Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ પ્રસ્તાવના. ૧૩ પડતું હોય કે નહિ તે તો હું કહી શકું નહિ, લેખ પરથી તેમના હૃદયને ઓળખી શકાતું હોય તો હું તો એને વિવેકના પણ હૃદયથી ખોલાયલા ઉચ્ચગ્રાહશાળી લઘુતાના શબ્દો જ ગણું, પણ મારે માટે તો એ વાત આબાદ લાગુ પડે છે. મને આ પુસ્તક લખતાં આહ્લાદ ઘણો થયો છે, બાકી ન્હાને મ્હોૐ મોટી વાતો કરી હોય તો તે મોટી વાત કરનાર ગ્રંથકર્તા છે એ ચોક્કસ છે અને ભાષાદેષ, પ્રતિપાદન શૈલીની સચોટતાનો અભાવ અને વસ્તુનિર્દેશમાં ખામી હોય તો તેની જવાબદારી મારી છે અને તે સ્વીકારતાં સાથે એટલું પણ જણાવી દઉં છું કે ભાષા અવતરણમાં કેટલીક અગવડો તો અનિવાર્ય છે તે અનુભવથી સમજાય તેવું છે. આ પ્રસંગપર ઉપોાતમાં પણ કાંઈક કહેવાનું છે. અહીં તો મારી મંદતા કે ધૃષ્ટતા માટે ક્ષમાયાચનાનો પ્રસંગ છે અને તેને હાથ ધરતાં મુક્તકંઠે ગ્રંથકર્તાની પ્રશંસા કરૂં છું અને મારી સ્ખલના માટે અંતરંગથી ક્ષમા ચાહું છું. મારી સ્ખલનાઓ મારા ધ્યાનપર લાવવામાં આવે તો તેનો તુરત ઉપયોગ કરવા હું તૈયાર રહુંછું. એક ગ્રંથ છપાઈ બહાર પડે તેની સાથે જ મીજી આવૃત્તિ માટે કોપી તૈયાર રાખું છું એટલે ગ્રંથના વખાણ કરવાને બદલે કોઈ સૂચના કરશે તો તેથી મને વધારે આહ્વાદ થશે. એવા પત્રોનો જવાબ હું આપું છું અને મારી થયેલી સ્ખલના સુધારવા ઉદ્યુક્ત રહું છું. વાચક વર્ગ આ વિજ્ઞપ્તિ પર સવિશેષ ધ્યાન આપશે તો મારા ઉપર અને વાચક વર્ગ ઉપર ઉપકાર થશે. હું પ્રશંસાનાં પત્રો કરતાં સૂચના અને સ્ખલનાનિર્દેશનાં પત્રોની કિમત વધારે ગણું છું. ગ્રંથમાં જ્યાં જ્યાં સુંદર ભાવ વિચારપ્રૌઢતા કે વસ્તુનિર્દેશમાં પ્રભાવ જણાય ત્યાં તેનું સર્વ માન શ્રીસિદ્ધ િગણિને ઘટે છે એ વાત કદિ લક્ષ્ય બહાર જવા દેવી નહિ એટલી મારી વિજ્ઞપ્તિ છે. ભાષાંતર-અવતરણમાં મૈં ઘણી છૂટો લીધી છે તેનો નિર્દેશ પણ ઉપોદ્ઘાતમાં થવાનો છે અને તે ઉપોદ્ઘાત આ ગ્રંથ સાથે જ છે એટલે અહીં સંબંધી વિશેષ વિવેચન કરવાનું નથી. આ ત્રણે પ્રસ્તાવની મૂળ પ્રેસ કોપી મારા કાકાશ્રી કુંવરજી આણંદજીએ પ્રથમ જોઈ ભાષાદેષ અને શૈલીદેષ તપાસી લીધા. ત્યાર પછી આચાર્ય વિજય મેઘસૂરિજીએ મૂળ ગ્રંથ સામે રાખી આખું પુસ્તક જોઈ આપ્યું તેથી તેઓનો આભાર માનુંછું. સુધારવા માટે કેટલીક વાર લેખકના કરતાં પણ વધારે શક્તિની જરૂર પડે છે. નકામા સુધારા થાય તો પ્રેસ કોપી બગડી જાય છે અને આવશ્યક સુધારા રહી જાય તો પ્રયાસ વ્યર્થ જાય છે. મારા સદર અને પરીક્ષકો સદર હકીકતથી વાકેફ્ હતા અને તેઓના સુધારાઓ તેથી અપવાદ વગર મને માન્ય થઈ પડ્યા છે અને કેટલીક શૈલી અને સંપ્રદાયની વાતો તો તેમના વગર જરૂર સ્ખલનમયજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 676