Book Title: Swadhyaya
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 14
________________ 2 34 જિનતત્ત્વ આ રીતે સાચો સ્વાધ્યાય જીવને પરંપરાએ સંસારમાંથી મુક્તિ અપાવે છે. “ભગવતીસૂત્રમાં કહ્યું છે : सवणे नाणे य विन्नाणे, पच्चक्खाणे य संजमे / अणण्टए तव चेव, वादाणे अकिरिया सिद्धि / / સાધુની સંગતિથી ધર્મશ્રવણ સાંપડે છે. ધર્મશ્રવણથી તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનથી વિજ્ઞાન (વિશિષ્ટ તત્ત્વબોધ), વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન (સાંસારિક પદાર્થોની વિરક્તિ અને તે માટેના નિયમો), પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ (નવાં કર્મોનો અભાવ), અનાશ્રવથી તપ, તપથી વ્યવદાન (પૂર્વબદ્ધ કર્મોનો નાશ), વ્યવદાનથી અકસ્મતા (કર્મરહિતતા - નિષ્કર્મતા) અને નિષ્કર્મતાથી સિદ્ધિ (મુક્તિ) પ્રાપ્ત થાય છે. એટલા માટે જ “તૈત્તિરીયોપનિષદમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે મુક્તિલક્ષી આત્માઓએ સ્વાધ્યાયની બાબતમાં પ્રમાદ ન કરવો જોઈએ. स्वाध्यायान्मा प्रमदः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14