________________
३०
પ્રબુદ્ધ જીવન
ગાતાં, વાતો કરતાં અને ખિલખિલાટ હસતાં હસતાં પાનાં રમતાં. બહારની દુનિયા જોઈ જ ન હતી. જગતના ફૂડકપટ, લુચ્ચાઈ બધાથી તું દૂર હતી. વર્તમાનપત્રોમાં આવતાં આવાં સમાચારો હું કદી અમારી પાસે વંચાવતી નહિ. તારું દિલ સંપૂર્ણ નિષ્કપટ હતું. કદી ખોટું બોલતી નહિ. પરંતુ હા નિષ્કપટ હતું. કદી ખોટું બોલતી નહિ. પરંતુ હજી તારે દુઃખનો સામનો કરવાનો બાકી હતો. આટલું ઓછું હોય તેમ ૧૯૯૭માં આપણા પ્રિય હંસાભાભીએ ચિરવિદાય લીધી. તું હંમેશાં કહેતી, ‘હંસાભાભી તો મારી માની જગ્યાએ છે.' એ દુઃખ તારે માટે અસહ્ય હતું.
જબરદસ્ત મનોબળ ધરાવતી તને તારા શરીરે પૂરતો સાથ જ ન આપ્યો. ખાવાપીવામાં તું કેટલો બધો સંષમ રાખતી, વળી તું તો પાછી ચૂસ્ત જૈન એટલે જૈન ધર્મના નિયમો પણ પાળે. પણ તારા કોઈ પણ જાતના વાંક કે ભૂલ વગર શરીર ક્ષીણ થતું ગયું. સ્વતંત્ર રીતે ચાલતી જ્યોતિને લાકડીનો સહારો લેવો પડ્યો. છતાં હું હિંમત ન હારી આટલા થા જાકો ઓછા હતા તેમ ૧૯૮૦માં પૂ. બા એ અને ૧૯૮૯માં પૂ. કાકાએ વિદાય લીધી. તેં ગજબની હિંમત દાખવી. તારા મિત્રોનો દરબાર તો તારી આસપાસ વિંટળાયેલો જ હોય. તમે
ક્ટોબર, ૨૦૦૯
પૂછતી કે, ‘દિવસ છે કે રાત ?’ ત્યારે તો જ્યોતિ, અમારું કાળજું ચિરાઈ જતું. લગભગ આખી જિંદગી તેં અંધકારમાંથી પણ જ્ઞાનનો, નીતિનો પ્રકાશ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે તું નિશ થઈ ગઈ હતી. જિજિવિષા તૂટી ગઈ હતી. હવે તું મૃત્યુને ઝંખતી હતી. અને પ્રભુએ તારી અરજ સાંભળી. ૨૭માર્ચ ૨૦૦૯ના ગૂડીપડવાને દિવસે સવારે પાંચ વાગે તેં મને તારીખ અને તિથિ પૂછ્યા હતા. હું સંપૂર્ણ સભાન, સર્ચત હતી. દિનચર્યા પતાવી. આખા જીવન દરમ્યાન કારેલાના શાકને ન અડનાર, તેં કારેલાનું શાક ખાવા જીદ કરી. બપોરે બાર વાગે કારેલાનું શાક, દાળ, ભાત જમી. દિવસની બાઈ રેશમા સાથે થોડી વાતો કરી
અંધજનો માટેનો શિક્ષકોનો અભ્યાસક્રમ કરી શિક્ષક થઈ. આ સાથે ઈશમાં પુસ્તકો લખતી નાટકો અને ગીતો લખતી. મોંડર્ન સ્કૂલના અને સિક્કા-નગરના બાળકોને ‘શ ઈન્ડિયા રેડિયો'ના બહુરૂપી' કાર્યક્રમના કોઈ કેટલાંયે નાટકો કરાવ્યા. અમારી સાથે કેટલાક બધા સિનેમા અને નાટકોમાં આવતી ધરમાં તો ભીંત અને ફર્નિચરથી પરિચિત એટલે સ્વતંત્ર રીતે ફરતી. બહાર જતાં તો અમારો હાથ પકડેલો જ હોય. અંધ બાળકોની વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ અને માતા લક્ષ્મી નર્સરી ફોર ધ બ્લાઈન્ડમાં ૧૮ થી ૨૦ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી. ગ્રાંટ રોડ સેન્ટ્રલ સ્કૂલ અને સંસ્કાર બાલ મંદિરમાં દેખતા બાળકોને સંગીત શીખવાડ્યું. તારું જીવન સતત પ્રવૃત્તિમય રહ્યું. અરે તેં અમને પણ પ્રવૃત્તિમાં જડેલા પ્રભુએ હજી તારી કસોટી લેવાની બાકીહતી. તેને
લાકડીનો ટેકો પણ ઓછો પડ્યો. પગ ડગમગવા માંડ્યા અને તારે વૉકરનો સહારો લેવો પડ્યો. પણ તારી પ્રવૃત્તિઓ તેં છોડી ની. પા
Pilesની તકલીફ થઈ. ઑપરેશન થયું. પણું રક્ત વહી ગયું અને તું તદ્દન પથારીવશ થઈ. ૬'X૩’ ફૂટનો પલંગ તારી દુનિયા ! સંપૂર્ણ પરવશ થઈ
જ રાખ્યા. તું અને બા અડધી રાત સુધી જાગતા. મા તને નવલકથાઓ વાંચી સંભળાવતી. કનૈયાલાલ મુનશીની લગભગ બધી નવલકથાઓ અને બીજા અનેક પુસ્તકો બા તને વાંચી સંભળાવતી. વાંચવા માટે તો તું અમારો પણ દમ કાઢતી પૂ. કાકા તારે માટે અભ્યાસની નોટ્સ ઑફિસે લઈ જઈ લખતા. તું બધાની કેટલી લાડકી
બોલ કરતી જ્યોતિ બોલતી બંધ થઈ ગઈ. જાણે
હતી! તને પાલિતાણાની અને બીજી જાત્રાઓ કરાવી હતી. અરે, તું વિક્ટોરિયા મેમોરિયલ શમાંથી આખું ઉત્તર ભારત ફરી આવી હતી. જોયા વગર પણ તેં સ્થળોનું કેટલું સુંદર વર્ણન કર્યું હતું. અમારી પાસે પ્રવાસ-વર્ણનના પુસ્તકો તું હમેશાં વંચાવતી અને કહેતી કે, ‘આ મારી ભાવયાત્રા થઈ.’
