Book Title: Agam Deep 30B Chandravedhyak Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005091/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ | કમ 76 3 ] 30 - (2) ચંદાઝય - સાતમો પયત્નો - ગુર્જર છાયા વિષય અનુક્રમ | પૃષ્ઠક મંગલ અને દ્વાર નિરૂપણ વિનયગુણ- દ્વાર 4-21 76-77 આચાર્ય - દ્વાર 22-26 77-78 શીલ્પ - દ્વાર ૩૭-પ૩ 78-79 વિનય નિગ્રહ દ્વાર પ૪-૭૧ 79-81 જ્ઞાન-ગુણ દ્વાર 72-99 81-82 ચારિત્ર-ગુણ દ્વાર 100-116 83-84 મરણ ગુણ દ્વાર 117-172 84-87 ઉપસંહાર ૧૭૩-૧૭પ || 87 6 } છે ! ચા 9 | Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #8 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ []. नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ક ૩૦ચંદાવેજુયં પSણયો Lizzzzzzzzzzzz સાતમું પ્રકિર્ણક-ગુર્જર છાયા) views વિલોક પુરૂષ ના મસ્તક [સિદ્ધશિલા] ઉપર સદા વિરાજમાન વિકસિત-પૂર્ણ, શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ગુણના ધારક એવા શ્રી સિદ્ધ ભગવંતો અને લોકમાં જ્ઞાનનો ઉદ્યોત કરનારા શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. [2] આ પ્રકરણ મોક્ષમાર્ગના દર્શક શાસ્ત્રોજનાગમો ના સારભૂત અને મહાન ગંભીર અર્થવાળું છે. તેને ચાર પ્રકારની વિકથાઓથી રહિત એકાગ્ર ચિત્ત વડે સાંભળો અને સાંભળીને તદનુસાર આચરણ કરવામાં લેશ પણ પ્રમાદ ન કરો [૩]વિનય, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો, વિનયનિગ્રહના ગુણો, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, અને મરણ ગુણ. ને હું કહીશ. [૪]જેમની પાસેથી વિદ્યા-શિક્ષા મેળવે છે, તે આચાર્ય-ગુરૂનો જે મનુષ્ય પરાભવ તિરસ્કાર કરે છે, તેની વિદ્યા ગમે તેટલા કષ્ટથી પ્રાપ્ત કરેલી હોય તો પણ નિષ્ફળ થાય છે પિકની પ્રબળતાને લઈને જે જીવ ગુરૂનો પરાભવ કરે છે, તે અક્કડ અભિમાની અને વિનયહીન જીવ જગતમાં કયાંય યશ કે કિતિ પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ સર્વત્ર પરાભવ પામે છે. [5]ગુરુજનોએ ઉપદેશેલી વિદ્યાને જે મનુષ્ય વિનય પૂર્વક પ્રહણ કરે છે, તે , સર્વત્ર આશ્રય, વિશ્વાસ અને યશ-કીર્તિ પ્રાપ્ત કરે છે. [૭]અવિનીત શિષ્યની શ્રમપૂર્વક શીખેલી પણ વિદ્યા ગુરુજનો ના પરાભવ કરવાની બુદ્ધિના દોષથી અવશ્ય નાશ પામે છે, કદાચ સર્વથા નાશ ન પામે તો પણ પોતાના વાસ્તવિક લાભ-ફળને આપનારી બનતી નથી. [૮-૯]વિદ્યા વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે, સાચવવા યોગ્ય છે. દુર્વિનીત-અપાત્રને આપવા યોગ્ય નથી. કેમકે દુર્વિનીત વિદ્યા અને વિદ્યાદાતા ગુરૂ-બનેનો પરાભવ કરે છે. વિદ્યાનો પરાભવ કરતો અને વિદ્યાદાતા આચાર્યના ગુણોને પ્રગટ નહીં કરતો-પ્રબળ મિથ્યાત્વને પામેલો દુર્વિનીત જીવ ઋષિઘાતકની ગતિ એટલે નરકાદિ દુર્ગતિનો ભોગ બને છે. [૧૦]વિનયાદિ ગુણોથી યુક્ત પુન્યશાલી પુરૂષવડે ગ્રહણ કરાયેલી વિદ્યા પણ Page #12 -------------------------------------------------------------------------- ________________ માથા- 10 બળવતી બને છે. જેમ ઉત્તમ કુલમાં જન્મેલી પુત્રી અસાધારણ પુરૂષને પતિરુપે પામી મહાન બને છે. [૧૧]હે વત્સ ! ત્યાં સુધી તું વિનયનો જ અભ્યાસ કર, કારણકે વિનય વિના-દુર્વિનીત એવા તને વિદ્યા વડે શું પ્રયોજન છે. ખરેખર વિનય શીખવો જ દુષ્કર છે. વિદ્યા તો વિનીત ને અત્યન્ત સુલભ હોય છે. [૧૨]હે સુવિનીત વત્સ ! તું વિનય પૂર્વક વિદ્યા-શ્રુતજ્ઞાન ને શીખ, શીખેલી વિદ્યા અને ગુણ વારંવાર યાદ કર, તેમાં લેશ પણ પ્રમાદ ન કર. કેમકે ગ્રહણ કરેલી અને ગણેલી વિદ્યા જ પરલોકમાં સુખકારી બને છે. [૧૩]વિનયપૂર્વક શીખેલી પ્રસન્નતાપૂર્વક ગુરુજનોએ ઉપદેશેલી અને સુત્રવડે ‘સંપૂર્ણ કંઠસ્થ- કરેલી વિદ્યાઓનું ફળ અવશ્ય અનુભવી શકાય છે. [૧૪]આ વિષમ કાળમાં સમસ્ત શ્રુતજ્ઞાન ના દાતા આચાર્ય ભગવંત મળવા અત્યંત દુર્લભ છે, તેમજ કોધ, માન આદિ ચાર કષાયથી રહિત શ્રુતજ્ઞાનને શીખવનાર શિષ્ય મળવા પણ દુર્લભ છે. [૧૫]ાધુ કે ગૃહસ્થ કોઈપણ હોય, તેના વિનય ગુણની પ્રશંસા જ્ઞાની પુરુષો અવશ્ય કરે છે. અવિનીત કદી પણ લોકમાં કિતિ કે યશ પ્રાપ્ત કરી શકતો નથી. [૧૬]કેટલાક લોકો વિનયનું સ્વરુપ, ફળ વગેરે જાણવા છતાં તેવા પ્રકારના પ્રબળ અશુભ કર્મોના પ્રભાવને લઈને રાગદ્વેષથી