ-પગ-મહોં ધોયા હતા કે જેથી તેટલા ભાગ ઉપરથી કોઢ રોગ બિલકુલ નષ્ટ થઈ ગયો દેખાય છે. આજે પણ ત્યાં ચાલો અને સર્વ અંગે સ્નાન કરો કે જેથી સર્વ અંગનો રોગ ચાલ્યો જાય.' રાણીના કહેવાથી પ્રતીતિવાળા રાજાએ ત્યાં જઈ સ્નાન કર્યું અને શરીર તત્કાળ નીરોગી થઈ ગયું. આથી રાજા અને રાણી બંનેને ખૂબ આશ્ચર્ય થયું અને અન્ન-પાણીનો ત્યાગ કરીને દેવની આરાધના કરવા માંડી. “હે કૂવાની અંદરના અધિષ્ઠાયક દેવ ! હે યક્ષદેવ ! તમે જે કોઈ હો તે કૃપા કરી અમને તમારું દર્શન આપો.' આ પ્રમાણે કહીને દેવની આરાધના કરતાં રાજાને ત્રણ દિવસ વીતી ગયા. છેવટે રાજાને દઢ નિર્ણયવાળો જોઈને દેવે પ્રત્યક્ષ આવીને કહ્યુ -
“રાજન ! ખરદૂષણ રાજાએ પધરાવેલી આ કૂવામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે. તેના સ્પર્શથી આનું પાણી મહાપવિત્ર થયેલું છે, તેથી આ પાણીથી સ્નાન કરવાથી તારું શરીર નીરોગી થઈ ગયું છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી શ્વાસ, ખાંસી, તાવ, શૂલ તથા કોઢ વગેરે રોગો અસાધ્ય થઈ ગયા હોય તો પણ નિશ્ચય નાશ પામે છે; નેત્રહીનને નેત્ર પ્રાપ્ત થાય છે, બહેરાને સાંભળવાની શક્તિ પ્રાપ્ત થાય છે, મૂંગો બોલતો થાય, લંગડો-પાંગળો ચાલવા લાગે છે, અપસ્માર રોગવાળાને નવું શરીર પ્રાપ્ત થાય છે, વીર્ય-પરાક્રમહીનને મહાવીર્ય પ્રાપ્ત થાય, ધન જોઈએ તેને ધન મળે છે, સ્ત્રી જોઈએ તેને સ્ત્રી મળે છે, પુત્ર જોઈએ તેને પુત્ર મળે છે, રાજ્ય ગુમાવ્યું હોય તો રાજ્ય મળે છે, પદવી ન હોય તેને ઉત્તમ પદવી મળે છે, વિજય જોઈએ તેને વિજય મળે છે, વિદ્યાહીનને વિદ્યા પ્રાપ્ત થાય છે. ભૂત વેતાલ તથા ડાકણો
ન થી અંતરિક્ષ પાનાથે
Page #18
--------------------------------------------------------------------------
________________
પલાયન થઈ જાય છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી સર્વે દુષ્ટ ગ્રહો શમી જાય છે. %િ વહુના ? બહુ શું વર્ણન કરવું ? હે રાજન ! સર્વ મનોરથોને પૂર્ણ કરનારી આ મૂર્તિ કલિયુગમા સાક્ષાત ચિન્તામણિરત્ન સમાન છે. હું નાગરાજ ધરણેન્દ્રનો સેવક છું અને તેના આદેશથી અહી રહીને ભગવાનની મૂર્તિની ભક્તિથી ઉપાસના કરું છું.
આ પ્રમાણે દેવનું કથન સાંભળીને ભકિતથી ઉલ્લસિત મનવાળા રાજાએ દેવ પાસે પ્રત્યક્ષ ચમત્કાર કરનારી મૂર્તિની માગણી કરી દેવે કહ્યું કે “રાજન ! ધન-ધાન્ય વગેરે તું જે કંઈ માગે તે આપીશ, પણ મૂર્તિ નહીં આપું.' આ પ્રમાણે દેવે ઘણું સમજાવ્યું તો પણ મૂર્તિ જ લેવાની ઈચ્છાવાળા રાજાએ પારણું ન કર્યું. પ્રાણ જાય તો ભલે જાય; પણ મૂર્તિ લીધા વિના પાછો નહીં કરું.” આ પ્રમાણે દઢ નિશ્ચય કરીને બેઠેલા રાજાને ભોજન પાણી લીધા વિના સાત દિવસો વિતી ગયા. તેના તપના પ્રભાવથી ધરણેઢે કહ્યું કે-રાજન ! સાંભળ, સવારે, સવારમાં સ્નાન કરીને સ્વચ્છ થઈને તું અહીં કૂવા પાસે આવજે. પછી નાલ(જવારીના સાંઠા)ની પાલખી બનાવીને સુતરના તાંતણાથી બાંધીને કૂવામાં ઘડાની જેમ ઉતારજે. હું તેમાં મૂર્તિ મૂકી દઈશ. પછી બહાર કાઢીને નાલના(જવારીના સાંઠાના) બનાવેલા રથમાં તું પ્રતિમા મૂકી દેજે અને પછી સાત દિવસના જન્મેલા વાછરડા રથને જોડીને તું આગળ ચાલજે ને રથ તારી પાછળ ચાલ્યો આવશે. તારી જ્યાં આ પ્રતિમા લઈ જવાની ઈચ્છા હોય ત્યાં લઈ જજે પણ પાછું વાળીને જોઈશ નહીં, જે જોઈશ તો પ્રતિમા નહીં આવે. આ પંચમ કાલ હોવાથી અદશ્યપણે મૂર્તિમાં અધિષ્ઠિત રહીને આ પ્રતિમાની ઉપાસના કરનારના મનોરથો હું પૂર્ણ કરીશ.'
આ પ્રમાણે કહીને નાગરાજ ધરણેન્દ્ર ચાલ્યા ગયા પછી સવારમાં રાજાએ ધરણંદ્રના કહ્યા પ્રમાણે બધું કર્યું. કૂવામાંથી પ્રતિમા બહાર કાઢીને રાજાએ નાલના રથમાં મૂકી અને બે વાછરડા રથને જોડીને રાજા આગળ ચાલવા લાગ્યો. કેટલેક દૂર ગયા પછી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે “રથનો અવાજ સંભળાતો નથી, તો શું ભગવાન નથી આવતા ?' આમ શંકાથી રાજાએ પાછું વાળીને જોયું તેથી તરત જ રથ મૂર્તિ નીચેથી આગળ નીકળી ગયો અને મૂર્તિ આકાશમાં સ્થિર થઈ ગઈ. ત્યાં વડના ઝાડ (આ ઝાડ હાલ બગીચામાં છે) નીચે સાત હાથ ઊંચે આકાશમાં અદ્ધર રહેલી ભગવાનની પ્રતિમા જોઈને લોકો “અંતરિક્ષ પાર્શ્વનાથ' કહેવા લાગ્યા.
રસ્તામાં જ પ્રતિમાજી સ્થિર થઈ જવાને લીધે ખિન્ન થયેલા રાજાએ ફરીથી ધરણંદ્રની આરાધના કરી. ધરણેઢે કહ્યું કે આ પ્રતિમા અહીંઆ જ રહેશે તેથી રાજાએ ત્યાં જ એક લાખ મુદ્રા (સિક્કા) ખર્ચીને રંગમંડપથી સુશોભિત વિશાલ ચૈત્ય કરાવ્યું (આ મંદિર પનવીના નામે હાલમાં છે.) સંપૂર્ણ થયેલા મંદિરને જોઈને રાજાએ વિચાર કર્યો કે અહો ! આ મંદિરથી મારું નામ કાયમ થઈ જશે-ચિરકાળ સુધી ચાલશે. રાજાના મનમાં આ જાતનું અભિમાન ઉત્પન્ન થવાથી રાજાએ મંદિરમાં પધરાવવા માટે | થી અંતરિક્ષ પાર્શ્વનાથ નો
કાર ૧૬
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાજીને પ્રાર્થના કરી તો પણ પ્રતિમાજી મંદિરમાં પધાર્યા નહીં. આથી ખિન્ન થયેલા રાજાએ ધરણેદ્રનું સ્મરણ કર્યું પણ રાજાના અભિમાનથી ધરણેન્દ્ર પણ ન આવ્યા તેથી અતિ ખિન્ન ખયેલા રાજાએ મંત્રીએ પૂછ્યું કે-ભગવાન ચૈત્યમાં આવતા નથી માટે શું કરવું ? મંત્રીએ વિચાર કરીને કહ્યું કે – રાજન ! એક ઉપાય છે. સર્વ શાસ્ત્રોમાં વિશારદ, અનેક રાજાઓને માન્ય તથા દેવીની જેમને સહાય છે એવા અભયદેવ નામના આચાર્ય છે. કર્ણ દેવા પરાક્રમી ગુજરાત દેશના કર્ણ (સિદ્ધરાજ જયસિંહના પિતા) રાજાએ તેમને “મહૂકધારી' એવી મહાપદવી આપી છે. ગયા જ વર્ષે આ આચાર્ય ખંભાતના સંઘ સાથે (કુલ્પાકજી તીર્થમાં રહેલા) માણિક્ય દેવની યાત્રા કરવા માટે આ બાજુ પધાર્યા છે. અને હમણાં તેઓ દેવગિરિ (આજનું દૌલતાબાદ) માંબિરાજે છે. જે કોઈ પણ રીતે તેઓ અહીં પધારે તો નક્કી તમારું કામ સિદ્ધ થશે.”
આ પ્રમાણે મંત્રીનું કથન સાંભળીને રાજાએ મંત્રી દ્વારા ગુરુમહારાજની ત્યાં પધરામણી કરાવી. આકાશમાં અદ્ધર રહેલી પ્રતિમા જોઈને આચાર્ય મહારાજને પણ ઘણું આશ્ચર્ય થયું. રાજાના મુખેથી બધી વાત સાંભળીને તેમણે અઠ્ઠમ કરીને ધરણંદ્રનું
સ્મરણ કર્યું. ધરણે આવીને આચાર્ય મહારાજને કહ્યું કે-“આ જિનમંદિર બંધાવીને રાજાએ મનમાં ઘણો મદ (અભિમાન-ગર્વ) કર્યો છે, તેથી રાજાના મંદિરમાં આ મૂર્તિ નહીં પધારે પણ સંઘે બંધાવેલા મંદિરમાં જ પધારશે.” ધરણેન્દ્રનું વચન સાંભળીને આચાર્ય મહારાજે શ્રાવક સંઘને બોલાવીને કહ્યું કે- શ્રાવકો ! તમે અહીં જલ્દી નવું મંદિર બંધાવો. તમે બંધાવેલા મંદિરમાં પ્રતિમા પધારશે. આચાર્ય મહારાજનું વચન સાંભળીને તેમની સાથે આવેલા શ્રદ્ધાળુ અને ભક્તિમાન શ્રાવકોએ મળીને જિનમંદિર બંધાવ્યું.
પછી આચાર્ય મહારાજની સ્તુતિથી અધિષ્ઠાયક દેવે જેમાં સંક્રમણ કરેલું છે એવા (દેવાધિષ્ઠિત) શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાને સર્વજનોના દેખતાં આકાશમાંથી ઉતરીને શ્રાવકોએ બંધાવેલા ચૈત્યમાં સ્વયં પ્રવેશ કર્યો. ત્યાં પણ ભૂમિથી સાત આંગળ ઊંચે અદ્ધર રહેલા ભગવાનની વિ. સં. ૧૧૪ર ના મહા સુદ પંચમી ને રવિવારને દિવસે વિજય મુહૂર્તમાં આચાર્ય મહારાજે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. સાથે ભગવાનની આગળ ડાબે પડખે તીર્થરક્ષા માટે આચાર્ય મહારાજે શાસનદેવની પણ સ્થાપના કરી.
તે વખતે ઈલચરાજાએ ભગવાનના મસ્તક ઉપર અનેક પ્રકારના રત્નોથી સુશોભિત મુગટ ચડાવીને, કાનમાં કુંડલો પહેરાવીને, કપાલમાં હીરાનું તિલક ચડાવીને, અમૃતવર્શી ચક્ષુ સ્થાપન કરીને, કંઠમાં મોતીનો હાર પહેરાવીને, અંગે સોનાની આંગી ચડાવીને, મસ્તક પાછળ ભામંડળ સ્થાપન કરીને, મસ્તક ઉપર શ્વેત છત્ર બાંધીને, સંધવીની માળા પહેરીને તથા ગુરુમહારાજનો વાસક્ષેપ મસ્તક ઉપર નંખાવીને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારી આરતી ઉતારી. પછી જિન-પૂજા માટે રાજાએ ત્યાં એક નગર વસાવ્યું અને શ્રીમાન(પ્રભુ)નો વાસ થયો હોવાથી તેનું શ્રીપુર એવું નામ રાખ્યું. જ્યાંથી ભગવાન [વાળ ખરી
છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
Page #20
--------------------------------------------------------------------------
________________
નીકળ્યા હતા તે કૂવાના પાણીની બધાને ઉપકાર થાય તે માટે રાજાએ ત્યાં કુંડ બંધાવ્યો. રાજાની વિનંતિથી ત્યાં ચાતુર્માસ કરીને પછી ભવ્યજીવોને પ્રતિબોધતા ગુરુમહારાજ માલધારી શ્રી અભયદેવસૂરિજી અન્યત્ર વિહાર કરી ગયાં.
(આ પ્રમાણે અંતરિક્ષણ સંબંધી સર્વ ઈતિહાસ જણાવીને પદ્માવતી દેવીએ ભાવવિજયજી ગણીને કહ્યું કે-) માટે હે ભાવવિજય ! તું પણ તે જ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુજીનો આશ્રય લે કે જેથી તારી ચાલી ગયેલી બંને આંખો તને ફરીથી પ્રાપ્ત થશે.”
| શ્રી ભાવવિજયજી ગણી શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ સ્તોત્રમાં જણાવે છે કે-) આ પ્રમાણે પદ્માવતી દેવીની રાત્રે વાણી સાંભળીને મેં ગુરુભાઈ તથા શ્રાવકોને બધી કહીકત કહી. પછી ત્યાંથી શ્રાવકોનો સંઘ સાથે લઈને અમે વિહાર કરતા અનુક્રમે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં દર્શનાર્થે પહોંચી ગયા.
સંઘમાં આવેલા બધા યાત્રાળુઓને શ્રી અંતરિક્ષાપાર્શ્વનાથ પ્રભુજીના દર્શન થયાં, પરંતુ મંદભાગીઓમાં શિરોમણિ એવા મને (આંખો ચાલી ગઈ હોવાથી) ભગવાનનું દર્શન ન થયું. આથી ખિન્ન થયેલા મેં અન્ન-પાનનો ત્યાગ કરીને પ્રભુજીના દર્શનની ઉત્સુકતાથી વિવિધ પ્રકારની સ્તુતિથી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની (નીચે મુજબ) સ્તુતિ કરવા માંડી.
હે જિનેન્દ્ર ભગવાન ! અપકારીઓ ઉપર પણ ઉપકાર કરનાર, કલિયુગમાં જાગતા દેવ તથા વાંછિત ફળને આપનાર એવા આપને નમસ્કાર હો. હે નાથ ! આપે સ્વાર્થ વિના પણ નાગને (અગ્નિમાંથી બળતો ઉગારીને) નાગરાજ (ધરણેન્દ્ર) કર્યો છે. અને અતિનિષ્ફર તથા વૈર ધરાવનાર કમઠને પણ સમકિત આપ્યું છે. કરુણારસના ભંડાર હે સ્વામી ! આપની ચિરકાલ સુધી સેવા કરનાર આષાઢ ભૂતિકા શ્રાવકને આપે મોક્ષ આપ્યો છે. ભક્તિથી આલિંગન કરતા હાથીને તમે સ્વર્ગમાં પહોંચાડ્યો છે, અને તેથી “કલિકુંડ' નામે તમે જગતમાં પ્રસિદ્ધ થયા છો. નવાંગીવૃત્તિકાર શ્રી અભય દેવસૂરિનો કોઢ રોગ હરીનેરૂ તમે તેમનું સુવર્ણ જેવી કાંતિવાળું શરીર કર્યું છે. પાલનપુરનગરના રાજા પરમારવંશીય પાલણે આપના ચરણકમલની સેવાથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું હતું, ઉદ્દેશી શેઠને ઘેર આપે ઘીની વૃદ્ધિ કરી તેથી હે નાથ ! આપ તકલો(લો)લ' નામથી જગતમાં પ્રસિદ્ધ થયા છો. ફલની વૃદ્ધિ કરવાથી આપ ‘ફલવૃદ્ધિ૬ નામથી પૃથ્વીતલ ઉપર પ્રસિદ્ધ થયા છો. હે નાથ ! આપે એલચપુર નગરના રાજાનો દાહ તેમજ કીડાથી સહિત કુષ્ટ (કોઢ) રોગને દૂર કરીને તેનું સુવર્ણ જેવું શરીર કર્યું છે. કલિયુગમાં પણ અહીં આકાશમાં જ રહેવાની આપની ઈચ્છા હતી, પણ મલધારી (શ્રીઅભયદેવસૂરિજીની સ્તુતિથી સંતુષ્ટ થઈને ચૈત્યમાં આવીને આપ રહ્યા છો. હે અનંતવર્ણ (વર્ણનીય ગુણોથી) યુક્ત નાથ ! આપનું કેટલું વર્ણન કરું? હજાર
Page #21
--------------------------------------------------------------------------
________________
જીભવાળો પણ પાર ન પામે તો હું શી રીતે પામું ? હે નાથ ! આવા આવા ચમત્કાર આપે જગતમાં બતાવ્યા છે, તો શું મારા બે નેત્ર ખોલવા આપને કઠિન છે ? હે નાથ ! હે તાત ! હે સ્વામિ ! હે વાયાકુલનંદન ! હે અશ્વસેન વંશદીપક ! પ્રત્યક્ષ દર્શન આપો. જે માતા-પિતા પુત્રને ઈષ્ટ વસ્તુ નહીં આપે તો બીજું કોણ આપવાનું ? માટે હે તાત ! મને નેત્ર આપો.'
આ પ્રમાણે ઉદગાર કરતાં જ મારી આંખોનાં પડળ તૂટી ગયાં, અને લોકોના ‘જય જય’ નાદની સાથે મેં ત્રણ જગતના નાયક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યો. જેમ મેઘ ચાલ્યા ગયા પછી સર્વે પ્રાણીઓ સૂર્યને સ્પષ્ટ જોઈ શકે છે તેમ ચક્ષુગોચર પદાથોને હું નજર સામે ફરીથી જોવા લાગ્યો. હે નાથ ! આપ લોઢાને સુવર્ણ કરનારા સાચે જ પારસમણિ છો, તેથી આપના પિતાએ આપનું સાચું જ ‘પારસમણિ' નામ રાખ્યું છે. પછી પારણું કરીને મેં હર્ષથી વિકસિત નેત્રે મને દષ્ટિ (આંખો) આપનાર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનાં ફરી ફરીને દર્શન કર્યાં.
પછી રાત્રે સ્વપ્નમાં આવીને મને દેવતાએ કહ્યું કે “હે વત્સ ! અહીં નાનું મંદિર હોવાથી તું મોટું (દીર્ઘ) મંદિર કરાવ.' પછી ઉઠીને સવારે શ્રાવકોને ઉપદેશ કરીને ઘન એકત્ર કરાવીને મંદિર બંધાવવાની શરૂઆત કરાવી. અન્ય સંઘને રજા આપીને થોડા શ્રાવકો સાથે હું ત્યાં રોકાયો અને એક વર્ષમાં નવું મંદિર પૂર્ણ તૈયાર કરાવ્યું. પછી તેમાં વિક્રમ સંવત ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬ ને દિવસે રવિવારે તે નવા મંદિરમાં ઉત્સવપૂર્વક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું સ્થાપન કર્યો, ત્યાં પણ તે શ્રી અંતરિક્ષ ભગવાને ભૂમિનો સ્પર્શ ન કયો ત્યારે સ્તુતિ કરીને મુશ્કેલીથી ભૂમિથી એક આંગળ ઊંચે સ્થાપન કરીને બોધિબીજ સમ્યકત્વને ઉપાર્જન (નિર્મળ) કરીને હું કૃતકૃત્ય થયો,
ત્યાં જ મારા ગુરુશ્રી વિજયદેવસૂરિજીની પાદુકાની ગુરુભક્તિપરાયણ શ્રાવકો પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી ત્યાં કેટલાક દિવસ રહીને દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની ખૂબ ભાવપૂર્વક ભાવના ભાવીને (દર્શન કરીને ભગવાનનાં દર્શન કરવા માટે ફરીથી પાછા આવવાની ઉત્કંઠા સાથે હું ત્યાંથી નીકળ્યો. રસ્તામાં મેં લોકોના ઉપકારને માટે સર્વ ઠેકાણે શ્રીઅંતરિક્ષ ભગવાન (ના માહાભ્ય)ની સૂચના કરી.
