Book Title: Subhashit Sukt Ratnamala Sanskrit
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 14
________________ આપનારાઓને લાભ કેમ થાય? ઉપરથી દેડકા, સર્પો, અળસીયાં, વાંદા અને અખતરાઓમાં ઉપયોગમાં લેવાયેલા છની કારમી. હિંસાનાં કટુ ફલ ભોગવવા પડશે. એમ સમજવા જેવું છે. બદલે લેવાની ઈચ્છા ન હોય તે જ ઉપકાર કહેવાય. માટે જ જ્ઞાન ધર્મ એટલે વીતરાગની વાણીનું જ્ઞાન, જીવ–અજીવ–. પાપ-પુણ્ય, આશ્રવ, સંવ-નિર્જરા, બંધ અને મોક્ષ નવતનું વરૂપ, જિજ્ઞાસુ વૃત્તિથી સમજાય. ત્યાગવા યોગ્ય અને આદરવા યોગ્ય બરાબર નક્કી થઈ જાય તે જ સમ્યગૂજ્ઞાન કહેવાય છે. અને આવા સમ્યગૂજ્ઞાનની મુખ્યતાએ આચરવામાં આવતા, દાન, શીલ, તપ, સેવા, ભકિત, વાત્સલ્ય-યાત્રા, જાપ, ધ્યાન વિગેરે બધાં અનુષ્ઠાન આત્માના એકાન્ત કલ્યાણને માર્ગ છે. માટે જ સમ્યજ્ઞાનના ગ્રન્થ બનાવવા. અથવા જુદા જુદા મનમાંથી પ્રસ્તુત પ્રકરણને અનુકુલ બાબતને સંગ્રહ કરે. આવી રચનાનું પ્રયોજન ઘણા એટલે હજાર કે લાખો આત્માઓ, આવા પ્રત્યે વાંચશે, એવી સંભાવના ગણાય. વળી આવા વીતરાગ વાણીના પ્રત્યે હજાર વર્ષ રહેવાના અથવા તેની પરંપરા ચાલવાની પણ સંભાવના ગણાય, માટે સમજ્ઞાનના પુસ્તકે અજ્ઞાનરુપ અંધકારમાં અથડાતા. જીને દીવાની ગરજ સારે છે, સંસાર સમુદ્રમાં બુડતા જીવને નૌકા સમાન છે. સંસારમાં વિષય=કષાયાદિ પાપરુપ રોગમાં ફસાયેલા છોને, રામબાણ ઔષધતુલ્ય છે. આવાં શાસ્ત્રો આંધળાને લાકડી સમાન છે. ધર્મરુપ બાળકને જન્મ આપનારી માતા સમાન છે. આ સંસાર મહા અટવીમાં ભૂલા ભટકતા ભવ્ય જીવોને, શાસ્ત્રો ભોમીયા સમાન છે. તથા રોગ-જલ-અગ્નિ–વિષ–સર્ષ–ર–શત્રુ હાથી–સિંહ આદિ અનેક ઉપદ્રવોથી બચવા અભેદ્ય વજની દીવાલ પણ શાસ્ત્રો કહેવાય છે. સંસારમાં જુદી જુદી મુસીબત–મુશ્કેલીઓને.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 576