Page #1
--------------------------------------------------------------------------
________________
43 આનંદઘનની આત્માનભૂતિ
Page #2
--------------------------------------------------------------------------
________________
God is the Perfect Poet, who in his Person acts his own
Creation.
Page #3
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિ ગુરુભ્યો નમઃ
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું - ૮૦ અલગારી અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ પ્રણીત પદ પર પરિશીલન
આનંદઘનની આ માનુભૂતિ
(ચતુર્થ પદ)
/
T પરિશીલનકાર LT
પ્રાચીન શ્રતોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય
પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ
હે પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
Page #4
--------------------------------------------------------------------------
________________
પુસ્તકનું નામ : આનંદઘનની આત્માનુભૂતિ મૂળ કૃતિ : અલગારી અવધૂત પ. પૂ. આનંદઘનજી મહારાજ પ્રણીત ચતુર્થ આધ્યાત્મિક પદ
વિષય : અનુભવ પ્રીત વિશેષતા : આત્માનુભૂતિના અગોચર શિખરોને સર કરવા માટે, પ્રીતિ અને ભક્તિના માધ્યમે અનુભૂતિ તરફ ઢળવા માટે,
શાંતિ અને સમાધિને આત્મસાત્ કરવા માટે એક ઉપાદેય આલંબન
વિ. સં. ૨૦૬૭ • પ્રતિ ઃ ૨૦૦૦ • મૂલ્ય : ૧૦૦/
પ્રાપ્તિ સ્થાન : 1) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા .. દુ.નં.6, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-400 002. ફોન : 22818390, Email : devanshjariwala@gmail.com 2) શ્રી અક્ષયભાઈ શાહ .. 506, પદ્મ એપાર્ટ, જૈન મંદિર કે સામને, સર્વોદયનગર, મુલુંડ (પ.). મો. : 9594555505, Email : inshasan108@gmail.com 3) શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા .. સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-5. મો. 9426585904, Email : ahoshrut.bs@gmail.com 4) શ્રી મેહુલ જે. વારયા .. 401, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, હનુમાન ચાર રસ્તા, સ્ટેટ બેંક ની ઉપર, ગોપીપુરા, સુરત-395 001. મો. : 9374717779, Email : mehuljvaraiya@gmail.com 5) શ્રી દિનેશભાઈ જૈન .. રૂમ નં.૮, પહેલે માળે, ૯, મલ્હાર રાવ વાડી, દાદીશેઠ અગિયારી લેન, કાલબાદેવી રોડ, મુંબઈ-400 002. મો.: 7738500031 6) પરેશભાઈ શાહ .. A202, શિવકૃપા, લયમીનારાયણ મંદિરની સામે, મથુરાદાસ રોડ, કાંદિવલી (૫.), મુંબઈ - 400 062. મો. 9820017030 7) મલ્ટી ગ્રાફિક્સ .. 18, Khotachi Wadi, Vardhaman Bldg., 3rd Floor, V. P. Road, Prathana Samaj, Mumbai - 4. Ph.: 23873222 23884222. E-mail : support@multygraphics.Com
Design & Printed by: MULTY GRAPHICS... www.multygraphics.com
(c) Copyright held by Publisher & Author under Indian copyright act, 1957. http://copyright.govt.in/documents/copyright rules 1957.pdf
Un Ede
Page #5
--------------------------------------------------------------------------
________________
जिन मन्दिर-जल मन्दिर-जीव मन्दिर का पुण्य प्रयाग अर्थात्
पावापुरी तीर्थ जीवमैत्रीधाम
SPONSOR (સુકૃત સહયોગી)
વિશ્વવિખ્યાત શ્રી પાવાપુરી તીર્થ-જીવમૈત્રી ધામ નિર્માતા શ્રી કે. પી. સંઘવી પરિવાર...
આત્માનુભૂતિની આ યાત્રામાં આપે અનેકોને સહયાત્રી બનાવ્યા, એના પરમ પુણ્યથી આપની અધ્યાત્મયાત્રા અવિરત બને એ જ અંતરની શુભેચ્છા.
K. P. SANGHVI GROUP
Name of the Entity
K. P. Sanghvi & Sons Sumatinath Enterprises
K. P. Sanghvi International Limited KP Jewels Private Limited Seratreak Investment Private Limited K. P. Sanghvi Capital Services Private Limited K. P. Sanghvi Infrastructure Private Limited
KP Fabrics
Fine Fabrics
King Empex
Page #6
--------------------------------------------------------------------------
________________
love
love 'નિમંત્રણમ્. નિશકાયાત્રાનું.. સુહાગણને અખંડ સૌભાગ્યવતી બનાવવાની
એક દિવ્ય પ્રક્રિયા... અખંડ દીપકના પ્રાકટ્ય દ્વારા અનાદિના અંધકાર ઉલેચવાની
એક પરમ પ્રતિક્રિયા... 'પ્રેમતીરથી વીંધાઈને અમર બની જવાની એક શાસ્ત્રીય શસ્ત્રક્રિયા...
એટલે જ 'પ્રસ્તુત પદનું પરિશીલન. આ એક નિરાકારયાત્રા છે. અવધૂત યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ એમાં જોડાવા માટે
આપણને નિમંત્રણ આપી રહ્યા છે...
ચાલો, સામેલ થઈએ...
- આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ
Page #7
--------------------------------------------------------------------------
________________
Love
alone
can transform the
world.
सुहागण ! जागी अनुभव: प्रीत सुहागण ! जागी अनुभव प्रीत, निन्द अनादि अग्यान की मिट गई निज रीत... १
सुहागण ! जागी अनुभव प्रीत....
घट मंदिर दीपक कियो
सहज सुज्योति सरूप,
आप पराई आप ही,
ठानत वस्तु अनूप... २
सुहागण ! जागी अनुभव प्रीत....
कहाँ दिखावुं और कुं?
कहाँ समजाउं भोर ?
तीर
अचूक है प्रेम का, लागे सो रहे ठोर... ३
सुहागण जागी अनुभव प्रीत....
नादविलुद्धो प्राणकुं. गिने न तृण मृगलोय :
आनंदघन प्रभु प्रेम की,
अकथ कहानी कोय...४
सुहागण जागी अनुभव प्रीत....
10
Page #8
--------------------------------------------------------------------------
________________
सुहागन ! जागी अनुभव प्रीत सुहागन ! जागी अनुभव प्रीत, निन्द अनादि अग्यान की मिट गई निज रीत....१
सुहागन ! जागी
अनुभव प्रीत.....
Bewa
& nearer than hands & feet.
Closer is he than breathing
Page #9
--------------------------------------------------------------------------
________________
સૌભાગ્યવતી ! આત્માનુભૂતિ સાથે પ્રીતિ જાગૃત થઇ છે. અનાદિ કાળથી જે અજ્ઞાનરૂપી નિદ્વા હતી, તે પોતાની રીતે જ દૂર થઈ ગઈ છે. ||૧||
નિદ્રા અને જાગૃતિ આ બે વસ્તુ એવી છે, કે જેમાંથી એકની હાજરીમાં બીજી વસ્તુ અવશ્ય ગેરહાજર હોય છે. શાસ્ત્રીય પરિભાષામાં એને પરસ્પરપરિહાર કહેવાય. નિદ્રાની હાજરી થાય, એટલે જાગૃતિની ગેરહાજરી થાય જ. અને જાગૃતિ હાજર થાય, એટલે નિદ્રાને દૂર થયે જ છૂટકો છે.
પ્રસ્તુતમાં જાગૃત બની છે આત્માનુભૂતિની પ્રીતિ અને નિદ્રા છે અનાદિકાલીન અજ્ઞાનની. એક વાર આત્માનુભૂતિની પ્રીતિ જાગે, એટલે અજ્ઞાનનિદ્રા એક ક્ષણ માટે પણ ન ટકી શકે. સાચી પ્રીતિ એટલે અકૃત્રિમ અભિરુચિ. સાચી પ્રીતિ એટલે આંતરિક અભિલાષા. સાચી પ્રીતિ એટલે સહજ સ્પૃહા.
પ્રીતિ જાગે શી રીતે? કઈ વ્યક્તિ પ્રિય બની શકે? એ અંગે શાસ્ત્રકારોએ ખૂબ માર્મિક નિરૂપણ કર્યું છે...
प्रियवाचा प्रियः कश्चित्, प्रियदानेन चापरः । मन्त्रमूल्यादिना कश्चित्, यः प्रियः प्रिय एव सः ।।
કોઇ પ્રિય બને છે, તેનું કારણ હોય છે, તેના દ્વારા બોલાતું પ્રિય વચન. કોઇ પ્રિય બને છે, બીજાને પ્રિય વસ્તુ આપવાથી. કોઇ વળી મંત્ર-ઔષધિનો પ્રયોગ કરીને પ્રિય થાય છે. પણ જે પ્રિય છે... કોઈ બાહ્ય નિમિત્ત વિના ય સહજપણે ગમે છે, એ તો સદા માટે ‘પ્રિય’ જ રહે છે.
બાહ્ય વસ્તુના કારણે જાગેલી પ્રીતિનું આયુષ્ય લાંબુ હોતું નથી. સકારણ કે નિષ્કારણ એ પ્રીતિ ખંડિત થાય છે.
