Book Title: Smruti Shesha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249246/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિશેષ [ ૨૩ ] શ્રી સંજ્ઞાથી જે નિખ ધાવળી “ અખંડ આનંદ માં આજ લગી પ્રસિદ્ધ થતી રહી છે, તે તરફ પ્રથમથી જ મારુ ધ્યાન ગયેલું. ખીજા લેખે ન વંચાય તાપણુ એ નિધિકા સાંભળવાની લાલચ શમી નથી, એમ યાદ આવે છે. હું પ્રથમ જાણતા ન હતા કે એના લેખક મારા એક સુપરિચિત સજ્જન છે. એ નિધિકાઓની મારા મન પર જે છાપ ઊતી જતી હતી, તે મને એમ માનવા પ્રેરતી હતી કે આને લેખક કાઈ સૂક્ષ્મચિંતક અને પ્રાંજલ લખાણની શક્તિ ધરાવતે હાવા જોઈએ. એ નિધિકા સાંભળતી વખતે મને ઇમનનાં તત્ત્વચિંતનાની અને કાકા કાલેલકરે ગીતાધમ માં લખેલા દેવીસંપત ઉપરના નિબંધોની યાદ આવ્યા કરી છે; લખત્ત, બધા ચિંતા અને લેખકાની વિચાર તેમ જ લેખનપ્રક્રિયા કાંઈ તદ્ન સમાન હોતી નથી. જ્યારે મેં જાણ્યું કે એ પ્રકારની નિબધિકાઓનો સંગ્રહ છપાયા છે, ત્યારે મેં હ્રદયથી એને આવકાર્યું. એક તાક્રમેક્રમે સામયિકામાં પ્રસિદ્ધ થયેલાં લખાણા સૌને એકસાથે સુલભ નથી હતાં, અને એ પાસે અંકાની ફાઈલ હોય તે પણ એક એક અંક કાઢી તેને વાંચવા જેટલી ઉત્કટતા ભાગ્યે જ ધરાવતા હોય છે. તેથી ઊલટું, જ્યારે એક સામટા સંગ્રહ હાથમાં પડે ત્યારે સહેજે ગમે તેને વાંચવાનું મન થઈ આવે છે. અને એક વાર કાઈ નિધે રસ જગા યો ા પછી વાચક એને પૂરેપૂરું વાંચ્યા વિના છેડતા જ નથી, વળી આ લખાણો નિબંધ કરતાં નિાધિકાજ વધારે છે. એક તો એ કે તે કટાળા આપે કે ચૂકવે એવા લાંબા નથી, અને ખીજું એ કે દરેકના વિષયે। દેખીતી રીતે જુદા જુદા હોવા છતાં, સળંગ જીવનની દૃષ્ટિએ તદ્દન પરસ્પર સંકળાયેલા છે. એની ભાષા જરાય કૃત્રિમ કે સંસ્કૃતના ભારથી Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્કૃતિશેષ [૮૫ લદાયેલ નથી, ને શિષ્ટતાનું પૂરેપૂરું ખમીર ધરાવે છે. જાણે કે ઘરગથ્થુ શિષ્ટ ભાષાનું એક કલેવર જ ઘડાયું ન હોય, એમ લાગ્યા કરે છે. એમાં પ્રસંગે ચિત જે ઉપમાઓ અને દષ્ટાંતિ આવે છે, તે તે મારી દષ્ટિએ વિચારવંત વાચકને ઘડીભર થંભાવી દે તેવાં સચોટ છે. એમાં અર્થપૂર્ણ નવીનતા દીસે છે અને મૂળ વક્તવ્યને અજબ રીતે સ્કુટ કરે છે. નિબંધિકાઓની એક ખાસ ખૂબી એના વિચારેને વળાંકે અને વલણોમાં રહેલી છે. લેખક કોઈ પણ વિષયની ચર્ચા કરે છે, ત્યારે તે તે વિષયને લગતા મુદ્દાઓને એક પછી એક એવી રીતે સ્પર્શે છે અને ઊંડા ઊતરતે જાય છે કે જાણે તે એક ઊંડા જળાશયમાં ઘાટના ઉપરના પગથિયાથી અમે ક્રમે નીચેના પાને ઊતરતાં ઉતરતાં તળ સુધી પહોંચવા મથત ન હૈય! જેમ ડુંગળીના દડા કે કેળના થંભમાં એક પછી એક એમ અનેક પડે ઊખળે જાય છે તેમ નિબંધના વિષયની ચર્ચામાં તેને સ્પર્શતા અનેક દષ્ટિબિન્દુએ એક પછી એક ઊખળે જાય છે, અને વાચકની રૂચિને તાજગી આપ્યા જ કરે છે. વિષની પસંદગી રેજિન્દા જીવનને ધ્યાનમાં રાખી થયેલી છે, છતાં તે માત્ર સ્થળ જીવનને સ્પર્શ નથી કરતા. જે આંતરજીવનના બળથી સ્થળ વ્યવહાર જીવન સમૃદ્ધ અને સંવાદી બને તે જીવનની ભૂમિકા ઉપર જ ચર્ચાનું મંડાણ થયેલું હોવાથી વાચક સહેજે અંતર્મુખ થવા લલચાઈ જાય છે. જે નિબંધિકાઓ વાંચતાંવેંત જ દઢ પ્રતીતિ ઉપજાવે છે કે જીવનના હરકોઈ ક્ષેત્રમાં ઊભા થતા અનુકૂલ અને પ્રતિકૂળ સંગે તેમ જ તેની ચિત્ત પર પડતી અસરનાં મૂળ કારણેની શોધ કરવા જતાં લેખક અનાયાસે ચિત્તના બંધારણ તેમ જ તેના ક્ષણે ક્ષણે પલટા ખાતા વ્યાપારને સ્પ છે. પિતાના સ્વાનુભવ અને અંતરનિરીક્ષણના બળ ઉપર જ આવા વસ્તુપર્શી વિચારે ઉદ્દભવી શકે. આમાં કેટલાક નિબંધે તે એવા છે કે જે નિષ્ક્રિયમાં પ્રિયાશક્તિ જગવે અને અધીને ધીરે બનાવે, અન્ય પર દોષનો ટોપલે કાલવનારને લક્ષી બનાવી શુદ્ધિ તરફ પ્રેરે. એકંદર આ બધી નિબંધિકાએ પ્રતિપાદક શૈલીથી લખાયેલી છે અને છતાં નિષેધ કરવા યોગ્ય વસ્તુને બહુ મીઠાશથી પણ સચેટ દલીલથી નિષેધ કર્યો છે. હું એમ સમજું છું કે જેઓ Page #3 -------------------------------------------------------------------------- ________________ 852] દર્શન અને ચિંતન આત્મશુદ્ધિ, આત્મબળ અને કર્તવ્યનિષ્ઠા ગ્ય રીતે પોષવા ઇચ્છતા હોય ને જેઓ શાંતિવાંછુ હોય તેઓ આ નિબંધિકાઓને વિચારપૂર્વક રફતે રફતે પણુ વાંચશે તે તેઓ જુદી જ દુનિયા અનુભવશે. ખરી રીતે આ નિબંધાવલી મનનમાધુરી નામને અગર તે વિચાર-- મુક્તાવલી કે અંતર્મુખ સંપાન-શ્રેણીના નામને પાત્ર છે. નિબંધિકામાં મને પિતાને એટલી બધી વિશેષતાઓ ભાસી છે કે તેને ઉલ્લેખ અને શક્ય નથી. માત્ર એટલું જ કહી શકાય કે વાચક પિતે જ એને આસ્વાદે શ્રી. મેહનલાલ મહેતા “પાનના પુસ્તક “દીપમંગલ'ની પ્રસ્તાવના,