ઘેરાયેલા વિનયની પ્રવૃત્તિ કરવા ઈચ્છતા નથી. ૧૭નહિં બોલનાર અથવા વધારે નહિં ભણનાર છતાં વિનયથી સદા વિનીત-નમ્ર અને ઈદ્રિયો ઉપર કાબૂ મેળનાર કેટલાક પુરુષો કે સ્ત્રીઓની યશ-કીર્તિ લોકમાં સર્વત્ર પ્રસરે છે. [૧૮]ભાગ્યશાલી પુરુષોને જ વિદ્યાઓ ફળ આપનારી થાય છે, પરંતુ ભાગ્યહનને વિદ્યાઓ ફળતી નથી. [૧૯]વિદ્યાનો તિરસ્કાર-દુરુપયોગ કરનારો, તથા નિંદા અવહેલનાદિ દ્વારા વિદ્યાવાનું આચાર્ય ભગવંતાદિના ગુણોનો નાશ કરનારો ગાઢ મિથ્યાત્વથી મોહિત થઈ ભયંકર દુર્ગતિને પામે છે. [૨૦]ખરેખર ! સમસ્ત શ્રુતજ્ઞાનનાં દાતા આચાર્ય ભગવંતો મળવા સુલભ, નથી તેમજ સરલ અને જ્ઞાનાભ્યાસમાં સતત ઉદ્યમી શિષ્યો મલવા સુલભ નથી. [૨૧]આ રીતે વિનયના ગુણ વિશેષોનવિનીત બનવાથી થતાં મહાન લાભો ને ટુંકમાં કહ્યા. હવે આચાર્ય ભગવંતોના ગુણો કહું છું, તે એકાગ્ર ચિત્તથી સાંભળો. [૨૨]શુદ્ધ વ્યવહાર માર્ગના પ્રરુપક, શ્રુતજ્ઞાન રુપ રત્નોના સાર્થવાહ અને ક્ષમા વગેરે અનેક-લાખો ગુણોના ધારક એવા આચાર્યના ગુણોને હું કહીશ. [૨૩-૨૭|પૃથ્વીની જેમ સઘળું સહન કરનારા, મેરૂ જેવા નિષ્પકંપ-ધર્મમાં નિશ્ચલ, અને ચન્દ્ર જેવા સૌમ્ય કાંતિવાળા, શિષ્યાદિએ આલોચેલા દોષો બીજા પાસે પ્રકટ નહિં કરનાર, આલોચના યોગ્ય હેતું, કારણ અને વિધિને જાણનારા, ગંભીર હૃદયવાળા, પરવાદીઓ વગેરેથી પરાભવ નહિં પામનારા, ઉચિત કાલ, દેશ Page #13 -------------------------------------------------------------------------- ________________ ચંદાવર્ષ-૨૭] અને ભાવના જાણકા, ત્વરા વિનાના-કોઈ પણ કાર્યમાં ઉતાવળ નહિં કરનાર, ભ્રાંતિરહિત, આશ્રિત શિષ્યાદિને સંયમ-સ્વાધ્યાયાદિ માં પ્રેરક અને માયા વિનાના, લૌકિક, વૈદિક અને સામાજિક-શાસ્ત્રોમાં જેમનો પ્રવેશ છે, તથા સ્વસમય-જિનાગમ અને પર સમય-અન્ય દર્શન શાસ્ત્રોના જ્ઞાતા, જેની આદિમાં સામાયિક અને અન્તમાં પૂર્વે વ્યવસ્થિત છે, એવી દ્વાદશાંગીના અર્થો જેમણે મેળવ્યા છે. ગ્રહણ કર્યા છે, એવા આચાર્યોના વિદ્વજનો પંડિતો-ગીતાથ સદા પ્રશંસા કરે છે. [૨૮]અનાદિ સંસારમાં અનેક જન્મોને વિશે આ જીવે કર્મ-કામ ધંધા શિલ્પકળાં તથા બીજા ધર્મ આચારોના જ્ઞાતા-ઉપદેષ્ટા હજારો આચાર્ય પ્રાપ્ત કર્યા છે. [૨૯૩૧)સર્વજ્ઞ કથિત નિર્ઝન્ય પ્રવચનમાં જે આચાર્યો છે. તેઓ સંસાર અને મોક્ષ-બન્નેનાં યથાર્થ સ્વરુપને જણાવનારા હોવાથી જેમ એક પ્રદીપ્ત દવાથી સેંકડો દીપક પ્રકાશિત થાય છે, છતાં તે દીવો પ્રદીપ્ત-પ્રકાશમાન જ રહે છે, તેમ દીપક જેવા આચાર્ય ભગવંતો સ્વઅને પર-પોતાના અને બીજા આત્માઓના પ્રકાશક-ઉદ્ધારક હોય છે. સૂર્ય જેવા પ્રતાપી, ચન્દ્ર જેવા સૌમ્ય-શીતલ અને ક્રાંતિમય તથા સંસાર સાગરથી પાર ઉતારનાર આચાર્ય ભગવંતોના ચરણોમાં જે પુણ્યશાલીઓ નિત્ય પ્રણામ કરે છે, તેઓ ધન્ય છે. [૩૨]આવા આચાર્ય ભગવંતોની ભક્તિના રાગવડે આ લોકમાં કિતિ, પરલોકમાં ઉત્તમ દેવગતિ અને ધર્મમાં અનુત્તર-અનન્ય બોધિ-શ્રદ્ધા પ્રાપ્ત થાય [૩૩દેવલોકમાં રહેલા દેવો પણ દિવ્ય અવધિજ્ઞાન વડે આચાર્ય ભગવંતોને જોઈને હંમેશા તેમના ગુણોનું સ્મરણ કરતા પોતાના આસન-શયનાદિ મુકી દે છે. [૩૪]દેવલોકમાં ક્ષમતી અપ્સરાઓના મધ્યમાં રહેલા દેવો પણ નિર્ગસ્થ પ્રવચનનું સ્મરણ કરતાં તે અપ્સરાઓ દ્વારા આચાર્ય ભગવંતોને વંદન કરાવે છે. [૩૫]જે સાધુઓ છ8, અઠ્ઠમ, ચાર ઉપવાસ આદિ દુષ્કર તપ કરવા છતાં ગુરૂ વચનનું પાલન કરતા નથી. તેઓ અનંત સંસારી બને છે. 36 અહિં ગણાવ્યા છે અને બીજા પણ ઘણા આચાર્ય ભગવંતોના ગુણો હોવાથી તેની સંખ્યાનું પ્રમાણ થઈ શકે એમ નથી. હવે હું શિષ્યના વિશિષ્ટ ગુણોને સંક્ષેપમાં કહીશ. [૩૭]જે હમેશા નમ્રવૃત્તિ વાળો, વિનીત, મદ્રહિત, ગુણને જાણનારો, સુજન-સજ્જન અને આચાર્ય ભગવંતના અભિપ્રાય-આશયને સમજનારો હોય છે, તે, શિષ્યની પ્રશંસા પંડિત પુરૂષો પણ કરે છે. (અર્થાત્ તેવો સાધુ સુશિષ્ય કહેવાય છે. [૩૮]શીત, તાપ, વાયુ, ભૂખ, તરસ અને અરતિ પરીષહને સહન કરનાર, પૃથ્વીની જેમ સર્વ પ્રકારની પ્રતિકૂળતા- અનુકૂળતા વિગેરેને સહી લેનાર-ખમી ખાનાર શિષ્યને કુશલ પુરૂષો વખાણે છે. [૩૯]લાભ કે અલાભ ના પ્રસંગમાં પણ જેના મુખનો ભાવ બદલાતો નથી અથાત્ હર્ષ કે ખેદ યુક્ત બનતો નથી, તેમજ જે અલ્પ ઈચ્છાઓ વાળો અને સદા સંતુષ્ટ હોય છે, તેવા શિષ્યની પંડિત પુરૂષો પ્રશંસા કરે છે. [40] જે છ પ્રકારના વિનયની વિધિ ને