Book Title: Vijay Dharmsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રમણભગવંતો-૨ સેનાની શાહીથી તૈયાર કરાવ્યું હતું. પૂજ્યશ્રીને પ્રાકૃત ભાષાનું પણ ઊંડું જ્ઞાન હતું. પિતાના સમયમાં તેઓશ્રી ઘણા જ પ્રભાવશાળી પુરુષ તરીકે પંકાયા હતા. એવા એ એકાંતિક, સંયમસાધક, જ્ઞાને પાક સૂરિદેવને શત વંદના ! પરમ જ્યોતિર્ધર, યુગદિવાકર, મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ વંદનીય વિભૂતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનના ઝળહળતા સિતારા, જૈન ધર્મસિદ્ધાંતના પરમ અભ્યાસી, કર્મશાસ્ત્રોના રહસ્યવેત્તા, દ્રવ્યાનુયોગના નિષ્ણાત, સિદ્ધાંતનિરૂપણમાં વિરલ પ્રતિભાના સ્વામી, સમર્થ વ્યાખ્યાતા, અનેક ગ્રંથના રચયિતા, લાખ પુણ્યાત્માઓને જિનેશ્વર ભગવાનની આરાધના પ્રત્યે વાળનારા, શતાધિક જિનાલયના જીર્ણોદ્ધારક, સંખ્યાબંધ ઉપાશ્ચયે, ધર્મશાળાઓ, આયંબિલ ભવન, પાઠશાળાઓ, ભેજનશાળાઓ, સાધર્મિક સંસ્થાઓ આદિના પ્રબળ પ્રેરક, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા-ઉપધાન-ઉઘાપન-પદયાત્રાસંઘ, વિવિધ મહોત્સવ આદિના નિશ્રાદાતા, સાતેય સુપાત્ર ક્ષેત્રે અને શાળા-મહાશાળાઓનાં નિર્માણમાં પ્રેરણારૂપ તેમ જ અનેક સેનેટેરિયમ, દવાખાનાં આદિ ઊભાં કરવા માટે કરે રૂપિયાની દાનગંગાને વહાવવા માટે સફળ સધ આપનારા પરમ પ્રભાવી ગુરુભગવંત હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૬૦ના શ્રાવણ વદ ૧૧ને શુભ દિને સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં વીશા શ્રીમાળી જૈન કુટુંબમાં થયો હતો. પિતાનું નામ શાહ હીરાચંદ રધુભાઈ અને માતાનું નામ છબલબેન હતું. તેમનું સંસારી નામ ભાઈચંદભાઈ હતું. તેમની ૬ વર્ષની વયે પિતાનું અવસાન થયું. માતા ધર્મમય જીવન ગાળતાં, તેથી બાળક પર પણ નાની વયે ધર્મની ઊંડી અસર થવા લાગી. પાઠશાળામાં ધાર્મિક અભ્યાસમાં પણ ભાઈચંદ અગ્રેસર રહેવા લાગ્યા. નવેક વર્ષની વયે બાજુના લખતર ગામે પર્યુષણ પર્વમાં બે વાર સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવવા સ્વતંત્રપણે ગયા હતા. પોતાના વતનમાં ચાર ગુજરાતીને અભ્યાસ કરી, અમદાવાદમાં ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા. તીવ્ર બુદ્ધિશક્તિ અને ખંતપૂર્વક અભ્યાસ કરવાની વૃત્તિને લીધે અભ્યાસમાં ખૂબ ઝળક્યા શિક્ષક અને ગૃહપતિ તેમની અભ્યાસનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત રહેતા અને આગાહી કરતા કે આ બાળક ભવિષ્યમાં મહાન વિભૂતિ બનશે. તેમની માતાની પણ એવી જ અંતરેચ્છા હતી કે, પિતાનો બાળક ધર્મપરાયણત્યાગી જીવન જીવીને આત્મકલ્યાણ સાધે. માતા તરફથી તેમને અવારનવાર દીક્ષાની પ્રેરણા મળ્યા કરતી. એવામાં સં. ૧૯૭પમાં બેટાદમાં ચાતુર્માસ કરવા જતાં પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ રાણપુર પધાર્યા. ત્યાં પાઠશાળામાં અભ્યાસ કરાવતાં માતા છબલબેનને આંગણે પગલાં કર્યા અને ભાઈચંદની લલાટની ભવ્ય રેખાઓ જોઈ ને આગાહી કરી કે, આ બાળક શાસનને અજવાળશે. ઉપદેશ આપી કહ્યું પણ ખરું કે, એને શાસનને સમપ વો- અને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5