Book Title: Swetambara Guru Vimalsurini Prashnottar Ratnamala Author(s): Lalchandra B Gandhi Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 6
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ભૂલથી બુદ્ધિસ્ટ મેન્યુ. તરીકે ડિ. કેટલૉગ સં. મેન્યુ. ગવર્નમેન્ટ કલેકશન અંડર ધી ચેર ઑફ ધી એ. સ. બંગાલ, વાં. ૧ બુદ્ધિસ્ટ મેન્યુ.” સન ૧૯૧૭માં પ્ર. પુ. પૃ. ૧૭૭-૧૭૮માં નં. ૯૯૯૫ “બ્રોકન પામલીફ ” જણાવી સં. ભ. હરપ્રસાદ શાસ્ત્રીજીએ જે અવતરણો આપ્યાં છે, તે . વિમલસૂરિની પૂર્વોક્ત પ્ર” રત્નમાલાની આર્યા ૧૩ “ો નરઃ ? પરવશતા, જિં સરહ્યું ? સર્વવિરતિ ” આર્યા ૧૮ “ત્ર વિષે થનો? વિદ્યાભ્યાસે સૌષધે ને ||. યવીર વવ ? વઢ-પુરોષિત-પરવું ?' –નિ. સા. કાવ્યમાલા સપ્તમ ગુચ્છક(પૃ. ૧૨૨)માં અને અન્યત્ર જોઈ શકાય છે. આ પ્રહ રત્નમાલા પર શ્રી આનંદસમુદ્રની સંક્ષિપ્ત વૃત્તિ, તથા અવચૂરિ વગેરે મળે છે, તેમાં પણ - ગુરુ વિમલને તેના કર્તા જણાવ્યા છે. પ્રશ્નોત્તર રત્નમાલા (પ્રાકૃતમાં) વડોદરા-જૈનજ્ઞાનમંદિરમાં શ્રીહવિજ્યજી-શાસ્ત્રસંગ્રહમાં નં. ૧૦૯૨માં ૨૧ પત્રવાળી નવી પ્રતિ છે, તે સં. પ્ર. રત્નમાલાના પ્રાકૃત રૂપાંતર - ભાષાંતરરૂપ છે, તેમાં સાથે ઉત્તમષિએ કરેલ વાર્તિક છે, તે પ્રાચીન ગૂજરાતીમાં ભાવાર્થરૂપ છે. તેના પ્રારંભમાં–માવે ! વિમુદ્દેયં? ગુરુવ ” ઈત્યાદિ છે. મૂળની ૨૯મી અંતિમ ગાથા આવી છે–– "पण्हुत्तररयणमालं, कंठे धारेइ सुद्धभावेण । સો નર-નિવ-સુહ૪છી, વર અશ્વિન મા !” વાર્તિકના પ્રારંભમાં—“શ્રીમનિને ના, તમવિરાળવિમા __ ऋष्युत्तमेन आत्मार्थ, क्रियते वार्तिकं मुदा ॥' અમોઘવર્ષ નામ સાથે આ પ્રશ્નોત્તરરત્નમાલા (મૂળ, નિર્ણયસાગર-મુદ્રણાલય, મુંબઈ તરફથી પ્રકટ થયેલી કાવ્યમાલાને સપ્તમ ગુચ્છકમાં (સન ૧૮૯૦થી સન ૧૯૨૬ ચાર આવૃત્તિમાં પ્રકાશિત થયેલ છે, ત્યાં પણ છેલ્લી આર્યામાં મળતા ઉલેખ પ્રમાણે આ કૃતિને શ્રીવિમલ-પ્રણીતા (વિરચિતા) પ્રશ્નોત્તર– રત્નમાલા નામથી જણાવી છે. તેમ છતાં સંપાદકે તેમને મળેલ બે પત્રવાળી બીજી એક પ્રતિ, કે જે સુરતથી શેઠ ભગવાનદાસ કેવલદાસે મોકલી હતી, તેમાં ૨૯મી આર્યાને બદલે મળતું જુદું પદ્ય (અનુષ્યપ શ્લોક) પાઠાંતર તરીકે ટિપ્પણીમાં જણાવ્યું છે -- "विवेकात्त्यक्तराज्येन राज्ञेयं रत्नमालिका । रचितामोघवर्षेण सुधियां सदलंकृतिः ॥" દિગંબર જૈન વિદ્વાનો આ પદ્ય જોઈ આ કૃતિને રાજા અમોઘવર્ષની-રાજ્યનો ત્યાગ કરી થયેલા દિ. જૈન સાધુની રચના જણાવે છે. ઇન્ડિયન એન્ટિવેરી વૉ. ૧૫, પૃ. ૩૭૮ અને અન્યત્ર આ ગ્રંથના કર્તા તરીકે અમોઘવર્ષને હરાવવા દિ૦ વિદ્વાનોએ પ્રયત્ન કર્યા જણાય છે. સુપ્રસિદ્ધ લેખક ૫૦ નાથુરામ પ્રેમીજીના સન ૧૯૪૨માં પ્રકાશિત થયેલા હિંદી “જૈન સાહિત્ય ઔર ઇતિહાસ' પુસ્તકમાં તીન મહાન ગ્રન્થકર્તા સંબંધમાં જણાવતાં, અમોઘવર્ષ(પ્રથમ)નો ઉલ્લેખ કરતાં તેવા આશયનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9