જાણનારો તથા આત્મિક હિતની રુચિ દ: ખ છે, Page #14 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૦ વાળો હોય છે, એવો વિનીત તેમજ ઋદ્ધિ આદિ ગારવ થી રહિત શિષ્ય ને ગીતાર્થ જનો વખાણે છે. ૪૧]આચાર્ય વગેરે દશ પ્રકારની વૈયાવચ્ચ કરવામાં સદા ઉદ્યત, વાચનાદિ સ્વાધ્યાય માં નિત્ય પ્રયત્નશીલ તથા સામાયિક આદિ સર્વ આવશ્યક માં ઉઘુત્ત, શિષ્યની જ્ઞાની પુરૂષો પ્રશંસા કરે છે [૪૨]આચાર્ય ભગવંતનો ગુણાનુવાદ કરનાર, ગચ્છવાસી ગુરુ અને શાસનની કીર્તિ ને વધારનાર, અને નિર્મળ પ્રજ્ઞા વડે પોતાના ધ્યેય પ્રત્યે અત્યંત જાગરુક શિષ્ય ને મહર્ષિજનો વખાણે છે. 43 હે મુમુક્ષ મુનિ ! સર્વ પ્રથમ સર્વ પ્રકારના માનને હણીને શિક્ષા પ્રાપ્ત કર. ખરેખર ! સુવિનીત શિષ્યના જ બીજા આત્માઓ શિષ્ય બને છે, અશિષ્યના શિષ્ય કોઈ બનતું નથી. [૪૪]સુવિનીત શિષ્ય આચાર્ય ભગવંતના અતિશય કટુક-રોષભય વચનો કે પ્રેમભય વચનોને સારી રીતે સહવા જોઈએ. [45-48] હવે શિષ્યની પરિક્ષા માટે તેના કેટલાક વિશિષ્ટ લક્ષણો અને ગુણો બતાવે છેજે પુરુષ ઉત્તમ જાતિ, કુળ, રૂપ, યૌવન બળ, વીર્ય-પરાક્રમ સમતા અને સત્ત્વ ગુણ થી યુક્ત હોય મૃદુ-મધુરભાષી, કોઈની ચાડીયુગલી નહિ કરનારો, અશઠ, નગ્ન અને અલોભી હોય. તથા અખંડ હાથ અને ચરણવાળો, ઓછા રોમ વાળો. સ્નિગ્ધ અને પુષ્ટ દેહ વાળો, ગંભીર અને ઉન્નત નાસિકા વાળો, ઉદાર દષ્ટિ–દીર્ઘ દૃષ્ટિવાળો, અને વિશાલ નેત્રવાળો હોય. જિનશાસનનો અનુરાગી-પક્ષ પાતી, ગુરુ જનોના મુખ તરફ જોનારો, ધીર, શ્રદ્ધા ગુણથી પૂર્ણ, વિકારરહિત અને વિનય પ્રધાન જીવન જીવનારો હોય કાલ, દેશ અને સમય-પ્રસંગ ને ઓળખનારો, શીલ રૂ૫ અને વિનય ને જાણનારો, લોભ, ભય, મોહથી રહિત, નિદ્રા અને પરીષહોને જીતનારો હોય, તેને કુશલ પુરૂષો યોગ્ય શિષ્ય કહે છે. [49] કોઈ પુરૂષ કદાચ શ્રુતજ્ઞાનમાં કુશલ હોય, હેતુ, કારણ અને વિધિનો. જાણકાર હોય છતાં જો તે અવિનીત અને ગૌરવ યુક્ત હોય તો શ્રત ધર મહર્ષિઓ તેની પ્રશંસા કરતા નથી. [50-51] પવિત્ર, અનુરાગી, સદા વિનયના આચારો ને આચરનાર, સરલ હૃદય વાળા, પ્રવચનની શોભાને વધારનાર અને ધીર એવા શિષ્યને આગમની વાચના આપવી જોઈએ. ઉક્ત વિનયાદિ ગુણથી હીન અને બીજા નયાદિ સેંકડો ગુણથી યુક્ત એવા પુત્ર ને પણ હિતૈષી પંડિત શાસ્ત્ર વાચન કરાવતો નથી, તો સર્વથા ગુણહીન શિષ્ય ને શાસ્ત્રજ્ઞાન કેમ કરાવાય ? પિર-પ૩]નિપુણસૂક્ષ્મ અર્થવાળા શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવેલી આ શિષ્ય પરીક્ષા સંક્ષેપમાં કહી છે. પારલૌકિક હિતના કામી ગુરૂએ શિષ્યની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ. શિષ્યોના ગુણોની કીતના મેં સંક્ષેપમાં વર્ણવી છે. હવે વિનયના નિગ્રહ ગુણોને કહીશ, તે તમે સાવધાન ચિત્તવાળા બનીને સાંભળો પ૪] વિનય મોક્ષનો દ્વાર છે. વિનય ને કદી પણ મુકવો નહિ કારણ કે અલ્પ Page #15 -------------------------------------------------------------------------- ________________ 80 ચંદાઝયં- [5] કૃતનો અભ્યાસી પુરુષ પણ વિનય વડે સર્વ કમને ખપાવી દે છે. પિપી જે પુરૂષ વિનયવહે અવિનય ને જીતી લે છે, શીલસદાચાર વડે નિશીલત્વ-દુરાચાર ને જીતી લે છે, અને અપાપ-ધર્મવડે પાપ ને જીતી લે છે, તે ત્રણે લોકને જીતી લે છે. પિક-પ૭પુરૂષ-મુનિ શ્રુતજ્ઞાનમાં નિપુણ હોય, હેતુ, કારણ અને વિધિનો જાણકાર હોય છતાં અવિનીત અને ગૌરવ યુક્ત હોય તો કૃતધર-ગીતાર્થ પુરૂષો તેની પ્રશંસા કરતા નથી. બહુ મૃત પુરૂષ પણ ગુણહીન, વિનયહીન અને ચારિત્રયોગમાં શિથિલ બનેલો હોય તો ગીતાર્થ પુરૂષો તેને અલ્પશ્રુત વાળો માને છે. પ૮]જે તપ, નિયમ અને શીલથી યુક્ત હોય, જ્ઞાન દર્શન અને ચારિત્રયોગમાં સદા ઉઘત-તત્પર હોય તે અલ્પ મુતવાળો હોય તો પણ જ્ઞાની પુરૂષો તેને બહુશ્રુતનું સ્થાન-માન આપે છે. પ૯]સમ્યકત્વમાં જ્ઞાન સમાયેલું છે ચારિત્રમાં જ્ઞાન અને દર્શન બનેનો સમાવેશ થયેલો છે, ક્ષમાના બળવડે તપ અને વિનય વડે વિશિષ્ટ પ્રકારના નિયમો સફળ-સ્વાધીન બને છે [0]મોક્ષ ફળ ને આપનાર વિનય જેનામાં નથી, તેના વિશિષ્ટ પ્રકારના તપો. વિશિષ્ટ કોટીના નિયમો અને બીજા પણ અનેક ગુણો નિષ્ફળ-નિરર્થક બને છે [૬૧]અનંતજ્ઞાની શ્રી જિનેશ્વર ભગવંતોએ સર્વ કર્મ ભૂમિઓ માં મોક્ષમાર્ગની પ્રરૂપણા કરતા સર્વ પ્રથમ વિનયનો જ ઉપદેશ આપ્યો છે. [2] જે વિનય છે, તે જ જ્ઞાન છે, જે