Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta

View full book text
Previous | Next

Page 49
________________ પાના નં.૪૭ બાલદીક્ષા, દેવદ્રવ્ય, તિથિ. પ્રશ્ન-૧૫ જગતમાં કોઈપણ મતભેદ- તે રાજકીય, આર્થિક કે ધાર્મિક મતભેદ ને ઉકેલ ૧૦૦ થી વધુ વર્ષથી ન આવ્યો હોય તેવા મતભેદ અસ્તિત્વમાં નથી, અને જયાં આ મતભેદ ઉકેલાયા નથી, ત્યાં વિભાજન - એ જ પરિણામ આવ્યું છે. બાલદીક્ષા, દેવદ્રવ્ય, તિથિ આ ત્રણ પ્રશ્નો છેલ્લી એક સદીથી વધુ સમય થી ચર્ચાય છે. સૌ સંમત થાય તેવો ઉકેલ આજ સુધી આવ્યો નથી. આ પ્રશ્નોની ચર્ચા કોઈ શ્રાવક કરે તે બાબત કોઈ ગુરૂવર્ય સ્વીકારી શકે તેમ નથી. અમો શ્રાવકો ઈચ્છીએ છીએ, આ પ્રશ્નો ઉકેલાય, સૌ સંમત થાય તેમ ઉકેલાય. માત્ર એક સવાલ, આ સવાલ દુઃસાહસ જેવો છે, પણ કરું. પ્રભુ મહાવીર કેવલજ્ઞાની, તીર્થકર તરીકે ત્રીસ વર્ષ આ વિશ્વમાં વિચર્યા. પ્રભુની દેશના સાંભળી અનેક જીવો પામ્યા, સંયમ ગ્રહણ કરી મોક્ષે ગયા. આ ત્રીસ વર્ષમાં પ્રભુ મહાવીરે કોઈ બાળકને દીક્ષા આપી હતી? તે મુનિ કોણ? તેમનું જીવનચરિત્ર આપણી પાસે છે ? દેવદ્રવ્ય અને તિથિ, શુધ્ધ દ્રવ્ય વ્યવસ્થા અને આરાધના ના પ્રશ્નો છે. કંઈ ઉકેલવાનું બાકી રહ્યું છે તે કશાજ આગ્રહ વિના, મહાગ્રહ વિના, સાથે બેસીને ઉકેલવાનો સશકત પ્રયાસ પ્રારંભીએ? આ પ્રશ્નો નહી ઉકેલાવાનું એક જ કારણ છે, “અમારું સત્ય આખરી છે, અન્ય કોઈ સત્ય હોઈ શકે જ નહી,” બંને પક્ષે “સત્ય” ની આ સમજ છે, અને આ “સમજ” દ્રઢ રીતે રજુ કરવા શાસ્ત્રોનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે, તે છેલ્લી એક સદીથી થતી શાસ્ત્રોની હિલના સિવાય કશું જ નથી. પ્રભુની વાણી, પૂર્વાચાર્યો ની વાણી, રફેદફે થઈ રહી છે. હમણાં જ સિધ્ધાંતપ્રેમીઓ દ્વારા લઘુ સંસ્કરણ નામે એક પુસ્તક પ્રગટ થયું. સંવત ૨૦૭૨ નું સંમેલન આવી રહ્યું છે, આ પુસ્તકનો એક માત્ર હેતુ છે, સંવત ૨૦૪૪ ના ઠરાવોનું પિંજણ કરવાનું. ન અટકી શકાય? દેવદ્રવ્ય અંગે દેવદ્રવ્યની અતિવૃધ્ધિનો એક નવો પ્રશ્ન ઉભો થયો છે, અને તેના કારણે જે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, તે અંગે પણ વિચારવાનો સમય આવ્યો છે.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50