આ પ્રમાણે જે કોઈ મનુષ્ય શ્રી અંતરિક્ષ ભગવાનનો આશ્રય લેશે તેના મનોરથોને તે ભગવાન પૂર્ણ કરશે.
ગ્રંથકારની પ્રશસ્તિ શ્રી હીરસૂરિ મહારાજે અકબર બાદશાહ પાસેથી સાત તીર્થ તામ્રપટ લખાવી લઈને યાવચેંદ્રદિવાકર જય મેળવ્યો. તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ થયા કે જેમણે જહાંગીર બાદશાહને પ્રતિબોધીને પ્રતિપદા (પડવો), રવિવાર તથા ગુરુવારના દિવસોમાં જીવદયા પળાવી. તેમના શિષ્ય શ્રીવિજયદેવસૂરિ થયા કે ભવિજનરૂપી વિહત કે શ્રી તિરિક્ષ પાનાથી
Page #22
--------------------------------------------------------------------------
________________
કમળને વિકસિત કરવામાં સૂર્યસમાન જેમણે યવન (મુસલમાન) વગેરે ઘણી જ્ઞાતિઓમાં દયાધર્મ પ્રવર્તાવ્યો હતો. તેમના મોટા શિષ્ય આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિજી થયા કે આચાર્યના ગુણોથી યુક્ત જેમણે તેમની (વિજયદેવસૂરિજીની) પાટ શોભાવી તેમનો (શ્રી વિજયદેવસૂરિનો) જ નાનો શિષ્ય હું ભાવવિજયગણી છું. શ્રી વિજયપ્રભસૂરિજીના રાજ્યમાં મેં આ ગ્રંથની રચના કરી છે. વિક્રમ સંવત ૧૭૧૫ માં ભવ્યજીવોના ઉપકારને માટે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની કૃપારૂપી સ્વચરિત્રની મેં રચના કરી છે.”
સ્તોત્રમાં જણાવેલ શ્રી પાર્શ્વનાથ તીર્થો (૧) આષાડભૂતિ શ્રાવકે ગઈ ચોવીશીમાં નવમા તીર્થકર શ્રી દામોદર ભગવાનના વખમાં તેમના મુખેથી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં પોતાનો ઉદ્ધાર થશે’ એમ જાણીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી હતી. પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં અષાઢી શ્રાવક મોક્ષમાં ગયા છે.
(૨) અંગદેશની ચંપાનગરીમાં કરકંડુ રાજા રાજ્ય કરતો હતો. ચંપાનગરીની પાસે જ કાદંબરી અટવી હતી. તેમાં કલિ નામે એક ડુંગર હતો, તેની નીચે કુંડ નામે સરોવર હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાન વિચરતા વિચરતા કુંડ સરોવરની પાસે કાઉસગ્ગ મુદ્રાથી ઊભા હતા. તે વખતે એક હાથી ત્યાં આવી ચડ્યો ભગવાનને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે ‘પૂર્વભવમાં તે એક વામન (ઠીંગણો) બ્રાહ્મણ હતો. લોકો તેના વામનપણાની ઘણી મશ્કરી કરતા હતા તેથી કંટાળીને તે આપધાત કરવાની તૈયારી કરતો હતો ત્યારે એક શ્રાવકે આવીને તેને અટકાવ્યો અને ધર્મ પમાડ્યો. ત્યાંથી મરતી વખતે મોટા શરીરની પ્રાપ્તિનું નિયાણું કરીને મરવાથી તે મરીને હાથી થયો.” આ જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વજન્મ જાણીને હાથીએ તળાવમાંથી કમળો લાવીને ભગવાનની ખૂબ પૂજા કરી, પાણીથી સિંચન કર્યું અને સૂંઢથી ભેટી પડ્યો, પછી તરત જ અનશન કરીને હાથી મહદ્ધિક વ્યંતરરૂપે ઉત્પન્ન થયો. સવારમાં કરકંડુ રાજાને ખબર પડી અને ત્યાં આવ્યો પણ ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા હતા. રાજાને ઘણો શોક થયો. ધરણેન્દ્રના પ્રભાવથી ત્યાં નવ હાથની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ. રાજાએ મંદિર બંધાવીને તે પ્રતિમાની તેમાં સ્થાપના કરી. (બીજા મતે રાજાએ મૂર્તિ ભરાવીને મંદિર બંધાવીને તેમાં સ્થાપના કરી.) હાથી મરીને મહર્દિક વ્યંતરરૂપે ઉત્પન્ન થયેલા દેવે એ પ્રતિમાનો મહિમા ખૂબ વિસ્તાયો ત્યારથી કલિકુંડ તીર્થ પ્રગટ થયું. (જુઓ, ઉપદેશસસતિ. આત્માનંદ સભા ભાવનગર પ્રકાશિત)
(૩) ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તગડદશાંગ, અનુત્તરોપપાતિકદશાંગ પ્રશ્રવ્યાકરણ અને વિપાકસૂત્ર આ નવ અંગોની ટીકા કરનાર આ શ્રી અભયદેવસૂરિમહારાજ વિક્રમના બારમા સૈકામાં થઈ થી એતરિક્ષ યા ગાય
એક
Page #23
--------------------------------------------------------------------------
________________
ગયા છે. તેમને કોઢનો રોગ લાગુ પડ્યો રોગ અતિશય વધતો જતો હોવાથી આખરે તેમણે અનશન કરવાની ઈચ્છા કરી ત્યારે શાસન દેવીએ આવીને કહ્યું કે-‘સેઢી નદીને સ્થંભનપુર-(ખંભાત)ની પાસે ખાખરાના ઝાડ નીચે સ્થંભનપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે તેનાં દર્શનથી તમારો કોઢ રોગ દૂર થઈ જશે. અને તમે નવ અંગોની ટીકા કરનારા થશો.' આચાર્યશ્રી ત્યાં પધાર્યા અને જયતિહુઅણ સ્તોત્રની રચના કરી તેથી મૂર્તિ પ્રગટ થઈ. કોઢનો રોગ પણ નષ્ટ થયો અને તેમણે ઠાણાંગ વગેરે ઉપર જણાવેલાં નવ અંગો ઉપર ટીકા લખી, સ્થંભનપાર્શ્વનાથનું તીર્થ આજે પણ પ્રસિદ્ધ છે અને તે ખંભાતમાં છે.
(૪) આબુના પરમારવંશી પાલનરાજાએ સોનાની પલવીઆ પાર્શ્વનાથની મૂર્તિ ગળાવી નાંખીને તેના સોનાના પલંગના પાયા કરાવ્યા હતા. આ પાપથી તેને કોઢનો રોગ લાગુ પડ્યો હતો. અને તેનું રાજ્ય ગોત્રીઓએ (ભાયાતોએ) પડાવી લીધું હતું. રાજ્યથી ભ્રષ્ટ થયેલા તેને રખડતાં રખડતાં શીલધવલ આચાર્યનો મેળાપ થયો. આચાર્ય મ.ના ઉપદેશથી સોનાની પાર્શ્વનાથ ભગવાનની નવી પ્રતિમા ભરાવીને પ્રહલાદનપુરપાલનપુર વસાવીને તેમાં સુંદર મંદિર બંધાવીને તે પ્રતિમા પધરાવી પ્રતિમાના પ્રભાવથી કોઢ રોગ પણ ગયો અને ગયેલું રાજ્ય પણ રાજાને પાછું મળ્યું. મુસલમાનોના અત્યાચારોના વખતમાં ભયથી આ સોનાની મૂર્તિ ક્યાંક ભંડારીને તેને સ્થાને પાષાણની મૂર્તિ પધરાવવામાં આવેલી છે અને અત્યારે તે વિદ્યમાન છે.
(૫) કચ્છ દેશ સુથરી ગામમાં આ તીર્થ આવેલું છે. આ ગામમાં વસતા ઉદ્દેશી નામના વણિકે સ્વપ્નમાં દેવના કહેવાથી બહાર મળેલા એક માણસને પોતાનું રોટલાનું પોટલું આપીને બદલામાં તેની પાસેથી પોટલું ખરીદી લીધું. ઘેર આવીને જોયું તો તેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી. શ્રાવક ગરીબ હતો તેથી આ ગામમાં વસતા યતિએ સંઘની મદદથી એક નાની દેહરી બંધાવી, અને તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા વખતે સંઘે સ્વામીવાત્સલ્ય કર્યું. તે વખતે ઘીના કુલ્લામાંથી ઘણું જ ઘી નીકળવા લાગ્યું. ખૂટે જ નહિ. લોકોને બહુ આશ્ચર્ય થયું. કુલ્લામાં હાથ નાંખીને તપાસ કરીને જોયું તો ઉદ્દેશીવાળી મૂર્તિ કુલ્લામાં જ આવીને બેસી ગઈ ગતી. પ્રતિમા કાઢીને મહોત્સવપૂર્વક દેરાસરમાં પધરાવી. ત્યારથી આ તીર્થ ધૃતકલ્લોલપાર્શ્વનાથને નામે પ્રસિદ્ધ છે. ઉદ્દેશી શાહ પણ સુખી થઈ ગયો.
(૬) મારવાડમાં મેડતાસિટી પાસે વેલા લોધી ગામનો ખારસ નામનો એક શ્રાવક ગામ બહાર ગયો હતો. ત્યાં તેને માટીના ઢેફામાંથી પાર્શ્વનાથ ભગવાનની એક પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. ઘેર લાવીને એક ઝુંપડીમાં તેણે એ મૂર્તિને રાખી. દેવે શ્રાવકને કહ્યું કે ‘ભગવાનની પાસે તને રોજ સોનાના ચોખા મળશે. તે સોનાથી મંદિર બંધાવીને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કર પણ આ સોનાના ચોખા મળવાની વાત કોઈને કહીશ
શ્રી અંતરિક્ષ પા
પાર્શ્વનાથ
Page #24
--------------------------------------------------------------------------
________________
નહી.” સોનાના ચોખા મળવા લાગ્યા અને શ્રાવકે મંદિર બંધાવવા માંડ્યું મંદિરનો એક ભાગ બંધાયો તેટલામાં પુત્રના આગ્રહથી શેઠે બધી વાત કહી દીધી તેથી સોનાના ચોખા મળવા બંધ થઈ ગયા. પછી સં. ૧૨૦૪ માં વાદીદેવસૂરિ મહારાજના હાથે પ્રતિષ્ઠા કરવામાં આવી આ પ્રતિમાના અધિષ્ઠાયક પ્રભાવથી પુત્ર અને ઋષિ વગેરે ફલની વૃદ્ધિ થવાથી ફલવર્ધિ પાર્શ્વનાથ નામ પડ્યું છે.
ભિન્ન ભિન્ન સ્થળોના પાર્શ્વનાથ ભગવાનના વૃત્તાંતો જાણવા માટે સારાભાઈ મણિલાલ નવાબે લખેલું પુરિસાદાણી પાર્શ્વનાથજી એ નામનું પુસ્તક જુઓ.
પં. શ્રી ભાવવિજયગણિ કૃત સ્તોત્રનો સાર શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ભાવવિજયજી ગણિએ ઉપર જણાવ્યા મુજબ પદ્માવતીદેવીના કથનરૂપે વર્ણવેલા ઈતિહાસની હવે આપણે વિચારણા કરીએ1પદ્માવતી દેવીના કથનમાં પૂર્વનાં કરતાં અનેક અતિ મહત્વની તેમજ વિશિષ્ટ વાતો છે કે જે બીજ બાહ્ય પ્રમાણો સાથે પણ મળી રહે છે. શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી સોમધર્મ ગણીજીએ રાવણના સેવક તરીકે માલિ અને સુમાલિનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ વસ્તુતઃ આ વાત મેળ ખાતી નથી, કેમકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરપ્રણીત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના 9 મા પર્વના ૧ લા સર્ગમાં જણાવ્યા પ્રમાણે સુમાલિ રાવણના પિતા રત્નશ્રવાનો પણ પિતા એટલે દાદો થતો અને માલિ સુમાલિનો મોટો ભાઈ હતો. એટલે રાવણનો દાદો સુમાલી અને તેનો મોટો ભાઈ માલિ રાવણનો સેવક હોય એ વાત બંધ બેસે જ શી રીતે ? વળી ત્રિશષ્ટિશલાકાપુરૂષચરિત્ર વાંચતાં એમ પણ જણાય છે કે રાવણના જન્મ પહેલાં જ માલીનું મૃત્યુ થઈ ગયેલું હતું એટલે માલી-સુમાલિની વાત સંગત થઈ નથી. જ્યારે પદ્માવતી દેવીએ પાતાળલંકાના સ્વામી અને રાવણના બનેવી તરીખે ખરદૂષણનો કરેલો ઉલ્લેખ બરાબર મળી રહે છે. જો કે ખર અને દૂષણ પરસ્પર બે ભાઈઓ હતા છતાં બંને ભાઈઓની જોડી હોવાને લીધે એકને માટે પણ ખરદૂષણ નામ વાપર્યું હોવામાં વાંધો નથી.) ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના ૭મા પર્વના ર જ સર્ગમાં જણાવ્યા પ્રમાણે રાવણે નરને પોતાની બહેન શૂર્પણખા (અપરનામ ચંદ્રણખા) પરણાવી હતી અને તેને પાતાળલંકા નગરીનો રાજા બનાવ્યો હતો. ભૌગોલિક વર્ણનો જોતાં જણાય છે કે પાતાળલંકા કિષ્કિન્ધાનગરીની પાસે (પ્રાયે ઉત્તરદિશામાં) હાલના મદ્રાસપ્રદેશમાં કોઈક સ્થળે હતી. રાવણની લંકાનગરીની જેમ સિંહલદ્વિપમાં પાતાળલંકા સમજવાની નથી. (જુઓ ત્રિ. શ પુ. પર્વ છે, સર્ગ ૬)
પદ્માવતીના કથનમાં ખરદૂષણ જે પિંગોલિ આવ્યાનો ઉલ્લેખ છે તે ઈગોલિ ગામ અત્યારે પણ વિદ્યમાન છે અને તે વર્તમાનમાં લગભગ વીશ હજાર મનુષ્યોની વસ્તીવાળું મોટું ગામ છે. થિી અંતરિક્ષ પાર્શ્વનાથ ની
છે જ રર
Page #25
--------------------------------------------------------------------------
________________
એલચપુરના એલચ અપરનામ શ્રીપાળ નામના ચંદ્રવંશીય રાજાનો જે ઉલ્લેખ છે. તે પણ મળી રહે છે. એલચપુર શહેર ઉમરાવતીથી વાયવ્યકોણમાં ૩૦ માઈલ દૂર, તેમજ આકોલાથી ઈશાનકોણમાં લગભગ ૫૦ માઈલે તથા અંતરિક્ષજી-શિરપુરથી લગભગ ૯૫ માઈલે આવેલું છે. અત્યારે પણ આ લગભગ ચાલીશ હજાર મનુષ્યની વસ્તુવાળું શહેર છે. ઈતિહાસ એમ કહે છે કે એલિચપુર અંગ્રેજોના હાથમાં આવ્યું લગભગ ત્યાંસુધી સેંકડો વર્ષ સુધી સમગ્ર વરાડ દેશના પાટનગર તરીકે હતું. છેલ્લા હજાર વર્ષનો વરાડનો ઈતિહાસ એલિચપુરથી છૂટો પાડી શકાય તેમ નથી. એટલે અંતિરિક્ષજી-શિરપુર વરાડ દેશનું જ ગામ હોવાને લીધે વરાડનો રાજા એલિચપુરથી નીકળીને શાંતિ મેળવવા માટે ત્યાં ગયો હોય એ સર્વથા બંધબેસતું છે. વળી આ દેશના જૈનેતર ઈતિહાસકારો પણ જૂનાં લખાણો આદિને આધારે જણાવે છે કે ‘‘ઈલરાજા સં.૧૧૧૫માં એલિચપુરની ગાદી ઉપર આવ્યો હતો અને તે ચુસ્ત જૈનધર્મી હતો, તથા તેણે વરાડમાં જૈનધર્મના પ્રચાર માટે ઘણો પ્રયત્ન કર્યો હતો.'' આ ઈલ અને આપણો એલચ એક જ ગણાય છે. અહીંના દિગંબર જૈનો તો અંતરિક્ષજીના સ્થાપક રાજાનું ફ્ક્ત નામ જ જણાવે છે આની સાથે પદ્માવતી દેવીએ સ. ૧૧૧૫માં ગાદીએ આવેલ રાજા સં. ૧૧૪૨માં પ્રતિષ્ઠા કરે એ વાત સર્વથા સંભવિત છે. તવારીખી ઈ અમજદી નામના એક જૂના ફારસીભાષાના ગ્રંથના મુસ્લિમ લેખકે એવી કલ્પના કરી છે કે ‘ ત્ત્ત રાજાના નામ ઉપરથી મેતિપુર્ નામ પડ્યું છે.' શ શબ્દનો અર્થ રાજા થાય છે. (ફ્ત+શ) ફ્લેશ એટલે ‘ઈલ રાજા’. અને ફતેપુર ઉપરથી કાળક્રમે ઘસાઈને એતિપુર્ થયું હોય એમ સ્થાનિક લોકોની સંભાવના છે. પરંતુ સંશોધન કરીને હમણાં નિર્ણિત કર્યું છે કે ‘એલિચપુરનું મૂળ નામ અલચપુર જ હતું. અલચપુરના કાળક્રમે अलचपुर વગેરે અપભ્રંશો થઈને હમણાં એલિચપુર બોલાય છે. આ અલચપુરની ગાદીએ इल રાજા સં. ૧૧૧૫માં આવ્યો હતો.' વિદર્ભ (વરાડ)માં વસતા ક્ષત્રિય રાજાઓ ભોજકુળના હતા અને તેથી ચંદ્રવંશીય જ હતા એમ પણ ઈતિહાસકારો જણાવે છે. એટલે સરવાળે ભાવવિજય ગણીએ જણાવેલી બધી વાતો મળી રહે છે.
પદ્માવતીદેવીએ ભાવવિજયજી ગણીને જે જણાવ્યું છે કે ‘શ્રીપાળરાજા અંતરિક્ષપાર્શ્વનાથભગવાનને ગાડામાં સ્થાપીને લઈને આવતાં વડના ઝાડ નીચે આવ્યો. ત્યાં પાછું વાળીને જોવાથી પ્રતિમા આકાશમાં અદ્ધર થઈ ગઈ. રાજાએ તે પ્રતિમા પધરાવવા સુંદર મંદિર બંધાવ્યું, પરંતુ ‘આ પ્રતિમા સ્થાપવાથી આ જિનાલય સાથે મારું નામ પણ બરાબર મળી રહે છે. અંતરિક્ષજી શિરપુર ગામની પાસે જ બહાર એક બગીચો છે કે જે આપણા જૈનમંદિરના જ તાબામાં છે.
તેમાં એક કલાપૂર્ણ અને વિશાળ સુંદર જિનમંદિર છે. અને તેની નજીકમાં
વારિસ પ્રાથ
Page #26
--------------------------------------------------------------------------
________________
જ એક વડનું ઊંચું ઝાડ છે. શિરપુરના લોકો કહે છે કે ‘આ ઝાડ નીચે પ્રતિમાજી અદ્ધર રહી ગયાં હતાં અને આ મંદિર પ્રતિમાજી પધરાવવા માટે જ રાજાએ બાંધ્યું હતું, પણ રાજાના અભિમાનથી ભગવાન ન પધારવાને લીધે અત્યારે ખાલી છે.' આ વાત બીજી રીતે જોતાં પણ સારી રીતે મળી રહે છે. કેટલાક યુરોપિયન અધિકારીઓએ વરાડમાં બધે પ્રવાસ કરી જાતે જોઈને, વરાડના શિલ્પ સ્થાપત્યો વિષે લખ્યું છે, તેમજ વરાડના ઈતિહાસકારોએ પણ વરાડનાં શિલ્પકામો વિષે લખ્યું છે. તેમણે વરાડ દેશનાં સુંદરતમ અને પ્રાચીનતમ શિલ્પસ્થાપત્યોમાં શિરપુર ગામની બહાર બગીચામાં આવેલા ઉપર જણાવેલા આપણા જૈન મંદિરને પણ વર્ણવ્યું છે. સાથેસાથે તેમની શિલ્પશાસ્ત્રના ઐતિહાસકિ અભ્યાસને આધારેએ પણ કલ્પના છે કે ‘શિરપુરનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું હોવું જોઈએ.' પદ્માવતી દેવીના કથન પ્રમાણે સં. ૧૧૪૨ માં રાજાએ આ મંદિર બંધાવ્યું છે. તે જોતાં શિલ્પશાસ્ત્રીઓનું સ્વતંત્ર અનુમાન અને પદ્માવતી દેવીનું કથન બંને પરસ્પર મળી રહે છે. ઘણાખરા યાત્રાળુઓને આ બહારના મંદિરની ખબર જ હોતી નથી, તેથી અત્યારે જ્યાં અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે ત્યા જ દર્શન કરીને પાછા ફરે છે, પરંતુ પ્રત્યેક યાત્રાળુએ બહાર બગીચામાં આવેલા મંદિરને જોવા જવા જેવું છે.
