Book Title: Sammea Shailam Tamaham Thunami
Author(s): Shefali Shah
Publisher: Shefali Shah

View full book text
Previous | Next

Page 485
________________ સહુ કોઈ પ્રતિવર્ષ તો આ ભૂમિની સ્પર્શના કરી શકતાં નથી પણ ભાવપૂર્વક આ દર્શનયાત્રાના પઠનથી, મનથી તીર્થસ્પર્શના કરીશું તો જાત્રાનું શુભ ફળ મળશે જ. જેઓ પ્રતિકૂળ સંજોગોને કારણે પ્રત્યક્ષ જઈ શકતા નથી તેમના માટે આ દર્શન સચિત્ર ભાવયાત્રા યોગ્ય છે પરંતુ જેઓ યાત્રા કરી શકે તેમ છે તેમણે આ સંપૂર્ણ સચિત્ર ભાવયાત્રા કરીને સંતોષ માનવાનો નથી, પરંતુ તીર્થમાં રહેલી નાનામાં નાની વિગતોને ધ્યાનમાં રાખી પ્રત્યક્ષ જવાની અનુકૂળતા કરીને તે વિગતોને સાક્ષાત્ કરવાની છે. ભાવભક્તિ અને ભાવયાત્રાથી, અપૂર્વ પુણ્ય બંધાશે, બૂરાં પાપ રૂંધાશે અને ભાવયાત્રા આત્મયાત્રા બનશે. જિનઆજ્ઞા વિરુદ્ધ મારાથી કાંઈ પણ આશાતના થઈ હોય તો ત્રિવિધ ક્ષમા યાચી મિચ્છામિ દુક્કડમ’ પાઠવું છું. બોલો, શ્રી સમેતશિખર મહાતીર્થની જય.... બોલો, શ્રી પાર્શ્વનાથ પ્રભુની જય..... મનમાં એવો ભાવ ભાવીએ કે આપણે શિખરજીની જાત્રા કરીને ઘરે આવી ગયા. કેટલાં બધાં તીર્થો ને કેટલા બધા પ્રભુજીનાં દર્શન થયાં! બસ; જ્યારે જ્યારે સમય મળે ત્યારે અથવા સામાયિકમાં ભાવથી આ ગ્રંથ લઈને શાંતચિત્તે ભાવયાત્રા કરવા બેસી જજો . पारसनाथ બસ, આનંદ .... આનંદ... આનંદ. પારસનાથ સ્ટેશન ૪િ૮૧] Jain Education entre

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504