Book Title: Sapeksh Nirpkeshak Drushti
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249617/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા સાપેક્ષ-નિરપેક્ષકદષ્ટિ એકાન્ત દૃષ્ટિથી કઈ પણ પદાર્થનું સ્વરૂપ અવલોકન વાથી તેની બધી બાજુએ દેખી શકાતી નથી. કેઈ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જેવું હોય તે સર્વે નયેની અપેક્ષાવડે જેવું જોઈએ. નયેની અપેક્ષા વિના કઈ પણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ કથી શકાતું નથી અને સમજી શકાતું પણ નથી. કોઈ પણ લેખક કેઈ ગ્રંથ બનાવે છે તેમાંથી તેને આશય તે ઘણેખર તેનાં હૃદયમાં રહે છે, તેમજ તે ગ્રંથમાં લખવાની ઘણુંખરી અપેક્ષાઓ પણ તેના હૃદયમાં રહે છે. અમેરિકા વિગેરેના કેટલાક વિદ્વાને પણ કથે છે કે-વક્તાનું વા લેખકનું વાકય કોઈ પણ જાતની તેના હૃદયમાં રહેલી અપેક્ષા વિના શૂન્ય હોતું નથી. કેઈ વિદ્વાન અન્યને સમજાવતાં કળે છે કે-મારા કહેવાની વા લખવાની આ અપેક્ષા છે, મેં અમુક આશયથી કહ્યું છે વા લખ્યું છે. લેખકના આશય વા વિચારની અપેક્ષા જાણ્યા વિના અભિપ્રાય આપતાં ઘણી વાર ભૂલ થવા સંભવ છે. વિચારોને મહાસાગર મહાન છે અને તેના તરંગોથી પણ અધિક અપેક્ષાઓ છે. તેઓના સંપૂર્ણ રહસ્યને જાણવાને માટે અને કેઈ પણ વિચારને અન્યાય ન મળે તે માટે નયવાદનું જ્ઞાન આવશ્યક છે. સાત નાનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી અને સાપેક્ષવાદને સમ્યક પ્રકારે જાણવાથી કેઈ પણ વિચારને એકાન્ત અન્યાય મળતું નથી અને સર્વ પ્રકારના વિચારોને દર્શાવવામાં અન્ય નાની અપેક્ષા પૂર્વક બોલવાથી કઈ પણ નયને તિરસ્કાર થત ચા પરિપૂર્ણ કઈ પણ વ ળવવામાં Page #2 -------------------------------------------------------------------------- ________________ પારમાણિક લેખસંગ્રહ [ 5 નથી. એકાન્ત ભિન્ન ભિન્ન નથી ઉત્પન્ન થયેલા પરસ્પર વિરુદ્ધ એવા ધર્મોમાંથી પણ સાત નોની અપેક્ષાએ સમ્યગજ્ઞાનીને સમ્યપણે એ બાબતેનું જ્ઞાન થાય છે. એકાન્ત નયથી મિથ્યાત્વધર્મને સ્વીકાર કરી મિથ્યાત્વમતિના જોરથી એકાન્તવાદીઓ ધર્મયુદ્ધ કરીને કમની વૃદ્ધિ કરે છે. સાત નાની અપેક્ષાએ એકેક નયકથિત સર્વ ધર્મ અંગે જેમાં સમાવેશ થાય છે, એવું શ્રી જૈનદર્શન જગતમાં સર્વ ધર્મના અંગેનું સાપેક્ષતાએ પ્રતિપાદન કરતું વિજયવંત વતે છે. મહત્પરૂષની નિર્ભયતા જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી-સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યગ્રષ્ટિ પુરૂષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન સર્વ પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કેઈ પણ દ્રવ્યથી થતી નથી તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાન્તિ છે. તે જ બ્રાન્તિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવપ્રમાણુ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે અને સર્વ પદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે.