Book Title: Shrimad Rajchandra Jivan Sadhna Author(s): Mukul Kalarthi Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 2
________________ શ્રી મુકુલભાઈએ શ્રીમદ્ભુના લૌકિક જીવનનાં પ્રસંગે અને ઘટનાએ સાદી, સ્વચ્છ અને મધુર ભાષામાં નિરૂપ્યાં છે. એમના આંતર જીવનના લાકોર અનુભવા એમણે ટાળ્યા નથી, પણ સ્વસ્થતાથી નિરૂપ્યા છે. એની પાછળના વસ્તુસત્યનું વિવેચન કરવું એ કોઈ પણ લેખકની મર્યાદા બહારની બાબત છે, સિવાય કે પોતે એ લાકોર માર્ગને વિહારી હોય. એટલે આવા કોઈ ગજા બહારના ઊહાપાહમાં પડયા વિના શ્રીમદ્જીનાં લખાણાના આધારે અને તેમના સમાગમમાં આવેલી વ્યકિતનાં કથનાના આધારે શ્રી મુકુલભાઈએ યથેાચિત નિરૂપણ કર્યું છે. એમના નિરૂપણમાં ચરિતનાયક વિશેના એમના આદરભાવ સ્પષ્ટ દેખાય છે. એ ન હોય તે આવા કામ વ્યર્થ લાગે. પેાતાને ગમ્ય ન હોય એવા પ્રસંગે, ઘટનાઓ અનુભવાને તિરસ્કારવાનું કે ગેાપાવવાનું ચાપલ એમણે કર્યું નથી. શ્રીમદ્જીનાં લખાણેામાંથી કળાતું અને સમાગમીએના કથનથી સમર્થિત થતું જીવનદર્શન શ્રી મુકુલભાઈએ કરાવ્યું છે. રસિકલાલ છે. પરીખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 280