પદ્માવતીદેવીએ જે જણાવ્યું છે કે-ગુજરાતદેશના કર્ણરાજાએ જેમને ‘મલધારી’ બિરુદ આપ્યું હતું અને દેવીની જેમને સહાય છે એવા સર્વશાસ્ત્રવિશારદ શ્રી અભયદેવસૂરિ કે જેઓ ખંભાતથી સંઘ લઈને ફુલપાકજીતીર્થના માણિકયદેવની યાત્રા કરવા માટે નીકળ્યા હતા અને દેવગિરિ (દોલતાબાદ)માં આવ્યા હતા. તેમની પાસે મંત્રી મોકલીને વિનંતિ કરીને રાજાએ શિરપુરમાં તેમને પધરાવ્યા હતા. અને તેમના (મંત્રાદિ) પ્રભાવથી પ્રતિમાએ આકાશમાંથી ઉતરીને પોતાની મેળે ચાલીને સંઘે બંધાવેલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો' આ વાત પણ સંગત થાય છે. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, અનુયોગદ્વારાસૂત્રવૃત્તિ આદિ ગ્રંથોના કર્તા, તથાસિદ્ધરાજ જયસિંહની રાજસભામાં (અણહિલપુર પાટણ) પણ જે મહાવિદ્વાન તરીકે ગણાતા હતા તે સુપ્રસિદ્ધ આચાર્યપ્રવરશ્રી મલધારી હેમચંદ્રસૂરીશ્વરજીનાં મલધારી શ્રી અભયદેવ સૂરિજી ગુરુ થતા હતા મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા આદિ ગ્રંથોની જૈનપરંપરામાં એક સરખી પ્રશંસા થતી આવી છે. તેમણે એ ગ્રંથોની પ્રશસ્તિઓમાં તેમના ગુરુશ્રી અભયદેવસૂરિજીનું જે વર્ણન કર્યું છે, તથા કેટલાક સમય પછી થયેલા મલધારી શ્રી રાજશેખરસૂરિજીએ (સં. ૧૭૮૭માં) રચેલી પ્રાકૃત દ્વયાશ્રયવૃતિમાં તથા અન્ય ગ્રંથોમાં જે વર્ણન જોવામાં આવે છે તે જોતાં શ્રી અભયદેવસૂરીજીની મહાન શાસન પ્રભાવકતાનો ખ્યાલ સહેજે આવી શકે તેમ છે. ગુજરાતના કર્ણરાજાએ તેમનો તીવ્ર મલપરિષહ જોઈને ‘મલધારી’ બિરુદ આપ્યાની વાત ઘણાયે પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલી છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
Page #27
--------------------------------------------------------------------------
________________
श्रीगुर्जरेश्वरो दष्ट्रवा तीव्रं मलपरीषहम् । श्रीकर्णो बिरुदं यस्य मलधारी न्यघोषयत् ॥ આ કર્ણરાજા સિદ્ધરાજ જયસિંહનો પિતા થતો હતો. એટલે વિક્રમની બારમી સદીના લગભગ પૂર્વાર્ધની આ બધી વાત છે. એટલે સં. ૧૧૪૨ માં મલધારી અભયદેવસૂરિના હાથે પ્રતિષ્ટા કરાવ્યાની વાત સમયની દૃષ્ટિએ જોતા સંપૂર્ણ મેળ ખાય છે. પદ્માવતીદેવીએ વિક્રમ સંવત ૧૧૪૨ ના મહા સુદ ૫ ને રવિવારના દિવસે અંતરિક્ષજીની અભયદેવસૂરિ મહારાજને હાથે પ્રતિષ્ઠા કર્યાનું જણાવ્યું છે. ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ તે દિવસે બરાબર રવિવાર આવે છે.
‘અભયદેવસૂરિ મહારાજે ભગવાનના ડાબે હાથે અધિષ્ઠાયક શાસનદેવતાની સ્થાપના કર્યાની’ જે વાત પદ્માવતીદેવીએ જણાવી છે તે પણ સંગત થાય છે. અત્યારે જ્યાંશ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે તે જ મંદિરમાં એક બીજું પણ નાનું ભોંયરુ છે. તેમાં એક ઓટલા જેવી ઊંચી બેઠક છે તેના ઉપર ભગવાન પહેલાં વિરાજમાન હતા એમ માનવામાં આવે છે. આ બેઠકની બરાબર ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના છે કે જે માણિભદ્ર નામથી ઓળખાય છે. આના ઉપર અત્યારે સિંદૂર ચડેલું છે એટલે મૂલસ્થાને ભગવાન વિરાજમાન હતા ત્યારે ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના હતી તે વખતે ભગવાન પશ્ચિમાભિમુખ હશે. આ બેઠક ઉપર પણ માણિભદ્ર નામે ઓળખાતા અધિષ્ઠાયક દેવની બીજી સ્થાપના છે કે જે ભગવાનને ત્યાંથી ફેરવ્યા પછી કરવામાં આવી હશે. અત્યારે નવા સ્થાને ભગવાન પૂર્વાભિમુખ છે.
મૂલ મંદિર નાનું હોવાથી દેવની સૂચનાથી ભાવવિજયજીએ ઉપદેશ કરી શ્રાવકો પાસે નવું મંદિર બંધાવ્યાની વાત પણ બરાબર છે, કારણ કે જ્યાં પહેલાં પ્રતિમા વિરાજમાન હતી અને જેનો ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ભોયરું. (માણિભદ્રજીવાળું) એટલું બધું નાનું છે કે મુશ્કેલીથી તેમાં દશ માણસો ઊભા રહી શકે. આ બંને નાનાં મોટાં મંદિર વસ્તુતઃ એક જ મંદિરનાં બે ભોયરાં છે અને એક ભોયરામાંથી બીજા ભોંયરામાં જઈ શકાય છે.
ભાવવિજયજી ગણીએ નવા નંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે ભગવાન એક આંગળ અદ્ધર રહ્યા આ વાત પણ બરાબર છે. અત્યારે ભગવાન એક આંગળ જેટલા બરાબર અદ્ધર છે જ.
ભાવવિજયજી ગણિએ પૂર્વાભિમુખ ભગવાનની સ્થાપના કરી એ પણ બરાબર જ છે. અત્યારે પૂર્વાભિમુખ જ વિરાજે છે. ભાવવિજયજી ગણિએ તેમના ગુરુ વિજયદેવસૂરિના જે પગલાંની સ્થાપના કરી હતી તે પગલાં માણિભદ્રજીવાળા ભોયરામાં અત્યારે પણ વિદ્યમાન છે જ.
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવવિજયજી ગણિને જેમની ઉપાસના-સ્તુતિ-ભક્તિ કરતાં ચાલી ગયેલી આંખો પણ પ્રાપ્ત થઈત શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનો અપૂર્વ અને અદભૂત મહિમા આજે પણ એટલો જ તેજસ્વી અને જાગતો છે.
આ રીતે અનેકાનેક વાતો મળી રહેતી હોવાથી શ્રી ભાવવિજયજીગણિએ રચેલું સ્તોત્ર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના ઈતિહાસમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે
ભાવવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ૫૦ કડીનું એક “શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથસ્તોત્ર' રચ્યું છે. આમાં ભગવાનની સ્તુતિ અને મહિમાનું વર્ણન છે. ઐતિહાસિક દષ્ટિએ વિશિષ્ટ કંઈ નોંધવા જેવું નથી.
|
તીર્થમાલા આ પછી શ્રીશિવવિજયજીના શિષ્ય મુતિ શ્રી શીતવિજયજીએ સં. ૧૭૪૬ માં રચેલી તીર્થમાળાનું સ્થાન આવે છે. આ મુનિરાજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ એમ ચારે દિશાઓમાં ખૂબ ખૂબ દૂર સુધી વિહાર કરીને તીર્થમાળા બનાવી છે. સં. ૧૭૨૧ થી ૧૭૩૮ સુધી દક્ષિણ દેશમાં વિચારીને તીર્થયાત્રા કર્યાનું તેઓએ લખ્યું છે. તેઓ નર્મદા નદી ઓળંગીને દક્ષિણ દેશમાં આવીને માંધાતા, ખંડવા, બુરાનપુર | (ખાનદેશ) તથા મલકાપુર થઈને દેવળઘાટ ચડીને વરાડમાં દાખલ થયા હતા અને
અંતરિક્ષની યાત્રા કરી હતી. તીર્થમાળાની ત્રીજી ઢાળની ૧૪મીથી ૧૯ મી સુધીની ૬ કડીઓમાં તેમણે અંતરિક્ષનો બહુ સંક્ષિપ્ત ઈતિહાસ વર્ણવ્યો છે તેમાં રાવણના બનેવી ખરદૂષણનું અને એલગરાયનું નામ છે તેમજ પહેલાં પ્રતિમા નીચેથી ઘોડેસ્વાર જતો હતો પણ અત્યારે દોરા જેટલું અંતર છે એમ જણાવ્યું છે. બીજું કંઈ વિશિષ્ટ
નથી.
આ પછી લલિતચંદજીના શિષ્ય વિનયરાજે સં. ૧૭૩૮ માં રચેલું એક અંતરિક્ષજીનું સ્વવન છે તેમાં પણ ખરદૂષણ અને એલિચપુરના એલિચરાજાનું સંક્ષિપ્ત કથાનક જ છે. ઐતિહાસિક દર્યો વિશિષ્ટ કંઈ નથી.
શ્રી જિનચંદ્રસૂરિકૃત સ્તવન આ પછી સિદ્ધપુર (ગુજરાત) થી સંઘ લઈને આવેલા શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીએ સં. ૧૮૫૫ નાં ફાગણ વદ ૧૫ ને દિવસે બનાવેલું ૯ કડીનું ગુજરાતી સ્તવન મળે છે. તેમાં અંતરિક્ષનું સંક્ષિપ્ત કથાનક છે. વિશિષ્ટ કંઈ નથી. અંતરિક્ષ ભગવાનનો માત્ર નામોલ્લેખ તો ઘણાયે આપણા પ્રાચીન-અર્વાચીન લખાણોમાં છે કે જે પછી આપવામાં આવશે.
કરી એતરિક્ષ પાસ્થળ
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનેતર સાહિત્યમાં મળતો ઉલ્લેખ આ તો જૈન સાહિત્યમાં મળતા ઉલ્લેખોની વાત થઈ, પરંતુ ઘણા જ આનંદની વાત છે કે જૈનેતર સાહિત્યમાં પણ આજથી લગભગ ૬૪૦ વર્ષ પહેલાંનો શ્રીપુરના અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ઉલ્લેખ મળી આવે છે. મહારાષ્ટ્ર અને વરાડ (વિદર્ભ) માં “મહાનુભાવ પંથનામનો એક હિંદુ સંપ્રદાય ચાલે છે. આ સંપ્રદાયનું પ્રાય: તમામ સાહિત્ય પ્રાચીન મરાઠી ભાષામાં જ રચાયેલું છે. પ્રાચીન ગુજરાતી ભાષાના સાહિત્યનો ખજાનો જેમ ગુજરાતના જૈનો પાસે જ છે તેમ પ્રાચીન મરાઠી સાહિત્યનો ખજાનો મહાનુભાવપંથમાં જ છે. વિક્રમની ચૌદમી સદીમાં થયેલા આ સંપ્રદાયના ધર્મગુરુઓનો એક સંવાદ યવતમાલ (વરાડ) ની “સરસ્વતીપ્રકાશન” નામની સંસ્થા તરફથી ઈસ્વીસન ૧૯૩૯ માં પ્રકાશિત થયેલા મહાનુભાવપંથના મૃતિસ્થત નામના ગ્રંથમાં વૃદ્ધાવાર નામના વિભાગમાં ૧૬ મી કંડિકા (પેરેગ્રાફ)માં છપાયેલો છે. તેમાં નીચે મુજબ ઉલ્લેખ છે.
कवीश्वरां हरगर्व भटा उग्द्रहणिकें कवीश्वरीं आनोबास
પ્રાશ -- हरगर्व ते विद्वांस. ओक म्हणति राक्षसभुवनिचे ओक दिस ते कविस्वरासि भेटले थोरि उघानि केली, परि बोधभेद अवभेद नॉच ते वाराणसि जात होतें हरगवींदम्हणितलेंआतांचि येवेळे चर्चा असों देवो. मग मागुतें तुमचे दर्शन घेऊन कवीस्वरबासी म्हणितलें'हो का जाल तरि पारिसनाथाचेया श्रीपुरावरुनि जा तेथ आमुचे गुरुभाउ आनोबा असति, तयांसि भेटावे मग सामोरे जावें' तेव्हेळि ते श्रीपुरासि आले. आनोबासी भेंट जाली. | Bદ્દા (સ્મૃતિ થઇ. વૃદ્ધાવા. પૃ.૨૬)
કવીશ્વર અને હરગર્વ ભટના વાદવિવાદમાં કવીશ્વરે આનોબાને પ્રકાશિત કર્યા. હરગર્વ વિદ્વાન હતા કેટલાક કહે છે કે તે રાક્ષસભવનના વતની હતા. એક દિવસ તે કવીશ્વરને મળ્યા. થોડી ચર્ચા ચઈ, પરંતુ (કવીશ્વર વ્યાસની) વાત (હરગર્વના) ગળે ન ઉતરી. તે (હરગર્વ) વારાણસી-કાશી જતા હતા. હરગર્વે કહ્યું કે-“અત્યારે અત્યારની ચર્ચા કરવા દો. કાશીથી આવીને પછી તમને મળીશ.” કવીશ્વર વ્યાસે કહ્યું કે- “ઠીક. પણ જાઓ તો પારસનાથના શ્રીપુર ઉપર થઈને જજો. ત્યાં અમારા ગુરભાઈ આનોબા છે તેમને મળજો અને પછી આગળ જજો.' પછી તે (હરગર્વ પંડિત) શ્રીપુર (શિરપુર) આવ્યા. આનોબાને મળ્યા.”
આ પછી વૃદ્દાચારના ૧૬ મા પેરેગ્રાફના બાકીના ભાગમાં આનોબા અને ગરગર્વ પંડિતનો વાદ થવાનું, આનોબાની યુક્તિઓ હરગર્વને ગળે ઉતર્યાનું, કાશી જવાનું બંધ રાખી ને હરગર્વ અને આનોબા આખીમાં કવીશ્વર વ્યાસ પાસે ગયાનું તેમજ
Page #30
--------------------------------------------------------------------------
________________
ત્યાં જઈને હરગર્વ આનોબાને શિષ્ય થવાનું વર્ણન છે. મહાનુભાવો પંથના સાહિત્યમાં મળતા બીજા અનેક ઉલ્લેખો ઉપરથી સિદ્ધ થાય કે આનોબા અને હરગર્વ (ઉર્ફ હયગ્રીવ, હિરણ્યગર્ભ, હરબા,) વિક્રમની ચૌદમી સદીમાં વિદ્યમાન હતા અને હરગર્વ ભટે વિક્રમ સં. ૧૩૬૬ માં આનોબા (ઉર્ફે ગોપાળપંડિત)નું શિષ્યપણું સ્વીકાર્યું હતું એટલે ઉપર જણાવેલો વાર્તાલાપનો પ્રસંગ વિ. સ. ૧૩૬૬ માં બન્યો હતો - જૈનેતર સાહિત્યમાં આ પ્રાચીન ઉલ્લેખનું મહત્ત્વ એ દષ્ટિએ છે કે-આ તીર્થની અને આ મૂર્તિના પ્રભાવની પ્રસિદ્ધિ માત્ર જૈનોમાં જ નહીં પણ જૈનેતરોમાં પણ સેંકડો વર્ષો પહેલાં પ્રસરેલી હતી. શિરપુરથી સેંકડો માઈલ દૂર વસતા જૈનેતરોમાં પણ ગામ પાર્શ્વનાથના શિરપુર' તરીકે ઓળખાતું હશે.
ત્યારે આ મૂર્તિનો ચમત્કાર તથા પ્રભાવ કેટલો બધો વિખ્યાત હશે એની કલ્પના સ્વયં જ કરી લેવા જેવી છે. એક નાનું તણખલું પણ અદ્ધર રહી શકતું નથી, ત્યારે ફણા સુધી ૪૦ ઈંચ ઊંચી મૂર્તિ બીલકુલ અદ્ધર રહે એ ભલભલાને પણ નવાઈ ઉપજાવે એમાં શું આશ્ચર્ય છે. ?
અર્ધ પદ્માસનાવસ્થ મૂર્તિ - આ પુસ્તકના પ્રથમ ભાગમાં છપાયેલા શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના ફોટામાં વાચકોએ જોયું જ હશે કે આ મૂર્તિ અર્ધ પદ્માસનાવસ્થ છે. ડાબા પગ ઉપર જમણો પગ છે. આવી અર્ધપદ્માસનાવસ્થ મૂર્તિ ડભોઈમાં શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનની તથા ભાદક (જિલ્લા ચાંદા, તાલુકા-વરોરા, મધ્યપ્રદેશ) તીર્થમાં વિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની (ઊંચાઈ મસ્તક સુધી ૫૦ ઈંચ, ફણા સુધી ૬૦ ઈચ) અમારા જોવામાં આવી છે. કુલ્પાક તીર્થમાં પણ અર્ધપદ્માસનાવસ્થ મૂર્તિઓ બિરાજે છે.
વાળની પ્રતિમા એક વાત ધ્યાનમાં રહે કે આ પ્રતિમા વાળુની કિંવા છાણવાળુની બનાવેલી છે, અને તેથી શ્વેતાંબરો અવારનવાર લેપ પણ કરાવે છે પરંતુ આ તીર્થના વહીવટ અને માલિકીના દિગંબર-શ્વેતાંબર વચ્ચે ચાલેલા ઝઘડા વખતે દિગંબરોએ કોર્ટમાં એ જાતની રજુઆત કરી હતી કે આ મૂર્તિ પાષણની જ છે. ત્યારે આકોલા કોર્ટમાં કેસનો ચુકાદો આપનાર એડિશનલ જજ શ્રી આર. વી. પરાંજપેએ (તારીખ ૧૮-૩-૧૯૧૭) અંતરીક્ષજી જઈને જાતે તપાસ કરી હતી. તેમણે પણ ત્યાં લેપ ઉખડી ગયો હતો તે ભાગ ઉપર હાથ તેમજ નખ ફેરવતાં રેતી ખરવાથી આ મૂર્તિ રેતી મિશ્રિત વસ્તુની બનેલી છે એવો જ અભિપ્રાય આપ્યો છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
Inspection note by the Additional District Judge
""After carefully examining the body on the parts thus scraped to ascertain the kind of material out of which the idol was made orginally, I came to the conclusion that this idol could not have been orginally made of stone, but of some sand-mixed material. For this inquiry, I repeatedly moved my hand and even scraped the surface at those places with my nails and my opinion was confirmed. Thus the necessity of plaster for this idol is obvious." 27-3-1938. R. V. Paranjpe, Addtional District judge, Akola
[R. P. P C. 1, પાનું ૨૪૧] (આ મૂર્તિ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવી છે એ જાણી લેવા માટે મેં મૂર્તિના અંગ ઉપર કાળજીપૂર્વક હાથ ફેરવી જ્યાં મૂર્તિને ખરડી કાઢવામાં આવી હતી ત્યાં નખથી પણ ખોતરી જોયું તેથી મારી ખાત્રી થઈ છે કે, આ મૂર્તિ પત્થરમાંથી ઘડાયેલી નથી. પણ રેતીમાં બીજો કોઈ પદાર્થ મેળવીને બનાવવામાં આવી છે. એ ચોક્કસ ઠરાવવા માટે મેં નખવડે વારંવાર મૂર્તિ ઉપર ઘસી જોયું હતુ. આ મૂર્તિ ઉપર લેપ કરવાની ખાસ જરૂર છે એવી મારી ખાત્રી થઈ છે.
ઉપરના અનેક ઉલ્લેખોથી સિદ્ધ થાય છે કે આ તીર્થમાં સેકડો વર્ષોથી શ્વેતાંબર મુનિઓનું યાત્રાર્થે આગમન ચાલુ જ છે તેમજ શ્રાવકોનું પણ આગમન ચાલુ જ છે. છેલ્લા ભાવવિજયજી ગણિના સ્તોત્રથી પણ બીલકુલ સ્પષ્ટ છે કે- આ મંદિર શ્વેતામ્બરોએ જ બંધાવ્યું છે, તેમજ પ્રતિષ્ઠા આદિ પણ શ્વેતાંબરોના હાથે જ થયું છે. શ્વેતાંબરોની માલિકી સિવાય આ વાત કદાપિ ન જ બની શકે.
આકોલા કોર્ટના ન્યાયાધીશ R. V. Paranjpe એ બીજા અનેક પુરાવા સાથે શાસ્ત્રીય પ્રમાણોને પણ ધ્યાનમાં લઈને જજમેન્ટમાં આ મૂર્તિને શ્વેતાંબરી જ ઠરાવી છે. જુઓ -
Thus all this printed matter which originated from the Shwetambar writers show that the idol was a Shwetambar one and not Digambar.
આ તીર્થમાં પૂજા વગેર કરવા માટે જૂના વખતમાં આપણા લોકોએ શિરપુરગામમાં વસતા મરાઠાઓને પૂજારી તરીકે રાખ્યા હતા કે જે પોલકરોને નામે ઓળખાય છે. મંદિરમાં જુના વખતથી પેઢી પણ રહેતી હતી અને ચોપડા તથા આંગી, ચ, ટીકા વગેરે આભૂષણો પણ રહેતાં હતાં, વિ. સ. ૧૮૪૫ થી માંડીને તે પછીના કાળના હિસાબી ચોપડાઓ પણ મળે છે. ત્યાં શિરપુરગામમાં આપણી વસ્તી ન હોવાને લીધે નજીકમાં જ વરાડમાં રહેતા તથા ખાનદેશમાં રહેતા શ્રાવકો તે તે સમયે અવારનવાર અહીં આવતા જતા હતા અને દેખરેખ રાખતા હતા. હિસાબ વગેરે તપાસી લેતા હતા. તેમાં બાલાપુર(વરાડ)ના શા. પાનાચંદ નથુસા તેમના પુત્ર શા હૌશીલાલ
Page #32
--------------------------------------------------------------------------
________________
પાનાચંદ, શા. હૌશીલાલ વલ્લભદાસ, તેમના ચિરંજીવ શા. પુંજાસા હૌશીલાલ તથા તેમના ચિરંજીવ શા. કિસનચંદ પુંજાસા તથા ખાનદેશમાં અમલનેરના શા. હીરાચંદ ખેમચંદ રઘુનાથદાસ, ધુલીયાના શા. રખારામ દુલ્લભદાસ તથા યેવલાના શા. લાલચંદ અંબાઈદાસ અને શા. કલ્યાણચંદ લાલચંદ વગેરે શ્રાવકો મુખ્યતયા તે તે સમયે વહીવટ સંભાળતા હતા.
પોલકરોનાં સમયમાં પણ ઉપર મંદિરના ચોકમાં વિરાજમાન ધ્વજદંડ કે જે ચાંદીના પતરાંથી મઢેલો છે તેના ઉપર પણ શ્વેતાંબરનું નામ કોતરેલું છે તે ધ્યાન ખેચનારું છે
संस्थान शिरपुर अंतरिक्ष महाराज बापुसा नागोसा सावजी साकळे ओसवाल सिंतबरी हस्ते पद्या बा, दुकान कलमनूरी, सन १२८९ मिती चैत्र शुद्ध १०
કલમનૂરી ગામ અંતરિક્ષથી દક્ષિણે લગભગ ૫૦ માઈલ દૂર નિજામ રાજ્યમાં આવેલું છે. અત્યારે ત્યાં શ્વેતાંબરોની વસ્તી પણ છે જ. વિગોલીથી ૨૦ માઈલ પૂર્વ દિશામાં છે. નિજામના મુસ્લિમ રાજ્યમાં ફસલી સન ચાલતો હોવાથી સન ૧ર૮૯ એટલે વિક્રમ સવંત ૧૯૩૫ સમજવાનો છે.
પરંતુ જેમને પૂજારી તરીકે નીમવામાં આવ્યા હતા, અને બ્રિટિશ સરકારે વરાડનો કજ્જો લીધો તે પહેલાં હૈદ્રાબાદના મુસ્લિમ રાજ્યકર્તા નિજામનાં રાજ્યકાળમાં ચારેબાજુ અંધાધુધીના વખતમાં તીર્થનું રક્ષણ કરતા હતા તે મરાઠા પોલકરો જ પાછળથી તીર્થને દબાવી બેઠા હતા. ગામમાં દિગંબર શ્રાવકોનાં પચાસ-પોણોસો ઘર છે, પણ તેમનો તો ત્યાં કઈ અધિકાર જ ન હતો, પણ તે દૂર વસતા હોવાથી અને જવા આવવાના સાધનો જૂના જમાનામાં બહુ મર્યાદિત હોવાથી પોલકરો ધીમે ધીમે ઉદ્ધત થઈ ગયા હતા, કોઈને દાદ દેતા ન હતાં, અને તીર્થ પોતાની જ માલિકીનું હોય તેમ માની લઈને વર્તતા હતા. આથી તેમના હાથમાંથી તીર્થ છોડાવવા માટે શ્વેતાંબરોએ દિગંબરોનો સહકાર સાધીને વાસિકની કોર્ટમાં પોલકરો સામે ફોજદારી કેસ દાખલ કર્યો. વિ. સ. ૧૯૫૯ (ઈસ્વીસન ૧૦-૯-૧૯૯૩) માં તેનો ચુકાદો આવ્યો અને તીર્થ જૈનોના તાબામાં આવ્યું. આ બધા કાર્યમાં આગેવાનીભર્યો ભાગ શ્વેતાંબરોએ ભજવ્યો છે. આકોલા કોર્ટના ન્યાયાધીશે પણ અનેક પુરાવાઓથી સિદ્ધ કરીને, “શ્વેતાંબરો જ વહીવટ કરતાં હતાં, દિગંબરોનો કશો અધિકાર ન હતો એવો જ અભિપ્રાય ચુકાદા (જજમેન્ટ)માં આપ્યો છે. જુઓ
The wholw evidence therefor clearly proves that the Shwetambaris managed the affairs of the Sansthan (સંસ્થાન=પેઢી) Practically all alone till Samvat 1956 (Had 984€) as alleged by them uninter ruptedly and that before that period the Digambaris have hardly any hand in the management (R. P. P. C. I
Page #33
--------------------------------------------------------------------------
________________
પોલકરો સાથે છેવટે એ જાતનું સમાધાન કરવામાં આવ્યું કે તેમના તરફથી ચાર માણસો મંદિરમાં ઝાડઝુડ, સફાઈ, પાણી લાવવું વગેરે કામ કરે અને બદલામાં આપણા તરફથી તેમને ૨૬૧ રૂપીઆ પ્રતિવર્ષ આપવામાં આવે. ભગવાન પાસે જે કંઈ ફળ-નૈવેદ્ય-અક્ષત ધરાવવામાં આવે તે પણ તેમને મળે તેમ જ ભગવાન પાસે ૧ થી ૧૦ રૂપીઆ સુધી મૂકવામાં આવે તે પણ તેમને (પોલકરોને) જ મળે. ૧૦ રૂપીઆથી વધારે મૂકવામાં આવે તે પેઢીમાં જમા થાય.'
આથી પ્રત્યેક યાત્રાળુઓએ ભગવાનની પાસે નાણું ન ધરતાં પેઢીમાં ભરાવવું એ જ ઈચ્છનીય છે એ વાતનો ખ્યાલ રાખવો.
શ્વેતાંબર અને દિગંબરોએ સંયુક્ત થઈને તીર્થને પોલકરોના તાબામાંથી છોડાવ્યું. પછી દિગંબરોની પૂજાવિધિ બહૂ જુદી હોવાને લીધે પરસ્પર ઘર્ષણ-અથડામણ ન થાય તે માટે બંને પક્ષના લગભગ હજારેક જૈનોની એક મીટિંગ વિ. સ. ૧૯૬૧ (ઈસ્વીસન-૧૯૦૫)માં શિરપુર મળી ત્યાં શ્વેતાંબરોએ દિગંબરોને સંતોષવા માટે તેમની સાથે મળીને બંને પક્ષના લોકોને નિયત સમયે વારા પ્રમાણે પોતપોતાની વિધિ પ્રમાણે પૂજા કરવાનો નિયમ દર્શાવતું પૃ. ૪૫ ઉપર આપેલ છે તે પદ્ધતિ મુજબ ટાઈમટેબલ તૈયાર કર્યું.
ઉપરાંત એવો પણ નિયમ ઘડવામાં આવ્યો કે શ્વેતાંબરોના પર્યુંષણ-પર્વના દિવસોમાં શ્રાવણ વદ્દ ૧૦ થી ભાદરવા સુદ ૪ સુધી દિગંબરોએ સવારના ૬ થી ૯ સુધી ત્રણ કલાક જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક શ્વેતાંબર જ કરે. તે જ પ્રમાણે દિગંબરોના દશલક્ષણ (પર્યુષણ) પર્વના ભાદરવા શુદ ૫ થી અનંત ચતુદર્શી-ભાદરવા શુદ ૧૪ સુધીના ૧૦ દિવસોમાં શ્વેતાંબરોએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી અને બાકીના ૨૧ કલાક દિગંબરોએ કરવી.
કોઈપણ પક્ષના લોકોને ગમે ત્યારે દર્શન કરવા જવાની છૂટ છે.
ત્યાર પછી બીજે વર્ષે સં. ૧૯૬૨ માં કારંજામાં બંને પક્ષની મીટિંગ મળી અને તેમાં એવો સુધારો કરવામાં આવ્યો કે આસો વદ ૧૪ના દિવસે શ્વેતાંબરોએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક દિગંબરવિધિ પ્રમાણે તેમ જ આસો વદ અમાવાસ્યાને દિવસે સવારમાં ૬ થી ૯ દિગંબર વિધિ પ્રમાણે અને બાકીના ૨૧ કલાક શ્વેતાંબર વિધિ પ્રમાણે પૂજા વગેરે કરવું.
આ ટાઈમ ટેબલ અત્યારે પણ તે જ પ્રમાણે ચાલુ છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
当当图|
શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના તીર્થમાં શ્વેતાંબર તથા દિગંબરોને પૂજાનો નિયત સમય દર્શાવતું
ટાઈમ ટેબલ દિવસ | સવારે ૯થી૧ર૧રથી૩ ૩થી૬ | રાત્રે ૮થી૧૦ ૧થી ૧૨થીર રથી૪ | ૪થી૬ ૬થી૯
૬થી૮ ગુરુવાર
| લેતાંબર શુક્રવાર | દિગંબર શનિવાર શ્વેતાંબર રવિવાર સોમવાર
| | ચેતાંબર મંગળવાર | દિગંબર બુધવાર શુદ લેતાંબર બુધવાર વદ દિગંબર
દિગંબર
128282828 8 8 8 8 8 8 ?
Page #35
--------------------------------------------------------------------------
________________
પરંતુ દિગંબરભાઈઓને આટલાથી પણ સંતોષ ન થયો. શ્વેતાંબરોનો બધો જ અધિકાર પડાવી લેવાની તેમન મનોવૃતિ થઈ અને તેમણે પડદા પાછળ ચાલબાજી શરૂ કરી. જ્યારે જ્યારે અંતરિક્ષ ભગવાનનો લેપ ઘસાઈ જાય ત્યારે શ્વેતાંબરો ફરીથી લેપ કરાવતા હતા. પૂર્વના લેપ પ્રમાણે જ તેમણે સં. ૧૯૬૪માં લેપ કરાવ્યો અને તેમાં કટિસૂત્ર (કંદોરા) અને કચ્છોટની આકૃતિ પણ પહેલાંની જેમ કરાવી હતી. દિગંબરોએ ગુપ્ત રીતે આવીને કટિસૂત્ર, કચ્છોટ વગેરે ભાગોને લોઢાના ઓજારોથી છેદી નાખ્યા ખોદી નાખ્યા. આ ભંયકર બનાવ સંવત ૧૯૬૪ ના મહા સુદી ૧૨ ને દિવસે ઈસ્વી સન ૧૨-૨-૧૯૦૮) બન્યો. શ્વેતાંબરોની લાગણીને ભયંકર આઘાત પહોંચ્યો. શ્વેતાંબર મત પ્રમાણે ચક્ષુ, ટીકા તથા આભૂષણ ચડાવવામાં અને નવાંગી પૂજન કરવામાં પણ દિગંબરો તરફથી અવરોધો નાંખવામાં આવ્યા. સમાધાનનો માર્ગ જ ન રહ્યો. આથી છેવટે કંટાળીને શ્વેતાંબરોએ આકોલા કોર્ટમાં ઈસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૦ મી તારીખે દિવાની કેસ દાખલ કર્યો. આ કેસ છેવટે ઠેઠ પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યો. અને ત્યાંથી સને ૧૯૨૯ માં ચૂકાદો આવ્યો ત્યાં સુધી ચાલ્યો.
આ પછી આ જ વરસે પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રી ૧૦૦૮ સાગરજી મહારાજ મુંબઈથી અંતરિક્ષનો સંઘ લઈને આવ્યા હતા તે વખતે પણ ઘણું તોફાન થયું હતું. આ બધા બનાવોથી શ્વેતાંબરોને ઘણો આઘાત પહોંચ્યો. છેવટે થાકીને તેમણે ઈસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૧ મી તારીખે આકોલા જીલ્લાની કોર્ટમાં દિવાની કેસ દાખલ કર્યો. શ્વેતાંબરો તરફથી શા કૌશીલાલ પાનાચંદ (બાલાપુર) શા કલ્યાણ ચંદ (યેવલા) | વિગેરે પાંચ જણ સામે કેસ માંડવામાં આવ્યો હતો. શ્વેતાંબરો તરફથી ધાર્મિક લાગણી દુઃખવવા બદલ, લેપને નુકશાન કરવા બદલ તેમજ પૈઢીની આવકને હાનિ પહોંચાડવા વિગેરે બદલ રૂા. ૧૫૪૨૫ નો દાવો દિંગબરો સામે કરવામાં આવ્યો હતો અને શ્રી અંતરિક્ષજીની પ્રતિમા શ્વેતાંબર આમ્નાય પ્રમાણે જ છે, પ્રતિમાજીની પૂજા કરવાનો શ્વેતાંબરોને અબાધિત અને સંપૂર્ણ અધિકાર છે, તેમજ કચ્છોટ અને કટિસૂત્રવાળો લેપ કરવામાં અને ચક્ષુ-ટીકા-મુગટ વિગેરે આભૂષણ ચડાવવામાં હરકત કરવાનો દિગંબરોને કોઈ જ અધિકાર નથી એ જાતની કોર્ટ પાસેથી માગણી કરવામાં આવી. અર્થાત આ તીર્થ શ્વેતાંબરી જ છે એ વાતની જાહેરાત કોર્ટ પાસેથી માગવામાં આવી. આના સમર્થનમા ૬૦૦ જેટલાં વહીવટી તથા શાસ્ત્રીય વિગેરે પુરાવા રજૂ કરવામાં આવ્યા ૧ થી ૭ નંબરના આરોપીઓ ઉપર લેપ ખોદી નાંખવાનો આરોપ મૂકવામાં આવ્યો.
ઉલટ પક્ષે દિગંબરો તરફથી બધા આરોપોનો ઈન્કાર કરવામાં આવ્યો અને તેમણે પણ એવી જ માગણી કરી કે-આ તીર્થ સર્વથા દિગંબરોનું જ છે એવી કોર્ટ
થી અંતરિક્ષ પાર્શ્વનાથ
સાવા,
Page #36
--------------------------------------------------------------------------
________________
જાહેરાત કરે. ઈસ્વીસન ૧૯૦૫માં ટાઈમટેબલ કરીને દિગંબરોને પૂજા વગેરેમાં સમાન અધિકાર એક વખત આપીને હવે તીર્થનો સર્વાધિકાર (Absolute Right) માગવાનો શ્વેતાંબરોને અધિકાર નથી. આ જાતનો તેમણે એસ્ટોપેલ (અટકાવવા) નો કાયદો પણ ઉપસ્થિત કર્યો.
કોર્ટે બન્ને પક્ષના પુરાવા તથા નિવેદનો તપાસ્યાં અને પક્ષની અનેક વ્યક્તિઓની જુબાની લીધી. કમીશન નિમાયાં. અંતરિક્ષમાં જાતે જઈને તપાસ પણ કરવામાં આવી. છેવટે સન ૧૯૧૮ ના માર્ચની ર૭ મી તારીખે આકોલા કોર્ટના વધારાના ન્યાયાધીશે (Additional District Judge) ૪૦ પાનાનો લંબાણ ચુકાદો આપ્યો. તેમાં તેમણે જણાવ્યું કે તીર્થ અને મૂર્તિ શ્વેતાંબરી જ છે, પરંતુ સન ૧૯૦૫ માં શ્વેતાંબરોએ ટાઈમટેબલ કરતી વખતે રાજીખુશીથી દિગંબરોને પણ અધિકાર આપ્યો હોવાથી હવે શ્વેતાંબરોથી દિગંબરોના અધિકારનો ઈન્કાર કરી શકાય નહીં. લેપના સંબંધમાં ન્યાયાધીશે જણાવ્યું કે પહેલાં પણ જ્યારે જ્યારે લેપ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યારે કટિસૂત્ર અને કચ્છોટનો દેખાવ તેમાં કરવામાં આવતો જ હતો, એમ અનેક પુરાવાઓથી સિદ્ધ થાય છે. સવંત ૧૯૬૪ (ઈસ્વીસન ૧૯૦૮) ના લેપ વખતે શ્વેતાંબરોએ તેમાં કંઈ પણ ઉમેર્યું હોય એમ હું ક્ષણવાર પણ માની શક્તો નથી. આ જજમેન્ટને અનુસરતું હુકમનામું પણ સન ૧૯૧૮ ના એપ્રીલની બીજી તારીખે આપવામાં આવ્યું તેમાં મુખ્ય કહીકત નીચે મુજબ છે
“બંને પક્ષના લોકોએ સં. ૧૯૯૧ સન ૧૯૦૫) માં થયેલા ટાઈમટેબલને વળગી રહેવું. અને તેના નિયમોને પાળવા. પોતાના પક્ષમાં જે કંઈ નાણાંની આવક થાય તે અલગ અલગ એકઠી કરવાનો બંનેને અધિકાર છે (લેપ ખોદી નાખ્યાની વાત સાચી હોવા છતાં) ક્યા માણસે લેપ ખોદી નાખ્યો છે, એ વાતને શ્વેતાંબરો સિદ્ધ કરી શક્યા ન હોવાથી નુકશાનીના બદલાની તેમની માગણી કાઢી નાખવામાં આવે છે. શ્વેતાંબરોને તેમના સમય દરમિયાન ચ-ટીકા-મુગટ-આંગી વગેરે રાખવાનો હક્ક છે. તે જ પ્રમાણે દિગંબરોને પણ તેમના સમયમાં ચક્ષુ, ટીકા વગેરે સિવાય તેમની પદ્ધતિ પ્રમાણે પૂજા કરવાનો અધિકાર છે. શ્વેતાંબરો મૂર્તિનો લેપ કરાવે તેમાં તથા લેપમાં કંદોરા-લંગોટ વિગેરેનો આકાર કાઢે તેમાં દિગંબરોએ જરા પણ હરકત નાખવી નહીં, પરંતુ શ્વેતાંબરોએ કંદોરા-કચ્છોટ વગેરેનાં ચિન્હ એવાં આછાં પાતળાં કરવા કે જેથી દિગંબરોની લાગણી દુઃખાય નહીં “મૂર્તિ અને મંદિર મૂળમાં શ્વેતાંબરી હોવા છતાં અત્યારે શ્વેતાંબરોની સર્વાધિકારની માંગણી નામંજૂર કરવામાં આવે છે.”