ગોરી ચામડીના આધારે થયેલા ‘લવ મેરેજ’ ત્યારે તૂટી જાય છે, જ્યારે દાઝી જવાના કારણે ચામડી કોલસા જેવી કાળી થઇ જાય છે. આને કહેવાય ઔપાધિક પ્રીતિ. દુન્યવી બધી પ્રીતિ આ પ્રકારની હોય છે.
એક પત્નીએ પતિને પૂછ્યું, “પહેલા તમારા ઘણા મિત્રો આપણા ઘરે આવતા હતા. હવે બહુ ઓછા આવે છે, એનું કારણ?’” “તારે તો સારું જ છે ને? તારે ચા-પાણીની સરભરા ઓછી કરવી પડશે.’’
“તમે હું પૂછું છું, એનો જવાબ આપો.”
“જો વાત એવી છે ને... કે સાચી પરિસ્થિતિ જાહેર થયા બાદ આટલા પણ આવશે કે નહી, એ પ્રશ્ન છે.” “કેમ? શું થયું?”
‘ધંધામાં ભયંકર નુકશાની થઇ છે. દેવાળુ નીકળવાની લગભગ તૈયારી છે.’’
“એમ?’’ ‘‘હા.’’
‘‘તો તો હું ય જાઉં છું મારા પિયરે. મારા પપ્પા સાચું જ કહેતા હતા, કે આની સાથે લગ્ન કરવા જેવા નથી.’’
‘મેડ ફોર ઇચ અધર’નો આડંબર, પ્રાણ પણ ન્યોચ્છાવર કરી દેવાની મોહક વાતો, ‘તમારા વિના તો હું જીવી પણ ન શકું’ એવું બોલવા સાથે ગળગળા થઈ જવાનો અભિનય... આ સર્વ ઔપાધિક પ્રીતિ છે. તે પ્રીતિ નથી તો સાચી હોતી, કે નથી તો શાશ્વત પણ હોતી. ધન, રૂપ, સત્તા વગેરે ‘ઉપાધિ’ (બાહ્ય નિમિત્ત) દૂર થાય, એની સાથે આ ઔપાધિક પ્રીતિ ઓગળી જાય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
be
Loven Sho
swe
It's actual
સાચી પ્રીતિ એટલે અકૃત્રિમ અચિ સાચી પ્રીતિ એટલે આંતરક અભિલાષા. સાચી પ્રીતિ એટલે સહજ સ્પૃહા
For F& Putral Use Only
rheartjg
you
Page #11
--------------------------------------------------------------------------
________________
'આધાર (માટલું) નષ્ટ થાય, એટલે આધેય (પાણી)ને જો આત્માનું મૃત્યુ થાય, તો શુદ્ધ ચેતના વિધવા બને. વાના થયે જ છટકો છે. તેમ ઉપાધિ દર થાય. એટલે એનું સૌભાગ્ય નંદવાઈ જાય. પછી એને સહાગણ ન કહી
પાધિકને જતા રહેવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી. શકાય. પ્રસ્તુતમાં આનંદઘનજી મહારાજે અત્યંત ગર્ભિત માટે જ આનંદઘનજી મહારાજે શ્રી ઋષભદેવના સ્તવનમાં ' રીતે ‘સુહાગણ’ શબ્દમાં અગાધ તથ્યો મુકી દીધા છે. શુદ્ધા કહ્યું છે -
'આત્મચેતના હવે સદા માટે ‘સુહાગણ’ રહેવાની છે, કારણ કે પ્રીત સગાઇ જગમાં સહુ કરે રે, પ્રીત સગાઇ કોય,
'એની વિધવા બનવાની શક્યતા જ નાબૂદ થઇ ગઇ છે... કેમ? પ્રીત સગાઇ નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય...
जागी अनुभव प्रीत ' પ્રીતિ તો નિરુપાધિક હોવી જોઈએ. બાહ્ય વસ્તુ સાથેની
ને આત્માનુભૂતિ સાથે નિરુપાધિ પ્રીતિ જાગી છે. જે પ્રીતિ 'પ્રીતિ બાહ્ય નિમિત્ત વિના થતી નથી. માટે એ પ્રીતિ ઓરાધિક
| શાશ્વત છે. આ પ્રીતિ સ્વભાવ-રમણતાની દિશામાં સતત હોય છે. નિરુપાધિક પ્રીતિને બાહ્ય નિમિત્તની કોઇ આવશ્યકતા
પ્રગતિ કરાવ્યા વિના રહેતી નથી. માટે હવે આત્માનું ભાવમૃત્યુ નથી. માટે જ તો એને ‘નિરુપાધિ’ કહેવાય છે. આવી પ્રીતિ
'થાય, એ સંભવિત જ નથી. કારણ કે હવે વિભાવગમનનો આંતરિક તત્ત્વ સાથે સંભવિત છે, જે તત્ત્વ છે ‘આત્માનુભૂતિ’.
અવકાશ રહ્યો નથી. આ રીતે આત્મા અમર બની જાય છે, તેથી ' આત્માનુભૂતિ પ્રત્યે પ્રીતિ જાગી છે, આ વાત અવધૂત
'શુદ્ધ ચેતના ખરેખર સુહાગણ બને છે. આનંદઘન કોને કહી રહ્યા છે? પદનો પ્રથમ શબ્દ જુઓ...
શંકા :- આત્મા તો અમર છે જ. ‘ો સારો ‘સુહાગણ !” આ એક રહસ્યમય સંબોધન છે. જેનો પતિ
ગપ્પા' જેવા આગમવચનો આત્માને નિત્ય જણાવે છે. તો જીવિત હોય, એવી સ્ત્રીને સુહાગણ = સૌભાગ્યવતી કહેવાય પછી આત્માનું મૃત્યુ શી રીતે થઇ શકે? છે. આ અલગારી અવધુત કોની સાથે વાત કરી રહ્યા છે? સ્કૂલ
સમાધાન :- ‘આત્મા નિત્ય છે.’ આ વચન દ્રવ્યાસ્તિક પરિભાષાથી જે ‘સુહાગણ’ છે, તેની સાથે આ અવધતનો નયના અભિપ્રાયથી કહ્યું છે. પર્યાયાસ્તિક નયના અભિપ્રાય આવો સંવાદ સંભવિત નથી.
'તો પ્રતિક્ષણ નવા પર્યાયનો જન્મ થાય છે અને જુના પર્યાયનું માટે સૂક્ષ્મ પરિભાષામાં ઉતરીએ... પ્રસ્તુતમાં
| મૃત્યુ પણ થાય છે. પ્રસ્તુતમાં આત્માના મૃત્યુની જે વાત કરી, સુહાગણ છે શુદ્ધ આત્મચેતના. એક વાર આત્માનો તેની સાથે તે ભાવપ્રાણની (દર્શન-જ્ઞાન-ચારિત્રની) અપેક્ષાએ કહી છે. પરિણય-શુભવિવાહ થાય, એટલે એ સુહાગણ બને છે. જો
જો અત્યંત શુદ્ધ ભાવપ્રાણની અપેક્ષાએ જોઈએ તો સર્વ સંસારી આત્મા પાછો વિભાવોમાં લપટાય, તો આધ્યાત્મિક દૃષ્ટિએ
(જીવોનું સદાતન મૃત્યુ છે. અધ્યાત્મસારમાં કહ્યું છે – એ આત્માનું મૃત્યુ છે. કારણ કે ભાવપ્રાણોની વિદાય વિના
अजीवा जन्मिनः शुद्ध-भावप्राणव्यपेक्षया। વિભાવગમન શક્ય નથી.
'सिद्धाश्च निर्मलज्ञाना, द्रव्यप्राणव्यपेक्षया।।।
nal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
A Divine Marriage A Divine Marriage A Divine Marriage A Divine Marriage A Divine Marriage
A Divine Marriage A Divine Marriage A Divine Marriage A Divine Marriage A Divine Marriage A
My Heart
www
सुहागन ! जागी अनुभव प्रीत
Jain Education
આત્માનો, શુદ્ધ આત્મચેતના સાથે પરિણય-શુભવિવારૂ થાય, એટલે એ સુહાગણ બને છે.
beautiful
me
15
BEGRAFN
A Divine Marriage
આત્માનુભૂતિની પ્રીતિ સાચી ક્યારે કહેવાય ?
જ્યારે એના સિવાય બીજા કોઈના વિચારનો પણ અવકાશ ન રહે.
D
OLE
આત્માનું
મૃત્યુ થતાની સાથે શુદ્ધ ચેતના
વિધવા બને છે.
Divine Marriage A Divine Marriage A Divine Marriage A Divine Marriage A Divine Marriage
абошогу амило у абошот ашило у абошот аш!! а у абошон амиа у абогон эмес
www.almolibrary one p
Page #13
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ ભાવપ્રાણોની અપેક્ષાએ સર્વસંસારી જીવો ‘અજીવ' છે. અને દ્રવ્ય પ્રાણની અપેક્ષાએ શુદ્ધ જ્ઞાની સિદ્ધ ભગવંતો ‘નિર્જીવ’ છે. દ્રવ્ય પ્રાણ એટલે ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય અને મન-વચન-કાયાનું બળ. સિદ્ધોને આ દ્રવ્યપ્રાણો હોતા નથી.
