Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 72
________________ ૫ દ્વિતીય દશવૈકાલિક સૂત્ર ૫ ૪૧ સર્વ આગમોનો સાર ખેંચીને, પૂર્વમાંથી ઉદ્ધરીને ૫ તૃતીય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૫ ૪૨ પરમાત્મા મહાવીરદેવે આપેલા અંતિમ ઉપદેશોનો આમાં સંગ્રહ છે. વૈરાગ્યની વાતો અને મુનિવરોના ઉચ્ચ આચારોનું વર્ણન અને તેને લગતી ધર્મકથાઓ છે. જીવ, અજીવ, કર્મપ્રકૃતિ, લેશ્યા વગેરેદ્રવ્યાનુયોગનું વર્ણન પણ આમાં આપેલ છે. ૨૦૦૦ શ્ર્લોક. ॥ ચતુર્થ શ્રી પિંડનિર્યુકિત સૂત્ર ॥ ૪૩ પિંડનિયુકિતમાં દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનના અર્થનો વિસ્તાર છે. ગૌચરીના દોષો વગેરેનું વિસ્તૃત વર્ણન છે. અહીં પિંડ શબ્દનો અર્થ ગૌચરી થાય છે. આહારને અંગેના ઉદ્દગમદોષો, ઉત્પાદન દોષો, એષણા દોષો અને ગ્રાસેષણા દોષોનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. ૬૭૧ ગાથા. ॥ શ્રી બે ચૂલિકા સૂત્ર પૂજા ॥ ા પ્રથમ શ્રી નંદિસૂત્ર ૫ ૪૪ પરમ મંગળ રૂપ આ સૂત્રમાં અનેક ઉપમાઓ પૂર્વક શ્રી સંઘનું વર્ણન, ચોવીસ તીર્થંકર અને અગિયાર ગણધરનાં નામો, સ્થવિરોનાં ટૂંકાં ચરિત્રો તેમજ પાંચ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન આપેલ છે. પાંચ જ્ઞાન સંબંધી આટલી વિસ્તૃત હકીકત બીજા ગ્રંથોમાં નથી. ૭૦૦ શ્લોક. ૫ દ્વિતીય શ્રી અનુયોગદ્વારસૂત્ર ॥ ૪૫ સર્વ આગમોની ચાવીરૂપ આ આગમમાંથી આગમોને સમજવાની પદ્ધતિ મળે છે. ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એ શાસ્ત્રવ્યાખ્યાના ચાર પ્રકારનું વિસ્તૃત વર્ણન છે. ૨૦૦૦ શ્ર્લોક. Jain Education International ૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76