આ ચૂકાદાથી શ્વેતાંબરો અને દિગબરો બંને નારાજ થયા. કોઈને પણ સર્વાધિકાર મળ્યો નહીં. શ્વેતાંબરોને વહીવટ કરવાનો પણ સંપૂર્ણ અને અબાધિત અધિકાર ન મળ્યો. લેપ કરવાનો અને લેપમાં કચ્છોટ તથા કંદોરાની આકૃતિ કાઢવાનો થી અંતરિક્ષ પાર્શ્વના
Page #37
--------------------------------------------------------------------------
________________
અધિકાર શ્વેતાંબરોને અવશ્ય મળ્યો, પણ કોર્ટનો હુકમ એટલો બધો અસ્પષ્ટ હતો કે કચ્છોટ અને કંદોરા વગેરેનો આકાર કેટલો મોટો કાઢવો એનો સ્પષ્ટ ખુલાસો તેમાંથી મળતો ન હતો.
આથી મધ્યપ્રાંતના જ્યુડીશિઅલ કમીશ્નરની નાગપુરની કોર્ટમાં સને ૧૯૧૮ ના જુલાઈની ૧૫ મી તારીખે શ્વેતાંબરોએ અપીલ દાખલ કરી. દિગંબરો તરફથી પણ શ્વેતાંબરો સામે અપીલ (Cross-Appeal) દાખલ કરવામાં આવી. આ અપીલનો ચૂકાદો સને ૧૯૨૩ ના ઓક્ટોબરની ૧ તારીખે આવ્યો. ન્યાયાધીશ પી. એસ. કોટવાલ તથા એફ. ડબલ્યુ. એ. પ્રીડો (Prideaux)- બંનેએ મળીને આપેલા ૧૬ પાનાં જેટલા વિસ્તૃત ચૂકાદાના અંતમાં બધા પુરાવાની ફેરતપાસ કરીને જણાવ્યું કે- ‘‘આ કેસમાં મુખ્ય પ્રશ્ન સંપૂર્ણ માલીકીનો નહીં પણ સંપૂર્ણ વહીવટનો છે, તેથી શ્વેતાંબરોની વહીવટનો જો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે તો તેમને સંતોષ થશે. લેપમાં કંદોરા અને કચ્છોટ વગેરેનો આકાર કેવો કાઢવો એની નિશ્ચિત સૂચના આપવાની અમને જરૂર જણાતી નથી.'' મંદિર અને મૂર્તિ તો શ્વેતાંબરી જ કબૂલ રાખવામાં આવ્યા. કોર્ટનું હુકમનામું નીચે પ્રમાણે છે.
(૪) ‘શ્વેતાંબરોને મંદિર તથા મુર્તિના વહીવટનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે છે. કટિસૂત્ર-કચ્છોટ તથા લેપ કરવાનો શ્વેતાંબરોને સંપૂર્ણ અધિકાર છે. તેમની પદ્ધતિ પ્રમાણે ચક્ષુ-ટીકા-મુગટ અને અન્ય આભૂષણો ચડાવવાનો પણ તેમને અધિકાર છે.
(આ) સન ૧૯૦૫ માં થયેલા ટાઈમ-ટેબલની ગોઠવણ પ્રમાણે દિંગબરોને પણ તેમના સમય દરમ્યાન ચક્ષુ ટીકા-મુગટ અથવા આભૂષણોથી રહિત મૂર્તિની પૂજા કરવાનો અધિકાર છે. માત્ર તેમણે કચ્છોટ, કટિસૂત્ર તથા લેપને ન ખસેડવાં કે તે સંબંધમાં માથું મારવું નહીં.
આ ચૂકાદાથી શ્વેતાંબરોને અમુક પ્રકારનો સંતોષ થયો, પણ દિગંબરો ઘણા જ નારાજ થયા તેથી તેમણે ઈંગ્લાંડમાંની પ્રીવી કાઉન્સીલમાં અપીલ કરી. આ અપીલનો ચૂકાદો સન ૧૯૨૯ ના જુલાઈની ૯ મી તારીખે આવ્યો. પ્રીવી કાઉન્સીલે નાગપુર કોર્ટના ચૂકાદાને જ માન્ય રાખ્યો અને સ્પ્રિંગબરોની અપીલ કાઢી નાખી. તેમજ નાગપુરની કોર્ટમાં શ્વેતાંબરોને જે ખર્ચ લાગ્યો હતો તે ખર્ચ અને પ્રીવી કાઉન્સીલમાં કેસ ચાલો તે દરમ્યાન ઈંગ્લાંડમાં શ્વેતાંબરોને થયેલો ૬૮૯ પાઉન્ડ (લગભગ હશ હજાર રૂપિયા) નો ખર્ચ દિગંબરોએ શ્વેતાંબરોને આપવો એ જાતનો પણ પ્રીવી કાઉન્સીલે હુકમ કર્યો.
Their Lordships do this day agree humbly to report to Your Majesty as their opinion that this appeal ought to be dismissed and the decree of the Court ofthe judicial Commissioner of the Central Provinces શ્રી અંતરિક્ષ પાર્શ્વ
Page #38
--------------------------------------------------------------------------
________________
dated the 1 st day of october 1923 affirmed and that the peririon for stay of execution ought to be dismissed.
And in case Your Majesty should be pleased to approve of this report then Their Lordships do direct that their be paid by the Appellants to the Respondants their costs of this appeal incurred in the Court of the said Judicial Commissioner and the sum of *689-3 s.-o. d. for their costs their of incurred in England.
(પ્રવી ઉન્નીત્તનો રિપોર્ટ તા. ૧-૭-૨૧૨૧) અત્યારે આ વ્યવસ્થા અનુસાર જ બધો કારભાર ચાલે છે. શ્વેતાંબરી સંપૂર્ણ રીતે વહીવટનો સર્વાધિકાર ભોગવે છે. મંદિરમાં સુધારા-વધારા જે કંઈ કરવું હોય તે વિના ડખલગીરીએ કરી શકે છે. સન ૧૯૦૫નું ટાઈમ-ટેબલ માત્ર કાયમ રહ્યું છે અને તે પ્રમાણે દિંગબરભાઈઓને તેમની વિધિ પ્રમાણે તેમના સમયમાં પૂજાઅર્ચા કરવાનો અધિકાર મળ્યો છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થના વહીવટ તથા માલિકી વિગેરે ઉપર અધિકારના સંબંધમાં શ્વેતાંબરો તથા દિગંબરો વચ્ચે ઘણા લાંબા સમય સુધી ચાલેલા કેસનો અને વિવાદોનો ઉલ્લેખ વિસ્તારથી આવી ગયો છે. આ કેસ ઠેઠ ઈગ્લાંડની પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યો હતો. અને ત્યાંનો ચુકાદો ઈસ્વીસન ૧૯૨૯ ના જુલાઈની ૯ મી તારીખે આવ્યો હતો, એ પણ જણવાઈ ગયું છે. પ્રોવી કાઉન્સીલનો એ ચુકાદો ઈગ્લીશ ભાષામાં જ અક્ષરશ: નીચે મુજબ આપવામાં આવે છે. એનો ભાવાર્થ પહેલા આવી ગયો હોવાથી ગુજરાતી અનુવાદ નથી કર્યો
પ્રિવી કાઉન્સીલના ચૂકાદાની મૂળ કોપી Privy Council Appeal No 69 of 1927 Honasa Ramasa lad Dhakad and others....
Appellants
Vs Kalyanchand Lalchand Parni Gujrathi and
others..... Respondents.
From:The Court of the judicial Commissioner of the Central Provinces. Judgement of the Lords of the Judicial Committee of the Privy Council, Delivered THE 9TH July, 1929.
શ્રી અતરિક્ષ પાર્શ્વનાથ
AST
Page #39
--------------------------------------------------------------------------
________________
Present at the Hearing. Lord Blanesburgh. Lord Tomlin. Sir Lancelot Sanderson. (Delivered by Lord Blanesburgh.)
At Shirpur, in the District of Akola, there has stood for five hundred years and it may be for much longer, the Jain Temple of Antariksha Parasnath. The Jains are roughly ranged into two main divisions- the Digambaris, represented in this suit by the appellants and the Swetambaris represented by the respondents. One of the essential religious differences between the two is that Digambari idols are worshipped in a state of complete nudity, while the idols of the Swetambaris are revered draped and decorated with jewellery and ornaments. This deep-seated doctrinal or liturgical difference between these influential sections of the Jain community lies at the root of the dispute which has ripened into this portentious litigation.
In the temple at Shirpur there is an ancient idol, ""Shri Antariksha Parasnath Maharaj," believed by the Swetambaris to be self-existent. The deity is held in deep veneration by them, also by the Digambaris. It has apparently been a subject of controversy time out of mind whether it is a Swetambari or a Digambari idol, and whether as originally existent it was covered at the waist by a tie or band carved out of the stone or sand of which it is composed as the Swetambaris assert-or whether, it being apparently agreed that the private parts are not visible to the worshipper, this resulted not from any tie or band or other physical covering but from the actual posture of the idol itself, as is the contention of the Digambaris, the Swetambaris used from time to time to plaster the idol's body as a result of which that which was alleged by them to be a self-existent waist band had in the Digambari view been produced and the immediate occasion of the suit was that on the 13th February. 1908, the defendants 1 to 7, with other Digambaris acting in the interest of the sect chiselled, as the plaintiffs alleged, by means of iron instruments, the alleged self-existent tie and waistband from the body of the idol and removed the plaster and erased the lines on its hands and ears, outraging thereby the religious feeling of the Swetambaris. For all this the plaintiffs claimed Rs. 15,003 as damages. But the scope of the suit was not limited to that claim. It became the medium for vindicating Swetambari pretensions ranging for beyond its immediate occasion. By their plaint the plaintiffs asserted that the property and right of management of the entire temple was and always had been exclusively in the Swetambaris. On that footing they claimed substantive | 30
N
viaRa yiedolla
Page #40
--------------------------------------------------------------------------
________________
relief against the defendants as Representing the Digambaris and the defendants were not slow to take up the challenge so thrown down, for although from time to time objecting to the regularity of the suit during its progress in India, they joined, without regret apparently in this prolonged conflict, which, after nearly 23 years of Litigation in India, has at length been brought before His Majesty in Council for final adjudication.
The Swetambari case as put forward by them can be shortly stated. Both the Temple of Shri Antariksha Parasnath at Sirpur and that idol therein belong to their sect of the Jain community. It had been the uninterrupted privilege of the sect from time immemorial to worship the idol with the part showing the male organ covered up by a waist-tie and band and jewels and pastings on the body. The Swetambaris alone had uninterruptedly managed the affairs of the temple and of the idol, the Degambaris having no part or lot therein, until 1905, when, with due consideration, as it is put, for the desire of the Digambaris to worship the sacred deity in their own way, some members or the Swetambari sect disinterestedly effected arrangement whereby the Digambaris were permitted to worship the idol at specified times without ornaments and under certain rules which safeguarded the religious beliefs and the customs of the Swetambaris. But after two years's cooperation the Swetambari followers had become convinced that the continuance of the association with the Digambaris was detrimental to the religious sentiments, rights and management of the Swetambaris, and on the 13th February 1908, matters came to a head, when the idol was mutilated by defendants 1-7 in the manner already referred to. Since then the defendants had been obstructing the Swetambaris in placing upon the deity its accustomed ornaments and in restoring it to its self-existent form. And the plaintiffs claimed damage: injunctions restraining the defendants and other Digambari followers from raising any obstacle to the managements of the Samsthan by the Swetambaris or the restoration of the image to its original form by them. Declarations were asked for, framed so as to obtain a decision from the Court that the Swetambari management of the temple and idol was absolute and uncontrolled; that no worship of the diety except in its self-existent condition and covered as required by the religious principles of the Swetambaris should take place, and injunctions were sought to make these declarations effective at the instance of the Swetambari.
The answering case of the Digambaris may not inadequately be described as a complete repudiation of the claims of the Swetambaris, with the counter assertion, by themselves, of rights over the temple and
1 અંતરિક્ષ પાર્શ્વનાથ
30
Page #41
--------------------------------------------------------------------------
________________
the idol as extensive and as absolute as those put forward by the Swetambaris. Their case is to be found in the written statement of defendant No. 8, which was adopted as their own by the other defendants.
In the course of that statement the charges of the plaintiffs with reference to the alleged mutiliation of the idol by defendants are repudiated, and the views of the Digambaris with reference to the original form of the idol are put forward. With reference to these charges it may at once be stated that the plaintiffs'-allegations as to the defendants' responsibility were not established at the trial, and their claim for damages, which was resisted by the defendants on technical as well on substantial grounds, has failed and is no longer persisted in.
For the rest, the case presented by the written statement referred to was that the temple in question originally and absolutely belonged to the Digambari Jains, the Digambaris at Shirpur doing all the management, with the help and advice of other followers at Khamgaon and Karanja. The association between the two sects referred to in the plaint was stated to have been brought about by an invitation from the Digambaris to some respectable gentlemen from among the Swetambaris to join in a committee of management under an arrangement which continued until 1908, when the Treasurer and Vice-President of the committee, both Swetambaris with a view of with holding the wealth of this Digambari tample, had kept back the accounts which, when called upon, they had agreed to present; in consequence of which conduct, as appears to be implied in the written statement, their instance. In confirmation of the assertion that the tample and idol were Digambari, it was pointed out in the statement that the Deity in question was Digambarį in its position, having been installed by a Jain Digambari King in a temple of Digambari style and construction and that, itself a principal idol, it was surrounded by Digambari idols worshipped only by Digambaris. The Swetambari had never worshipped this diety with the chaksu and tika and ornaments, and they had never been permitted by the Digambaris so to do.
No conflict could be more complete and eleborate. Each of the two sects asserted an exclusive property in the temple and idol, with a right of management entirely uncontrolled. Joint control imposed by one sect upon the other was a suggestion foreign to the cases of both. It was the common position as pleaded the period of association, so vaguely referred to by both contestants, in no way impinged upon the absolute and exclusive rights claimed by each of them. The association as put forward on both sides was on more than a temporary arrangement શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
Page #42
--------------------------------------------------------------------------
________________
that could at any time be brought to an end by those who by invitation had brought it into being. The vital importance of these identical pretensions will emerge in the sequel.
The cases so put forward were litigated at great Length and over many years, first in the court of the Additional District Judge of Akola, and on appeal before the learned Judicial Commissioner of the Central Provinces. At the trial many witnesses were called on both sides and many exhibits produced; 600 of these were put in on the plaintiffs' side alone. In the result, on the cases so made, the findings of both courts are concurrent and are expressed in judgements of great elaboration and meticulous care. Broadly, the findings are in favour of the Swetambaris. These had all along been in actual management of the temple and idol; their title and right of management had been exclusive, and they had been worshipping the image with jewels, ornaments and paintings, the male organ of the diety being covered with the waisttie and band for a period, which could not be definitely ascertained, but at any rate from 1847-48. The Digambaris had also been allowed to worship in their own way in the temple; but the witnesses of the winership of the Digambaris on the point of the ownership of the temple and its management were not believed.
As a result, however of the evidence taken, the period of association, gaurdedly dealt with by both disputants, assumed a significance more decisive than either of them had been prepared to acknowledge. It was disclosed that at the commencement of the present century, the management of the temple, although nominally in the hands of the Swetambaris, had been in fact usurped by the servants of the temple known as Polkars, who for many years had exercised independent control and had become ""Perfect masters of the situation" as the learned Trial judge expressed it. They set their employers at defiance. And, to consolidate their own position, tried to play off the Digambaris against the Swetambaris. They also maltreated and plundered the pilgrims. The two sects united to face a common enemy, and in order to deprive the Polkars of the powers they had usurped, the Digamb instance of the Swetambaris, agreed to cooperate, with the result that in May 1901, a Joint committee of equal numbers of Swetambaris and Digambaris was formed to undertake the management of all affairs, the prime mover in the arrangement on behalf of the Swetambaris having apparently been Kalyanchand Lalchand one of the present respondents.
This committee, acting on behalf of both sects, joined in instituting criminal proceedings against the Polkars, who, as a result, were reduced to the position of servants of both. It was clearly the view of the learned
શ્રી અંર્તાપક્ષ પાર્વનાથ
yo
Page #43
--------------------------------------------------------------------------
________________
Trial Judge, not dissented from an appeal, that but for the aid of the Digambaris then rendered, and but for the monetary assistance then provided by them, the temple and all control over it would have been lost to both sects.
This made all the more significant the proceedings at a general meeting of the jains in 1905, at which the Joint Committee still being in management, there was framed a scheme whereby the worship of the idol was to be performed by both sects in turns according to a regular time-table, which allocated precisely the same length of time for worship to each sect, The result, as held by both Courts, was that for the further period between the ejectment of the Polkars and the quarrel over the plastering of the idol in 1908, the two sects managed the temple through their committee, and worship was carried on by each sect in accordance with its own ceremonies and observances as prescribed by the time-table propounded in 1905. And in the view of the learned Trial Judge, those arrangements set at rest all disputes as to worship and as to the management of the Samsthan so far as the peculiarities of their worship and devotion went and they practically set a seal upon the recognised privileges at each party. Giving effect, therefore, to a plea of estoppel set up by the defendants, he held that the plaintiff Swetambaris could no longer deny the right of the Digambaris to the joint management of the temple and to the worship of the idol in their own way as both of these matters were in the year 1905.
The Learned judge's decree is dated the 27th March, 1918. Naturally no declaration that the Swetambaris are entitled to any exclusive right of management is made, while the claims of the Swetambaris to exclusive privileges of worship are disallowed. These parties are to adhere to the time-table of 1905 and to obey the time regulations and procedure of worship in their own time as settled then. The collections of money and offerings are to be made by the two sects as hitherto from the time of the separation of their gadis and cash. The swetambaris are to be entitled to worship the image with the ornaments chaksu, tika and the like, according to their forms of worship, but only in their own time; no injunction is to restrain the Digambaris from insiting upon their right to worship the image without ornaments, and in their own way and in their own time according to the timetable. Each Party is therefore directed strictly to adhere to the timetable and the time limit imposed therein.
Finally, an injunction is granted against the Defendants and all other Digambaris restraining them from interfering with the Swetambaris in શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
४१
Page #44
--------------------------------------------------------------------------
________________
the plastering of the idol so as to show the configuration on it of a waistband and waist-tie and certain marks on the ears and palms, but the order directs that "These marks shall not be so bold and prominent so as to be offensive in any way, and they shall be shown with a light touch of plaster and as faintly as possible."
Both parties were dissatisfied, and the surviving plaintiff Swetambaris by notice of appeal and the defendant Digambaris by cross objections to the decree, set up again before the court of the judicial Commissioner. Central provinces their respective cases as originally pleaded. Before that court, however, as stated in its judgment, the Swetambari appellants no longer contested the right of the Digambaris, as declared by the decree of the Trial judge to worship in their own way and in their own time, according to the time-table, to which must be added the statement of their Counsel before the Board that they now make no claim to the collections of money and offerings made by worshippers during the periods of worship assigned to the Digambaris. The Cross-objections of the Digambaris having failed to impress the court, the issue there, at the end of the day, resolved itself into the question whether the Subordinate judge was wrong in refusing to grant to the Swetambaris a declaration of their exclusive right of management. Cou Digambaris finally contending only for the retention of the joint management as decreed by the Subordinate judge. In the result the Appellate Court declared and held that the Swetambaris were, on the facts found, entitled to the exclusive management of the Temple, and that the plea of estoppel set up by the written statement had no reference to that position.
The conclusions of the Court are embodied in its decree of the 1st October, 1923. It is from that decree that the present appeal is brought.
On full consideration of the whole case their Lordships have reached the conclusion that the decree is right.
The plea of estoppel contained in the written statement is perfectly general in its terms, and the defendants, when asked, refused to give any particulars of its meaning. In the absence of such particulars it seems to their Lordships impossible for the appellants to contend with success that it was thereby intended to set up against the plaintiffs' claim to exclusive management an estoppel which would at once be fatal to the same claim then being substantively put forward by themselves.
But the question is not only one of form or of pleading It is also one of substance. The appellants' case forcibly presented to the Board was that the facts found by the learned Trial Judge imported an
થી અંતરિક્ષા પાર્શ્વનાથ
Page #45
--------------------------------------------------------------------------
________________
agreement between the two sects as definite and permanent in the matter of Joint management, as the time table in the matter of worship was now admitted to be. No such agreement, however, is pleaded even in the alternative. No issue with regard to it was directed. No such issue could have been directed as the existence of such an agreement was entirely contrary to the only pleaded case either of the plaintiffs or of the defendants. Moreover the evidence taken was not pointed to any such issue, and as it stands, is in all its prolixity on this issue, incomplete. In saying this, their Lordships have specially in mind the absence of Kalyanchand from the witness box-as absence only justifiable by the fact that this matter on which his evidence must have been so direct was not in issue at the trial. Lastly, the concession of the time-table now made by the respondents does not, as it seems to their Lordships. carry with it any admission of a right on the part of the Degambaris to participate in the management. No one has, in fact, suggested that the time-table without management is valueless, on the contrary, the evidence shows that this has been the prevailing order since the final rupture between the parties took place in 1908.
