Book Title: Sacho Jain
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ સાચે જૈન [481 કેટલામાં જણાય છે ? અને જે લેકસમાજ એ પ્રશ્નનો ઉત્તર આપો આપ મેળવી લેવા સમર્થ ન હોય તો લેકોએ એને ખરે ઉત્તર કોની પાસેથી મેળવ? જે વિદ્વાન ગણાતો એક આગેવાન અમુક ઉત્તર આપે, બીજે તે આગેવાન વળી બીજો ઉત્તર આપે અને ત્રીજો વિદ્વાન ત્રીજે જ ઉત્તર આપે તે પ્રશ્ન કરતાં ઉત્તરની ગૂંચવણું કરોળિયાના જાળાની પિડે એવી મૂંઝવણકારક થઈ જવાની કે તેમાં સપડાયેલ દરેક પંગુ જ બની જવાને. ત્યારે એ ક માર્ગ છે કે જેને આધારે દરેક માણસ એક જ સરખે અને સાચે ઉત્તર મેળવી શકે? જે આ કંઈ એક ભાગ ન હોય અને હોય તે કદી સૂઝી શકે તે ન હોય અથવા માર્ગ સૂઝયા પછી પણ અમલમાં મૂકી શકાય કે જીવનમાં કામ લાવી શકાય તેવો ન જ હોય તે પછી આજ સુધીની આપણું શાસ્ત્રો, ધર્મો અને ગુરુની ઉપાસના વંધ્ય છે. અને વધ્ય ન જ હોઈ શકે એવું જે આપણું અભિમાન સાચું હોય અગર સાચું સાબિત કરવું હોય તે પ્રસ્તુત વિકટ પ્રશ્નને એકસરખે, મતભેદ વિનાને અને ત્રિકાલાબાધિત ઉત્તર આપી શકે તેવો માર્ગ અને તેવી કસોટી આપણે શોધવી જ રહી. આ માર્ગ અને આ કસોટી ઘણુ સાત્વિક હૃદયમાં સ્ફરતી હશે તેમ જ જરામાત્ર મહેનતથી સ્ફરવાને સંભવ પણ છે, માટે એનું સ્પષ્ટીકરણ કરી દરેક વાચકની બુદ્ધિસ્વતંત્રતા અને નિર્ણયશક્તિ કે વિચારસામર્થ્યને ગૂંગળાવી નાખવા ન ઈચ્છતાં દરેક સહૃદય વાચકને એ માર્ગ અને એ કટ વિચારી લેવા પ્રાર્થના છે. તેથી આ લેખ વાંચનાર દરેક એટલું જરૂર વિચારે કે ખરા જેને અને ખરે જૈન બનવા માટે (જ્યારે વિરોધી પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે) શું કરવું અને તે કર્તવ્યના નિર્ણય માટે સર્વમાન્ય એક કઈ કસોટી નજરમાં રાખવી ? - જેનયુગ, ભાદ્ર-અશ્વિન 1983. 31 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3