શુદ્ધ ભાવપ્રાણ એટલે જેમાં દ્રવ્ય પ્રાણનું આંશિક પણ મિશ્રણ નથી થયું, એવા ભાવપ્રાણ. આવા પ્રાણ તો માત્ર સિદ્ધ ભગવંતોને હોય છે. એ સિવાય દ્રવ્યપ્રાણની હાજરીમાં ઓછાવત્તા પ્રમાણમાં ભાવપ્રાણ હોય એને આધ્યાત્મિક દૃષ્ટિએ આત્માનું જીવન કહી શકાય. અને એટલા-આંશિક ભાવપ્રાણોની પણ વિદાય થાય, એને આત્માનું મૃત્યુ કહી શકાય. આત્માનું મૃત્યુ થતાની સાથે શુદ્ધ ચેતના વિધવા બને છે.
એક પત્ની છાપું વાંચતા વાંચતા બોલી, “વિધવા ને વિધુરપણાનું દુઃખ ભારે હોય છે.” પતિ બબડ્યો, “એમ તો લગ્નનું દુઃખ પણ ક્યાં હલકું હોય છે?’' પત્ની ભડકી, “શું બોલ્યા?... શું બોલ્યા?” પતિ કહે, “કાંઈ નહીં... કાંઇ નહીં.’’ ભોળી પત્નીએ પોતાની વાત આગળ ચલાવી... ‘હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું, કે ભલે ભગવાન મને વિધવા બનાવે, પણ તમને વિધુર ન બનાવે.’’
રમૂજની વાત છે. અહીં સમજવાનું એ છે કે બાહ્ય જગતમાં વિધવા કે વિધુર બનાવવા એ ભગવાનના પણ હાથની વાત નથી, જ્યારે આંતર જગતમાં સ્વયં વિધુર બનવું કે ન બનવું, પત્નીને વિધવા બનાવવી કે ન બનાવવી, એ આત્માને સ્વાધીન વાત છે. એ ચાહે તો પોતે અમર રહી શકે છે... શુદ્ધ ચેતનાને અખંડ સૌભાગ્યવતી રાખી શકે છે... અને બહુ ખુમારીથી કહી શકે છે –
सुहागन ! जागी अनुभव प्रीत
એક સાધક હતો. ‘સમાધિ’ની સાધના માટે તેની ખૂબ ખ્યાતિ હતી. એક જિજ્ઞાસુ તેની પાસે માર્ગદર્શન મેળવવા આવ્યો. થોડા પ્રશ્નો કર્યા પછી તેણે પૂછ્યું, “તમે સમાધિ ક્યારે કરો છો?’’ પેલા સાધકે જવાબ આપ્યો, “કદી નહીં.’’
એ જિજ્ઞાસુ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો... “તમે આટલા મોટા સમાધિસાધક... અને સમાધિ ન કરો?” એ સાધકે જે જવાબ આપ્યો છે, એ ખૂબ માર્મિક છે
-
विक्षेपो नास्ति यस्मान्मे न समाधिस्ततो मम। विक्षेपो वा समाधिर्वा मनसस्स्याद्विकारिणः ।।
મારો કોઈ વિક્ષેપ નથી,
માટે મારી સમાધિ પણ નથી. વિક્ષેપ અને સમાધિ તો
વિકારી-પરિવર્તનશીલ મનના જ થાય છે.
સુહાગણનું સૌભાગ્ય શી રીતે અખંડ રહી શકે, તેનું રહસ્ય આ શ્લોકમાં સમાયેલું છે. આત્માનુભૂતિની પ્રીતિ સાચી ક્યારે કહેવાય? જ્યારે એના સિવાય બીજા કોઈના વિચારનો પણ અવકાશ ન રહે. એક વ્યક્તિ કોઇને કાંઇ કહી રહી છે, અને તે તેની વાતમાં બરાબર ધ્યાન આપતો નથી. વારંવાર ઘડિયાળ જુએ છે... આજુબાજુમાં જુએ છે, તો એનો અર્થ એ છે કે એને તે વ્યક્તિની વાતમાં રસ નથી.
મન વિક્ષેપોમાં જાય એનો અર્થ એ છે કે એને સમાધિમાં જોઇએ એવો રસ નથી. મન પુદ્ગલ તરફ ઢળે છે, એ જ બતાવે છે કે મનને પરમ સાથેની પ્રીતિ હજી જામી નથી.
Page #14
--------------------------------------------------------------------------
________________
sation laternational
The
he Monferr
सुहागण जागी अनुभव प्रीत
સુધારસને છોડીને અશુચિજળને પીવાની ચેષ્ટા જો મૂર્ખામી કહેવાય, તો આત્માનુભૂતિના અદ્ભુત આનંદને છોડીને તુચ્છ પુદ્ગલ પ્રત્યેના આકર્ષણને શું કહેવું? દૂધપાક ગમે તેટલો સારો લાગતો હોય, પણ જો કેરીનો રસ મળતો હોય, તો દૂધપાક છૂટી જતા કાચી સેકંડનો ય વિલંબ લાગતો નથી. પછી તો દૂધપાકનો વિચાર પણ આવતો નથી. એમાં કારણ છે માનવની એ સજ્જડ માન્યતા, કે સારો ગણાતો દૂધપાક પણ કેરીના રસની આગળ સાવ તુચ્છ છે. રસને છોડીને દૂધપાક આરોગવો એ તો મૂર્ખાઇ છે જ, રસને આરોગતા દૂધપાકનો વિચાર કરવો એ પણ ઓછી મૂર્ખામી નથી.
આ એક સ્થૂળ ટ્રષ્ટાંત છે, વાસ્તવમાં તો પુદ્ગલદ્રવ્ય તરીકે રસ હોય, દૂધપાક હોય કે અચિ જળ હોય... બધું જ સરખું છે. સમજવાની વાત એ છે કે જ્યારે પોતાની માન્યતામાં Worst... Worse...Bad...Good...Better... Best ની કક્ષા સ્પષ્ટ થઈ જાય, ત્યારે નીચી વસ્તુનો ત્યાગ અને ઉંચી વસ્તુનું
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉપાદાન સહજ બને છે. આ ત્યાગ અને ઉપાદાન માત્ર | આત્માનુભૂતિની પ્રીતિ જાગૃત થાય, એટલે અજ્ઞાનની શારીરિક કે વાચિક કક્ષાના જ નહીં, માનસિક કક્ષાના પણ નિદ્રા આપો આપ દૂર થઇ જાય છે. એ નિદ્રાને દૂર કરવા માટે હોય છે. ઉંચી વસ્તુ એક પળ માટે પણ મનમાંથી ખસે નહીં, અન્ય કોઇ પ્રયત્ન કરવો પડતો નથી. પ્રકાશ અને અંધકાર અને નીચી વસ્તુ એક પળ માટે પણ મનમાં આવે નહીં. કો’કે જો એક સાથે રહી શકે, તો આત્માનુભૂતિ અને અજ્ઞાન એક ભગવાનને ઉદ્દેશીને કહ્યું છે -
સાથે રહી શકે. પ્રકાશ થાય, તે જ ક્ષણે અંધકાર સ્વયં રવાના યાદ કોને કરી તને ભૂલું? કોણ તારી તોલે છે? થઈ જાય છે, એમ આત્માનુભૂતિનો ઉદય થાય, એટલે અજ્ઞાન એક ભક્તને કોઇએ પૂછ્યું, “તમે પ્રભુનું સ્મરણ ક્યારે
આપો આપ અસ્ત પામે છે. કરો છો?' જવાબ મળ્યો, “કદી નહીં.” “કદી નહીં??? અજ્ઞાનને અહીં નિદ્રાની ઉપમા આપી છે. જેમાં હા.” “તમે ભક્ત?” ‘પ્રભુનો ભક્ત.” ‘અને એમનું ‘હું કોણ છું?’ એટલું ય ભાન ન રહે, ‘હિતાહિત’નો વિવેક સ્મરણ ન કરો?” “કદી નહીં.” “પણ કાંઇ કારણ?” ન રહે, સર્વ ગુણો અને કળાઓ નકામા થઇ જાય, એનું નામ ‘‘કારણ એટલું જ, કે મને પ્રભુનું વિસ્મરણ જ થતું નથી. નિદ્રા. અજ્ઞાન એ ઘોર નિદ્રા છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે – સ્મરણ તો તેનું કરવાનું હોય, કે જેનું વિસ્મરણ થયું હોય.'' |
अज्ञानं खलु कष्टं रागादिभ्योऽपि सर्व पापेभ्यः। પ્રતિક્ષણ તેની પ્રતીતિ જીવંત હોય... સ્વાનુભૂતિની એ
अर्थं हितमहितं वा न वेत्ति येनाऽऽवृतो लोकः।। સંવેદના સાતત્યને પામી હોય... એના જ પ્રભાવે પરભાવોનો
રાગ વગેરે સર્વ પાપો કરતાં પણ વધુ ભયંકર કોઈ સહજપણે વિલય થયો હોય. ત્યારે કહેવાય -
હોય, તો એ છે અજ્ઞાન. જેના કારણે લોકો એ જાણી શકતા सुहागण जागी अनुभव प्रीत
નથી, કે આ વસ્તુ મારું હિત કરનારી છે? કે અહિત કરનારી બહુ મજાની વાત એ છે, કે એક વ્યક્તિ મુંબઇથી છે? અમદાવાદ જાય, તેમાં અમદાવાદમાં પહોંચવાથી મુંબઇનો
निंद अनादि अज्ञान की ત્યાગ આપોઆપ થઇ જાય છે. અમદાવાદ પહોંચ્યા પછી
મહાભયંકર છે અનાદિકાળની આ અજ્ઞાનનિદ્રા. મુંબઈને છોડવા માટે કોઇ અલગ પ્રયત્ન કરવો પડતો નથી. એ
એને સદાના માટે દૂર કરવી હોય, તો એનો એક જ ઉપાય તો પોતાની મેળે જ થઇ જાય છે. ‘પોતાની મેળે' એ અહીં ‘નિજ
છે... આત્માનુભૂતિની પ્રીતિ. આત્માનુભૂતિ એક એવો રીત’ શબ્દ દ્વારા અનોખી ખૂબીથી વ્યક્ત કર્યું છે –
પ્રકાશ છે, જેમાં અનાદિકાળથી અગોચર વસ્તુ પણ પ્રકાશિત निन्द अनादि अग्यान की
થયા વિના રહેતી નથી... બીજી કડીમાં આ જ વાત સ્પષ્ટ થઇ मिट गइ निज रीत.