જ્ઞાન છે, તે જ વિનય છે. કારણ કે વિનય વડે જ્ઞાન મળે છે અને જ્ઞાન દ્વારા વિનયનું સ્વરુપ જાણી શકાય છે. [૬૩મનુષ્યોના સંપૂર્ણ ચારિત્રનો સાર વિનયમાં પ્રતિષ્ઠિત આથી વિનય-હોન મુનિની પ્રશંસા નિગ્રંથ મહર્ષિઓ કરતા નથી. ઈ૬૪ બહુશ્રુત હોવા છતાં જે અવિનીત અને અલ્ય શ્રદ્ધા-સંવેગવાળો છે, તે ચારિત્રને આરાધી શકતો નથી અને ચારિત્ર-ભ્રષ્ટ જીવ સંસારમાં ભમ્યા કરે છે. * [૬૫]જે મુનિ થોડા પણ શ્રુતજ્ઞાનથી સંતુષ્ટ ચિત્તવાળો બની વિનય કરવામાં તત્પર રહે છે તથા પાંચ મહાવ્રતોનું નિરતિચાર પાલન કરે છે અને મન, વચન, કાયાને ગુપ્ત રાખે છે, તે અવશ્ય ચારિત્રની આરાધક થાય છે. દિઘણા શાસ્ત્રોનો અભયાસ પણ વિનય રહિત સાધુને શું લાભ કરી શકે? લાખો કરોડો ઝગમગતા દીવા પણ આંધળા માણસને શો ફાયદો કરી શકે ! [૭]આ રીતે મેં વિનયના વિશિષ્ટ લાભોનું સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે વિનય પૂર્વક શીખેલા શ્રુતજ્ઞાનના વિશેષ ગુણો-લાભોનું વર્ણન કરું છું. તે સાંભળો. [૬૮]શ્રી જિનેશવર પરમાત્માએ ઉપદેશેલા, મહાન વિષયવાળા શ્રુતજ્ઞાનને સંપૂર્ણ રીતે જાણવો શકય નથી. માટે તે પુરૂષો ધન્યવાદને પાત્ર છે, જે જ્ઞાની અને ચારિત્ર સંપન્ન છે. [૬૯-૭૦સુર, અસુર, મનુષ્ય, ગરુડફુમાર, નાગકુમાર તથા ગંધવદિવો વગેરે સહિત ઉર્ધ્વલોક, અધોલોક અને તિછલોકનું વિશદ સ્વરુપ શ્રુતજ્ઞાનથી Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાથા- 0 જાણી શકાય છે. તેમજ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ-આ નવ તત્ત્વોને પણ બુદ્ધિમાન પુરૂષો શ્રુતજ્ઞાન વડે જાણી શકે છે. તેથી જ્ઞાન એ ચારિત્રનો હેતુ છે, [૭૧]જાણેલા દોષોનો ત્યાગ થાય છે, અને જાણેલા ગુણોનું સેવન થાય છે, એટલે કે ધર્મના સાધનભૂત એ બન્ને વસ્તુ જ્ઞાન દ્વારા જ સિદ્ધ થાય છે. ૭િરજ્ઞાન વિનાનું એકલું ચારિત્ર (ક્રિયા) અને ક્રિયા વિનાનું એકલું જ્ઞાન ભવતારક બનતા નથી. પરંતુ (ક્રિયા) સંપન્ન જ્ઞાની જ સંસાર સમુદ્રને તરી જાય છે. [૭૩]જ્ઞાની હોવા છતાં જે ક્ષમાદિ ગુણોમાં વર્તતો ન હોય, ક્રોધાદિ દોષોને છોડતો ન હોય તો તે કદાપિ દોષોથી મુક્ત અને ગુણવાન ન બની શકે. * [૭૪]અસંયમ અને આજ્ઞાનદોષથી ઘણા ભવોમાં બાંધેલા શુભાશુભ કર્મ મલને જ્ઞાની ચારિત્રના પાલન વડે સમૂલ ખપાવી નાંખે છે. [૭પોશસ્ત્ર વિનાનો એકલો સૈનિક, કે સૈનિક વિનાના એકલા શસ્ત્રોની જેમ જ્ઞાન વિનાનું ચારિત્ર અને ચારિત્ર વિનાનું જ્ઞાન મોક્ષ સાધક બનતું નથી. * [૬]મિથ્યાદષ્ટિને જ્ઞાન હોતું નથી, જ્ઞાન વિના ચારિત્રના ગુણો હોતા નથી, ગુણ વિના સંપૂર્ણક્ષય રુપ મોક્ષ નથી અને સંપૂર્ણ કર્મક્ષય-મોક્ષ વિના નિવણ-પરમ શાંતિનો અનુભવ થતો નથી. [૭૭]જે જ્ઞાન છે, એ જ કરણ-ચારિત્ર છે, જે ચારિત્ર છે, એ જ પ્રવચનનો સાર છે. અને જે પ્રવચનનો સાર છે, એ જ પરમાર્થ છે. એમ જાણવું. [૩૮]પ્રવચનના પરમાર્થને સારી રીતે ગ્રહણ કરનાર પુરૂષ જ બંધ અને મોક્ષને સ્પષ્ટ રીતે જાણીને તેઓ જ પુરાતન-જુનાં કર્મોનો ક્ષય કરે છે.' ૭૯]જ્ઞાનથી સમ્યક ક્રિયા થાય છે અને ક્રિયાથી જ્ઞાન આત્મસાત્ બને છે. આ રીતે જ્ઞાન અને સમ્ય ક્રિયાના યોગથી ભાવ ચારિત્ર ની વિશુદ્ધિ થાય છે. [૮]જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ રક્ષણ કરનાર છે આ રીતે જ્ઞાન, તપ અને સંયમ-ત્રણેના યોગથી જિન શાસનમાં મોક્ષ કહ્યો છે. [૧]જગતના લોકો ચન્દ્રની જેમ બહુશ્રુત-મહાત્મા પુરૂષના મુખને વારંવાર જુએ છે. એનાથી શ્રેષ્ઠતર, આશ્ચર્ય કારક અને અતિશય સુંદર કયી વસ્તુ છે ? 82 ચન્દ્રથી જેમ શીતલ - સ્નાનનિકળે છે, અને તે સર્વ લોકોને આનંદિત-આલ્હાદિત કરે છે. એમ ગીતાર્થ-જ્ઞાની પુરૂષોના મુખથી ચંદન જેવા શીતલ જિનવચનો નિકળે છે, જે સાંભળીને મનુષ્યો ભવાટવીનો પાર પામી જાય છે. 8i3] દોરાથી પરોવાયેલી સોય જેમ કચરામાં પડેલી છતાં ખોવાતી નથી તેમ આગમનો અભ્યાસી જીવ સંસાર અટવીમાં પડવા છતાં ખોવાતો નથી. [૮૪]જેમ દોરા વિના સોય નજરમાં નહિં આવતાં ખોવાઈ જાય છે. તેમ સૂત્ર-શાસ્ત્ર બોધ વિના મિથ્યાત્વથી ઘેરાયેલો જીવ ભવાટવીમાં ખોવાઈ જાય છે. [૮૫]શ્રુતજ્ઞાન દ્વારા પરમાર્થનું યથાર્થદર્શન થવાથી, તપ અને સંયમ ગુણને જીવનભર અખંડિત રાખવાથી મરણ સમયે શરીર સંપત્તિનો નાશ થવા છતાં જીવને વિશિષ્ટ ગતિ-સદ્ગતિ અને સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે. Jai EScaton International Page #17 -------------------------------------------------------------------------- ________________ ચંદાઝયં [8] [૮]જેમ વૈદ્ય વૈદક શાસ્ત્રોના જ્ઞાન વડે રોગની નિપુણ ચિકિત્સા જાણે છે, તેમ શ્રુતજ્ઞાન વડે મુનિ ચારિત્રની શુદ્ધિ કેમ કરવી, તે સારી રીતે જાણે છે. (૮૭)વૈદક ગ્રન્થોના અભ્યાસ વિના જેમ વૈધ વ્યાધિની ચિકિત્સા જાણતો નથી, તેમ આગમિક જ્ઞાનથી રહિત મુનિ ચારિત્ર શુદ્ધિનો ઉપાય જાણી શકતો નથી. [88] તે કારણથી મોક્ષાભિલાષી આત્માએ શ્રીતીર્થંકર પ્રપિતા આગમોના અર્થ પૂર્વકના અભ્યાસમાં સતત ઉદ્યમ કરવો જોઈએ. [89 શ્રી જિનેશવર પરમાત્માએ બતાવેલા બાહ્ય અને અત્યંતર તપના બારે પ્રકારોમાં સ્વાધ્યાય સમાન અન્ય કોઈ તપ નથી અને થશે પણ નહિં [૯]જ્ઞાનાભ્યાસની. રૂચિવાળાએ બુદ્ધિ હોય કે ન હોય પણ ઉદ્યમ અવશ્ય કરવો જોઈએ. કેમકે બુદ્ધિ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. [૧]અસંખ્ય જન્મોના ઉપાર્જન કરેલા કર્મને ઉપયોગ યુક્ત આત્મા પ્રતિ સમય ખપાવે છે પણ સ્વાધ્યાયથી ઘણા ભવોના સંચિત કર્મ ક્ષણવારમાં ખપાવે છે. [૨]તિર્યંચ, સુર, અસુર, મનુષ્ય. કિન્નર, મહોરગ અને ગંધર્વ સહિત સર્વ છવસ્થ જીવો કેવલી ભગવાન ને પૂછે, એટલે કે લોકમાં છમસ્થ જીવોને પોતાની જિજ્ઞાસાના સમાધાન માટે પૂછવા યોગ્ય સ્થાન એક માત્ર કેવલજ્ઞાની છે. ૩િ-૯૪ોજે કોઈ એક પદના શ્રવણ-ચિંતનથી મનુષ્ય સતત છે. વૈરાગ્યને પામે છે તે એક પદ પણ સમ્યગુ જ્ઞાન છે. કારણ કે–જેનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, તેજ તેનું સાચું જ્ઞાન છે. વીતરાગ પરમાત્માના માર્ગમાં જે એક પણ પદ વડે મનુષ્ય તીવ્ર વૈરાગ્યને પામ્યો હોય, તે પદને મરણ સુધી પણ મુકવું ન જોઈએ. 1 [5] જિન શાસનના જે કોઈ એક પદના ધારણથી જેને સંવેગ પ્રાપ્ત થાય છે, તેજ એક પદના આલંબનથી અનુક્રમે અધ્યાત્મ-યોગની આરાધના દ્વારાવિશિષ્ટ ધર્મધ્યાન અને શુકલધ્યાન દ્વારા સમગ્ર મોહજાળને ભેદી નાખે છે. ૯િ૭મરણ સમયે સમગ્ર દ્વાદશાંગીનું ચિંતન-થવું એ અત્યન્ત સમર્થ ચિત્તવાળા મુનિથી પણ શકય નથી. તેથી તે દેશ-કાલમાં એક પણ પદ નું ચિંતન આરાધનામાં ઉપયુક્ત થઈને જે કરે તેને જિનેશ્વરે આરાધક કહ્યો છે. [૯૮]સુવિહિત મુનિ આરાધનામાં એકાગ્ર બની સમાધિ પૂર્વક કાળ કરી ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં અવશ્ય મોક્ષ પામે છે. અથતું નિવણ-શાશ્વત પામે છે. [૯]આ રીતે શ્રુતજ્ઞાનના વિશિષ્ટ ગુણો- મહાન લાભો સંક્ષેપથી મેં વર્ણવ્યા. છે. હવે ચારિત્રના વિશિષ્ટ ગુણો એકાગ્ર ચિત્તવાળા બનીને સાંભળો. [10] જિનેશ્વર પરમાત્માએ કહેલા ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવા માટે જેઓ સર્વ પ્રકારે ગૃહપાશના બંધનથી સર્વથા મુક્ત થાય છે, તેઓ ધન્ય છે. [૧૦૧]વિશુદ્ધ ભાવ વડે એકાગ્ર ચિત્તવાળા બનીને જે પુરૂષો જિનવચનનું પાલન કરે છે, તે ગુણ-સમૃદ્ધ મુનિઓ મરણ સમય પ્રાપ્ત થવા છતાં સ્ટેજ પણ વિષાદ-ગ્લાનિ અનુભવતા નથી. [૧૦૨]દુઃખ માત્રથી મુક્ત કરનાર એવા મોક્ષમાર્ગમાં જેઓએ પોતાના આત્માને સ્થિર નથી કર્યો, તે દુર્લભ એવા શ્રમણપણાને પામીને પણ સદાય છે. [13] જે દઢ પ્રજ્ઞાવાળા, ભાવથી એકાગ્ર ચિત્તવાળા બની પારલૌકિક Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 13 હિતની ગવેષણા કરે છે. તે મનુષ્યો સર્વ દુઃખનો પાર પામે છે. [૧૦૪]સંયમમાં અપ્રમત્ત બની જે પુરૂષ ક્રોધ, માન, માયા, લોભ, અરતિ અને દુર્ગછાને ખપાવી દે છે. તેઓ પરમ સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે. ૧૦૫]અત્યન્ત દુર્લભ મનુષ્ય જન્મ મેળવીને પણ જે મનુષ્ય તેની વિરાધના કરે છે. જન્મને સાર્થક બનાવતો નથી, તે વહાણ ભાંગી પડવાથી દુઃખી થતા વહાણવટીઓની જેમ પાછળથી અત્યંત દુઃખી થાય છે. [૧૦]દુર્લભતર શ્રમણધર્મને પામી જે પુરૂષો મન, વચન અને કાયાના યોગથી તેની વિરાધના કરતા નથી, તેઓ દરિયામાં વહાણ મેળવનાર નાવિકની જેમ પાછલથી શોક પામતા નથી. f૧૦૭સર્વ પ્રથમ તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ મનુષ્ય જન્મમાં બોધિ પ્રાપ્તિ દુર્લભ છે. બોધિ મળે તો પણ શ્રમણપણું અત્યન્ત દુર્લભ છે. [૧૦૮]સાધુપણું મલવા છતાં શાસ્ત્રોનું રહસ્યજ્ઞાન મળવું ઘણું દુર્લભ છે. જ્ઞાનનું રહસ્ય સમજાવા છતાં ચારિત્રની શુદ્ધિ થવી અતિ દુર્લભ છે. એથી જ જ્ઞાની પુરૂષો આલોચનાદિ કરવા દ્વારા ચારિત્રની વિશુદ્ધિ માટે સતત ઉદ્યમશીલ રહે છે. [૧૦]કેટલાક પુરૂષો સમ્યકત્વગુણની નિયમા પ્રશંસા કરે છે. કેટલાક પુરૂષો ચારિત્રની શુદ્ધિને વખાણે છે તો કેટલાક સમ્યગુ જ્ઞાનને વખાણે છે. [૧૧૦-૧૧૨]સમ્યકત્વ અને ચારિત્ર અને ગુણો સાથે પ્રાપ્ત થતાં હોય તો બુદ્ધિશાળી પુરૂષે તેમાંથી કયો ગુણ પ્રથમ કરવો જોઈએ ? ચારિત્ર વિના પણ સમ્યકત્વ હોય. જેમ કણ અને શ્રેણિક મહારાજાને અવિરતિપણામાં પણ સમ્યક્ત્વ હતું. પણ જેઓ ચારિત્રવાનું છે, તેઓને સમ્યકત્વ નિયમો હોય છે. ચારિત્રથી ભ્રષ્ટ થયેલાએ શ્રેષ્ઠતર સમ્યકત્વને અવશ્ય ધારણ કરી રાખવું જોઈએ. કેમકે દ્રવ્ય ચારિત્રને નહિ પામેલા પણ સિદ્ધ બની શકે છે, પરંતુ દર્શનગુણ રહિત જીવો સિદ્ધ થઈ શકતા નથી. [૧૧૩ઉત્કૃષ્ટ ચારિત્રને પાળનારા પણ કોઈક મિથ્યાત્વના યોગે સંયમ શ્રેણીથી પડી જાય છે, તો સરાગ ધર્મમાં વર્તતા-સમ્યગુદષ્ટિ તેમાંથી પતિત થઈ જાય એમાં શી નવાઈ? . [૧૧૪]જે મુનિની બુદ્ધિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત છે. અને જે રાગ દ્વેષ કરતો નથી, તેનું ચારિત્ર શુદ્ધ બને છે. [૧૧૫]તે ચારિત્રની શુદ્ધિ માટે સમિતિ અને ગુપ્તિના પાલન રુપ કાર્યમાં પ્રયત્નપૂર્વક ઉદ્યમ કરો. તેમજ સમ્યગુદર્શન, ચારિત્ર અને જ્ઞાનની સાધનામાં લેશમાત્ર પ્રમાદ ન કરો..! [૧૧]આ રીતે ચારિત્રધર્મના ગુણો-મહાન લાભો મેં ટુંકમાં વર્ણવ્યા છે. હવે સમાધિમરણના ગુણ વિશેષો ને એકાગ્ર ચિત્તે સાંભલો. [૧૧૭-૧૨-જેમ અનિયંત્રિત-ઘોડા ઉપર બેઠેલો અજાણ-પૂરૂષ શત્રુ સૈન્યને પરાસ્ત કરવા કદાચ ઈચ્છે, પરંતુ તે પુરૂષ અને ઘોડો અગાઉ તેવી તાલીમ અને અભ્યાસ નહિ કરવાથી સંગ્રામમાં શત્રુ સૈન્યને જોતાંની સાથે જ નાશી જાય છે, તેમ પૂર્વે સુધાદિ પરીષહો, લોચાદિ કષ્ટો અને તપનો અભ્યાસ નથી કર્યો. એવો Page #19 -------------------------------------------------------------------------- ________________ 84 ચંદાવે×યં– [20] મુનિ મરણ સમય પ્રાપ્ત થતાં શરીર ઉપર આવતા પરીષહો-ઉપસગો તથા વેદનાઓને સમતા પૂર્વક સહી શકતો નથી. પૂર્વે તપ આદિનો અભ્યાસ કરનાર તથા સમાધિની કામનાવાળો એવો મુનિ જો વૈષયિક- સુખોની ઈચ્છાને રોકે તો પરીષહોને અવશ્ય સમતાપૂર્વક સહન કરી શકે છે. 121] પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિગઈ ત્યાગ. ઉણોદરી ઉત્કૃષ્ટ તપ આદિ કરીને ક્રમશઃ સર્વ આહારનો ત્યાગ કરનાર મુનિ મરણ કાલે નિશ્ચયનયરુપ પરશુના પ્રહાર વડે પરીષહની સેનાને છેદી નાખે છે. ૧૨૨]પૂર્વે ચારિત્ર પાલનમાં પ્રબળ પ્રયત્ન નહિ કરનાર મુનિને મરણ સમયે ઈન્દ્રિયો પડે છે. સમાધિમાં બાધા- ઉત્પન્ન કરે છે. આ રીતે તપ આદિનો પૂર્વ અભ્યાસ ન કરનાર મુનિ અંતિમ આરાધના વખતે કાયર ભયભીત બની મુંઝાય છે. [123] આગમનો અભ્યાસી મુનિ પણ ઈન્દ્રિયોની લોલુપતાવાળો બને, તો તેને મરણ વખતે સમાધિ કદાચ રહે યા ન પણ રહે, શાસના વચનો યાદ આવે તો સમાધિ રહે પણ ખરી પરન્ત ઈન્દ્રિયરસની પરવશતાને લઈને શાસ્ત્રવચનની સ્મૃતિ અસંભવિત હોવાથી પ્રાયઃ કરીને સમાધિ રહેતી નથી. [૧૨૪]અલ્પદ્યુતવાળો મુનિ પણ તપ વગેરેનો સુંદર અભ્યાસ કરેલો હોય તો સંયમ અને મરણની શુભ પ્રતિજ્ઞાને વ્યથા- વિના-સુંદર રીતે નભાવી શકે છે. [125) ઈન્દ્રિય સુખ-શાતામાં વ્યાકુલ ઘોર પરીસહોની પરાધીનતાથી ઘેરાયેલો,તપ વગેરેનો અભ્યાસી કાયરપુરૂષ અંતિમ આરાધનાના કાળે મુંઝાય છે. 126 પ્રથમથી જ સારી રીતે કઠોર તપ-સંયમની સાધના કરવા દ્વારા સત્ત્વશીલ બનેલા મુનિને મરણ સમયે વૃતિબળથી નિવારણ કરાયેલી પરીષહની સેના કંઈ પણ કરવા સમર્થ બની શકતી નથી. [૧૨૭]પ્રારંભથી જ કઠોર તપ-સંયમની સાધના કરનાર બુદ્ધિમાન મુનિ પોતાના ભાવિ હિતનો સારી રીતે વિચાર કરીને નિદાન-પૌગલિક સુખની આશંસાથી રહિત બની, કોઈપણ દ્રવ્ય-ક્ષેત્રાદિ વિષયક પ્રતિબંધ- નહિ રાખનાર એવો તે સ્વીકાર્યસમાધિ યોગને સારી રીતે સાધે છે. [૧૨૮]ધનુષ્યને ગ્રહણ કરીને, એના ઉપર ખેંચીને બાણ ચડાવી દઈને લક્ષ્ય પ્રત્યે સ્થિર મતિવાળો પુરૂષ પોતાની શિક્ષાને વિચારતો -રાધા વેધને વિંધે છે. [129 પરંતુ તે ધનુર્ધર પોતાના ચિત્તને લક્ષ્યથી અન્યત્ર લઈ જવાની ભૂલ * કરી બેસે તો પ્રતિજ્ઞાબદ્ધ હોવા છતાં રાધાના ચંદ્રક રુપ વેધ્યને વીંધી શકતો નથી. [૧૩]ચંદ્રકવેધ્યની જેમ મરણ સમયે સમાધિ પ્રાપ્ત