Book Title: Sangiti
Author(s): Bechardas Doshi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 286
________________ ધર્માચરણની ભૂમિકા • ૨૬૫ જેમનું પોષણ કરવાનું છે તેમનો તે આદરપૂર્વક પોષક હોવો જોઈએ. તથા દીર્ઘદર્શી અને વિશેષતાઓને સમજનારો એટલે કે સારાસાર, કાર્યાકાર્ય, હેયઉપાદેય વગેરેની વિશેષતાને પૂરો સમજનાર હોવો જોઈએ. પોતાના ગુણદોષને બરાબર પિછાણનારો હોવો જોઈએ, પોતા ઉપર કોઈએ કરેલા નાના સરખા ઉપકારને પણ કદી ન ભૂલે એવો કૃતજ્ઞ હોવો જોઈએ. લોકપ્રિય એટલે લોકોનાં દુઃખસુખમાં ભાગીદાર વા સહાનુભૂતિવાળો હોવો જોઈએ, વડીલોની આંખની શરમ રાખનારો હોવો જોઈએ. એટલે કોઈ અનુચિત પ્રસંગ આવી જતાં વડીલો તેને એટલું જ કહે કે “ભલા માણસ ! તને આ શોભે ?” આટલામાત્રથી તે, એ પ્રસંગથી અટકી જવાની વૃત્તિવાળો હોવો જોઈએ. દયાવાળો, સૌમ્ય પ્રકૃતિનો અને પરોપકાર કરવામાં તત્પરતા દાખવનારો પણ હોવો જોઈએ. તથા કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ અંદરને શત્રઓથી તે દૂર રહેનારો હોય તો જ તેનાથી ધર્મના અધિકારી થઈ શકાય. માણસ પરસ્ત્રી અથવા પરપુરુષ તરફ કામવાસનાને અંગે વિચાર કરે અથવા અપરિણીત સ્ત્રી તથા પુરુષો તરફ કામવાસનાને અંગે વિચાર કરે તેનું નામ કામ પુરુષાર્થ. પોતાનો દોષ છે કે બીજાનો દોષ છે એ બાબત ક્ષણ પણ વિચાર કર્યા વિના એકાએક કોપ કરવો તેનું નામ ક્રોધ. જયાં દાન દેવાની જરૂર છે ત્યાં પોતાના ધનનો ઉપયોગ ન કરવો અને કોઈ પણ યુક્તિપ્રયુક્તિ દ્વારા કોઈ પણ ખાસ કારણ વિના બીજા પાસેથી ધન પડાવી લેવું તેનું નામ લોભ. દુરાગ્રહ રાખવો અથવા યુક્ત વાતનું તરત ગ્રહણ ન કરવું તેનું નામ માન. પોતાના કુળનો, બળનો, વૈભવનો, રૂપનો કે વિદ્યાનો અહંકાર કરવો તેનું નામ મદ. નિમિત્ત વગર બીજાને સતાવી તેમાં આનંદપ્રમોદ માનવો, કોઈને દુઃખી જોઈને મનમાં હર્ષ કરવો અથવા જુગાર રમીને વા શિકાર કરીને મનને સંતોષ પમાડવો તેનું નામ હર્ષ. આત્માર્થી ગૃહસ્થો માટે આ છ વૃત્તિઓ અંદરના શત્રુ છે. એ છ અંતરંગ શત્રુઓથી દૂર રહેનારો અને પોતાની ઇંદ્રિયોને વશમાં રાખવાનો અભ્યાસ રાખનારો ગૃહસ્થધર્મનો અધિકારી હોઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306