Book Title: Smruti Shesha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ સ્કૃતિશેષ [૮૫ લદાયેલ નથી, ને શિષ્ટતાનું પૂરેપૂરું ખમીર ધરાવે છે. જાણે કે ઘરગથ્થુ શિષ્ટ ભાષાનું એક કલેવર જ ઘડાયું ન હોય, એમ લાગ્યા કરે છે. એમાં પ્રસંગે ચિત જે ઉપમાઓ અને દષ્ટાંતિ આવે છે, તે તે મારી દષ્ટિએ વિચારવંત વાચકને ઘડીભર થંભાવી દે તેવાં સચોટ છે. એમાં અર્થપૂર્ણ નવીનતા દીસે છે અને મૂળ વક્તવ્યને અજબ રીતે સ્કુટ કરે છે. નિબંધિકાઓની એક ખાસ ખૂબી એના વિચારેને વળાંકે અને વલણોમાં રહેલી છે. લેખક કોઈ પણ વિષયની ચર્ચા કરે છે, ત્યારે તે તે વિષયને લગતા મુદ્દાઓને એક પછી એક એવી રીતે સ્પર્શે છે અને ઊંડા ઊતરતે જાય છે કે જાણે તે એક ઊંડા જળાશયમાં ઘાટના ઉપરના પગથિયાથી અમે ક્રમે નીચેના પાને ઊતરતાં ઉતરતાં તળ સુધી પહોંચવા મથત ન હૈય! જેમ ડુંગળીના દડા કે કેળના થંભમાં એક પછી એક એમ અનેક પડે ઊખળે જાય છે તેમ નિબંધના વિષયની ચર્ચામાં તેને સ્પર્શતા અનેક દષ્ટિબિન્દુએ એક પછી એક ઊખળે જાય છે, અને વાચકની રૂચિને તાજગી આપ્યા જ કરે છે. વિષની પસંદગી રેજિન્દા જીવનને ધ્યાનમાં રાખી થયેલી છે, છતાં તે માત્ર સ્થળ જીવનને સ્પર્શ નથી કરતા. જે આંતરજીવનના બળથી સ્થળ વ્યવહાર જીવન સમૃદ્ધ અને સંવાદી બને તે જીવનની ભૂમિકા ઉપર જ ચર્ચાનું મંડાણ થયેલું હોવાથી વાચક સહેજે અંતર્મુખ થવા લલચાઈ જાય છે. જે નિબંધિકાઓ વાંચતાંવેંત જ દઢ પ્રતીતિ ઉપજાવે છે કે જીવનના હરકોઈ ક્ષેત્રમાં ઊભા થતા અનુકૂલ અને પ્રતિકૂળ સંગે તેમ જ તેની ચિત્ત પર પડતી અસરનાં મૂળ કારણેની શોધ કરવા જતાં લેખક અનાયાસે ચિત્તના બંધારણ તેમ જ તેના ક્ષણે ક્ષણે પલટા ખાતા વ્યાપારને સ્પ છે. પિતાના સ્વાનુભવ અને અંતરનિરીક્ષણના બળ ઉપર જ આવા વસ્તુપર્શી વિચારે ઉદ્દભવી શકે. આમાં કેટલાક નિબંધે તે એવા છે કે જે નિષ્ક્રિયમાં પ્રિયાશક્તિ જગવે અને અધીને ધીરે બનાવે, અન્ય પર દોષનો ટોપલે કાલવનારને લક્ષી બનાવી શુદ્ધિ તરફ પ્રેરે. એકંદર આ બધી નિબંધિકાએ પ્રતિપાદક શૈલીથી લખાયેલી છે અને છતાં નિષેધ કરવા યોગ્ય વસ્તુને બહુ મીઠાશથી પણ સચેટ દલીલથી નિષેધ કર્યો છે. હું એમ સમજું છું કે જેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3