રહી છે...
Page #16
--------------------------------------------------------------------------
________________
you are
yeitute
Just sepa
Another by inner eye,
te I from
घट मंदिर दीपक कियो सहज सुज्योति सरूप, आप पराई आप ही. ठानत वस्तु अनूप...२ सुहागण ! जागी अनुभव प्रीत...
nombrary.org
Page #17
--------------------------------------------------------------------------
________________
આત્મમંદિરમાં સહજ રસમ્યક જ્યોતિ સ્વરૂપ સાધકે ધન્ય થયો. ગુરુની પ્રસાદીરૂપ ‘સાધનાસૂત્ર'ને શાનદીપક પ્રગટાવ્યો છે. આ અનુપમ દીપક વય માથે ચડાવીને એણે વિદાય લીધી. જ્ઞાનદીપકના પ્રાકટ્યની વ-પર વસ્તુની સ્થાપના કરે છે. રા.
સાધના શરૂ કરી.
घट मंदिर दीपक कियो. | એક ગુરુ હતા. સદા સમાધિમાં લયલીન રહેતા. એકવારા તેમની પાસે એક સાધક આવ્યો... “મારે ભેદજ્ઞાનની અનુભૂતિ
' જ્યાં સુધી આત્મગૃહમાં અજ્ઞાનના અંધકાર હશે,
ત્યાં સુધી સ્વ-પરનો ભેદ નહીં સમજાય. સ્વ અને પર વચ્ચે કરવી છે.” બે ક્ષણ સુધી ગુરુએ તેની સામે એક વેધક દૃષ્ટિ કરી. ત્રીજી ક્ષણે માત્ર બે જ શબ્દો કહ્યા, ‘રાતે આવજે.’’ |
એકત્વની ભ્રાંતિ થશે. જ્યાં સુધી આ ભ્રાંતિ છે, ત્યાં સુધી
'સંસાર છે. જ્યાં સુધી આ ભ્રમ છે, ત્યાં સુધી બંધન છે. આ | કાજળ જેવો અંધકાર છવાઈ ગયો હતો... એ સમયે
ભ્રમ ભાંગે તો મોક્ષ થાય. સાધક માંડ માંડ ગુરુની એ કુટિર સુધી પહોંચ્યો. ગુરુ કુટિરની
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। બહાર બેઠા હતાં. સાધકને જોતાની સાથે ગુરુએ એને કુટિરમાં જવા ઇશારો કર્યો. સાધક અંદર ગયો. થોડી વાર પછી ગુરએ
'अस्यैवाभावतो बद्धा, बद्धा ये किल केचन।।। એને બહાર બોલાવ્યો, અને પૂછ્યું, ‘તે અંદર શું શું જોયું?’’ | | આજ સુધીમાં જેટલા પણ આત્માઓ સિદ્ધ થયા છે, | સાધક કહે, ‘અંદર તો ઘોર અંધકાર છે. માત્ર અંધારું |
' તેમની સિદ્ધિનું કારણ હતું ભેદવિજ્ઞાન. અને આજ સુધીમાં જ દેખાય છે, બીજું કાંઈ જ નહીં.” હવે ગુરુએ એને એક દીપક
' જેટલા પણ આત્માઓ બંધન પામ્યા છે, તેમના બંધનનું કારણ પ્રગટાવીને આપ્યો અને ફરી અંદર જવા કહ્યું.
છે ભેદજ્ઞાનનો અભાવ. ' સાધક અંદર ગયો. થોડી વાર થઇ. ગુરુએ એને બહાર ,
| અધ્યાત્મયાત્રાનું પરમ પાથેય છે ભેદજ્ઞાન. બોલાવ્યો અને ફરી એ જ પ્રશ્ન પૂછ્યો. સાધકે કહ્યું, “હવે
આત્માનુભૂતિની આધારશિલા છે ભેદજ્ઞાન. સાધનામાર્ગ પર 'તો કુટિરની દીવાલો, ચટ્ટાઈ, પુસ્તક, હું પોતે... બધું જ સ્પષ્ટ
પ્રકાશ પ્રસરાવે છે ભેદજ્ઞાનનો દીપક. આ દીપકની અહીં ત્રણ દેખાતું હતું.”
વિશેષતા કહી છે. | ભેદજ્ઞાનની ભૂમિકા બની ગઈ હતી. ગુરુએ ગંભીર સ્વરે
' (૧) સહજ. (૨) સુજ્યોતિસ્વરૂપ. (૩) અનુપમ, કહ્યું, ‘જ્યાં સુધી કુટિરમાં દીપક ન હતો, ત્યાં સુધી તેમાં રહેલી (૧) સહજ :- લોકિક દીવામાં કોડિયું છે, વાટ છે, કોઈ વસ્તુનો ભેદ જણાતો ન હતો. બધું જ એકરસ હોય, એવું તેલ છે. આ બધાના આધારે જ્યોતિ પોતાનું અસ્તિત્વ ટકાવી લાગતું હતું. અને દીપક આવ્યો એટલે પ્રત્યેક વસ્તુનો ભેદ શકે છે. એમાંથી કોઈ પણ વસ્તુ અનવસ્થિત થાય. એટલે પ્રત્યક્ષ થઇ ગયો. આ જ છે ભેદજ્ઞાનનું રહસ્ય. આત્મકુટિરમાં ‘જ્યોતિ’ જોખમમાં મુકાઈ જાય. ભેદજ્ઞાન-દીપકનું અસ્તિત્વ જ્ઞાનદીપક પ્રગટે એટલે સ્વ-પરનો ભેદ પ્રત્યક્ષ થાય.’ પરાધીન નથી. માટે આ દીપક સહજ છે. નથી એને વાટની
Jain Education Interational
ate
s onal Use Only r
Page #18
--------------------------------------------------------------------------
________________
Today Yesterday Tomorrow
day Yesterday Tomorrow Iday Yesterday Tomoura Today Yesterday Tomor
day Yesterday Tomoriam | Today Yesteulay Tonforme Today Yesterday
M S Today Yesterday and
|
SADHAK જ્યાં સુધી ‘વ’–‘પર’ની પરિભાષા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સાધનામાર્ગ પર પગ મુકવો પણ શક્ય. નથી. અને એક વાર આ પરિભાષા સ્પષ્ટ થઈ જાય એટલે સાધનામાર્ગે પ્રગતિ થયા વિના રહેતી નથી.
a jet Journey to 90
Liberation
Jain Education
L
Page #19
--------------------------------------------------------------------------
________________
અપેક્ષા કે નથી એને તેલની અપેક્ષા. અને માટે જ ભેદજ્ઞાનનો પ્રકાશ કહી શકાય, તો પછી અંધકારે શું ગુનો કર્યો છે? એને એક વાર ઉદય થાય, પછી એનો અસ્ત થતો નથી. અસ્ત તો ય ‘પ્રકાશ’ કહો. કારણ કે બંનેના સ્વરૂપમાં કોઇ જ ફેર નથી. થાય છે ભવભ્રમણનો. ભેદજ્ઞાન તો સદોદિત રહે છે. પ્રકાશ તો છે માત્ર ને માત્ર આ ‘સુજ્યોતિ.’ જેણે પોતાના
‘સહજ’ શબ્દ જ કેટલો પ્રેરક છે! જેટલું સહજ છે એટલું અદ્ભુત પ્રભાવનો પ્રત્યક્ષ પરચો આપ્યો છે. તમારું પોતાનું. જેટલું ઔપાધિક છે... બાહ્ય છે... ઉથલપાથલ आप पराइ आप ही, ठानत वस्तु अनूप। કરીને તમે મેળવ્યું છે, એ બધું જ પારકું. એ કદી તમારું પોતાનું
આત્મદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ, જે અનાદિ કાળથી થવાનું નથી. ભૌગોલિક રીતે તે વસ્તુ દૂર હોય, તમારી નજીક
અકળ હતો, એ ભેદનું સ્વરૂપ આ દીપક બહુ સિફતથી સમજાવી હોય, કે તમારા હાથમાં હોય, આ બધી જ અવસ્થામાં તેમાં
દે છે. જ્યાં સુધી ‘સ્વ’–‘પર’ની પરિભાષા સ્પષ્ટ ન થાય ત્યાં રહેલું પરત્વ = પારકાપણું તો એક સરખું જ રહે છે.
