Book Title: Samvatsarik Kshamapana
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૩૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના દરરાજ સાંજરે કરવું. દરરાજન અને તેા પાક્ષિક કરવું. પાક્ષિક પણ ન બને તે ચાર માસે કરવું. અને તે પણ ન અને તે છેવટે એક વર્ષે તા કરવું જ કરવું. સવત્સર એટલે વર્ષ. અને સાંવત્સરિક ક્ષમાપના એટલે આખા વર્ષમાં આપણાથી કાઈ પ્રત્યે જાણતાં કે અજાણતાં વેર વિરાધ થયા હાય તા તેની ક્ષમા યાચવી, અને આપણે બીજાને ક્ષમા આપવી. શત્રુતા એક વર્ષથી વધારે તેા નં જ રાખવી. આ સાંવત્સરિક ક્ષમાપનાના સંબંધમાં વિધિ એ છે કે જે કાઈસાથે વેરવિરાધ આખા વર્ષમાં થયા હેાય તેની ક્ષમા પ્રથમ માગવી અને તેની ક્ષમા મળે પછી પ્રતિક્રમણ કરવું. બાઈબલમાં લખ્યું છે કે “તું તારી આહૂતિ દેવને ચડાવવા આવ્યા હાય, પણ જો તને યાદ આવે કે તારા કાઈ પડેાશી સાથે તારે અણબનાવ થયેા છે, તે તું તે આહૂતિ મદિરના ઓટલા પર મૂકીને તે તારા પડેાશીને ત્યાં જજે. તેનું મન મનવજે, અને તેની સાથે મૈત્રી કરીને પાછા આવજે અને પછી તે આકૃતિ દેવને ચઢાવજે.” જ્યાંસુધી કાઈ આપણા વેરી હાય અથવા આપણને કાઇ પ્રત્યે વેર હાય, ત્યાં સુધી ખરી શાંતિ પ્રાપ્ત થઈ શકે નહિ. આપણે સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યાં પછી જે કાઈ મળે તેને કહીએ છીએ કે “ મિચ્છામિ બ્રેકડા મૂળ સંસ્કૃત શબ્દ એ છે કે મિા મે દુષ્કૃતમ્ મારી દોષ–મારાથી થવા પામેલું અશુભ કૃત્ય મિથ્યા થાઓ-એળે જા. આવી ક્રિયાથી પાપના સંસ્કાર જતા રહે છે, અને મન ઉપરથી ભાર ઓછા થતા જાય છે. આ બધું સમજપૂર્વક કરવામાં આવે તા જ ખરા લાભ છે, ક્ષમા માગવાથી હુંપણું નાશ પામે છે, અને ક્ષમા આપવાથી ઉદારભાવ ખીલે છે. 39 પર્યુષણના દિવસેામાં ખીજી અગત્યની બાબત તપશ્ચર્યાં છે. તપશ્ચર્યાના ઉપયાગ ઇંદ્રિયનિગ્રહ અને શરીરના આરેાગ્ય વાસ્તે છે. શરીર અડ્ડા ઇંદ્રિયને વશ થઈ જોઈએ તે કરતાં વધારે ખારાક લે છે. અમેરિકાના પ્રસિદ્ધ શારીરિક વિજ્ઞાનશાસ્ત્રી લખે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5