Book Title: Tithi Samadhan Pattak Samiksha
Author(s): Kalyansagar
Publisher: Mokshkalyanak Samyak Shrutnidhi Mahesana

Previous | Next

Page 18
________________ લઈને ભાદરવા સુદ છઠની ક્ષયવૃદ્ધિ કરવી. અને તેવું પંચાંગ ન મળે તે ભાદરવા સુદ છઠ કબૂલ રાખવી. એ વિધાન અનુસાર પૂ. શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ કે અમાવાસ્યાને ક્ષય કરે છે, ત્યારે શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગના સ્થાને બીજા પંચાંગને આશરો લઈને બીજાને સ્થાને ત્રીજની, પાંચમના સ્થાને છઠની, આઠમને સ્થાને નમની, અગિયારશના સ્થાને બારશની અને ચૌદશ-પૂનમ અને અમાવાસ્યાના સ્થાને શુદિ વદિ એકમની ક્ષયવૃદ્ધિ જે પંચાંગમાં કરેલ હોય તેને આશરો લઈને તે પ્રમાણે ત્રીજ છઠ, નેમ, બારશ અને એકમની ક્ષયવૃદ્ધિ કેમ ન કરવી ? અને તે રીતની ત્રીજ, છડું, નેમ, બારશ અને એકમની ક્ષયવૃદ્ધિવાળું પંચાંગ ન મળતું હોય તે પણ (ભાદરવા શુદિ છઠની ક્ષયવૃદ્ધિવાળું પંચાંગ ન મળે તે પણ કબૂલ રાખવી. એ વિધાન પ્રમાણે.) ત્રીજ, છઠ, નોમ, બારસ અને એકમની ક્ષયવૃદ્ધિ કેમ ન કરવી? એ તર્ક સામે તમારું ભાદરવા શુદિ છઠના ક્ષયવાળું વિધાન ટકશે ખરું ને? તેની સ્પષ્ટતા નિવેદકે કરે. પ્રસ્તુત સમીક્ષા કરતાં અનંત મહાતારક શ્રી જિનાજ્ઞાથી વિપરીત વિચારાયું કે લખાયું હોય તે ત્રિવિધ વિવિધ મિચ્છામિ દુક્કડં દેવાપૂર્વક વિરમું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20