Book Title: Ujjayantgirina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 16
________________ 42 નિર્ચન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ લેખ છે. સંવત્ 163 વર્ષે વેઢ માસે 64 દિને શ્રી કીશ્વર જિનાલય: તિઃ ! વળી, બીજા ખંભમાં આ પ્રમાણે કોરેલું છે કે સંવત્ 163 વર્ષે પ્રતિષ્ઠા પિતા: ' ત્રીજા સ્તંભમાં લખે છે કે સં. ૧૩૩૫માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.” (4) મોહનલાલ દલીચંદ દેશાઈ (જૈન સાહિત્યનો , મુંબઈ 1932, પરિચય. પૃ. 145) નેમિનાથ મંદિરના ઉપલક્ષમાં નોંધે છે કે “એક થાંભલા પર સંત ૧૧૧૩ના જેઠ 14 દિને નેશ્વર જિનાલય કરાવ્યું ને બીજા થાંભલા પર સં. ૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવી, ને ત્રીજામાં સં. ૧૩૩૪માં દેવાલય સમરાવ્યું એમ લખે છે.” (5) આ બધી ગેરસમજણનું મૂળ બર્જેસની મૂળ નોંધ પૂરી ન સમજવાને કારણે ઉપસ્થિત થઈ છે. (થોડોક ગોટો તો ખુદ બર્જેસે પણ વાળ્યો છે !) (gal Report on Antiquities., p. 166; cf. also his Visit to Somnath, Girnar in May 1869, Reprint Varanasi 1976, p. 38.) બર્જસ ત્યાં લખે છે : "The largest temple is that of Neminatha......and bears an inscription on one of the pillars of the mandapa, stating, that it was repaired in A. D. 1278." The temple is of very considerable age......"(Infra) "It bears on two of the pillars of the mandap inscriptions dated 1275, 1281, and 1278, relating to donations of wealthy Sravakas for the daily worship of the Jina." બર્જેસ અને કઝિન્સ નેમિનાથ જિનાલયના ઉપર કથિત સાલોવાળા, નેમિનાથ જિનાલયના સ્તંભોવાળા સંદર્ભગત ત્રણે લેખોની વાચના સદ્દભાગ્યે પ્રકાશિત કરી છે. (Revised List, pp 352-353). તદનુસાર લેખોની મિતિઓ નીચે મુજબ છે : (મ) સં. 1333 વર્ષે યેષ્ઠ વદિ 14. (4) સં. 1335 વર્ષે વૈશાખ સુદિ 8, (5) સં. 1339 વર્ષે જયેષ્ઠ સુદિ 8. આ સિવાય પટ્ટશાલાના સ્તંભ પર પણ એક લેખ છે. (3) સં. 1334 વૈશાખ વદિ 8. આધુનિક જૈન લેખકો જેને સં. 1113 વર્ષનો જેઠ માસ ૧૪નો લેખ માની બેઠા છે તે ઉપર્યુક્ત સં. ૧૩૩૩નો જયેષ્ઠ વદિ ૧૪નો જ લેખ છે ! તેમાં નેમીશ્વર જિનાલય કરાવ્યાની વાત હોવાને બદલે ખરતરગચ્છીય જિનપ્રબોધસૂરિના ઉપદેશથી ઉચ્ચાપુરીના શ્રાવકોએ નેમિનાથની પૂજાદિ અર્થે કરેલાં ધન-દાનનો ઉલ્લેખ છે ! વળી જે લેખને તેઓ સં. ૧૧૩૫નો ઘટાવે છે તે વસ્તુતયા સં. ૧૩૩૫નો છે, અને તે પણ પ્રતિષ્ઠાને બદલે ધવલક્કક(ધોળકા)ના શ્રાવક બિલ્હણે નેમિનાથની પૂજાથે કંઈ દાન આપ્યું હશે તેની નોંધ લેતો (ખંડિત) લેખ છે. જેને સં. ૧૧૩૪માં મંદિર સમરાવ્યાનો લેખ માન્યો છે તે સં. ૧૩૩૪નો, દક્ષિણ તરફની હારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16