Their lordships need hardly affirm that they may call the Digambari right to the time-table as now declared, with all its implications, is in no sense a matter of favour. It is a matter of right by the Digambaris will bring them into conflict with the courts. Nor will they forget that, by the admission of their learned counsel before the Board, they make no claim to the collections of money and offerings made by worshippers during the Digambari periods of worship. With these matters kept fully in mind by the Swetambaris there seems to their Lordships to be no reason why under this arrangement the relations between the two sects should not in this matter be in the future entirely harmonious.
In the result, therefor, the appeal fails and their Lordships will humbly advise His Majesty that it be dismiseed with costs.
Their Lordships will further humbly advise His Majesty that a petition lodged by the appellants for a stay of execution of the decree of the judicial Commissioner be also dismissed with costs.
DECREE
""The court of the judicial commissioners on the 1st October 1923 made a decree setting aside the decree of Lower Cout and ordering (1) That the Swetambaris are entitled to the exclusive management of the temple and image of Shri Antariksha parasnathji Maharaj and that they have right to worship the image in accordance with their custom. (2) That the Digambaris have a right of worshipping the image in accordance with an arrangement made in 1905 but are not to interfere શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
૪૩
Page #46
--------------------------------------------------------------------------
________________
with the Swetambari Customs of worship. (3) That the Digambari sect be permanently restrained from obstructing the Swetambari sect in getting the image restored to its original form and plastering the same now and hereafter."
"That the appellants obtained leave to appeal to your majesty in
council."
""THE LORDS OF THE COMMITTEE in obedience to his late Majesty's said order in concil have taken the appeal and humble petition into consideration and having heard counsel on behalf of the parties on both sides. Their Lordships do this day agree humbly to report to Your Majesty as their opinion that this appeal ought to be dismissed and the decree of the Court of Judicial Commissioners of the Central Provinces dated 1st day of October 1923 affirmed."
""HIS MAJESTY having taken the said report into consideration was pleased by and with the advice of HIS privy Council to approve thereof and to order as it hereby ordered that the same be punctually observed obeyed and carried into execution."
શ્રી અતંરિક્ષપાર્શ્વનાથ ભગવાનના તીર્થનો વહીવટ કરવાનો શ્વેતાંબરોને સંપૂર્ણ અધિકાર આપતા, અતંરિક્ષપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પોતપોતાની વિધિ પ્રમાણે વારાફરતી સૌના ટાઈમ દરમ્યાન પૂજા કરવાનો શ્વેતાંબર દિગંબર બંનેને અધિકાર આપતા, તથા મૂર્તિને લેપ કરવાનો શ્વેતાંબરોને અધિકાર આપતા પ્રિવી કાઉન્સીલના ચૂકાદા સુધીના ઈતિહાસને આપણે જોઈ ગયા છીએ. પોલકરોના હાથમાં તીર્થ હતું તે વખતે પણ મૂર્તિને લેપ કરવામાં આવતો હતો. પોલકરોના હાથમાંથી છોડાવ્યા પછી સને ૧૯૦૮ માં લેપ કરવામાં આવ્યો, પણ દિગંબરોએ લોઢાના ઓજારોથી કચ્છોટ તથા કંદોરાના ભાગને ખોદી નાખ્યા તેથી શ્વેતાંબરોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને તેનો નાગપુરની કોર્ટથી સને ૧૯૨૩ માં ચૂકાદો આવ્યો તેમાં મંદિર અને મૂર્તિના વહીવટનો અને કટિસૂત્ર તથા કચ્છોટ સહિત લેપ કરવાનો શ્વેતાંબરોને અધિકાર મળ્યો. આથી શ્વેતાંબરોએ તરત જ સને ૧૯૨૪ માં લેપ કરાવ્યો. જો કે આ વખતે દિગંબરોએ કોર્ટમાં અટકાવવા (Stayની) માગણી કરી હતી, પણ તે મંજૂર થઈ નહોતી. આથી તેમણે તેમના પૂજાના ટાઈમ દરમ્યાન રોજ ગરમ ઉકળતા દૂધ અને પાણીના પ્રક્ષાલ કરીને લેપને ધોઈ નાંખવાનો પ્રયત્ન કર્યો અને લેપને ઘણું નુકસાન પહોંચાડ્યું. આ રીતે દિગંબરો તેમને મળેલા પૂજાના અધિકારનો સદુપયોગ (!) કરીને રાજી થયા. ત્યારબાદ તેમણે પ્રિવી કાઉન્સીલમાં અપીલ કરી તેનો પણ ચૂકાદો નાગપુરના ચૂકાદાની જેમ શ્વેતાંબરોની તરફેણમાં જ આવ્યો. આથી દ્વિદ્ધ સુદ્ધ મતિ । એ ન્યાયથી શ્વેતાંબરોનો અધિકાર પાકેપાકો થઈ ગયો. એટલે શ્વેતાંબરોએ મંદિરમાં રીપેરીગ કામની શરૂઆત કરી. એ પ્રમાણે શ્વેતાંબરોએ મૂર્તિને લેપ કરવાની પણ સને ૧૯૩૪ માં તૈયારી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
૪૪
Page #47
--------------------------------------------------------------------------
________________
કરી; પરંતુ દિગંબરોએ તે સામે વાંધો ઉઠાવ્યો અને સીવીલ પ્રોસીજન કોડની ૪૭ મી કલમ ને આધારે આકોલાની કોર્ટમાં તેમણે રજી (Application) કરી કે – શ્વેતાંબરોને પ્રિવી કાઉન્સીલના ચૂકાદાથી લેપ કરવાનો ભલે અધિકાર મળ્યો હોય, પણ તેમાં લેપ ક્યારે કરવો તેમજ લેપમાં કટિસૂત્ર અને કચ્છોટની પહોળાઈ તથા જાડાઈનું પ્રમાણ કેટલું રાખવું, એની કશી સૂચના ન હોવાથી જ્યાં સુધી કોર્ટ તરફથી એ વિષે નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી શ્વેતાંબરોને લેપ કરવાની રજા ન મળવી જોઈએ. શ્વેતાંબરોએ આ સામે વાંધો ઉઠાવ્યો કે સિવીલ પ્રોસીજર કોડની ૪૭ મી કલમ નીચે આ અરજી થઈ શકતી નથી. આકોલાની કોર્ટની ન્યાયાધીશે શ્વેતાંબરોની આ દલીલને મંજૂર રાખી. અને ૧૧-૧-૧૯૩૭ના ઓર્ડરથી દિગંબરોની અરજી કાઢી નાંખી. એટલે દિગંબરોએ તરત નાગપુરની હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટ દિગંબરોની અરજી મંજૂર રાખી અને લેપની રીત નક્કી કરવા માટે આ કેસને આકોલાની કોર્ટ ઉપર પાછો મોકલી આપ્યો. કેસ ચાલ્યો અને તેમાં દિગંબરોએ કટિસૂત્ર અને કચ્છોટના ચિન્હ ને બહુ જ આછાપાતળા અને બારીક બનાવવાની માગણી કરી. શ્વેતાંબરોએ કહ્યું કે ભૂતકાળમાં અંતરિક્ષજીની મૂર્તિના લેપમાં જેવી કટિસૂત્ર અને કચ્છોટની આકૃતિ કાઢવામાં આવતી હતી તેવી કાઢવાનો અમને અધિકાર મળવો જોઈએ. કોર્ટે બંને પક્ષનાં અનેક સાક્ષીઓની જુબાની લીધી અને પુરાવાઓને આધારે ૧૩-૯-૧૯૪૪ તારીખે આવા આશયનોનિકાલ (Order) આપ્યો કે
શ્વેતાંબરોને કટિસૂત્ર તથા કચ્છોટની લેપમાં આકૃતિ કાઢવાનો અધિકાર છે. કટિસૂત્ર (કંદોરા) ની પહોળાઈ ૧ ઈંચ જેટલી રાખવી. અને કમરની એક બાજુથી બીજી બાજુ સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કમરને ફરતી કટિસૂત્રની આકૃતિ કાઢવી. કટિસૂત્રની ડાઈ ૧/૩ એકતૃતીયાંશ ઈચ અર્ધ ગોળ આકારે કાઢવી.
કચ્છોટની ડાઈ ૧/૮ એકઅષ્ઠમાંશ ઈચ જેટલી રાખવી. અને પહોળાઈ ઉપરના (પ્રારંભના) ભાગે ર ઈંચ જેટલી અને નીચેના (છેડાના) ભાગ આગળ રાય ઈચ જેટલી રાખવી. મૂર્તિનો લેપ ચાલતો હોય ત્યારે અને સુકાઈ જાય ત્યાં સુધી પૂજાપ્રક્ષાલ ઉપર શ્વેતાંબરો પ્રતિબંધ મૂકે તે સામે દિગંબરોએ વાંધો ઉઠાવવો નહીં. અને શ્વેતાંબરોએ જ્યારે લેપ કરવો હોય ત્યારે લેપ કરી શકે છે, એ સામે દિગંબરોને વાંધો ઉઠાવવાનો અધિકાર નથી.
આ પ્રમાણે હુકમ (Order) મળવાથી શ્વેતાંબરોએ તરત જ લેપ કરવાની તૈયારી કરી દીધી અને જાહેર ખબર પણ આપી દીધી. તેટલામાં દિગંબરોએ આકોલાના ચૂકાદા સામે ફરી પાછી નાગપુર હાઈકોર્ટમાં સન ૧૯૪૪ માં અપીલ કરી. હાઈકોર્ટના યુરોપિયન જજ R. E. પોલોકે ૮-૭-૧૯૪૭ ના રોજ નિકાલ (Order) આપ્યો અને તેમાં આકોલા કોટ્રના ઓર્ડરને મંજૂર રાખીને દિગંબરોની અપીલ કાઢી નાંખી. અને ટીકા કરી કે દિગંબરો જાણી જોઈને કેસ લંબાવી રહ્યા છે માટે શ્વેતાંબરોને જે કંઈ કોર્ટનું ખર્ચ થયું છે તે ભરપાઈ કરી આપવા માટે દિગંબરોને હુકમ કર્યો | ૪૫ મિ
છે પાકે થી અતિરિક્ષા પાર્શ્વના
Page #48
--------------------------------------------------------------------------
________________
આ હુકમ મળતાં જ શ્વેતાંબરોએ લેપની તૈયારી કરી દીધી તેટલામાં તો દિગંબરોએ નાગપુરની હાઈકોર્ટમાં લેટર્સ પેટંટ અપીલ (Letters Patent Appeal) કરી અને લેપની અટકાયત ચાલુ રાખવાની (Continuation of the stay) માગણી કરી, પણ ૧૭-૩-૧૯૪૮ ના હુકમથી કોર્ટે એ અપીલ પણ કાઢી નાખી, અને લેપ કરવા બદલ કોઈ પણ પ્રકારનો મનાઈ હુકમ આપવાની ના પાડી. આથી કોઈ પણ જાતની આડખીલી વચમાં ન રહેવાથી ૩-૧૦-૧૯૪૮ તારીખે શ્વેતાંબરોએ લેપ કરવાની શરૂઆત કરી, અને લેપ સુકાઈ જતાં ૧૩-૧૧-૧૯૪૭ થી પૂજા-પ્રક્ષાલની શરૂઆત પણ કરવામાં આવી. અત્યારે આ સુંદર અને તેજસ્વી લેપથી મૂર્તિ ઝગમગ ઝળકી રહી છે.
સવંત ૨૦૧૫ માં પ્રભુ પ્રતિમાને ફરી લેપ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. લેપનું કામ શરૂ થતાં દિગંબરીઓએ સરકારમાં તદ્દન ખોટી ફરિયાદો નોંધાવી પ્રભુની ઘોરઆશાતના કરી. સત્ય કહીકત પુરી પાડતા બધા અવરોધો દૂર થયા. લેપ શાંતિથી પૂર્ણ થયો.
દિગંબરીઓએ કરેલી આશાતનાઓની શાંતિ કરવા માટે આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરની નિશ્રામાં અઢાર અભિષેક અને અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર વગેરે કરવામાં આવી.
સંવત ૨૦૧૭ ના ફાગણ માસમાં ફરી પૂજા પ્રક્ષાલ વગેરે શરૂ કરવામાં આવી. તીર્થોના બીજા નામોલ્લેખો
શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના તીર્થના ઉત્પત્તિ આદિ વર્ણવતાં જે પ્રાચીન ઐતિહાસિક ઉલ્લેખો ઉપલબ્ધ થયા છે, તે લગભગ તમામ ઉલ્લેખોનું વર્ણન આવી ગયું છે. બીજા પણ કેટલાંક પ્રાચીન લખાણો છે કે-જેમાં અંતરિક્ષજીનો ઈતિહાસ નહીં પણ માત્ર નામોલ્લેખ મળે છે. આવા ઉલ્લેખો પૈકીના ખાસ ખાસ નીચે મુજબ છે.
‘શ્રીપુરે અન્તરિક્ષ શ્રીપાર્શ્વ-આ ઉલ્લેખ શ્રી જિનપ્રભસૂરિરચિત વિવિધતીર્થ કલ્પાન્તર્ગત ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પ-(પૃ૦૮૬)માં છે. આજ જિનપ્રભસૂરિએ રચેલા શ્રીપુરઞન્તરિક્ષ પાર્શ્વનાથત્વનો ઉલ્લેખ પહેલાં આવી ગયો છે. ત્યાં એ પણ સાથે જણાવ્યું છે કે-એની રચના સં. ૧૩૮૭ આસપાસ થઈ હશે. પરંતુ ચતુરશીતિ મહાતીર્થ નામસંગ્રહકલ્પની રચના સં. ૧૩૬૯ પહેલાં જ તેમણે કરી હશે એમ લાગે છે, કારણ કે આ કલ્પમાં તેમણે શત્રુંજયતીર્થનું વર્ણન કરતાં સં. ૧૦૮માં ૧વજ્ર સ્વામી અને જાડવશાહના હાથે પ્રતિષ્ઠિત થયેલા શ્રી આદીશ્વર ભગવાન અને પુંડરીકસ્વામીનો ઉલ્લેખ કર્યો છે પરંતુ આ બિંબનો પ્રતિમાજીનો સં. ૧૩૬૯ માં મુસલમાનોને હાથે વિનાશ થયો હતો.
થી. અંતરિક્ષ પાર્શ્વનાથ
Page #49
--------------------------------------------------------------------------
________________
એમ શત્રુંજય તીર્થકલ્પ (કે જેની સં. ૧૩૮૫ માં રચના થઈ છે) માં પૃ. ૫ માં તેમણે જ જણાવ્યું છે. એટલે શ્રીપુરે અન્તરિક્ષ શ્રી પાર્શ્વ- ચતુરશીતિમહાતીર્થ નામ સંગ્રહકલ્પમાંનો ઉલ્લેખ આ ઉલ્લેખ તીર્થયાત્રા પહેલાં માત્ર સાંભળીને જ કર્યો હોય.
સં. ૧૪૭૩ માં લખાયેલી ધર્મઘોષસૂરિવિરચિત કલિકાચાર્ય કથાના અંતમાં લખાવનાર આદિનું વર્ણન કરતી એક પ્રશસ્તિમાં પણ આ જ તીર્થનો ૩ઉલ્લેખ છે. સંભવતઃ ૧૬ મી સદીના પ્રારંભમાં રચાયેલી શ્રી રત્નશેખરસૂરિશિષ્ય નંદીરત્ન. શિષ્ય રત્નમંદિરગણિવિરચિત ઉપદેશતરંગિણીમાં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. દેવવિમલસૂરિત હીરસૌભાગ્ય મહાકાવ્યમાં પણ આનો ઉલ્લેખ છે. શીલરત્નસૂરિકૃત ચતુર્વિશતિજિનસ્તુતિ (આત્માનંદ સભા પ્રકાશિત, ભાવનગર) માં પૃ. ૯/ર માં, તથા એ જ પ્રતિમાં છપાયેલી ખુશાલ વિજયવિરચિત (સં. ૧૮૮૧) પુરુષાદાની પાશ્વદેવનામમાલા (પૃ.૧૧)માં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. શ્રી આત્માનંદ સભા પ્રકાશિત જૈન ઐતિહાસિક ગુર્જરી કાવ્યસંચય (પૃ. ૩૦, પર, ૭૯, ર૭૭) માં પણ જુદા જુદા રાસોમાં આ તીર્થનો ઉલ્લેખ છે.
१ तथाहि-श्रीशत्रुञ्जये भुवनदीपः श्रीवैरस्वामिप्रतिष्ठितः श्री आदिनाथः ।... श्रीशान्तिप्रतिष्ठितः पुण्डरीक: श्रीकलशः । द्वितीयस्तु श्रीवैरस्वामिप्रतिष्ठितः पूर्णकलशः।" वि० ती० कल्प. पृ. ८५. “इत्थं जावडिराद्यार्हत्पुण्डरीककपर्दिनाम । मूर्तीनिवेश्य सञ्जज्ञे स्वर्विमानातिथित्वभाक् ।।८३।। दक्षिणाङ्गे गवतः पुण्डरीक इहादिमः । वामाझे दीप्यते तस्य નાવવિસ્થાપિતોડપર: ૮૪. વિ. ત. – પૃ. ૪ |
. २ “ही ग्रहर्तुक्रियास्थान (१३६९) संख्ये विक्रमवत्सरे । जावडिस्थापितं बिम्बं સ્તે ૐર્મ વત્તેર્વશાત્ 1889મા” વિ. તી ન્ય. પૃ. ૫ | વિસ્તારથી જાણવા માટે જુઓ ૧૪-૨-૫૦ આત્માનંદ પ્રકાશના અંકમાં દેવગિરિના લેખમાં મારું ટિપ્પણ પૃ.
૧૨૦
३ श्रीशत्रुञ्जय-रैवतक्षितिघर-श्रीअर्बुद-श्रीपुर-श्रीजीराउलि-कुल्यपाक-प्रमुख श्रीतीर्थयात्रा मुदा । कालेऽत्रापि कलौ करालललिते चक्रे स संघाधिपो वर्षनर्थिजनें घनाघन इव द्रव्याणि पानीयवत् ॥१०॥ एतावता निजकुटुम्बयुतेन नूनाह्नसंघपतिना वसताऽमराद्रो । श्री अन्तरिक्षमुखतीर्थविचित्रयात्रा मुख्या : कृता विविधपुण्यपरम्परास्ताः In૨૪ - મેતિહાસિક મહત્વી પ્રશસ્તિ પૃ. ૧૪૭-૮ (પ્રેમી મિનન્દનગ્રંથાન્તત) જુઓ. ૧૪-૫-૫૦ ના અંકમાં ટિપ્પણ.
Page #50
--------------------------------------------------------------------------
________________
४ “श्रीजीरापल्लि-फलवर्धि-कलिकुण्ड-कुर्कुटेश्वेर-पावका-ऽऽरासणस(श)ख्डेश्वर चारुप-रावणपार्श्व-वीणादीश्वर-चित्रकूटा-ऽऽघाट-श्रीपुर-स्तम्भनपार्श्व राणपुरचतुर्मुख विहाराद्यनेक तीर्थानि यानि जगतीतले वर्तमानानि यानि चाऽतीतानागतानि तानि सर्वाण्यपि तत्तत्काळप्रधानचतुरनरशिरोरत्नपुरुषपुरन्दर-प्रवर्तितान्यैव न तु स्वयं समुत्पन्नानि...। अत વ વસુંધામાળ પુરુષ વર્ગ - ૩૫૦ ત૬૦ પૃ. (યશ વિ. . પ્ર શત) આનું સંપાદન સં. ૧૫૧૯માં લખાયેલી પ્રતિ ઉપરથી કરવામાં આવ્યું છે. એટલે તે પહેલાંનો આ ગ્રંથ ખરો જ.