સુધી સાધનામાર્ગ પર પગ મુકવો પણ શક્ય નથી. અને એક ભેદજ્ઞાનનો દીપક સહજ છે... શાશ્વત છે... એનું વાર આ પરિભાષા સ્પષ્ટ થઇ જાય એટલે સાધનામાર્ગે પ્રગતિ નિર્માણ નથી થતું, પણ એનું પ્રાકટ્ય થાય છે.
થયા વિના રહેતી નથી. | (૨) સુજ્યોતિસ્વરૂપ :- સહજ હોવાનું પ્રમાણ જ આ
એક સંત હતા. એકાએક એમની તબિયત બગડી. છે કે એ સુજ્યોતિસ્વરૂપ છે. લૌકિક દીવો કોડિયું-તેલ-વાટ- ઝાડા, ઉલ્ટી, તાવ, શરદી, ઉધરસ... સામાન્ય માણસ ત્રાસી જ્યોતિસ્વરૂપ હોય છે. આ લોકોત્તર દીપકમાં ‘જ્યોતિ’ સિવાય
જાય, ભયાનક આર્તધ્યાન - હાયવોય કરે એવી દશા, ... પણ બીજું કાંઇ જ નથી. માટે જ આ દીપક સ્વાભાવિક-સહજ છે..! સંત તો પૂર્ણપણે સ્વસ્થ હતાં. તેમના એક ભક્તને તેમની ખૂબ
જ્યોતિને વળી ‘સુ’ વિશેષણ લગાડ્યું છે, તેનો ય આશય ચિંતા સતાવવા લાગી. ચિંતાતુર સ્વરે તેણે સંતની તબિયત ગંભીર છે. લૌકિક જ્યોતિ વિનશ્વર છે. લોકોત્તર જ્યોતિ
પૂછી. સંતે પ્રસન્નતાથી જવાબ આપ્યો, ‘જ્ઞ પંપ મૂન વે રે અવિનાશી છે. લૌકિક જ્યોતિ મર્યાદિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે મોહને રો, મેં તો વહત મને Ê É’’ છે. લોકોત્તર જ્યોતિ અનંત તત્ત્વનું પ્રકાશન કરે છે.
અસંભવિતને સંભવિત બનાવે છે સ્વ-પર ભેદજ્ઞાન. (૩) અનુપમ :- માટે જ આ જ્યોતિ અનુપમ છે. આશ્ચર્યને સાહજિક બનાવે છે વિવેકજ્ઞાન. આપણી બાજુમાં દુનિયામાં બીજો કોઈ એવો પ્રકાશ નથી, કે જેની સાથે આ પડેલી ખુરશીના પાયા પર કોઈ તલવાર ચલાવે, તો આપણને જ્યોતિને સરખાવી શકાય.
કોઇ પીડા થતી નથી, એનું કારણ એ જ છે કે ખુરશી આપણાથી વાસ્તવમાં તો લૌકિક પ્રકાશ એ પ્રકાશ જ નથી. જેના જુદી છે, એવી આપણી સજજડ માન્યતા છે. એ જ તલવાર હોવા છતાં આત્મા અથડાય છે, કુટાય છે, પતન પામે છે, આપણા પગ ઉપર ઝીંકી દે, તો ચીસ પડી જાય, અસહ્ય પીડા ભટકે છે, એને પ્રકાશ શી રીતે કહી શકાય ? જો એને પણ થાય, વિલાપ અને રુદન શરૂ થઇ જાય, એનું કારણ એ છે
GIPSO
Page #20
--------------------------------------------------------------------------
________________
કે શરીર એ ‘હું' છું, એવી આપણી સજ્જડ માન્યતા છે.
જ્યારે આ માન્યતા જતી રહે, ત્યારે ખુરશી અને શરીર બંને સમાન લાગે. શરીરના સો ટુકડા કરી દેવાય, તો ય પીડાની કોઇ અનુભૂતિ પણ ન થાય. આવી વિવેકજ્ઞાનની વિશુદ્ધતર પરિણતિ એનું જ નામ આત્માનુભૂતિ.
‘શરીર હું છું’ આ ગેરસમજના આધારે સંસાર ચાલે છે. ‘આત્મા જ હું છું’ એવી સમ્યક્ સમજના આધારે મોક્ષ થાય છે. સમાધિતંત્રમાં આ જ વાત કહી છે -
देहान्तरगते/जं, देहेऽस्मिन्नात्मभावना। बीजं विदेहनिष्पत्ते-रात्मन्येवात्मभावना।।
જીવ એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે, તેનું કારણ છે ‘દેહમાં આત્મબુદ્ધિ.’ જ્યારે ‘આત્મામાં જ આત્મબુદ્ધિ’નો ઉદય થાય, ત્યારે દેહાતીત અવસ્થાની પ્રાપ્તિ થાય છે.
માપ પરાડુ માપ હી, ઠીનત વસ્તુ ઝનૂપા |
ખંધકસૂરિના ૫૦૦ શિષ્યોને ખૂબ ક્રૂરતાથી ઘાણી (તેલ કાઢવાના યંત્ર)માં પીલી નાખવામાં આવ્યા હતાં. જરા કલ્પના કરો. એ ઘાણીમાં જ્યારે એ શ્રમણોને નાખ્યા હશે... યંત્રને ગતિમાન કરાવ્યું હશે... પ્રત્યેક ક્ષણે શરીર વધુ ને વધુ સંકોચાતું ગયું હશે... માત્ર પાંચ જ ક્ષણમાં જરા પણ અવકાશ ન રહે એ સ્થિતિ સર્જાઇ હશે... બસ, હવે છોલાવાની શરૂઆત થઈ, ના, બલ્ક એ શ્રમણો છુંદાવા લાગ્યા, માંસના લોચા નીકળવા લાગ્યા, લોહીની ધારા વહેવા લાગી... ને હવે તો હાડકા પણ તૂટવા લાગ્યા, નસો ને આંતરડાઓ વેરવિખેર થવા લાગ્યા, કેવી હશે એ ગોઝારી વેદના ! કેવી હશે એ કાળી યાતના ! પણ એ સમયે એ શ્રમણોની આત્મપરિણતિ કેવી
હતી, ખ્યાલ છે? અધ્યાત્મોપનિષદ્દમાં એ પરિણતિની ઝલક દેખાડી છે –
साम्यप्रसादास्तवपुर्ममत्वाः सत्त्वाधिकाः स्वं ध्रुवमेव मत्वा।
न सेहिरेऽर्तिं किमु तीव्रयन्त्रनिष्पीडिताः स्कन्धकसूरिशिष्याः?|| ‘શરીર હું છું’ આ ગેરસમજ પણ એ શ્રમણોને ન હતી. અને ‘શરીર મારું છે” એ ભ્રાન્તિ પણ તેમને ન હતી. માટે જ અહંકાર અને મમકારથી તેઓ પૂર્ણપણે મુક્ત હતા... તેથી જ સમતાથી પરિણતિ પરાકાષ્ઠાએ પહોંચી હતી... આ સ્થિતિમાં યંત્રમાં પીલાવાની વેદના પણ પરમ પ્રસન્નતાથી સહન કરી લીધી..
| ‘સહન કરી’ આ વાત પણ બાળજીવોને સમજાવવા માટે છે, બાકી એમાં સહન શું કરવાનું હતું? બાજુમાં પડેલી ખુરશીનો કોઈ ભુક્કો બોલાવી દે, એમાં મને શું? આ જેમ સામાન્ય માણસની મનોભૂમિકા છે, એમ એ મહર્ષિઓની મનોભૂમિકા હતી કે, શરીર યંત્રમાં પીલાઈ જાય એમા મને શું? હું તો આત્મા છું. શરીર જુદું છે અને હું જુદો છું.
येनाऽऽत्माऽबुध्यताऽऽत्मैव, परत्वेनैव चापरम्।
જેમણે આત્માનો જ ‘હું' તરીકે બોધ કર્યો અને પર ને અન્ય’ તરીકે જ જાણ્યું... આ અવસ્થાના અંતરોદ્ગાર છે –
आप पराइ आप ही, ठानत वस्तु अनूप।
આત્માનુભૂતિની આ દશા કલ્પનાને ય પેલે પાર હોય છે, તો પછી વચનથી તો તેની યથાર્થ અભિવ્યક્તિ શી રીતે થઈ શકે? આ જ પ્રશ્નાર્થ હવે સ્પષ્ટરૂપે રજુ થઈ રહ્યો છે...
nen
Page #21
--------------------------------------------------------------------------
________________
49000
00000 4600
200000
66000
29.9.
VoodooKOTA
fon unerring arrow of
HOTE
कहाँ दिखावू और कुं? कहाँ समजाउं भोर? तीर अचूक है प्रेम का,
लागे सो रहे ठोर...३ सुहागण जागी अनुभव प्रीत...
