________________
લોકદીપક બુદ્ધગુરુ • ૧૩૩ કહ્યું છે કે “કોઈ શાસ્ત્ર સ્વતઃપ્રમાણ નથી; એ તો રચનારના સત્ય-અસત્ય અનુભવ ઉપર જ ઊભું થયેલું છે અને તે દ્વારા જ તેની સત્યતા કે અસત્યતા કળી શકાય છે. તેમ કોઈ વચન ઈશ્વરનું વાક્ય નથી; જે છે તે બધી આપણા જેવા માનવીની વાણી છે. માટે તેને બરાબર ચકાસી, પરીક્ષા કરી પછી જ માનવાની છે; એટલું જ નહીં, પણ બુદ્ધગુરુએ પણ સ્પષ્ટ કર્યું કે હું સર્વજ્ઞ નથી, લોકોત્તર નથી કે કોઈ દિવ્યતાને ધારણ કરતો નથી. હું પણ તમારામાંનો અને તમારી જેવો જ એક માણસ છું. મને મારી ચારે બાજુ દુઃખ-દુઃખ જોઈ તે વિશે વિચારો આવ્યા અને ધર્મને નામે લગભગ બધી પ્રજામાં અધર્મ પ્રવર્તતો જોઈ, અન્યાય ચાલતો જોઈ મને ભિક્ષુ થવાની પ્રેરણા મળી. એથી મેં ઘણા લાંબા સમય સુધી જુદી જુદી સાધના કરી. છેવટે હું જે નિર્ણય ઉપર આવ્યો, તે મારો જાતિ અનુભવ તમારી આગળ મારા ધર્મચક્રને નામે જણાવું છું. તે પણ જો તમને બરાબર લાગે તો જ માનજો, પણ કોઈ યોગી કહે છે કે સર્વજ્ઞ કહે છે કે આપણને ગમે તેવું કહે છે એમ ધારીને માનવાનું નથી, પરંતુ તમારી વિવેકબુદ્ધિથી તમે તેની કસોટી કરી પછી તમને જો એ વચન દુઃખ દૂર કરનારું જણાય, તો જ માનવાનું છે.” આ રીતે લોકદીપક બુદ્ધ વૈશાખ શુક્લ પૂનમને દિવસે પોતાનું ધર્મચક્ર શરૂ કરતાં તે જમાનાના ઘણા ભ્રમો દૂર કર્યા. પ્રજાને માટે વિચારસ્વાતંત્ર્યનો માર્ગ ખુલ્લો કર્યો. જન્મ-જાતિવાદનો સમૂળગો નિષેધ કર્યો અને ગુણોને લીધે શ્રેષ્ઠ વા અશ્રેષ્ઠ સમજવાનો સિદ્ધાંત લોકોને સમજાવ્યો. ઈશ્વરવાક્ય કે વેદવાક્ય કે સર્વજ્ઞવાક્યની નાગચૂડમાં ભીંસાયેલી પ્રજા પુરોહિતો કે ધર્મગુરુઓ સામે ચૂં કે ચાં કરી શકતી ન હતી, જુદા જુદા પંથના આચાર્યો પોતાને ફાવે તે પ્રમાણે પ્રજાને ભરમાવતા હતા. તે સામે હવે પ્રજા અવાજ ઉઠાવી શકે એવી પરિસ્થિતિ ઊભી કરી અને સૌથી વધારેમાં વધારે તો તેમણે મંગળરૂપ એ વાત આમજનતાને સમજાવી, કે “તમારી સામે જે પ્રત્યક્ષ આ દુઃખ છે, તેને દૂર કરવાના પ્રયત્નમાં જ લાગી જાઓ, પણ પરોક્ષ એવા સ્વર્ગનાં સુખોની આશામાં ન રહો, અને જેનો સાક્ષાત્કાર શક્ય જ નથી એવા આત્મા કે ઈશ્વર પાછળ પણ વખત ન ગુમાવો. દુઃખ, સામાજિક દુઃખ અને સમસ્ત વિશ્વના વ્યક્તિગત દુઃખનું મૂળ માણસના પોતાના મનમાં જ છે. એ મનને ઠીક કરો, શુદ્ધ સંકલ્પ કેળવતાં શીખો એટલે એ દુઃખ આપોઆપ દૂર થશે. મૈત્રીભાવ સર્વત્ર ફેલાવો, કોઈ ઊંચ નથી કે કોઈ નીચ નથી. માણસમાત્ર એકસરખા જ છે. જે પ્રયત્ન કરે તે પોતાના સંકલ્પને શુદ્ધ કરી શકે છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org