Book Title: Shravak Kavi Rushabhdas
Author(s): Chimanlal M Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 2
________________ નગર ત્રંબાવતી અન્ય હઈ છઈ સારી, ઇન્દ્ર જમ્યા નર પાની નારી; વાહણ વખાર્ય નર બહુ વ્યાપારી, સાયર લહેર સભત જય વારી, તપનત્તર પોલીઉં કોટ દરવાજા, સાહાં જાહાંગીર જસ નગરનો રાજા; પ્રાસાદ પચ્ચાસીઅ અતિહિં ઘંટાલા, જ્યાંહા બિતાલીશ પૌષધશાળા; અસ્તુ ઝૂંબાવતી બહુએ જનવાસે, ત્યાહાં મિં બેડીઓ રીષભનો રાસો. “ચંબાવતી (ખંભાત) નગરી ઘણી સારી છે. ત્યાં ઈન્દ્ર જેવા પુરુષો અને પદ્મિની જેવી સ્ત્રીઓ વસે છે. ત્યાં ઘણાં વહાણો અને વખારે છે. ઘણાં વેપારીઓ ત્યાં વસે છે. અહીં સમુદ્રની લહેરો આવે છે અને તેનું પાણી શોભી રહ્યું છે. નગરમાં ત્રણ દરવાજા (જે આજે પણ મોજુદ છે.), નગરને ફરતો કોટ અને ઘણા દરવાજા છે. તેનો બાદશાહ જહાંગીર છે. ત્યાં પંચાશી ઊંચા જિનમંદિરોપ્રાસાદો અને બેતાલીશ પૌષધશાળાઓ-ઉપાશ્રયો છે. આવા ખંભાતનગરમાં ઘણી વસતી છે; જ્યાં મેં આ રાસની રચના કરી છે.” કવિ ઋષભદાસે રચેલ હિતશિક્ષારાસ (૧૬૨૬) મલ્લિનાથરાસ (૧૯૨૯) અને હીરવિજયસૂરિરાસ (૧૯૨૯)માં ખંભાતનું વિસ્તૃત વર્ણન આવે છે. આ ઉપરાંત શ્રેણિકરાસ (૧૬૮૨) અને ભરત બાહુબલીરાસ (૧૬૨૨)માં પણ ખંભાતનું હુબહુ વર્ણન જોવા મળે છે. ધર્મભાવનાને વરેલા સંઘવી સાંગાણ અને માતા સરૂપાદેના પુત્ર કવિ ઋષભદાસ પોતે અહંદભકત અને ક્રિયાશીલ શ્રાવક હતા. હીરવિજયસૂરિ રાસમાં જણાવ્યા પ્રમાણે તેમણે પણ શેત્રુજ્ય ગિરનારી સંસર યાત્રો; સુલશષ ભણાવ્યા બહુ છાત્રો. શત્રુંજ્ય, ગિરનાર, શંખેશ્વર આદિ તીર્થોની યાત્રા કવિએ કરી હતી. ઘણાં હોંશિયાર વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. તેમને સંસ્કૃત, પ્રાકૃત આદિ સાહિત્યનું પણ સારું જ્ઞાન હતું. આમ કવિ એક બહુશ્રુત, શાસ્ત્રાભ્યાસી અને સંસ્કારી વિભૂતિ હતા. પોતાના ઉત્તમ આચાર વિચારથી તેમણે જૈન સાધુઓ અને શ્રાવકોમાં ભારે ચાહના મેળવી હતી. પોતાને એક પરમ શ્રાવક તરીકે ઓળખાવવામાં તેઓ ગૌરવ માનતા અને જૈનધર્મ પ્રમાણે શ્રાવકના આચારને ચુસ્તપણે પાળતા. તેઓ રોજ સાધુ ભગવંતોને વંદન, જિનપૂજા, વ્યાખ્યાન શ્રવણ, સ્વાધ્યાય આદિ ધાર્મિક ક્રિયાઓ કરતા. હિતશિક્ષારાસમાં કવિ જણાવે છે : સંઘવી સાંગણનો સુત વારું ધર્મ આરાધતો શકિત જ સારું, ઋષભકવિ તસ નામ કહાવે, પ્રહ ઉઠી ગુણ વીરના ગાવે, સમજ્યો શાસ્ત્ર તાણાં વિચારો, સમકિત શું વ્રત પાલતો બારે, પ્રહ ઉઠી પડિક્કમણું કરતો, બેઆસાનું વ્રત તે અંગે ધરતો, ચઉદે નિયમ સંભારી સંક્ષેપુ, વીરવચન રસે અંગે મુજ લેપુ, નિત્ય દશ દેરાં જન તણાં જુહારું, અક્ષત મૂકી નિત આતમ તારું, થી વિખ્યાત ચ nat cી in Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5