Jain Education Interational
Forvalo & Fersonal use only
Page #22
--------------------------------------------------------------------------
________________
બીજાને તે હું કેવી રીતે દેખાડી શકું? ભોળા જીવને જકડી લીધા છે, તેથી આત્માનુભૂતિના વિરાટ આકાશમાં તૈનું સ્વરૂપ શી રીતે સમજાવી શકું? પ્રેમનું તીર અચક આપણે મુક્ત ઉડ્ડયન કરી શકતા નથી. કોઇ પણ વ્યક્તિ કે હોય છે, તે જેને લાગે છે, તે નિશ્ચળ રહે છે. |૩||
વસ્તુના ક્ષેત્રે જ્યાં સુધી સૂક્ષ્મ પણ આગ્રહ હશે, ત્યાં સુધી
આત્માનુભૂતિની ભૂમિકા પ્રાપ્ત કરવી શક્ય નથી. રે... જેમને | આત્માનુભૂતિ... આ શબ્દ જેટલો સરળ છે, એટલો
(ગુરુ માન્યા છે, તેમની સાથે ય આ દશા હોય, પછી... જ તેનો અર્થ ગહન છે. કેટલાક જીવો શબ્દોમાં જ અંજાઈ જાય
ગુરુ સ્મિત સાથે શિષ્યની સ્થિતિનું વિહંગાવલોકન કરી છે. તો કેટલાક જીવો જિજ્ઞાસાથી આગળ વધી શકતા નથી.
રહ્યા છે. ગુરુએ શિષ્યને ફરી પૂછ્યું, “બોલ, ગુલાબજાંબુ કેવા ખરેખર અહીં વાસ્તવિકતા શું છે?
' લાગ્યા?” શિષ્ય કહ્યું, ‘‘મીઠા.” “મીઠા એટલે?’’ ‘એકદમ | એક શિષ્યને આત્માનુભૂતિની ખૂબ જિજ્ઞાસા થઈ.
ગળ્યા.’’ ‘આ તો એની એ વાત થઈ. પણ ખાતી વખતે કેવા ગુરુને આગ્રહ સાથે પ્રશ્ન કર્યો. ગુરુ શિષ્યની અધીરાઈ જોઈને
લાગ્યા?’ ‘‘એકદમ મીઠા મીઠા.” મલકી રહ્યા. સાંજે જવાબ આપવાનો વાયદો કર્યો.
શિષ્યની મૂંઝવણ વધી રહી છે... ત્યારે ગુરુએ છેલ્લો બપોર થઈ. ગુરુ-શિષ્ય યજમાનને ત્યાં ભોજન કરવા
' પ્રશ્ન કર્યો, ‘એમ નહીં, તું ગુલાબજાંબુ ખાતો હતો, ત્યારે ગયાં. ભોજનમાં ગુલાબજાંબુ પણ હતા. સાંજે શિષ્ય જવાબ
| તને એની અનુભૂતિ કેવી થઈ?” શિષ્ય મૌન થઈ ગયો. આ માટે આવ્યો, ત્યારે ગુરુએ પ્રશ્ન કર્યો, ‘ભોજનમાં ગુલાબજાંબુ
' પ્રશ્નનો એની પાસે જવાબ ન હતો. અનુભવ તો પોતે કર્યો જ હતા, એ તને કેવા લાગ્યા?’
છે, પણ એની અભિવ્યક્તિ શબ્દો દ્વારા સંભવિત નથી. એક પળ માટે તો શિષ્ય ડઘાઈ જ ગયો... ક્યાં
' ગુરુએ એક સુંદર સ્મિત કરીને શિષ્યને કહ્યું, અનુભૂતિ 'આત્માનુભૂતિની સમજૂતી અને ક્યાં...
'એ અનુભૂતિ. જેનો માત્ર અનુભવ કરી શકાય, અભિવ્યક્તિ | તમને લાગ્યો છે કદી આવો આંચકો? ખૂબ ચિંતન નહીં, એનું નામ અનુભૂતિ. જો ગુલાબજાંબુ જેવા તુચ્છ દ્રવ્યનો કરો, તો ખ્યાલ આવશે કે આવો આંચકો ય આંતરિક આગ્રહને અનુભવ પણ શબ્દોથી વ્યક્ત ન કરી શકાય, તો પછી અનંત આભારી હોય છે. શિષ્યના મનમાં એવો સૂક્ષ્મ આગ્રહ છે, કે મેં આનંદમય આત્મદ્રવ્યની અનુભૂતિને તો શી રીતે શબ્દોમાં જે પ્રશ્ન પૂછયો છે, ગુરુએ તેનો જ જવાબ આપવો જોઈએ... સમાવી શકાય? જેમ ગુલાબજાંબુ, મીઠા... ગળ્યા... ખૂબ હજી ઊંડા ઉતરો તો આગ્રહની પણ નિમ્ન કક્ષાના દર્શન થશે... ગળ્યા... એમ કહીને પણ ક્યાંક અટકી જવું પડે છે. શબ્દોની 'પહેલા જ વાક્યમાં મારો જવાબ મને મળી જવો જોઈએ, અથવા એક સીમા આવી જાય છે, અને અનુભૂતિની તો શરૂઆત જ એ તો મારા પ્રશ્નને સંગત થાય, એવું જ તે વાક્ય હોવું જોઇએ. તે સીમાની આગળથી થાય છે.
આ વાત માત્ર એ શિષ્યની નથી, આપણી પણ છે. એ જ રીતે આત્માનુભૂતિ વિષે હજારો શાસ્ત્રો લખાઈ આગ્રહોના સૂકમ તાંતણાઓએ આશ્ચર્યજનક રીતે આપણને જાય, તો ય એ તમામ શાસ્ત્રો તે સીમાએ અટકી જશે, કે જ્યાંથી
For
e Only
Page #23
--------------------------------------------------------------------------
________________
આગળ અનુભૂતિનું પ્રવેશદ્વાર છે. આ સ્થિતિમાં અવધૂતના અંતરોદ્ગારો તદ્દન યથાર્થ છે... कहाँ दिखावू और कुं? कहाँ समजाउं भोर ?
શબ્દો સંખ્યાતા છે, અનુભૂતિનું આકાશ અનંત છે. શાસ્ત્રોની સીમા છે. આત્માનુભૂતિનો આનંદ નિઃસીમ છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે - सव्वे सरा णिअटुंति। तक्का जत्थ ण विज्जइ।
| મ તત્વ | હિમાં આત્માનુભૂતિને આંબવા માટે સર્વ સ્વરો પ્રસ્થાન કરે છે, પણ તેમને હારી-થાકીને પાછા ફરવું પડે છે. તર્કો તો અહીં ઊભા રહેવા પણ તૈયાર નથી. અને બુદ્ધિ પ્રયાસ કરે, તો ય
પાસ કરે તો ય કુંઠિત થયા વિના રહેતી નથી.
| હી, શાસ્ત્રો તેની દિશા જરૂર બતાવી શકે છે. પછી એ દિશામાં આગળ વધો. એટલે અનુભૂતિમાં પ્રવેશ થાય. અને પછી તો ગતિ અને પ્રગતિ કરતા જ જાઓ, ટૂંક સમયમાં પરમગતિની પ્રાપ્તિ નિશ્ચિત છે. મહોપાધ્યાયજીએ જ્ઞાનસારમાં
(૨) અનભિલાપ્ય :- જેમને શબ્દોથી ન કહી શકાય. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે - पण्णवणिज्जा भावा, अणंतभागो उ अणभिलप्पाणं। पण्णवणिज्जाणं पुण, अणंतभागो सुयनिबद्धो।।१४१।।
વિશ્વમાં જેટલા અભિલાખ ભાવો છે, તેઓ અનભિલાપ્ય ભાવોનો અનંતમો ભાગ જ છે. અને જે અભિલાપ્ય ભાવો છે, તેમનો પણ અનંતમો ભાગ જ કૃતનિબદ્ધ છે = શાસ્ત્રોમાં સંગૃહીત છે. | ક્યાં વિશ્વની વિરાટ અસ્મિતા ! ક્યાં તેના અનંતમાં ભાગે અભિલાપ્ય ભાવો ! અને ક્યાં તેના પણ અનંતમાં ભાગે સર્વ શાસ્ત્રો ! कहाँ दिखावु और कुं? कहाँ समजाउं भोर?
અવધૂતનો પ્રશ્નાર્થ વાસ્તવિક છે, એટલો જ વિનમ્ર પણ છે. અનાદિકાળમાં જે વિષયને પ્રસ્તુત કરવા અનંત શાસ્ત્રોનું સર્જન થયું, એ તમામ શાસ્ત્રકાર મહાપુરુષોએ નિખાલસ કબૂલાત કરી કે “અમે તો માત્ર દિશા બતાવીએ છીએ. બાકી, આ બધા શાસ્ત્રો મળીને પણ ‘આત્માનુભૂતિ’નું અવગાહન કરી શકે તેમ નથી.” તો પછી મારા જેવી વ્યક્તિ એને શી રીતે શબ્દોમાં સમાવી શકે?
યોગતત્ત્વોપનિષદ્દમાં કહ્યું છે –
अनिर्वाच्यं पदं वक्तुं न शक्यं तैः सुरैरपि।
આત્માનુભૂતિ ખરેખર અનિર્વાચ્ય છે. દેવતાઓ પણ તેનું કથન કરવા સમર્થ નથી.
યોગશિખોપનિષદ્દમાં કહ્યું છે – स्वात्मप्रकाशरूपं तत् किं शास्त्रेण प्रकाश्यते?
કહ્યું છે –
व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि। पारं तु प्रापयत्येको-ऽनुभवो भववारिधेः।।२६-२।।
સર્વ શાસ્ત્રો માત્ર દિગ્દર્શન કરે છે. એક ‘અનુભવ’ જ સંસારસાગરનો પાર પમાડે છે.
