Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 262
________________ શ્રી પર્યન્તારાધના. ૧૦૭ જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવી દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે. ઈતિ. સત્ય હે જીવ તું વિચાર તો ખરે જે આ વખત ફરી ક્યારે મળશે? ચેત ! સમજ! જ ! જે ! જાગ ! જાગ ! શું પ્રમાદ, આળસ, નિદ્રા કરી રહ્યો છે? કેણ તાહેર હિતકારી છે, જે ધર્મમાં સાધ્ય કરશે ? ને કેણ તુજને સુખ આપશે ? સર્વે સ્વાસ્થયું છે, તેથી તું પિતાને સ્વાર્થ સાધીને સર્વે જીવને સુખી કરીને મુક્તિનગરીમાં વાસ કર. તેજ તાહરે કરવા યોગ્ય છે તે કર. ફરી ફરી આ અવસર તું કેવા પામીશ? એમ જાણીને આ ભાવના રેજ ભાવવી જેથી તે આપદા મટી જશે, ને સર્વે સંપદા પામીશ તે સારું હવે પ્રમાદ કરીશ નહીં, ઘણું શું શીખવીએ? જે રીતે પિતાને ને પરને શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ મંગળ જય વિજય મેક્ષ પરમ મહોદય થાય તેમ કરજે. આત્મભાવના સંપૂર્ણ. ––(૦):—– શ્રી પર્યન્તારાધના. માંદે મનુષ્ય નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે. તે ભગવન) હવે અવસરને ઉચિત ફરમાવો. ત્યારે ગુરૂ છેવટની આરાધના આ પ્રમાણે કહે છે. ૧ અતિચારને આવવા જોઈએ વ્રતો ઉચ્ચરવા જોઈએ, જીવને ક્ષમા આપવી જોઈએ અને ભવ્ય આત્માઓએ અઢાર પાપસ્થાનક વસરાવવાં જોઈએ. ૨. ચાર શરણ ગ્રહણ કરવા જોઈએ; દુષ્કૃત (પાપ) ની નિંદા

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272