કરવા માટે પોતાના આત્માને મોક્ષ માર્ગમાં અવિરાધિગુણવાળો અથર્ આરાધક બનાવવો જોઈએ. [૧૩૧]સમ્યગદર્શનની દઢતાથી નિર્મલ બુદ્ધિવાલા, તેમજ સ્વકૃત પાપોની આલોચના નિંદા-ગહ કરનારા, અંતિમ સમયે વર્તતા મુનિનું મરણ શુદ્ધ થાય છે. [૧૩]જ્ઞાનદર્શન અને ચારિત્રના વિષયમાં મારાથી થયેલા જે અપરાધોને, શ્રી જિનેશ્વર ભગવંતો સાક્ષાત જાણે છે, તે સર્વ અપરાધોની સર્વ ભાવથીઆલોચના કરવા હું ઉપસ્થિત થયો છું. Page #20 -------------------------------------------------------------------------- ________________ 85 ગાથા - 133 [133] સંસારનો બંધ કરાવવાળા, જીવ સંબંધી રાગ અને દ્વેષ રુપ બે પાપોને જે પુરૂષ રોકે - દૂર કરે તે મરણ સમયે અવશ્ય અપ્રમત્ત-સમાધિયુક્ત બને છે. [૧૩૪]જે પુરૂષ જીવ સાથેના ત્રણે દડોનો જ્ઞાનાંકુશ વડે ગુપ્તિ રાખવા દ્વારા નિગ્રહ કરે છે, તે મરણ સમયે કૃત યોગી-એટલે અપ્રમત્ત રહી સમાધિ રાખી શકે છે. [૧૩પજિનેશ્વર ભગવંતોથી ગહિંત, સ્વ શરીર માં ઉત્પન્ન થતાં, ભયંકર ક્રોધાદિ ચાર કષાયોનો જે પુરૂષ નિત્ય નિગ્રહ કરે છે, તે મરણમાં અવશ્ય સમતાયોગને સિદ્ધ કરે છે. [૧૩૬]જે જ્ઞાની પુરૂષ વિષયોમાં અત્યંત લેપાયેલી ઇન્દ્રિયોનો જ્ઞાન રુપ * અંકુશ વડે નિગ્રહ કરે છે, તે મરણ સમયે સમાધિ સાધનારો બને છે. [૧૩૭છ જીવ નિકાયનો હિતસ્વી, ઈહલોકાદિ સાતે ભયોથી રહિત, અત્યન્ત મૃદુ-નમ્ર સ્વભાવવાળો મુનિ નિત્ય સહજ સમતાને અનુભવતો મરણ સમયે પરમ સમાધિને સિદ્ધ કરનારી બને છે. [૧૩]જેને આઠે મદોને જીત્યા છે, જે બ્રહ્મચર્યની નવ-ગુપ્તિથી ગુપ્તસુરક્ષિત છે, ક્ષમા આદિ દશ યતિ ધર્મોના પાલનમાં ઉદ્યત છે, તે મરણ સમયે પણ અવશ્ય સમતા-સમાધિભાવ પામે છે. [13] જે અત્યન્ત દુર્લભ એવા મોક્ષમાર્ગની આરાધનાને ઈચ્છતો હોય, દેવ, ગુરુ વગેરેની આશાતનાને વર્જતો હોય તથા ધર્મધ્યાનના સતત અભ્યાસ વડે શુકલ-ધ્યાનને સન્મુખ થયો હોય, તે મરણમાં અવશ્ય સમાધિ પ્રાપ્ત કરે છે. [ ૧૦જે મુનિ બાવીસ પરીષહો અને દુઃસહ એવા ઉપસર્ગોને શુન્ય- સ્થાનો કે ગામ નગર આદિમાં સહન કરે છે, તે મરણકાલે સમાધિમાં ઝીલી શકે છે. [૧૪૧ધન્ય પુરૂષોના કષાયો બીજાના ક્રોધાદિક કષાયોથી અથડાવા છતાં-સરખી રીતે બેઠેલા પાંગળા માણસની જેમ ઉભા થવાને ઈચ્છતા નથી [૧૪]શ્રમણ ધર્મને આચરનારા સાધુને જો કષાયો ઉત્કટ કોટિના હોય તો. તેનું શ્રમણપણું શેલડીના ફૂલની જેમ નિષ્ફળ છે, એમ મારું માનવું છે. [૧૪૩]કંઈક ન્યૂન પૂર્વ કોટિ વર્ષ સુધી પાળેલું નિર્મળ ચારિત્ર પણ કષાયથી કલુષિત ચિત્તવાળો પુરૂષ એક મુહૂર્ત માત્રમાં હારી જાય છે. [૧૪]અનંતકાલથી પ્રમાદના દોષ વડે ઉપાર્જન કરેલા કને, રાગ-દ્વેષને પરાસ્ત કરનાર-હણી નાખનાર મુનિ માત્ર કોટિ પૂર્વ વષોંમાં જ ખપાવી દે છે. [૧૪]જો ઉપશાંત કષાયવાળો- ઉપશમ શ્રેણીમાં આરુઢ થયેલો યોગી પણ અનંત વાર પતન પામે છે. તો બાકી રહેલા થોડાં કષાયોનો વિશ્વાસ કેમ કરાય? [૧૪]જો ક્રોધાદિ કષાયોનો ક્ષય થયો હોય તો જ પોતાને ક્ષેમકુશળ છે, એમ જાણે, ને કષાયો જીતાયા હોય તો સાચો જ જાણે, જો કષાયો હત-પ્રહત થયા હોય તો અભય પ્રાપ્ત થયો જાણે અને જો કષાયોનો સર્વથા નાશ થઈ ગયો હોય તો, અવિનાશી સુખ અવશ્ય મળવાનું છે, એમ જાણે. [૧૪૭]ધન્ય છે, તે સાધુ ભગવંતોને-જે હંમેશા જિન-વચનમાં રક્ત રહે છે, કષાયો ઉપર કાબૂ-જય મેળવે છે. બાહ્ય પદાર્થો પ્રત્યે જેને રાગ નથી અને નિરસંગ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૮દ ચંદાઝયં-૧૪૭] નિમમત્વ બની યથેચ્છ રીતે સંયમ માર્ગમાં વિચરે છે. ૧૪૮]મોક્ષમાર્ગમાં લીન-તત્પર બનેલા જે મહામુનિઓ, અવિરહિતગુણોવાળા બનીને આ લોક કે પરલોકમાં તથા જીવન કે મરણમાં પ્રતિબંધ ક્ય વિના વિચારે છે તેઓને ધન્ય છે. [૧૪]બુદ્ધિમાન પુરૂષે મરણ સમુદ્ધાતના સમયે મિથ્યાત્વને વમીને સમ્યકત્વને પ્રાપ્ત કરવા, પ્રબળ પુરૂષાર્થ અવશ્ય કરવો જોઈએ. [૧૫]ખેદની વાત છે કે મહાન ધીર પુરૂષો પણ બળવાન મરણ ઉપસ્થિત થાય, ત્યારે મરણસમુઘાતની તીવ્ર વેદનાથી વ્યાકુલ બની મિથ્યાત્વ દશા પામે છે. [૧પ૧તે કારણને લઈને બુદ્ધિશાલી મુનિએ ગુરૂની પાસે દીક્ષા દિવસથી થયેલા સર્વ પાપોને યાદ કરીને, તેની આલોચના, નિંદા-ગહ કરવા દ્વારા તે ઋણ-પાપની શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ. [૧૫ર તે સમયે ગુરુ જેને જે ઉચિત પ્રાયશ્ચિત આપે તેની ઈચ્છાપૂર્વક સ્વીકાર