૫. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીગણિવિરચિત તપાગરછ પટ્ટાવલી કે જે સં. ૧૬૪૮માં બરાબર રચાઈ ગઈ હતી તેમાં પણ પૃ. ૭૩ માં (પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મ. ત્રિપુટી સંપાદિત પટ્ટાવીસમુચ્ચયાંતર્ગત) હીરસૌભાગ્ય કાવ્યનો ઉલ્લેખ હોવાથી સં. ૧૬૪૮ પહેલાં જ આ કાવ્યની રચના થઈ હશે. તેમાં ૬ઠ્ઠા સર્ગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે.- अपि पार्श्वजिनान्तरिक्षकाभिघ उच्चैःस्थितिकैतवादिह । किमु लम्भयितुं महोदयं भविनां भूवलयात प्रचेलिवान् ॥१८॥ फणभृद भगवन्निभालनादनुभूताहिविभुत्ववैभवः । પૃદયન મુવનદ્રયશતાં જીવમાત્ મવતી પુનઃ ૨૧ : એક તો “જય જય જય જય પાસ નિણંદ. અંતરીક પ્રભુ ત્રિભુવનતારક ભવિક કમલ ઉલ્લાસ દિગંદ'' - આ ૬ કડીનું સ્તવન છે. તથા બીજું “ ભેટે ભેટે સલુને પ્રભુ અંતરીક ભેટે'- આ ૩ કડીનું સ્તવન છે. આ બંને સ્તવનો ઘણાં પુસ્તકોમાં છપાયાં છે.
યશોવિડગ્રંથમાલા પ્રકાશિત પ્રાચીનતીર્થમાલાસંગ્રહ (ભાગ ૧ પૃ. ૯૮, ૧૧૪, ૧૫૧, ૧૬૯, ૧૯૮)માં પણ જુદા જુદા મુનિરાજોએ આ તીર્થની યાત્રા કર્યાનો ઉલ્લેખ છે. ન્યાયવિશારદ વાચકવર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ અહિં પધાર્યા હતા અને તેમણે સ્તુતિમાં બે સ્તવનો બનાવ્યાં છે.
ઐતિહાસિક માહિતી આપતા સંસ્કૃત-પ્રાકૃત ઉલ્લેખોનું ગુજરાતી ભાષાંતર તો અગાઉ આપવામાં આવ્યું છે. તેના મૂળ સંસ્કૃત ભાગો ઘણા લાંબા લાંબા હોવાથી તેમજ સંસ્કૃત પ્રાકૃતભાષાને લીધે ઘણાખરા વાંચકોને પણ કંટાળો આવે તેથી અહીં આપવામાં આવતા નથી. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો જોઈ લેવા. ગ્રંથોનાં નામ, પ્રકાશનસ્થાન, પૃષ્ટાંક વિગેરે તે તે સ્થળે જણાવ્યાં જ છે.
કવિશ્રી લાવણ્યસમય સં.૧૫૮૫ માં એક અંતરિક્ષનો છંદ બનાવ્યો છે. આ છંદ ભાવનગરનિવાસી શ્રી સ્વ. કુંવરજીભાઈ આણંદજીભાઈ તરફથી પ્રકાશિત થયેલા પ્રાચીન સ્તવનાદિસંગ્રહમાં છપાયો છે, અને તે ૪૫ કડીનો છે, પરંતુ થિી અંતરિક્ષ પાર્શ્વનાથ અને
મારી જ
Page #51
--------------------------------------------------------------------------
________________
બાલાપુરમાંથી મળી આવેલાં હસ્તલિખિત પાનાંઓમાં ૫૪ કડીનો છે. વળી હસ્ત લિખિત સાથે સરખાવતાં પ્રા૦ સ્ત, સંવમાં છપાયેલ છંદની કડીઓમાં ઘણું અંતર દેખાય છે. એટલે આ છંદ પુનઃ છાપવા યોગ્ય સમજીને નીચે મુજબ આપવામાં આવે છે.
૬. આ સિવાય મહિમાસાગર શિષ્ય આનંદવર્ધનકૃત અંતરિક્ષ પાર્શ્વનાથ સ્તોત્ર (જૈનધર્મસિંધુ પૃ. ૫૩૭), વિનયપ્રભસૂરિકૃત તીર્થયાત્રા સ્તવન, સમયસુંદરકૃત (સં. ૧૬૮૬) તીર્થમાલા વિગેરે વિગેરે અનેક ગુજરાતી કાવ્યોમાં આ તીર્થનો ઉલ્લેખ છે.
કવિ લાવણ્યસમયવિરચિત
શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ છંદ સરસ વચન દે સરસતિ માત, બોલિસ આદિ જિ સિ વિખ્યાત; અંતરીક ત્રિભુવનનો ધણી, પ્રતિમા પાસ જિનેસરતણી. ૧ લંકધણી જે રાવણ રાય, તેહતણો બનેવી કહેવાય; ખરદૂષણ નામે ભૂપાલ, અહિનિસિ ધર્મતણો પ્રતિપાલ. ૧૨ સદગુરુ વચન સદા મન ધરે, વિણ કાલ જિનપૂજા કરે; મન આખડી ધરી છે એમ, જિનપૂજા વિણ જમવા નેમ. ૩ એક વાર મન ઉલટ ધરી, ગજ રથ ઘોડા પાયક તરી; ચડ્યો રવાડી સહુ સંચરે, સાથે દે હરાસર વિસરે. ૪ દેહરાસરીયો ચિંતે ઈસ્યું, વિન દેહરાસર કરવું કિરૂં ? રાયતણે મન એ આખડી, જિનપૂજા વિણ નહીં સુખડી. ૧૫ પ્રતિમા વિણ લાગી ચટપટી, ચડ્યો દિવસ દસ બારહ ઘટી; કર્યા એકઠા વેલુ છાન, સા(મા)થે સાખી કીધો ભાણ. ૬ નહીં કોઈ બીજી આસન, પ્રતિમા નિપાઈ પાસની; તે કરતાં નવિ લાગી વાર, થાપ્યો મહામંત્ર નવકાર. I૭ પંચ પરમેષ્ટિનો કરે ધ્યાન, કરી પ્રતિષ્ઠા સહુ પ્રધાન; દેહરાસરીયો હરખું હસે, પ્રતિમા દેખી મન ઉલ્લખે. 10 આવ્યો રાજા કરી અંઘોલ, બાવનચંદન કે શર ઘોલ; પ્રતિમા પૂછ લાગ્યો પાય, મન હરખ્યો ખરદૂષણ રાય. ૯ એક વેલ ને બીજે છાણ, પ્રતિમાનો આકાર પ્રમાણ; ધરમી રાજા ચિંતા કરે, રખે કોઈ આશાતના કરે. ૧૦ પ્રતિમા દેખી હિયડું ઠરે, સાથ સહિત ભલાં ભોજન કરે; તેહજ વેલા તેહજ ઘડી, પ્રતિમા વજ તણી પરે જડી. ૧૧ બંધ ધરી ખરદૂષણ ભૂપ, પ્રતિમા મેલી તવ જ લકૂપ; ગયો કાલ જલમાંહી ઘણો, પ્રતિમા પ્રગટી હવે તો સુણો. ૧૨ એલગપુર એલ.દે રાય, કુદી છે ભૂપતિની કાય; ન્યાયવંત નવિ દંડે- લોક, પૃથિવી વરતે પુણ્યસિલોક. ૧૩
Page #52
--------------------------------------------------------------------------
________________
રાયતણે શિર મોટો રોગ, રયણીભર નવનિદ્રા જેગ; રોમ રોમ કીડા સંચરે, રાણી સવી નિદ્રા પરિહરે ।।૧૪
એક વાર હય
જિહાં, તે પાછા વલી મેલે તિહાં; ઠાય, તતખણ રાજા અચેતન થાય. ૧૫ ભોગવે, કરમે દોહલા દિન જોગવે; રયણીભર નવિ ચાલે રંગ, ક્રીસે કાયા દીસે ચંગ. ।।૧૬ ગજ રથ પરિવો, રમવા રયવાડી સંચો; સાથે સમરથ છે પરિવાર, પાળા પાયકનો નહીં પાર. ।।૧૭ જાતાં ભાણ મથાળે થયો, મોટી અટવીમાંહે ગયો; થાકો રાજા વડ વિશ્રામ, છાયા લાગી અતિ અભિરામ. ।।૧૮ લાગી તૃષા નિર મન ધર્યું, પાણી દીઠું ઝાબલ ભર્યું; પાની પીધઓ ગલણે ગલી, હાથ પગ મુખ ધોયા વલી. ।।૧૯ કરી રયવાડી પાછા વલ્યો, પહેલાં જઈ પટરાણી મલ્યો; પટરાણી રલિયાત થઈ, થાકયો શય્યા પોઢ્યો જઈ. ।।૨૦ આવી નિદ્રાયણી પડી, પાસે રહી પટરાણી વડી; હાથ પાય મુખ નીરખે જામ, તે કીડા નવિ દેખે ઠામ. ૨૧ રાણી મન કૌતુક વસ્યો, હરખી રાણી હિયડે હસ્યો; જાગ્યો રાજા આલસ મોડ, રાણી પૂછે બે કર જોડ. ૨૨ સ્વામી કાલ રયવાડી કિહાં, હાથ પાય મુખ ધોયા જિહાં; તે જલનો કારણ છે ઘણો, સ્વામી કાજ સરશે આપનો. ૨૩।। રાજા જપે રાણી સૂણો, અટવી પંથ અછે અતિ ઘણો; વડ તીર ઝાબલ જલ ભર્યો, હાથ પાય મુખ ધોવન કર્યો. ૨૪ મેં પ્રભુ લીધો તેહનો ભેદ, આપણ જાણ્યું વડ વિછે; રથ જોતરીઆ તુરંગમ લેપ, રાય રાણી મીલ ચાલ્યા બેય. ।।૨૫ તિહાં દીઠું ઝાબલ વડ તીર, જાણે માન સરોવર નીર; હરખી રાણી હીયડે રંગ, રાજા અંગ પખાળે ચંગ. ગયો ને વધ્યો કષ્ટ સોવન સમાન; વાન, દેહ થઈ આવ્યો રાજા એલગપુરી, માંડે ઓચ્છવ આણંદ ધરી. ।।૨૭ ઘર ઘર તલિયા તોરણ તાટ, આવે વધામણાં માણિક માટ; ભારી ઘણ આવે ભેટણો, દાન અમોલક દીજે ઘણો. ।।૨૮ રાય રાણી મન થયો સંતોષ, કો અમારીતણો નિઘોષ; સસભૂમિ ઢાલે પર્યંક, તિહાં રાજા સુવે નિઃશંક ।।૨૯ ચંદન ચંપક પુર કપૂર, મહકે વાસ અગર ભરપૂર; રયણીભર સુપનાંતર લહે, જાણે નર કોઈ આવી કહે. ।।૩૦ અતિ ઊંચો કરી અંબ પ્રમાણ, નીલો ઘોડો નીલો પલાણ; નીલા ટોપ નીલા હથીઆર, નીલ વરણ આવ્યો અસવાર. ।।૩૧ સુણ રે એલગપુરના ભૂપ, જિહાં જલ પીધો તીહાં છે કૂ ૫; પ્રગટ કરાવે વહેલો થઈ, તિહાં પ્રતિમા માહરી છે સહી. ।।૩૨ એરિક્ષ પા
ર૬
જે કીડાનો ઠામજ જો નવિ જાઈ તેહને રાય રાણી સંકટ
Page #53
--------------------------------------------------------------------------
________________
કરી મલોખાની પાલખી, માણિક ' મોતી જડી નવલખી; કાચે તાતણે સાથે ધરી, હું આવીશ તિહાં બેસી કરી. ૩૩ જે આજના જાયા તતખેહ, વાછરડા જોતરો તેહ; પૂઠ મ વાલીસ જોવા ભણી, સિખામણ દેઉં છું ઘણી. ૩૪ : ઈસ્યો સુપન લહી જાગ્યો રાય, પ્રહ ઉઠી વનમાંહે જાય ચાલ્યો ભલી સજાઈ કરી, તે આવ્યો વડ પાસે વહી. ||૩૫ તે જ લ કૂપ ખણાવ્યો જામ, પ્રગટ્યો કૂપ અચલ અભિરામ; ભય નીર ગંગા જલ જમ્યો, હરખ્યો રાજા હિયર્ડ હસ્યો. ૩૬ કરી મલોખાની પાલખી, માણિક મોતી જડી નવલખી; કાચે તાંતણે મેલી ઠામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ. ૩૭ પાસ પધાર્યા કંઠે કૂવા, ઉચ્ચવ મેરૂ સમાના હુઆ, રથે જેતયાં બે વાછડા, ચાલ્યા તે ખેડ્યા વિણ છડા. //૩૮ ગાય કામિની કરે કિલ્લોલ, બાજે ભૂગલ ભેરી ઢોલ; પાલખી વાહનને આકાર, નવિ ભાંજે પરમેસર ભાર. ૩૯ પ્રોઢી પ્રતિમા ભારી ઘણી, પાલખી છે મલોખાતણી; રાજા મન આવ્યો સંદેહ, કિમ પ્રતિમા આવે છે એહ ? Il૪૦ વાંકી દષ્ટિ કયો આરંભ, રહી પ્રતિમા થાનક થિર થંભ; રાજા લોક ચિંતાતુર થયો, એ પ્રતિમાનો થાનક થયો. ૧૪૧ સૂત્રધાર સિલાવટ સાર, તેડી આપ્યો ગરથ ભંડાર; આલસ અંગતણાં પરિહરો, વેગે ઈહાં જિનમંડપ કરો, ૪૨ સિલાવટ તિહાં રંગરસાલ, કીધા જિનપ્રાસાદ વિસાલ;
ધ્વજદંડ તોરણ થિરથંભ, મંડપ માંડ્યા નાટારંભ. ૧૪૩ પબાસણ કીધો છે જિહાં, તે પ્રતિમા નવિ બેસે તિહાં; અંતરીક ઊંચા એટલે, તલે અસવાર જાયે તેટલે. ૧૪૪ રાજા રાણી મનને કોડ, ખરચે દ્રવ્યતણી તિહાં કોડ; સમ ફણા મણિ સોહે પાસ. એલગરાયની પૂરી આસ. ૧૪૫ પૂજે પ્રભુને ઉખેવે અગર, તિન ઠામે વાસ્યો શ્રીનગર; રાજા રાજ લોક કામિની, ઓગલ કરે સદા સ્વામિની. ૪૬ સેવા કરે સદા ધરણંદ્ર, પઉમાવઈ આપે આનંદ; આવે સંઘ ચિહું દિશિતણા, માંડે ઓચ્છવ આનંદ ઘણા. ૪૭ લાખેણી પ્રભુ પૂજા કરો, મોટો મૂગટ મનોહર ભરો; આરતિએ સવિ મંગલમાલ, ભુંગળ ભેરી ઝાકઝમાલા ||૪૮ આજ લગે સહુકો ઈમ કહે, એક જ દોરો ઊંચા રહે; આગલ તો જાતો અસવાર, જ્યારે એલ.દે રાય અવતાર. ૧૪૯ જે જીમ જાણ્યો તેં તિમ સહી, વાત પરંપર સદગુરુ કહી; બોલી આદિ જિસી મન રેલી નિરતું જાણે છે કે વળી. ||૫૦ અશ્વસેન રાય કુલ અવતંસ, વામા રાણી ઉદરી હંસ; વાણારસી નગરી અવતાર, કરજે સ્વામી સેવક સાર. ૫૧
એ થી અંતરિક્ષ પાર્શ્વનાથ
Page #54
--------------------------------------------------------------------------
________________
ભણે ગુણે જે સરલે સાદ, સ્વામી તાહરાં સ્તવન રસાલ; ધરમી નર જે ધ્યાને રહે, બેઠા જાત્રાતણો ફળ લહે. ૫ર ઉલટ અખાત્રીજે થયો, ગાયો પાસ - જિનેસર જ્યો; બોલીશ બે કર જોડી હાથ, અંતરીક શ્રી પારસનાથ. ૫૩ સંવત પંદર પંચાશી જાણ, માસ સુદિ વૈશાખ વખાણ; મુનિ લાવણ્યસમય કહે મુદા, તુમ દરસન પામે સુખસંપદા. ૫૪ . વડોદરાવાસી પા. શ્રી લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધીને પણ અમારે ખાસ જ ધન્યવાદ આપવો જોઈએ, કેમ કે ભાવવિજયગણિ વિરચિત શ્રી અન્તરિક્ષપાર્શ્વનાથમાહાન્ય કે જે અંતરિક્ષના ઈતિહાસમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે, તે છપાઈ ગયું હોવા છતાં ઘણો ઘણો પ્રયત્ન કરતાં પણ કોઈ સ્થળેથી પ્રાપ્ત થઈ શક્યું નહોતું તે તેમની પાસેથી મળ્યું હતું. અને જ્યારે જ્યારે દાર્શનિક અધ્યયન અને સંશોધનમાં અમને કોઈ પણ પુસ્તકની જરૂર પડે ત્યારે ત્યારે અલભ્ય અને કિંમતી પુસ્તકો પણ વડોદરાની રાજકીય લાયબ્રેરીમાંથી વિના સંકોચે તેમણે પૂરાં પાડ્યાં છે. આ તેમનું સૌજન્ય જ છે.
આ તીર્થ ઉપર પૂર્ણ ભક્તિની યથાશક્તિ યથામતિ શોધ કરીને આ તીર્થનો ઈતિહાસ આલેખવા પ્રયત્ન કર્યો છે, છતાં તેમાં જ અપૂર્ણતા રહી ગઈ હોય તેને વિદ્વાન સંશોધકો પૂર્ણ કરવા પ્રયત્ન કરશે એવી આશા રાખીએ છીએ.
અંતે દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથભગવાનને ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં જ વિજ્ઞપ્તિ કરીને સમાસ કરીએ છીએ. - ટૂર ? વાવ પાસની भवदुःखका फंदा, वाचक यश कहे दासकुं दीजे परमानंदा ॥ मेरे साहिब तुम ही हो प्रभु पार्श्वजिणंदा ॥
શ્રી પાર્વનિને પ્રાર્થના (તરિત ઇન્ટ) जयजिनेश्वर पार्श्व ईश्वर, नमन में करूं, श्री शंखेश्वर । अमीझरा प्रभु पार्श्वनाथने । करु में प्रार्थना जोड हाथ ने ।टेर। चिन्तामणि प्रभु, गोडीपासने, मगसी-पास दो. दर्श दासने। अन्तरीक्ष जिन, श्री जीराउला, अवन्ति पार्श्वजी कीजिये भला । मुक्ति को निवास, दो अनाथ ने ।क०।१।" वरकाणा वही, पार्श्व नामको । सुमरता लहे, सुक्ख धामको। नाकोरा नाथजी, ध्यावता सदा । करेडा पार्श्वजी, मेटे आपदा । वरोडा पार्श्वजी, नित्य ही थने ।क०।२। आहोर के प्रभु, दीपता घणा । अनेक तीर्थ है, पार्श्वजी तणा। महिमा है घणी, वामानन्द की । जपता सुघडी, ले आनन्द की । दिल से मैं जपुं, जाणी स्वार्थ ने ।क०।३। मान कमठ को, गाल्यो तातजी, नाग इन्द्र होय आपने भजी। सूरीश्वर राजेन्द्रजी । दीन के दयाल, तारो यतीन्द्रजी । अब नही तजूं, मोक्ष साथ ने। क० ।४।
Page #55
--------------------------------------------------------------------------
________________
| નમ : શ્રી મન્તરિક્ષાર્શ્વનાથાય છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થ વિષે એક મહત્વનો પ્રતિમાલેખ
જવલંત પુરાવો શ્રી અતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાતીર્થસંબધી ઐતિહાસિક માહિતિ બની શકે તેટલાં સાધનોદ્વારા મેળવીને વિસ્તારથી હું જણાવી ચૂક્યો છું, કે જેનાથી વાચકો સુપરિચિત છે. આ પ્રકરણમાં તેની જ પૂર્તિરૂપે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ સંબંધમાં મળી આવેલો એક મહત્ત્વનો ઘાતુનાં પ્રતિમાજી ઉપર કોતરેલો લેખ આપવામાં આવે છે.
