Book Title: Sat Asat
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ભારતીય તત્તવાન સપ વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક હોઈ તે ઉત્પાદ-વ્યય-ધવ્યયુક્ત સિદ્ધ થાય છે. જૈનસમ્મત સલ્લક્ષણગત ધ્રૌવ્યનો અર્થ સાંપની જેમ માત્ર સ્વભાવાસ્યુતિ જ લેવાય છે અને નહિ કે ફૂટસ્યનિત્યતા. અલબત્ત, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાંખ્ય સના બે ધોરણો – પરિણામિનિત્યતા અને કૂટસ્થનિત્યતા – સ્વીકારે છે જ્યારે જેન એકધારી રીતે સનું એક જ ધોરણ – પરિણામિનિત્યતા – સ્વીકારે છે, જેનને મતે આત્મા–પુરુષ પણ સ્વભાવે પરિણામિનિત્ય જ છે, સાંખ્યની જેમ કૂટનિત્ય નહિ. ન્યાયવૈશેષિકોએ સનું લક્ષણ સત્તાયોગિત્વ આપ્યું છે. તેમના કહેવાનો આશય એ છે કે સત્તા મહાસામાન્ય જેમાં સમવાયસંબંધથી રહે તે સત્ છે. આ સની વ્યાખ્યાઓનું પરવાદીઓએ ખંડન પણ કર્યું છે. જેનોની સની વ્યાખ્યા ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે પરસ્પરવિરોધી ધર્મો એક વસ્તુમાં સંભવે જ નહિ. ન્યાયવૈશેષિકોની સતુની વ્યાખ્યાને લક્ષી કહેવાયું કે તે વ્યાખ્યા પ્રમાણે તો સ્વસમ્મત જ કેટલાક સત્- ભાવ પદાર્થો અસત્ ઠરે કારણ કે સત્તા તેમને મતે માત્ર દ્રવ્ય, ગુણ, કર્મમાં જ રહે છે." શાંકર વેદાન્તીઓની અને બોદ્ધોની વ્યાખ્યાઓના વિરોધમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ જાતના પરિણમનથી રહિત ફૂટસ્થનિત્ય વસ્તુ કે નિરન્વય ક્ષણિક વસ્તુ એ કોઈનાય અનુભવની વાત નથી. આમ દાર્શનિકો અંદરોઅંદર એકબીજાના સના લક્ષણનું ખંડન કરતા હતા એવામાં બૌદ્રો તરફથી એક એવું લક્ષણ મૂકવામાં આવ્યું જે લગભગ બધા જ દાર્શનિકોએ માન્ય રાખ્યું અને તે લક્ષણ તે અર્થક્રિયાકારિત્વ. અલબત્ત, દર્શનકારોએ પોતપોતાને માન્ય અન્તિમ તત્વ કે તત્વોમાં તેને લાગુ કરવા ભારે જહેમત લીધી. બૌદ્ધોએ તપુર:સર સિદ્ધ કર્યું કે ક્ષણિક વસ્તુ જ અક્રિયાકારી છે, વેદાન્તીઓએ પુરવાર કરવા પ્રયત્ન કર્યો કે નિત્ય વસ્તુ જ અર્થક્રિયાકારી છે અને જેનોએ સાબિત કર્યું કે નિત્યાનિત્ય વસ્તુ જ અર્થક્રિયાકારી છે. આપણે જોયું તેમ આચાર્ય શંકર ત્રિકાલાબાધિત ફૂટસ્થનિત્યને સત્ કહે છે. તે પણ વિજ્ઞાનવાદી અને શુન્યવાદીની માફક સની ત્રણ કોટિ સ્વીકારે છે : પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રતિભાસિક. તેમને મતે ફૂટસ્થનિત્ય બ્રા ચેતન જ પરમાર્થ સત્ છે કારણ કે તે ત્રિકાલસ્યાયી છે; ઘ૮, પટ આદિ વ્યાવહારિક સત્ છે કારણ કે તે વ્યવહારકાલમાત્રસ્યાયી છે પરંતુ તત્ત્વજ્ઞાનનાય છે; શુક્તિરતાદિ પ્રાતિમાસિક સત્ છે કારણ કે તે પ્રતિભાસકાલ માત્રસ્થાયી છે પરંતુ અધિષ્ઠાનજ્ઞાનનાય છે. આચાર્ય શંકર વ્યાવહારિક સદૂપ જગતના પરિણામી ઉપાદાનકરણ તરીકે અવિદ્યા નામના તત્ત્વને સ્વીકારે છે. તેને તેઓ સત્-અસવિલક્ષણ કહીને વર્ણવે છે. તે સતું નથી કારણ કે તે બાધિત થાય છે, તે અસત્ નથી કારણ કે તે સપજગત્કાર્યનું ઉપાદાનભૂત કારણ છે. આ સતુ-અસવિલક્ષણતાસિદ્ધાંતનાં મૂળ છેક ‘નાસઠીયસૂક્ત'માં જોવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6