Book Title: Sapeksh Nirpkeshak Drushti
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પારમાણિક લેખસંગ્રહ [ 5 નથી. એકાન્ત ભિન્ન ભિન્ન નથી ઉત્પન્ન થયેલા પરસ્પર વિરુદ્ધ એવા ધર્મોમાંથી પણ સાત નોની અપેક્ષાએ સમ્યગજ્ઞાનીને સમ્યપણે એ બાબતેનું જ્ઞાન થાય છે. એકાન્ત નયથી મિથ્યાત્વધર્મને સ્વીકાર કરી મિથ્યાત્વમતિના જોરથી એકાન્તવાદીઓ ધર્મયુદ્ધ કરીને કમની વૃદ્ધિ કરે છે. સાત નાની અપેક્ષાએ એકેક નયકથિત સર્વ ધર્મ અંગે જેમાં સમાવેશ થાય છે, એવું શ્રી જૈનદર્શન જગતમાં સર્વ ધર્મના અંગેનું સાપેક્ષતાએ પ્રતિપાદન કરતું વિજયવંત વતે છે. મહત્પરૂષની નિર્ભયતા જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી-સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યગ્રષ્ટિ પુરૂષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન સર્વ પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કેઈ પણ દ્રવ્યથી થતી નથી તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાન્તિ છે. તે જ બ્રાન્તિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવપ્રમાણુ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે અને સર્વ પદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2