સંવત ૨૦૦૬ માં અમારું આકોલામાં ચાતુર્માસ હતું, ત્યાંથી વિહાર કરી બાલાપુર, શેગાંવ, ખામગાંવ, મલકાપુર તથા બુનપુર થઈ અહીં જલગાંવમાં આવવું થયું. વચમાં બુહનપુર કે જે આજથી ત્રણસો વર્ષ પૂર્વે જૈનોનું મોટું કેન્દ્ર હતું અને જ્યાં અઢાર જિનાલયો હતાં ત્યાં આજે વસ્તી ઘટી જવાથી બધાને ભેગા કરીને એક ભવ્ય જિન મંદિર બાંધવામાં આવ્યું છે, ત્યાંના બધા પાષાણ તથા ધાતુના પ્રતિમાજી ઉપરના લેખો નોંધ્યા કે જે ઐતિહાસિક દષ્ટિએ ઘણા ઉપયોગી છે. તે જ પ્રમાણે અહીં આવીને પણ અહીંના પાષાણના શ્રી વાસુપૂજ્ય સ્વામીના ભવ્ય જિનાલયમાંની મૂર્તિઓ ઉપરના લેખોનોધતા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના ઉલ્લેખવાળો એક મહત્વનો લેખ એક ધાતુનાં પ્રતિમાજી ઉપર મળી આવ્યો અને મારા આનંદનો પાર રહ્યો. એલેખનીચે મુજબ છે:
संवत १७०५ वर्षे फागुणवदि ६ बुधे श्री अवरंगाबाद यवास्तव्यप्राग्वाटज्ञातीयदृग्र (?) - शास्त्रायां सा० अमीचंदभार्या बाइ इंद्राणिनाम्न्या स्वकुट (टुं) बश्रेयसे स्वकारितप्रतिष्टायां श्रीवासुपूज्यजिनबिम्बं कारितं प्रतिष्ठितं च तपागच्छाधिराज श्रीविजयसेनसूरीश्वरपट्टालंकारभट्टारकश्रीश्रीश्रीविजयदेवसूरिभिः श्रीअंतरिक्षपार्श्वनाथ प्रतिमालंकृतश्रीसिरपुरनगरे ॥ शुभं भवतु ॥ श्री ॥ | ભાવાર્થ “વિક્રમ સંવત ૧૭૦૫નાફાગણવદિકને બુધવારેગાબાનાવતની પોરવાડ જ્ઞાતિના ગ્ન (?) શાખાના અમીચન્દ્રની પત્ની ઈંદ્રાણી નામની બાઈએ પોતાના કુટુંબના કલ્યાણના માટે પોતે કરાવેલી પ્રતિષ્ઠામાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબકરાવ્યુંઅનેતપાગચ્છાધિરાજશ્રીવિજયસેનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરીએ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાથી અલંકૃત સિરપુરનગરમાં તેની પ્રતિષ્ઠા કરી.”
ઉપરના લેખમાં એમ જણાવ્યું છે કે સં. ૧૭૦૫ માં ઔરંગાબાદના વતની અમીચંદ નામના શ્રાવકની પત્ની ઈદ્રાણી નામની શ્રાવિકાએ શ્રી વિજયદેવસૂરિજી મહારાજને હાથે અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થમાં એ ધાતુના પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આથી એ વાત સિદ્ધ થાય છે આજથી ત્રણસો વર્ષ પૂર્વે શ્વેતાંબરોનો જ ત્યાં અધિકાર હતો. ઔરંગાબાદમાં તે વખતે જૈનોની ગણી મોટી વસ્તી હતી. ત્યાં દેરાસરો પણ ઘણાં હતાં તેમજ ત્યાં અનેક મોટા મોટા આચાર્યાદિ મુનિરાજોના ચાતુર્માસ થતાં હતાં. અંતરિક્ષજી તીર્થથી (શિરપુરથી) ઔરંગાબાદ ૧૨૦ માઈલ જ દૂર છે. સંભવ છે કે શ્રી વિજયદેવસૂરિશ્વરજી મહારાજ ઔરંગાબાદથી અંતરિક્ષજી પધાર્યા હોય અને ત્યાં ઔરંગાબાદથી આવેલા શ્રાવકોએ તેમને હાથે પ્રતિષ્ઠા કરાવી હોય.
આ ધાતુનાં પ્રતિમાજી શિરપુરથી (અંતરિક્ષથી)અહીં જલગાંવમાં શી રીતે અને ક્યારે આવ્યા તે કંઈ કહી શકાતું નથી, કેમકે સામાન્ય રીતે ધાતુની મૂર્તિઓ “ચલ” હોવાથી એક
પ૩
ના રોજ
. તો
આ થી આંતરિક્ષ પાર્શ્વનાથ
હા
8 -
-
Page #56
--------------------------------------------------------------------------
________________
સ્થાનેથી બીજે સ્થાને ગમે ત્યારે લઈ જવામાં આવે છે.
આજે શ્વેતાંબર–દિગંબરોનો ઝધડો ઉપસ્થિત થયો ત્યારથી પ્રત્યેક વખતે શ્વેતાંબરો એકાદ મૂર્તિ પણ અતંરિક્ષજીના દેરાસરમાં પધરાવે તે સામે દિગંબરો વાંધો ઉઠાવતા આવ્યા છે. અને આજથી ચાલીશ વર્ષ પહેલાં પૂજ્યપાદશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સંઘ લઈને ત્યાં પધાર્યા હતા ત્યારે ત્યાં સંઘ રોકાય તેટલા થોડા દિવસ પૂરતી જ સંઘમાં સાથે લાવેલ મૂર્તિને પધરાવવા સામે પણ દિગંબરોએ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો અને ઘણું મોટું તોફાન મચાવ્યું હતું અને છેવટે બધો તોફાની મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો; પણ ઉપરના લેખનાં લખાણથી સ્પષ્ટ જોઈ શકાય છે કે શ્વેતાંબરોનો એ તીર્થ ઉપર અબાધિત અધિકાર હતો અને ત્યાં બીજા પ્રતિમાજી પણ ઈચ્છાનુસાર પધારાવવામાં આવતા હતા. આ દૃષ્ટિએ જોતાં આ લેખ અંતરિક્ષજી તીર્થના સંબંધમાં ઘણો મહત્વનો અને ઉપયોગી છે.
सं २००७ फाल्गुन वद ८
श्री ऋषभजिन जन्म दीक्षाकल्याणक
मु. जलगांव (पूर्व खानदेश )
मुनिराज श्री भुवनविजयान्तेवासी मुनि जम्बूवियज
श्री अंतरिक्षपार्श्वनाथस्तोत्रम ॥
उपजातिवृत्तम ।
11311
श्रीपार्श्वनाथं भुवि सुप्रसिद्धं, वैदर्भदेशे सुविशालकीर्त्तिम् । अस्पृष्टभूमि सुयथार्थनामं, श्री अंतरिक्ष शिरसा नमामि ||१|| विभूषितं श्रीपूरमध्यभागं, पातालगर्भगृहसंस्थितं यः 1 अनेक भक्तार्पितभक्तिपुष्पं, श्री अंतरिक्षं शिरसा नमामि लक्ङापतेर्बाहु विभूषित यत, बिम्बं जिनेन्द्रस्य सुभूतकाले । चमत्कृतिर्यस्य जने प्रसिद्ध श्रीअंतरिक्ष शिरसा नमामि वाराणसी यस्य सुजन्मभूमि- र्वामाकुले सूर्य इव प्रदीपः । पूज्यं मनोवाच्छितपूरकं तं, श्री अंतरिक्षं शिरसा नमामि ॥४॥ फणीन्द्रविस्फारितमातपत्रं, शुशोभितं सुंदरश्यामवर्णम् आकृष्टभक्तालिमुखारविन्दं, श्री अंतरिक्षं शिरसा नमामि 11411 सत्योपदेष्टा कमठस्य पार्श्वो, मन्त्रामृतेनोद्धरितः फणीन्द्रः । सुरेन्द्रसंपूजित देवदेवं, श्री अंतरिक्षं शिरसा नमामि ॥६॥ धर्मोपदेष्टा भुवि भाविकानां तीर्थकरः संघविधायको यः । धर्मस्य संस्थापक धर्ममूर्ति, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥७॥ भक्तस्य वाञ्छा भुवि भाग्यलक्ष्मी - विधायको यः परमार्थसिद्धेः । मोक्षस्य दाता परमं पवित्रं, श्री अंतरिक्षं शिरसा नमामि ॥८॥
1
- बालेन्दु
श्री अन्तरिक्षपार्श्वनाथ जिनेश्वेर स्तवन
( राग- जब तुम ही चले परदेश...)
श्री अन्तरिक्ष प्रभु पास, पूरो हम आश । स्वामी सुखकारा, सेवक का करो उद्धारा ॥
શ્રી અંરિક્ષ પાર્શ્વનાથ
||२||
Page #57
--------------------------------------------------------------------------
________________
विदर्भदेश के शिरपुर में, तुम जाकर बैठे दूर-दूरमें।
તુમ ટર્શન ો ગાયા હૂં નિનની વાર.... સેવ ? तुम सेवामें मैं आया हूँ, महापुण्य से दर्श पाया हूँ।
आनंद हुआ है दिल में आज अपारा....सेवंक० २ तुम मूर्ति अद्धर रहती है, अति चमत्कार चित्त देती है ।
तुम महिमा जग में सोहे अपरंपारा....सेवक० ३ प्रभु तुमने रोग मिटाया है, श्रीपाल को कोढ हटाया है ।
मुज दुःख हरो करुणारस के भंडारा....सेवक० ४ तुम नामको नित्य समरता हूँ, करजोड़ के विनति करता हूँ।
जंबूको है प्रभु तेरा एक सहारा....सेवक० ५
रचयिता- मुनिराजश्री जंबूवियजजी महाराज
શ્રી અંતરિશ્રપાર્શ્વનાથ છંદ મધ્ય ભારતે વિદર્ભ દેશે શ્રીપુરનગરીનો રાણો, ભવભયવારેક જગજનતારક પાપવિદારક સુહામણો; ભકત મનોવાંછિત પૂરક જે સંશક છેદક ભવિ મનના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષજી અધર બિરાજે મનહરણા. 11 કલિકાલે એ અદ્ભૂત દીપે ચમત્કાર ગુણ ભય દિસે, જસ તોલે નહીં અન્ય તીર્થ કોઈ દર્શન કરતા મન હસે; મુખમંડલ જસ અતિ મનોહર નયન સુહંકર સુહાગણા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ||ર ભજતા જેને નેત્ર ઉઘાડે બંધન તૂટે બંધીતણા, પુત્રપૌત્રની આશા પૂરે દુ:ખ મટે રોગી જનના; ભકતોનું દારિદ્રય નિવારે મનવાંછિત પૂરે સહુના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં, અધર બિરાજે મનહરણા. ૩ દશ દિશિમાં જસ કીર્તિ સુગંધી પ્રસરી અનુપમ અવનીમાં, ભકતમધુ૫ ગુંજારવ કરતા દોડી આવે જસ પદમાં; મન આનંદ ન ભાવે જોતાં મુખ પ્રમુદિત થાઓ સહુના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૪ દૂષિત જાણી ધરા પરવશા અધર બિરાજે મહાપ્રભુ, જગજન દુ:ખો નિવારવાને અવતરિયા છે એહ વિભ; પાપીજન ઉદ્ધરે પ્રભુના પ્રભાવથી આ અવનીમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા ૫ વિવિધ નામધારી બહુ દેશે પૂજાએ પારસ દેવા, સ્પર્શ થતાં જ સ સુવર્ણ થાએ ભકત-લોહ ફળતી સેવા; એવા પ્રભુના નામ ઘણા છે ભકત ઘણા દેવેંદ્રતા, . .
. . લોથી અંતરિક્ષ પા - એક
Lપપ
Page #58
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા /૬ ખરદૂષણ રાજાએ નિમ ભાવી જિનની એ પ્રતિમા, કે ઈક વસરો જલમાં રહીને પ્રગટ થઈ આ અવનીમા; ઈલ નૃપતિએ : ભાવભકિતથી લાવી અદભુત એ રથમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા //૭ શંકા જાગી નૃપતિ ચિત્તમાં સ્થિર થયા પ્રભુ શ્રીપુરમાં, મંદિર બાંધ્યું મનમાં રાખી ગર્વ ન બેઠા પ્રભુ એમાં; સંઘે બાંધ્યું સુંદર મંદિર ભૂગર્ભે કીધી રચના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર , બિરાજે મનહરણા. ૧૮ આવો વામાનંદનકેરા દર્શન કરવા સહુ આવો, પૂજન ભજન કરીને લેજો માનવ જન્મતણો લ્હાવો; તારણતરણ ભવિકજનના એ અન્ય ન દીસે આ જગમાં, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૯ શ્યામસુંદર મૂર્તિ અલૌકિક ફણિધર શિર પર છત્ર ધરે, અર્ધ કરી પદ્માસન બેઠા ભકતજનોના ચિત્ત હરે; સફલ ગણે નિજ નેત્ર ભકતજન દર્શન કરી પ્રભુ પાસતણા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૧૦ મુકુટ કુંડલાલકૃતિથી મુખમંડલ રત્ન તિલક સોહે, સ્વર્ણઘટિત મણિ મુકતાફલના હાર કંઠમાં મન મોહે; બાલેન્ડ નતમસ્તક થઈને ભાવે ગાવે ગુણ જિનના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૧૧
---શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર'
पार्श्वनाथ स्तवन जेने पारसनाथ सहाई, तेने शत्रु करे शं भाई ॥ टेर ॥ उपसर्ग विलय सह जावे वली रोग सोग नही आवे । भूत प्रेत भगाई, तेने शत्रु करे | भाई ॥जेने.॥१॥ विषधरनो विष विणसे, शुभ मंगलवल्ली विकसे ? नाम जपो सुख दाई, तेने शत्रु करे | भाई ॥जेने.॥२॥ श्री शंखेश्वर सुखकार, नमो पंचासर सांधार भीडभंजन हृदये लाई, तेने शत्रु करे शुं भाई ॥जेने.॥३॥ अमीझरो मन मोहे. पल्लविया प्रभु सोहे । वंदु जीरावले जाई, तेने शत्रं करे शुं भाई ॥जेने.॥४॥ वरकाणो गोडीपास, भीलडीया पूरे आस । गांव करेडा मांई तेने शत्रु करे शुं भाई ॥जेने.॥५।। नाकोडा नजर निहाळी, फलवर्द्वि पापने टाली। वंदु नवखंड निधि पाई, तेने शु४ करे | भाई ॥जेने.॥६॥ मगसी मालव देशे, जगी सहस फणा सुविशेष । अवंति - उज्जेणी आई, तेने शत्रु करे शुं भाई ॥जेने.॥७॥ थंभणो ने अंतरीक, कलिकुंड हरे पाप तणी बीक पोष दशमी वंदो जाई, तेने शत्रु करे शुं મારૂં નેને.Iટા ગત દ્રિ-નવ-રૂ-એ, સંવત વાદ્યા નિઃશવે સૂરસાનેન્દ્ર કુવા, तेने शत्रु करे शुं भाई । जेने पारसनाथ सहाई ॥जेने.॥९॥
Page #59
--------------------------------------------------------------------------
________________
听听听听听
听听听听听听听
___३५. स्वयंवर मंडप बना दीक्षा मंडप हिन्दी कहानियाँ 卐 ३६. सम्यग्दर्शन
हिन्दी विवेचन ३७. नमस्कार महामंत्र
हिन्दी विवेचन ३८. साधु प्रतिक्रमण
हिन्दी ' संपादित ३९. मुक्ति महल का राजमार्ग हिन्दी दान, शील, तप,
भाव पर विवेचन ४०. श्री दशवैकालिक सार्थ
हिन्दी ४१. श्री गच्छाचार पयत्रा
श्री राजेन्द्रसूरि कृत विवेचन संपादित काम व मोह विजेता
हिन्दी चिंतन तृतीय आवृति ४३. प्राथमिक ज्ञान माला
हिन्दी बालकोपयोगी प्रश्नोत्तर श्रमणोपासक
हिन्दी व्रत स्वरूप समाधान की किरणें
हिन्दी साध्वाचार प्रश्नोत्तरी श्री द्वादशचक्री चरित्र
संस्कृत संकलन वाचक यश वाणी
हिन्दी स्तवन भवचक्र की विचित्रता
हिन्दी कहानियाँ नवपद देववंदन विधि
हिन्दी संपादित ५०. श्री चम्पकमाला चरित्र भाषांतर हिन्दी संपादित ५१. तीर्थयात्रा
हिन्दी कहानियाँ विडंबनादायक विधवा विवाह हिन्दी निबंध दिशादर्शक
हिन्दी प्रश्नोत्तरी अरिहंतने ओळखो
गुजराती चिंतन परमार्थ पच्चीशीओ
गुजराती
दोहा वहोराववानी विधि
गुजराती निबंध आजादी से संस्कार रक्षा हिन्दी कहानियाँ षडावश्यक प्रश्नोत्तरी भाग-१ हिन्दी प्रश्नोत्तरी क्षमामूर्ति
हिन्दी कहानी शिवसुंदर
हिन्दी कहानी रत्नाकर पच्चीसी
हिन्दी संपादित समाधान प्रदीप
हिन्दी संपादित स्त्री स्वातंत्र्य
गुजराती संपादित लावण्य कोमल स्वाध्याय सुधा हिन्दी संपादित श्री पार्श्वनाथ स्तवनावली
हिन्दी संपादित प्रगतिनुं प्रथम पगथियु
गुजराती मार्गानुसारि जावन ३७. चलो चले अंधकार से प्रकाश की ओर हिन्दी चर्चा ३८. चालो जोइए अंधकार क्यां, प्रकाश क्यां गुजराती चर्चा ३९. गर्भपात
गुजराती संपादित ७०. बंधनमुक्ति
गुजराती विवेचन आधुनिकता के चाहक सोचे विचारे हिन्दी संपादन ७२. भक्तामर स्तोत्र कथा सहित गुजराती संपादित
पंच प्रतिक्रमण विधि सहित हिन्दी संपादित तपाराधना
गुजराती
संपादित
Page #60
--------------------------------------------------------------------------
________________ 76. 78. हिन्दी गुजराती सामायिक चैत्यवंदनादि सूत्रार्थ सहित गुजराती चैत्री पूर्णिमा विधि हिन्दी संपादित 77. धनंजय नाममाला हिन्दी संपादित एक सौ आठ महाभिषेक हिन्दी पूजा. 79. समाधान प्रकाश भाग-१ हिन्दी प्रश्नोत्तरी सिन्दुर प्रकर गुजराती विवेचन क्या मार्गे जq छ ? गुजराती विवेचन चालो विचारीए आपळे क्या ? गुजराती संपादित श्री नवस्मरण हिन्दी संपादित श्री राजेन्द्रसूरी वचनामृत संपादित अरिहंत को पहचानो हिन्दी चिंतन तीर्थयात्रा गुजराती कहानियाँ विधवा विवाह गुजराती चिंतन कामो विजेता जगतो विजेता गुजराती चिंतन श्रमणोपासक गुजराती कहानियाँ सुतक विचार गुजराती संपादित वांचो विचारो वर्तनमां उतारो लेखसंग्रह जिनवाणी उत्तरे जाणी गुजराती प्रश्नोत्तरी दिशा दर्शक गुजराती प्रश्नोत्तरी 94 धून लगाओ रंग जमाओ हिन्दी स्तवनादि ज्ञान क्रियाभ्यां मोक्षः संस्कृत संकलन शाश्वत सुखनीचावी गुजराती लेखसंग्रह 97. समाधाननी किरणों गुजराती प्रश्नोत्तरी समाधान प्रकाश भाग-२ हिन्दी प्रश्नोत्तरी देवसिय-राई प्रतिक्रमण सूत्र हिन्दी सत्य की खोज हिन्दी प्रश्नोत्तरी श्री नेमिनाथ चरित्र पत्राकार गुजराती भाषांतर दीपावली पूजन गुजराती संकलन 103. श्री गौतम गुरु गुण इक्कीसा गुजराती 104. आलोचना दीपिका हिन्दी 105. कटाक्ष किरणें गुजराती चिंतन 106. समाधान प्रकाश भाग-१ गुजराती प्रश्नोत्तर 107. श्री राजेन्द्र सूरि गुणाष्टक हिन्दी संकलन 108. आत्म संदेश हिन्दी लोकार्थ 109. श्री अन्तरिक्ष पार्श्वनाथ गुजराती संपादन 110. श्री सीमंधरजिन स्तवन सार्थ हिन्दी - पुस्तक प्राप्ति हेतु प्रति पुस्तक दो रुपये का स्टेम्प निम्न पते पर भेजने से स्टॉक में होगी तो भेजी जाएगी। (नं. 38, 40, 41 नही.) साधु साध्वीओं को सभी पुस्तकें भेंट भेजी जायेगी. 1. श्री आदिनाथ राजेन्द्रजैन पेढ़ी, साँथू-३ 2. शा. देवीचंद छगनलाल, सदर बाजार, 3. नागालाल वजाजी खींवसरा, शांति वि काजी का मैदान, सूरत. 卐 यह पुस्तकें अप्राप्य है। 98. 0000 पारी प्रिन्टस, 251, ताजापती भार्ग, माय, ध्यपुर-39300१0: 411 029