Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૦૮
શ્રી પર્યન્તારાધના. કરવી જોઈએ; અને સારાં કામેની અનુમોદના કરવી જોઈએ, અનશન કરવું જોઈએ, અને પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા જોઈએ. ૩
જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, વીર્યમાં, એ રીતે પંચવિધ આચારમાં લાગેલા અતિચારે આવવા જોઈએ. ૪
સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓના વસ્ત્ર અન્ન વિગેરે ન આપ્યું હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૫
પાસ પ્રકારના જ્ઞાનની નિંદા કરી હોય અથવા ઉપહાસ (મશ્કરી) કર્યો હોય અથવા ઉપઘાત હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૬
જ્ઞાનેપકરણે પાટી, પોથી વિગેરેની જે કઈ આશાતના થઈ હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૭
નિ:શંકા વિગેરે આઠ પ્રકારના ગુણસહિત જે સમ્યકત્વ રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૮
| જિનેશ્વરની યા જિનપ્રતિમાની ભાવથી પૂજા કરી ન હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૯
દેવદ્રવ્યને મેં જે વિનાશ કર્યો હોય અથવા બીજાને નાશ કરતા જોઈ ઉપેક્ષા કરી હોય તો તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦
જિતેંદ્રમંદિર વિગેરેમાં આશાતના કરનારને પોતાની શક્તિ છતાં ન નિષેધ્ય હોય તો તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૧૧
પાંચ સમિતિ સહિત અથવા ત્રિગુપ્તિ સહિત નિરંતર ચારિત્ર ન પાળ્યું, હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૨
જ થાશે.
નાશ કરતા અને