કરે અને ગુરુનો અનુગ્રહ માનતો કહે છે કે “ભગવનું ! આપનું આપેલું પ્રાયશ્ચિત-તપ હું કરવાને ઈચ્છું છું, આપે મને આ પાપથી ઉગારી ખરેખર ! ભવ સાગરથી પાર ઉતાર્યો છે. [૧પ૩પરમાર્થથી મુનિઓએ અપરાધ કરવો જ ન જોઈએ, પ્રમાદવશ કદાચ અપરાધ થઈ જાય-અતિચાર સેવાઈ જાય તો તેનું પ્રાયશ્ચિત અવશ્ય કરી લેવું જોઈએ. [૧૫૪પ્રમાદની બહુલતાવાળા જીવને વિશુદ્ધિ પ્રાયશ્ચિતથી જ થઈ શકે છે, ચારિત્રની રક્ષા માટે તેના અંકુશભૂત પ્રાયશ્ચિતનું અવશ્ય આચરણ કરવું જોઈએ. [૧પપશલ્યવાળા જીવોની કદાપિ શુદ્ધિ થતી નથી. એમ સર્વભાવદર્શી શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે. પાપની આલોચના, નિંદા કરનારા સાધુઓ મરણ અને પુનર્ભવથી રહિત બની છે. [૧૫]એક વાર પણ શલ્ય સહિત મરણથી મરીને જીવો મહાભયાનક આ સંસારમાં વારંવાર અનેક જન્મ અને મરણ કરતાં ભમે છે. " [૧પ૭]જે મુનિ પાંચ સમિતિથી સાવધાન બની, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ, ચિરકાલ સુધી વિચારીને પણ જો મરણ સમયે ધર્મની વિરાધના કરે તો તેને જ્ઞાની પુરૂષોએ અનારાધક-આરાધના રહિત કહ્યો છે. [૧૫૮-૧૫૯]ઘણા સમય પર્યત અત્યંત મોહવશ જીવન જીવીને, છેલ્લી જિંદગીમાં જો સંવૃત્ત બની મરણ સમયે આરાધનામાં ઉપયુક્ત થાય તો તેને જિનેવરોએ આરાધક કહ્યો છે. તેથી સર્વભાવથી શુદ્ધ, આરાધનાને અભિમુખ થઈ, ભ્રાન્તિ રહિત બની સંથારો-સ્વીકારી રહેલો મુનિ પોતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતન કરે. [૧૬૦-૧૩મા આત્મા એક છે, શાશ્વત છે, જ્ઞાન અને દર્શનથી યુક્ત છે. શેષ સવે-દહાદિ બાહ્ય પદાર્થો સંયોગ સંબંધથી ઉત્પન્ન થયેલા છે. હું એક છું, મારું કોઈ નથી, અથવા હું કોઈનો નથી. જેનો હું છું તેને હું જોઈ શકતો નથી. તેમજ એવો કોઈ પદાર્થ નથી કે જે મારો હોય. પૂર્વે ભૂતકાળમાં અજ્ઞાન દોષ વડે અનંતવાર દેવ-પણું મનુષ્યપણું, તિર્યંચયોનિ અને નરકગતિ પ્રાપ્ત કરી ચુક્યો છું. પરંતુ દુઃખના હેતુ ભૂત એવા પોતાના જ કર્મો વડે હજુ સુધી મને ન તો સંતોષ પ્રાપ્ત થયો Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાથા -164 છે ન સમ્યકત્વથી યુક્ત વિશુદ્ધ બુદ્ધિ મળી છે. [ ૧૪]દુઃખથી છોડાવનાર ધર્મમાં જે મનુષ્યો પ્રમાદ કરે છે, તેઓ મહા ભયંકર એવા સંસાર સાગરમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરે છે. [15] દઢ-બુદ્ધિવાળા જે મનુષ્યો પૂર્વ-પુરૂષોએ આચરેલા જિન-વચનના માર્ગને છોડતા નથી, તેઓ સર્વ દુઃખોનો પાર પામી જાય છે. [16] જે ઉદ્યમી પુરૂષો ક્રોધ, માન, માયા, લોભ, તથા રાગ અને દ્વેષનો ક્ષય કરે છે, તેઓ પરમ-શાશ્વત સુખ રુપ મોક્ષને અવશ્ય સાધે છે. [૧૭]પુરૂષના મરણ સમયે માતા, પિતા, બધુઓ, કે પ્રિય મિત્રો કોઈપણ જરાએ આલંબન રુપ બનતા નથી અર્થાતુ મરણથી બચાવી શકતા નથી. [૧૬૮ીચાંદી, સોનું, દાસ, દાસી રથ-ગાડાં તથા પાલખી વગેરે કોઈપણ બાહ્ય વસ્તુઓ પુરૂષને મરણ સમયે કામ આવતાં નથી, આલંબન આપી શકતા નથી. [૧૬]અશ્વબળ, હસ્તીબળ, સૈનિકબળ, ધનુર્બળ, કે રબળ આદિ કોઈ બાહ્ય સંરક્ષક સામગ્રી માણસને મરણથી બચાવી શકતી નથી. [૧૭]આ રીતે સંકુલેશને દૂર કરી, ભાવશલ્યનો ઉદ્ધાર કરનાર આત્મા જિનોતિ સમાધિમરણની આરાધના કરતો શુદ્ધ થાય છે. | [૧૭૧]વ્રતોમાં લાગતા અતિચારો-દોષોની શુદ્ધિના ઉપાયને જાણનાર મુનિ પણ પોતાના ભાવશલ્ય ની વિશુદ્ધિ ગુરુ આદિ પસાક્ષીએ જ કરવી જોઈએ. [૧૨]જેમ ચિકિત્સા કરવામાં અત્યંત કુશળ વૈદ્ય પણ પોતાના રોગની વાત બીજા કુશળ વૈદ્યને કરે છે, અને તેની બતાવેલી ચિકિત્સા કરે છે. તેમ સાધુ પણ યોગ્ય ગુરુની આગળ પોતાના દોષોને પ્રગટ કરીને તેની શુદ્ધિ કરે છે. ૧૭૩]આ રીતે મરણકાલના સમયે મુનિને વિશુદ્ધ પ્રવ્રજયા-ચારિત્ર ઉત્પન્ન થાય છે, જે સાધુ મરણ સમયે મોહ પામતો નથી, તેને આરાધક કહ્યો છે. ૧૭૪-૧૭પોહે મુમુક્ષ આત્માઓ ! વિનય, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો, વિનયનિગ્રહના ગુણો, જ્ઞાનગુણ, ચરણ-ગુણ અને મરણગુણની વિધિને સાંભળીને, તમે એવી રીતે વર્તે- કે જેથી ગર્ભવાસના વસવાટથી તથા મરણ, પુનર્ભવ, જન્મ અને દુર્ગતિના પતન થી સર્વથા મુક્ત બની શકાય. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ | 30 ચંદાઝય પયનો ગુર્જરછાયા પૂર્ણ સાતમો પયનો (2) ગુર્જરછાયા પૂર્ણ Page #23 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone