Book Title: Siddhahem Shabdanushasan ane Malaygirishabdanushasan
Author(s): Jaydev M Shukla
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 7
________________ સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિશિબ્દાનુશાસન પંડિતજીની આવી સૂમેક્ષિકાનાં અનેક ઉદાહરણા આપી શકાય વ્યાકરણના પ્રાચીન અને અપ્રસિદ્ધ ગ્રંથાનાં શાસ્ત્રીય સ`પાદતેમાં મલગિરિના શબ્દાનુશાસનનું આ સ`પાદન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ સંપાદનની ખીજી ત્રણ વિશિષ્ટતાએ તરફ આપણું ધ્યાન જાય છે—એક છે આ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના; બીજી વિશિષ્ટતા છે તેને તે પડિતજીએ આપેલાં તુલનાત્મક પરિશિષ્ટા અને ત્રીજી વિશિષ્ટતા છે વ્યાકરણુસૂત્રસૂચિ. ૩. પ્રસ્તાવનામાં પ`ડિત એ અનેક ઉપયાગી બામતાની ચર્ચા કરી છે. હસ્તપ્રતાના પાઠની શુદ્ધિ, ગ્રંથપાતનું પુનનિર્માણુ, પ્રાચીન વૈયાકરણાના કાર્ય સાથે તુલના કરીને શુદ્ધ પાને નિશ્ચય, આવી બધી પ્રાથમિક આવશ્યકતાએ પડિતજીએ પૂરી કરી છે. જૈન વૈયાકરણાના સક્ષેપમાં ઉલ્લેખ કરીને મલયગિરિનાં જીવન, સમય અને કૃતિઓની ચર્યાં તેમણે કરી છે. પ્રબધામાં મલયગિરિના નામ માત્રના ઉલ્લેખ હાવાથી શબ્દાનુશ!સનમાં પ્રાપ્ત થતા અને આપણે જેનેા અગાઉ નિર્દેશ કર્યો છે તે ઉદાહરણ બત્ છાતીનું ગુમાવાજ: । ઉપરથી મલયગિરિને કુમારપાલના સમકાલિક ઠરાવીને તથા કુમારપાલના વિજયા અંગે જ઼ર્ણ લેખાના આધાર લઈને બારમા સૈકાના ઉત્તરાર્ધમાં કુમારપાલ અને મલગિરિના સમયના નિશ્ચય તેમણે કર્યાં છે. ૫ડિતજીએ મલયગિરિના સંન્યાસ, જૈનધમ દીક્ષા અને તેના ગચ્છ વિષે પણ ચર્ચા કરી છે. મલયગિરિએ તેમની આગમવૃત્તિઓમાં વાપરેલા અને સૌંસ્કૃત રૂપાન્તર કરીને રજૂ કરેલા કેટલાક સ્થાનિક શબ્દો વિષે પડિતજીએ ચર્ચા કરી છે અને આ શાનાં પ્રચારસ્થાન સૌરાષ્ટ્રમાં હાઈને મલગિરિના સૌરાષ્ટ્રનિવાસની પણુ તેમણે કલ્પના કરી છે. પ્રસ્તાવનામાં મલયગિરિની, નવ આગમેા ઉપરની વૃત્તિઓની વ્યાખ્યાનપદ્ધતિની પણ વિસ્તૃત ચર્ચા પડિતજીએ કરી છે. વૃત્તિઓમાં વ્યાકરણુકા માટે મલગિરિએ પેાતાના શબ્દાનુશાસનના જ ઉપયાગ કર્યાં છે તે પંડિતજીએ વિગતા આપીને દર્શાવ્યું છે. ચાન્દ્ર અને શાકટાયન પર પરાઓને સમક્ષ રાખીને રચાયેલા મલગિરિના શબ્દાનુશાસનની યેાજના, વિષયનિર્દેશ અને નિરુપણપદ્ધતિને પંડિતજીએ સમજાવ્યાં છે. આ બે પરંપરાથી જુદા પડીને મૌલિકતા દર્શાવવાના મલયગિરિના પ્રયત્નને પણ પંડિતજીએ સમજાવ્યા છે. એક તરફ શાકદ્રાયન સાથે અને ખીજી તરફ સિદ્ધહેમ સાથે મલયગિરિના શબ્દનુશાસનની તુલના કરીને તેના ઉપરના આ પ્રાચીન જૈન વ્યાકરણ પર પરાના ઋણુને તેમણે વિસ્તારથી દર્શાવ્યું છે. અ`તે પંડિતજીએ કલ્પના કરી છે કે મલયગિરિએ કાઈક પ્રાકૃત વ્યાકરણ પણ રચ્યું. હાવાતા સંભવ છે. પતિજીની વ્યાકરણ વિષયક વિદ્વત્તા અને પરિશ્રમને નિર્દેશ ગ્રન્થાતે મળતાં દસ પરિશિષ્ટોમાંથી મળે છે. પ્રથમ અને અતિવિસ્તૃત પરિશિષ્ટમાં તેમણે મલયગિરિ, શાકટાયત, હેમચન્દ્ર, જૈતેન્દ્ર, કાતન્ત્ર, ચાન્દ્ર અને પાણિનિનાં સૂત્રાની સૂચિ, ધણા પરિશ્રમ લઈને રજૂ કરી છે. પંડિતજીએ સૂત્રાક્ષરીને બદલે સૂત્રાંકા આપ્યા છે. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ આ પરિશિષ્ટને સૂત્રાક્ષરા અને અટ્ઠા સાથે સ્વતંત્ર પુસ્તક તરીકે છપાવશે તેા વ્યાકરણના અભ્યાસીએતે એક મહત્ત્વનુ` સાધન સહજપ્રાપ્ત બનશે, ખીજા પરિશિષ્ટમાં મલયગિરિનાં સૂત્રોની અકારાદિ અનુક્રમથી સૂચિ આપવામાં આવી છે, ત્રીજુ` પરિશિષ્ટ પ`ડિતજીના અથાક પરિશ્રમના ઉત્તમ નમૂનો છે. મલયગિરિએ પોતાના શબ્દાનુ શાસનનાં સૂત્રોને તેમની પેાતાની નવાગમ વૃત્તિઓમાં કાં કાં ઉપયાગ કર્યાં છે તેની સૂચિ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9