________________ 34 ઈસ્લામમાં યોગ ડૉ. મહેબૂબ દેસાઈ ઓન્ટેક્ટીવસ ઓફ યોગા ઈઝ નોટ એડ હિંદુ રીલીજીયન’, ‘નમાઝ ઈઝ વન સોર્ટ ઓફ યોગા આસન’ અને ‘યોગા ઈઝ નોટ અનનોન તો મુસ્લિમ' જેવા પ્રકરણોમાં નમાઝની ક્રિયાઓ સાથે યોગના આસનોની સામ્યતા દર્શાવવામાં આવી છે. જો કે આ પુસ્તિકાની કેટલીક બાબતોનો મુસ્લિમ ધર્મગુરુઓએ વિરોધ કર્યો હતો. યોગને ઈસ્લામની નમાઝની ક્રિયા સાથે સરખાવવાનો આ પ્રથમ પ્રયાસ ન હતો. આ પહેલા પણ આ વિષય પર વડોદરાના અશરફ એફ નિઝામીએ ‘નમાઝ, ધી યોગા ઓફ ઈસ્લામ’ નામક પુસ્તક 1977 પ્રકાશિત કર્યું હતું. જેમાં નમાઝની વિવિધ ક્રિયાઓને યોગોના આસનો સાથે સરખાવવામાં આવ્યા હતા. એ પછી તેમણે રાયપુરમાં યોજાયેલ 'National Yoga Convention માં Synthesis Namaz and Yoga' વિષયક સંશોધન પત્ર 3 ઓગષ્ટ 1981 ના રોજ રજુ કર્યું હતું. જેમાં તેમણે નમાઝની કુલ સાત અવસ્થાઓને યોગના આસનો સાથે સરખાવી. ઈબાદતમાં એકાગ્રતા લાવવામાં તેમની ભૂમિકા સમજાવી હતી. તેમણે પોતાના સંશોધન પત્રમાં રજુ કરેલ વિગતો જાણવા જેવી છે. તેઓ પોતાના શોધ પત્રના આરંભમાં લખે 5, 6 માર્ચના રોજ ગુજરાત યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગ અને હોલીસ્ટીક રીસર્ચ સેન્ટર, સૂરતના સંયુક્ત ઉપક્રમે ‘હોલીસ્ટીક વે ઓફ લીવીંગ એન્ડ યોગા' વિષયક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું હતું. એ સેમીનારના ઉદ્ઘાટન સમારંભમાં અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી એન. એમ. પટેલ સાહેબે તેમના વ્યાખ્યાનમાં કહ્યું હતું, ‘ઈસ્લામમાં મહંમદ સાહેબે દરેક મુસ્લિમને પાંચ સમયની નમાઝનો આદેશ આપ્યો છે. દરેક પાક મુસ્લિમ પાંચ સમયની નમાઝ પઢે છે. તે નમાઝ પઢવાની ક્રિયા પણ એક પ્રકારનો યોગ છે.” કુલપતિશ્રીનું આ વિધાન સાચ્ચે જ વિચાર માંગી લે તેવું છે. નમાઝની ક્રિયાને યોગ સાથે સરખાવી મા. પટેલ સાહેબે બંને ધર્મના સમન્વયકારી સ્વરૂપને વાચા આપી છે. દરેક ધર્મના મૂલ્યો અને વિચાર એક સમાન છે. પણ મંઝીલ પર પહોંચવાના માર્ગો કે ક્રિયા ભિન્ન છે. અલબત્ત યોગાને આપણે ધર્મ કરતા વિજ્ઞાન કહીએ તો પણ દરેક ધર્મના પાયામાં રહેલા જ્ઞાન અને વિજ્ઞાનના વિચારોમાં માનવકલ્યાણની ભાવના સમાન છે. નમાઝની ક્રિયાઓ પણ ઈસ્લામના આદેશ મુજબની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કસરત છે. તે દ્વારા માનસિક તાણ, સાથે હૃદય અને કમરના રોગોમાં વિશય રાહત મળે છે. બ્લડ પ્રેશર સમતુલ રહે છે. યોગા અને નમાઝ બંનેની મિનિના મૂળમાં શારીરિક અને આધ્યાત્મિક તંદુરસ્તી છે. બંને પોતાના સ્થાને સ્વતંત્રી આગવી વિચારધારા ધરાવે છે. પણ બંનેના ઉદ્દેશો સમાન છે. યોગ અને ઈસ્લામની નમાઝનો તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયાસ વિદ્વાનોએ અનેક વાર કર્યો છે. એવો એક પ્રયાસ 17 જૂન 2015 ના રોજ દિલ્હીમાં થયો હતો. રાજ્ય કક્ષાના સ્વાચ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી શ્રીપાદ યાસ્ટ્ર નાયકે ‘યોગ એન્ડ ઈસ્લામ’ નામક અંગ્રેજી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. 32 પૃષ્ઠ અને 12 પ્રકરણની આ નાનકડી પુસ્તિકાનું પ્રકાશન આર. એસ. એસ. સાથે જોડાયેલ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા થયું હતું. તેમાં ‘યોગ ઈઝ નોટ અન ઈસ્લામિક', - 16-01-19 FINAL ‘એરેબીક ભાષામાં નમાઝને ‘સલાહ' કહે છે. સલાહ શબ્દ ‘સીલા' પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે મુલાકાત કે મળવું. એ અર્થમાં નમાઝ એટલે ખુદા સાથેની મુલાકાત. નમાઝની ક્રિયામાં ખુદાનો બંદો ખુદા પાસે પોતાની કેફિયત રજુ કરે છે અને ખુદા તેનો સ્વીકાર કરે છે.' નમાઝ હઝરત મહંમદ સાહેબે ખુદાની ઈબાદત માટે આપેલ ક્રિયા છે. પાંચ સમયની અર્થાત ફજર (સૂર્યોદય પહેલા પ્રભાત), ઝોહર (બપોર), અશર (સાંજ), મગરીબ (સૂર્યાસ્ત પછી) અને ઈશા (રાત્રી)ની નમાઝ દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. દરેક નમાઝમાં રકાત હોય છે. એક રકાતમાં સાત શારીરિક ક્રિયા કરવાની હોય છે. એ સાત ક્રિયાઓને 1. કીયામ 2. 26 3. કોમાહ 4. સજદા 5. જલસા 6. કદાહ અને 7. સલામ કહે છે. જો કે આમ તો સાચા અર્થમાં જોઈએ તો નમાઝની આંઠ ક્રિયાઓ છે. 1. તકબીર 2. કયામ 3. રુફ 4. કોમાહ પ. સજદા 6. જલસા 7. કદાહ અને 8. સલામ. પણ શારીરિક કસરતની દષ્ટિએ સાત ક્રિયાઓ મહત્ત્વની છે. જેમાં કીયામાં સૌ પ્રથમ છે. કીયામમાં બંને હાથ નાભી પર બાંધી નીચી નજર રાખી સિધ્ધા ઉભા રહેવું. એ પછીની ક્રિયા રૂફમાં કમરેથી વાંકા વળી બંને હાથો 214 યોગમાર્ગની અંતર્દષ્ટિ - યોગમાર્ગની અંતર્દષ્ટિ 215