શાસ્ત્રોની સીમા કેમ છે? તેનું રહસ્ય પણ સમજવા જેવું છે. વિશ્વની જેટલી વાસ્તવિકતાઓ છે, વિશ્વમાં વિદ્યમાન ભાવો – પદાર્થો છે, તેમના બે પ્રકાર છે -
(૧) અભિલાપ્ય :- જેમને શબ્દથી કહી શકાય.
PIN-
nal
Page #24
--------------------------------------------------------------------------
________________
Bis ENIE WN BEGINNING
Magic Springs
શબ્દો સંખ્યાતા છે, અનુભૂતિનું આકાશ અનંત છે. શાસ્ત્રોની સીમા છે. આત્માનુભૂતિનો આનંદ નિઃસીમ છે. રસર્વ શાત્રો માત્ર દિગ્દર્શન કરે છે. એક “અનુભવ” જ સંસારસાગરનો પાર પમાડે છે. આત્માનુભૂતિ ખરેખર અનિવથ્યિ છે.
What a infinite pleasure... once test it.
Page #25
--------------------------------------------------------------------------
________________
સ્વાત્મપ્રકાશરૂપ જે આત્માનુભૂતિ છે, તેને શાસ્ત્ર શી રીતે પ્રકાશિત કરી શકે? ના, એનું પ્રકાશન એ શાસ્ત્રની શક્તિની બહારની વાત છે.
कहाँ दिखावू और कुं? कहाँ समजाउं भोर?
' જેનું વર્ણન થવું શક્ય નથી, જે કલ્પનાતીત અને તર્યાતીત છે, એ તત્ત્વની અનુભૂતિની આતુરતા સહજપણે ન જાગે, તો જ આશ્ચર્ય. ‘ગુલાબજાંબુ બહુ મીઠા... બહુ ગળ્યા...’ આ શબ્દો ભલે ગુલાબજાંબુનો આસ્વાદ ન કરાવી શકે. એના આસ્વાદની આતુરતા તો જગાડી જ શકે ને ? આ આતુરતા એટલે જ આત્માનુભૂતિની પ્રીતિ.
तीर अचूक है प्रेम का, लागे सो रहे ठोर।।
'લક્ષ્યવેધ કરવા માટે બે શરત છે. એક તો તીર હોવું જોઇએ, અને બીજી શરત એ તીર અચૂક હોવું જોઇએ. આત્માનુભૂતિ પ્રત્યેની પ્રીતિ એ અચૂક તીર છે. આત્મસાધકના સાધ્યને એ અવશ્ય સાધી આપી છે.
‘પ્રેમ’ વસ્તુ જ એવી છે, જે પ્રેમપાત્ર સાથે અનુસંધાન જોડી આપે છે, અને સાથે સાથે જ તેના સિવાય બધેથી અનુસંધાન તોડી આપે છે. કો’કે મીરાંને પૂછ્યું, કે “તને રાણાએ ઝેર આપ્યું હતું. ભલે તું બચી ગઇ, તને કદી તેના પર ગુસ્સો નથી આવતો?’
'મીરાએ મલકીને જવાબ આપ્યો છે, “ગિરધરના પ્રેમમાં 'હું એટલી મગ્ન છું, કે બીજી કોઈ વાતનો વિચાર કરવાનો પણ મને અવકાશ નથી.’ 'तीर अचूक है प्रेम का, लागे सो रहे ठोर। પ્રેમનું તીર જેને લાગ્યું, એ પ્રેમપાત્રમાં નિશ્ચલ બની
જાય છે, એને છોડીને એ બીજે ક્યાંય ન જાય. એને નિશ્ચલ કરી દેવો, એ જ તો તીરનું કામ છે. કોઇ યોદ્ધા ગમે તેટલા | વેગથી ગતિ કરતો હોય, આખા સૈન્યમાં પવનની જેમ ફરીને ' શત્રુઓનો સંહાર કરતો હોય, પણ એક વાર એને તીર વાગે પછી? પછી એનું હલન-ચલન પણ અશક્ય બની જાય. એ તદ્દન નિશ્ચલ થઈ જાય.
અનાદિકાળથી પરદ્રવ્યથી પ્રભાવિત થઈને યત્ર તત્ર ભટક્યો છે આ આત્મા. નિશ્ચલતા કે સ્થિરતા જેવા શબ્દો એના શબ્દકોષમાંથી પણ કદાચ રવાના થઇ ગયા છે. અરે, હતા જ નહી, તો રવાના થવાનો પ્રશ્ન પણ ક્યાં આવે છે? 'જ્યારે આત્માનુભૂતિ પ્રત્યે હાર્દિક પ્રીતિનો ઉદય થાય, ત્યારે ' એક અચૂક પ્રેમબાણ લાગે છે, જે આત્માને તદ્દન નિશ્ચલ બનાવવામાં સફળ થાય છે.
એક વાર આત્મા સ્વસ્વરૂપમાં સ્થિર થાય એટલે અદ્ભુત 'આત્મસમૃદ્ધિઓ પ્રગટ થવા લાગે. જ્ઞાનસારમાં કહ્યું છે –
वत्स ! किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि।। निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति।।३-१।।।
'વત્સ ! આ રીતે ચંચળ મનથી ભટકી ભટકીને દુઃખી 'કેમ થાય છે? તું એક વાર સ્થિર થઇ જા, પછી તો તને તારી તદ્દન સમીપમાં જ ખજાનો દેખાશે.
'પ્રેમથી સ્થિરતા... સ્થિરતાથી સમૃદ્ધિ... આ શબ્દો પણ વાસ્તવમાં ‘શબ્દો' જ છે. વસ્તુસ્વરૂપની દિશા બતાવવામાં | તેઓ સફળ થઈ શકે, દેશાની અનુભૂતિ કરાવવામાં કદાપિ નહીં. ફરી એક વાર આ જ પરિસ્થિતિ લાક્ષણિક શૈલીથી રજ થઇ રહી છે અંતિમ કડીમાં...
For P
aconal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
To Stability by To Prosperity by
नादविलुद्धो प्रागकुं. गिने न तृण मृगलोय; आनंदघन प्रभु प्रेम की, अकथ कहानी कोय... सुहागण जागी अनुभव प्रीत...
Grace - 2019
For Prvale & Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
લોકમાં ય સ્વરમાં આસક્ત થયેલો હરણ પોતાના પ્રાણને તણખલાની સમાન પણ ગણતો. નથી. આનંદધન પ્રભુના પ્રેમની કથા અકથ્ય અને અપૂર્વ છે. ||૪||
વસંત ઋતુનો એ સમય હતો. વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી હતી. ખળ ખળ વહેતા ઝરણા... કોયલના ટહુકા... મોરના કેકારવ... ભમરાઓનો ગુંજારવ... આ દિવ્ય વાતાવરણમાં ય ધબકાર પૂરી રહ્યો હતો એક બંસરીનો અવાજ... શું એના સ્વરનું માધુર્ય... શું એના આરોહઅવરોહનું સૌદર્ય...
| વનમાં ખૂણે ખૂણેથી હરણો એ સ્વરની દિશામાં જઇ રહ્યા હતા... સૌ ઉતાવળા છે... ઉત્સુક છે. સ્વર વધુ ને વધુ સમીપ આવે છે, અને હરણોનો પ્રેમ ખીલતો જાય છે. બસ, હવે તદ્દન પાસે આવી ગયા. કો’ક માણસ એ મીઠી વાંસળી વગાડી રહ્યો હતો. એની ચારે તરફ હરણો બેસી ગયા હતા. સંગીત-સંવેદના પરાકાષ્ઠાએ પહોંચી હતી.
પ્રત્યેક હરણ એની ધારામાં પૂર્ણપણે તણાતા જતા હતાં. આંખો મીંચાઈ ગઈ હતી. મસ્તકો ધુણી રહ્યા હતા. પગના પંજાઓ તાલ આપી રહ્યા હતા. કાન સંગીતસુધાનું પાન કરી રહ્યા હતાં.
| સામાન્યસ્થિતિમાં હરણ માણસથી હજાર ફૂટ દૂર રહેવા પ્રયત્ન કરે, એના પડછાયાથી ય ગભરાયા વિના ન રહે... પણ અહીં તો તદ્દન શીર્ષાસન હતું. કોઈ હરણને વિચાર સુદ્ધા નહી આવ્યો હોય? કે આ માણસ મને પકડશે તો? મારી નાખશે તો?
नादविलुद्धो प्राण कुं.
गिने न तृण मृगलोया સંગીતના સ્વરના પ્રેમમાં હરણ મસ્તાન બને એટલે એ પોતાના પ્રાણોની ય પરવા કરતું નથી. એના પ્રાણોનું મૂલ્ય એને તણખલા જેટલું ય લાગતું નથી. ‘ભલેને મરી જાઉં, આ સંગીતની મજા લૂંટી લઉં, એમાં જ મારા જીવનની કૃતાર્થતા છે.” આ છે હરણની ભૂમિકા. યોગશાસ્ત્રમાં કહ્યું છે - हरिणो हारिणीं गीति-माकर्णयितुमुद्धरः।
आकर्णाकृष्टचापस्य, યાતિ વ્યાધચ વેધ્યતામII૪-૨૨iા મધુર સંગીત સાંભળવામાં હરણ મસ્તાન બને છે અને શિકારી તેને વેગીલા બાણથી વીંધી નાખે છે.
આપણે અહીં જોવી છે પ્રેમની ભૂમિકા. એ ભૂમિકા પર ઊભા રહ્યા પછી પ્રાણોની પણ પરવા ન રહેતી હોય, તો પછી શરીરની કે સમગ્ર સંસારની તો શું પરવા રહે? બસરીના
સ્વર જેવા ક્ષુદ્ર પાત્રના પ્રેમની પણ આ દશા હોય, તો પછી ‘પરમ'ના પ્રેમની દશા કેવી લોકોત્તર હોય?
आनंदघन प्रभु प्रेम की.
अकथ कहानी कोय। કૃષ્ણ મહારાજાની પટ્ટરાણી રુક્મિણી. એને એક વાર સ્વપ્નમાં રાધા આવી. રાધાને જોતાની સાથે રુકિમણીએ એને પૂછ્યું, ‘રાધે ! અહીં દ્વારિકામાં બધી વાતે સુખ છે. સંપત્તિ અને સમૃદ્ધિની રેલમછેલ છે. હું અને બીજી રાણીઓ કૃષ્ણ મહારાજાની પ્રસન્નતા સાચવવામાં કોઇ કસર છોડતા નથી. પણ જ્યારે કૃષ્ણના કાનમાં ‘રાધા' નામ પડે, એટલે એ અગાધ
કારણ
ગામ
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉદાસીમાં ગરકાવ થઇ જાય છે. મારે તને એટલું જ પૂછવું તો રાધાની આંખમાં જ શોભે, યોગેશ્વરની આંખમાં આંસુ ન છે, કે તારા પ્રેમ અને સમર્પણમાં એવું શું છે? કે જે અમારામાં શોભે...” ખૂટે છે?’
आनंदघन प्रभु प्रेम की, બે ક્ષણ તો રાધા સ્તબ્ધ થઇ ગઈ. જરા સ્વસ્થ થઈને
अकथ कहानी कोय। બોલી, “એ તો તમે કૃષ્ણ મહારાજને જ પૂછજો ને...”
રાધામાં શું છે? અને પોતાનામાં શું ખૂટે છે? એનો | આંખો ખુલી ગઈ. સવારે રુક્મિણીએ શ્રીકૃષ્ણને જવાબ રુક્મિણીને મળી ગયો. સ્વપ્નની વાત કરી. હજી કાંઈ પૂછે એ પહેલા તો શ્રીકૃષ્ણની | પ્રભુપ્રેમની કથા અકથ્ય ને અપૂર્વ હોય છે. આ પ્રેમ આંખમાંથી એક અશ્રુબિંદુ બહાર ધસી આવ્યું. રુકિમણીની દશા નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહ હોય છે. એમાં પ્રત્યુપકારની તો આશા કફોડી બની. માંડ માંડ ‘અશ્રુ’નું કારણ પૂછ્યું. ગદ્ગદ્ સ્વરે નથી જ, પ્રતિભાવની પણ અપેક્ષા નથી. પ્રેમ... બસ, નિર્મળશ્રીકૃષ્ણે કહ્યું, ‘ફરી તને સ્વપ્નમાં રાધા આવે, ત્યારે તું તેને ! નિર્દોષ પ્રેમ. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એ શુદ્ધ આત્મા પ્રત્યેનો જ પૂછી લેજે.'
પ્રેમ છે. કારણ કે પરમાત્મા અને શુદ્ધ આત્મા વચ્ચે કોઈ અંતર ચાર દિવસ ગયા. રુક્મિણીને સ્વપ્નમાં ફરી રાધાનો નથી. પ્રભુના આલંબનથી આનંદઘનરૂપ શુદ્ધ આત્મા સાથે ભેટો થયો. રુક્મિણીની જિજ્ઞાસા અનેકગણી બની ચૂકી હતી. અનુસંધાન જોડવાનું છે. . શ્રીકૃષ્ણના અશ્રનું રહસ્ય પૂછ્યું. આજે રાધા કાંઇક સ્વસ્થ
ના, સાંસારિક સંબંધીઓ સાથેનો પ્રેમ શુદ્ધ આત્મા હતી... સૌમ્ય અવાજે બોલી, “બહેન, તે દિવસે મારા કારણે પ્રત્યે વળાંક આપવા માટે સમર્થ નથી. કારણ કે એમાં પાત્ર કૃષ્ણ ઉદાસ થઈ જાય, એવી વાત તમે કરી, તેથી હું ખૂબ રડી. સદોષ હોવાને કારણે સહજ રીતે પ્રેમ પણ સદોષ બને છે. હું અહીં રડી અને ત્યાં કૃષ્ણની આંખમાં આંસુ...
- એક પત્ની ગળગળી થઈને પતિને ફરિયાદ કરતી બહેન, અમે તો વર્ષોથી વૃંદાવનમાં કૃષ્ણને જોયો નથી. હતી... “પહેલા તમને મારા પર બહુ પ્રેમ હતો, હવે જરા શ્રાવણમાં મેહુલો વરસે અને કૃષ્ણ યાદ આવે. મોરલા ટહુકા ય પ્રેમ નથી રહ્યો.” પતિ કહે, “એવું કાંઈ નથી. મારો પ્રેમ કરે અને કૃષ્ણ યાદ આવે. તમને એટલી જ વિનંતિ છે કે એવો ને એવો જ છે. બોલ. તું શેના પરથી આવું કહે છે?'' કષ્ણને મારી યાદ આવે એવું કશું કરશો નહીં. એના કાને મારું “પહેલા તમે ખુબ આગ્રહ કરીને મને વધુ જમાડતા અને પોતે નામ ન પડે, એનું ધ્યાન રાખજો.
ઓછું જમતા. હવે તો મને આગ્રહ કર્યા વિના તમે જ વધુ જમો અમે તો વૃંદાવનની ગોપીઓ છીએ. કૃષ્ણના વિરહમાં છો.” “એના પરથી તે એમ સમજી લીધું કે મારો પ્રેમ ઓછો ધ્રુસકે ધ્રુસકે રડવું અને આકુળ-વ્યાકુળ થવું, એ અમારું સર્વસ્વ થઇ ગયો?” “હાસ્તો, બીજું શું કારણ હોય?’’ ‘કારણ એ છે. કૃષ્ણ રડે, એ અમને ન પાલવે. કૃષ્ણને કહેજો કે આંસુ જ કે હવે તને રસોઈ બનાવતા આવડી ગયું છે.”
Page #29
--------------------------------------------------------------------------
________________
| V S S C)
6)
&
Just be free from importunity & entire sky is open for you.
અગ્રણોના સૂક્ષ્મ તાંતણાઓએ આશ્ચર્યજનક રીતે આપણને જકડી લીધા છે, તેથી આત્માનુભૂતિના વિરાટ આકાશમાં આપણે મુક્ત ઉડ્ડયન કરી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના ક્ષેત્રે જ્યાં સુધી સૂક્ષ્મ પણ આગ્રz સશે, ત્યાં સુધી આત્માનુભૂતિની ભૂમિકા પ્રાપ્ત કરવી શક્ય નથી.
Jan Education Internal
F
alsa Belly
Page #30
--------------------------------------------------------------------------
________________
J
આવો પ્રેમી કદાચ મંદિરમાં આવી પણ ચડે. પણ અસત્-સંસ્કારોના કારણે એ પ્રભુ સાથે પણ શુદ્ધ પ્રેમ કરી શકતો નથી. પૂ. દેવચંદ્રજી મહારાજે શ્રીઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહ્યું છે –
પ્રીતિ અનાદિની વિષ ભરી
તે રીતે હો... કરવા મુજ ભાવ, કરવી તે નિર્વિષ પ્રીતડી
શે વાતે હો... તે બને બનાવ?
ઋષભ જિણંદશુ પ્રીતડી...
સ્વાર્થ ખાતર જ પ્રેમ કરવો, આ છે અનાદિનું અવળું ગણિત. અને સ્વાર્થને સ્મશાને વળાવીને જ પ્રેમ કરવો આ છે પ્રભુપ્રીતિનું સીધું ગણિત. માટે જ આ પ્રેમ અવર્ણનીય છે અને અનાદિકાલીન સંસારમાં જીવ માટે અભૂતપૂર્વ = અપૂર્વ છે.
आनंदघन प्रभु प्रेम की, अकथ कहानी कोय।
આવા પ્રભુપ્રેમને આપણે સહુ આત્મસાત્ કરીએ, આત્માનુભૂતિને અવિરત બનાવીએ અને તેના દ્વારા શુદ્ધ ચેતનાને અખંડ સૌભાગ્યવતી બનાવીએ, એ જ શુભાભિલાષા.
ચૈત્ર વદ ૯, વિ.સં.૨૦૬૭
જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
Page #31
--------------------------------------------------------------------------
________________
આત્માનુભૂતિને અવિરત બનાવીએ. અને તેના દ્વારા શુદ્ધ ચેતનાને અખંડ સૌભાગ્યવતી બનાવીએ...
Jan Education detail
For
alle Persanal De Only
Page #32
--------------------------------------------------------------------------
________________ Tove talks with better knowledge & knowledge with dearer love. Vacau llescentan Tonderen પ્રીતિથી અનુભૂતિ તરફ... એ દોરી રહ્યા છે, આપણે દોરાઈ જઈએ. 8 a MULTY GRAPHICS lar an a જ કદisteગાઈ