SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આપનારાઓને લાભ કેમ થાય? ઉપરથી દેડકા, સર્પો, અળસીયાં, વાંદા અને અખતરાઓમાં ઉપયોગમાં લેવાયેલા છની કારમી. હિંસાનાં કટુ ફલ ભોગવવા પડશે. એમ સમજવા જેવું છે. બદલે લેવાની ઈચ્છા ન હોય તે જ ઉપકાર કહેવાય. માટે જ જ્ઞાન ધર્મ એટલે વીતરાગની વાણીનું જ્ઞાન, જીવ–અજીવ–. પાપ-પુણ્ય, આશ્રવ, સંવ-નિર્જરા, બંધ અને મોક્ષ નવતનું વરૂપ, જિજ્ઞાસુ વૃત્તિથી સમજાય. ત્યાગવા યોગ્ય અને આદરવા યોગ્ય બરાબર નક્કી થઈ જાય તે જ સમ્યગૂજ્ઞાન કહેવાય છે. અને આવા સમ્યગૂજ્ઞાનની મુખ્યતાએ આચરવામાં આવતા, દાન, શીલ, તપ, સેવા, ભકિત, વાત્સલ્ય-યાત્રા, જાપ, ધ્યાન વિગેરે બધાં અનુષ્ઠાન આત્માના એકાન્ત કલ્યાણને માર્ગ છે. માટે જ સમ્યજ્ઞાનના ગ્રન્થ બનાવવા. અથવા જુદા જુદા મનમાંથી પ્રસ્તુત પ્રકરણને અનુકુલ બાબતને સંગ્રહ કરે. આવી રચનાનું પ્રયોજન ઘણા એટલે હજાર કે લાખો આત્માઓ, આવા પ્રત્યે વાંચશે, એવી સંભાવના ગણાય. વળી આવા વીતરાગ વાણીના પ્રત્યે હજાર વર્ષ રહેવાના અથવા તેની પરંપરા ચાલવાની પણ સંભાવના ગણાય, માટે સમજ્ઞાનના પુસ્તકે અજ્ઞાનરુપ અંધકારમાં અથડાતા. જીને દીવાની ગરજ સારે છે, સંસાર સમુદ્રમાં બુડતા જીવને નૌકા સમાન છે. સંસારમાં વિષય=કષાયાદિ પાપરુપ રોગમાં ફસાયેલા છોને, રામબાણ ઔષધતુલ્ય છે. આવાં શાસ્ત્રો આંધળાને લાકડી સમાન છે. ધર્મરુપ બાળકને જન્મ આપનારી માતા સમાન છે. આ સંસાર મહા અટવીમાં ભૂલા ભટકતા ભવ્ય જીવોને, શાસ્ત્રો ભોમીયા સમાન છે. તથા રોગ-જલ-અગ્નિ–વિષ–સર્ષ–ર–શત્રુ હાથી–સિંહ આદિ અનેક ઉપદ્રવોથી બચવા અભેદ્ય વજની દીવાલ પણ શાસ્ત્રો કહેવાય છે. સંસારમાં જુદી જુદી મુસીબત–મુશ્કેલીઓને.
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy