Book Title: Virti Vicharna Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ 138] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાળા માહભાવવડે કરીને જ મિથ્યાત્વ છે. મેહભાવને ક્ષય થવાથી મિથ્યાત્વને પ્રતિપક્ષ જે સભ્યત્વભાવ તે પ્રગટે છે. માટે ત્યાં આગળ મેહભાવ કેમ હોય? અથતું હેત નથી. જે એવી આશંકા કરવામાં આવે કે-પાંચ ઈદ્રિય, છઠું મન, પાંચ સ્થાવરકાય અને છઠી ત્રસકાય-એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે, તે લોકમાં રહેલા જીવ અને અજીવ રાશિ નામના બે સમૂહ છે, તેમાંથી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ પરંતુ લેકમાં રખડાવનાર એટલે અજીવરાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃતિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતિએ ગણી શકાય? તેનું સમાધાનપાંચ ઈંદ્રિય અને છઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે, તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. આ રીતે જે જીવ મોહભાવને ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ કરે છે તેટલા પ્રમાણમાં તે વિરતિને પામવા ગ્ય બને છે. કર્મસત્તા અને આત્મસત્તા કર્મના અચળ નિયમની અમેઘતા જોઈને ઘણુઓ ડરી જાય છે, પણ તેમાં તેવું કરવા જેવું કાંઈ નથી. જેમ કર્મની સત્તા બળવાન છે, તેમ આત્માની સત્તા તેના કરતાં અનંતગુણ બળવાન છે. યોગ્ય સાધને એકઠા કરી પુરુષાર્થ કરતાં આત્માની સત્તા આગળ કર્મો ધ્રુજી ઉઠે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4