અને મને ઊંઘ આવે છે, મારે સૂઈ જવું છે કહીને સૂઈ ગઈ, બર્પોરે અઢી વાગે રોજની ટેવ પ્રમાકો તારા માથા પર હાથ મૂક્યો, ‘કોણ છે ?’ એવો પ્રચ ન પુછાયો. શંકા પડી ને ડૉક્ટરને બોલાવ્યા. જ્યોતિ, અમને ‘આવો’ કહ્યા વગર, ‘મિચ્છામિ ગઈ, નર્સિંગ બ્યૂરોની બાઈઓને સહારે દૈનિક ચર્ચાક્કડમ્' કહ્યા વગર તેં ચિર પ્રસ્થાન કર્યું. બોલ, શરૂ થઈ. પરંતુ તારો વાંચનનો અને સંગીતનો શોખ ઓછો થયો ન હતો. રોજનું જન્મભૂમિ અને શોખ ઓછો થયો ન હતો. રોજનું જન્મભૂમિ અને રવિવારનું પ્રવાસી તારા પ્રિય વર્તમાનપત્રો. ‘સુવાસ’થી માંડીને લગભગ બધી જ કોલમો વંચાવતી. ગુજરાત સમાચારના ‘અગમ નિગમ’ અને 'શતદલ' નો તું ભૂલની જ નહિ, કુમારપાળ દેસાઈ તારા પ્રિય લેખક. આજે કેટકેટલું પાદ આવે છે! જેટલી વાર Bed Pan લેતી કેટલી વખત તારી દિવસની અને રાતની ભાઈઓને તું ‘મિચ્છામિ દુક્કડમ્' કહેતી. બાઈઓને સંકોચ થતો પણ તું સતત એમની માફી માગતી. મજબૂત મનની હિંમતવાન જ્યોતિ હવે હતાશા તરફ ધકેલાતી જતી હતી. કોઈ વાર ખૂબ રડતી અને અમને રડાવતી. ભૂખ, ઊંઘ અને તરસ તારા વેરણ બની ગયા હતા. સવાર સાંજ ફક્ત એક રોટલી અને શાક ઉપર તું ટકી રહી હતી. બોલવાનું ખૂબ ઓછું કરી કાઢ્યું. ફક્ત સંગીતમાં થોડો રસ રહ્યો હતો. છેલ્લું અઠવાડિયું તો એમાં પણ રસ ન રહ્યો. તારી શો વાંક? પાંચ પાંચ વર્ષ એક જ ઓરડામાં, એક નાનકડા પલંગમાં ચોવીસ કલાકના અંધકારમાં દિવસો તેં કેમ વિતાવ્યા હશે. જ્યારે તું કોઈ વાર
એમ જ લાગે કે કેટલાય વર્ષોના ઉજાગરા પછી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અને હું ચિરનિંદ્રામાં પહોંચી ગઈ. આજે ખાલી પડેલો તારો રૂમ, ખાલી પડેલો તારો પલંગ જોઈ આંખોમાંથી અશ્રુની ધારા વહી જાય છે. તેને તો સર્વ દુઃખમાંથી મુક્તિ મળી
પણ તારી યાદ, તારા શબ્દો સતત સંભળાયા કરે છે, ભણકારા વાગ્યા કરે છે.
પ્રભુને મારી સાચા હૃદયથી એક જ નમ્ર પ્રાર્થના છે. હે પ્રભુ, અમારી જ્યોતિએ જીવનભર ખૂબ ખૂબ સંઘર્ષ કર્યા છે. જો પુનર્જન્મ હોય તો અને એવું જીવન બક્ષજે કે એને બિલકુલ સંઘર્ષ વેઠવો ન પડે અને એના જીવનમાં સુખ, શાંતિ અને આનંદ સદા વહેતા રહે. ***
બંસરી પારેખ
૬ બી, ઈશ્વર નિવાસ, સિક્કાનગર, વી. પી. રોડ મુંબઈ-૪૦૦૦૦૪.
ફોન નં. ૨૩૮૫૨૧૩૭