Book Title: Shravak Kavi Rushabhdas Author(s): Chimanlal M Shah Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 4
________________ સૂઈ રહેલા ઋષભદાસના જાણવામાં એ વાત આવી. સવારે એમણે ગુરૂને પ્રસન્ન કરી તે પ્રસાદ પોતે જ મેળવી લીધો અને તે મહાવિદ્ધાન થયા. આ દંતકથા બાજુમાં રાખીએ તો પણ એટલી વાત તો સત્ય છે કે કવિ પોતાની દરેક કૃતિમાં સરસ્વતીમાતાની ભાવપૂર્વક સ્તુતિ કરી તેનો ઋણ સ્વીકાર કરે છે. ઋષભદેવ રાસમાં કવિ કહે છે : સરસિત ભગવિત ભારતી, બ્રહ્માણી કરિ સાર, વાગેશ્વરી વદનિ રમિ, જિમ હુઈ જયજયકાર; બ્રહ્મસુતા તું સારદા, બ્રહ્મવાદિની નામ, વાણી વચન દીઉ અસ્યા, જયમ હોય વંછયું કામ. કવિ ઋષભદાસે ૩૪ જેટલા રાસ અને ૫૮ જેટલા સ્તવનની રચના કરી હતી. અત્યાર સુધીની શોધખોળના પરિણામે કવિની ચાલીશેક રચનાઓ પ્રકાશમાં આવી છે તે આ મુજબ છે (૧) ઋષભદેવ રાસ (૨) વ્રતવિચાર રાસ (૩) સ્થૂલિભદ્ર રાસ (૪) સુમિત્રરાજર્ષિરાસ (૫) કુમારપાલ રાસ (૬) નવતત્ત્વરાસ (૭) જીવ વિચારરાસ (૮) અજાકુમારરાસ (૯) ભરત બાહુબલીરાસ (૧૦) સમકીતસારરાસ (૧૧) ક્ષેત્રસમાસરાસ (૧૨) ઉપદેશમાલા રાસ (૧૩) હિતશિક્ષારાસ (૧૪) પૂજાવિધિરાસ (૧૫) જીવંતસ્વામી રાસ (૧૬) શ્રેણિકરાસ (૧૭) કયવન્નારાસ (૧૮) હીરવિજયસૂરિના બાર બોલનો રાસ (૧૯) મલ્લિનાથ રાસ (૨૦) હીરવિજયસૂરિરાસ (૨૧) વીસસ્થાનક તપ રાસ (૨૨) અભયકુમાર રાસ (૨૩) રોહિણઆ રાસ (૨૪) સમઈસરૂપ રાસ (૨૫) દેવગુરુસ્વરૂપરાસ (૨૬) કુમારપાલનો નાનો રાસ (૨૭) શ્રાદ્ધવિધિ રાસ (૨૮) આર્દ્રકુમાર રાસ (૨૯) પુણ્યપ્રશંસારાસ (૩૦) વીરસેનનો રાસ (૩૧) શત્રુંજયરાસ (૩૨) શીલશિક્ષારાસ. કવિની રાસ કૃતિઓ ઉપરાંત બીજી નાની સાહિત્યકૃતિઓ આ પ્રમાણે છે : (૧) નેમિનાથ નવરસો (૨) આદિનાથ આલોચન સ્તવન (૩) આદિનાથ વિવાહલો (૪) બારઆરા સ્તવન (૫) ચોવિસ જિન નમસ્કાર (૬) તીર્થંકર ચોવીસના કવિત (૭) મહાવીર નમસ્કાર. આ ઉપરાંત કવિએ ૩૩ બીજાં સ્તવનો, ૩૨ નમસ્કાર, ૪૨ થોયો, ૪૦૦ સુભાષિતો, ૪૧ ગીત, ૫ હરિયાળી, કેટલીક બોધપ્રદ સજ્ઝાયો વગેરેની રચના કરેલી છે. કવિ ઋષભદાસના જન્મ અને મૃત્યુ વિશે ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. કવિ ઋષભદાસની પ્રથમ અને છેલ્લી કૃતિઓની રચના સાલ જ તેમનો જીવનકાલ નકકી કરવામાં સહાયરૂપ બને છે. ઉત્કૃષ્ટ મધ્યકાલીન સાહિત્યકૃતિ તરીકે જેની ગણના કરી શકાય તેવી કવિની પ્રથમ સાહિત્ય કૃતિ ઋષભદેવરાસ સં. ૧૬૬૨માં એટલે કે ઈ.સ. ૧૬૦૬માં રચાયેલી કૃતિ છે. પરંતુ રચના સાલના ઉલ્લેખ વિનાની કવિની બીજી નવેક કૃતિઓમાંથી બે કે ત્રણ કૃતિઓ ઋષભદેવરાસ પહેલા રચાઈ હોવાનો સંભવ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખતા કવિની સાહિત્ય પ્રવૃત્તિ આશરે સં. ૧૬૦૧ થી એટલે સત્તરમી સદીની શરૂઆતથી જ ગણી શકાય. આ જોતાં કવિ નયસુંદરના કવનકાળના અંતભાગમાં ૨.૩૦ Jain Education International શ્રી વિજ્યાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5