Book Title: Sahityasamalochak Jugalkishor Mukhtar Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ તે | * : Chinu Sk છે. '' AT છે, જ છે. ૧૬. સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર યુગવીર” ભૂમિકા : વર્તમાન શતાબ્દીના પ્રારંભમાં જૈન સંસ્કૃતિ, જૈન સાહિત્ય અને જૈન સમાજની તન-મન-ધનથી એકનિષ્ઠાપૂર્વક સેવા કરી પોતાના જીવનને સુયશની સુગંધથી સુવાસિત કરનાર પંડિતવર્ય શ્રી જુગલકિશોરજી મુખનાર જૈન સમાજમાં એક વિદ્વાન સાહિત્યકાર અને સાહિત્યસમાલોચક તરીકેની પોતાની અમીટ છાપ મૂકતા ગયા છે. ધનેચ્છા કે માનેચ્છાની લેશમાત્ર પણ પરવા કર્યા વિના, કેવળ કર્તવ્યબુદ્ધિથી તેઓ જિનવાણીની જે સેવા કરી ગયા છે તે ખરેખર અદ્વિતીય અને અદ્ભુત છે! તેઓએ રચેલી “મેરી ભાવના” યુગો-યુગ સુધી જનમાનસમાં અમર રહેશે, એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી ! પ્રાચ્ય વિદ્યાના એક ઉત્તમ સંશોધક, એક સફળ સમાલોચક, સંપાદક તથા સાહિત્યલેખક તરીકે પંડિતશ્રી જૈનસંસ્કૃતિ પર અનેકવિધ ઉપકાર કરી ગયા છે. બીજી શતાબ્દીમાં થયેલ મહાન દિગંબર આચાર્યશ્રી સમન્તભદ્રના અનન્ય ચાહક શ્રી મુખ્તારજી શ્રી સમસ્તભદ્ર આચાર્યના સાહિત્ય તથા જીવનને પ્રકાશમાં લાવવામાં અનન્ય ફાળો આપતા ગયા છે. સતત સાત દાયકાઓ સુધી અનેકવિધ સાહિત્યસૃજન કરી પંડિતપ્રખર શ્રી જુગલકિશોર મુખ્તાર પોતાનું “યુગવીર' ઉપનામ સાર્થક કરી ગયા છે. ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9