________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખ છાપી તેમના વૈભવી ખર્ચા બનાવી લોકહિતમાં નાણું વાપરતા જણાવ્યું તો દોઢ અઠવાડિયા પછી ૬-૬-૨૫ ના સૌરાષ્ટ્રનાં લેખમાં એક બોક્સ આઇટેમ ન્યુઝ તરીકે રાજકોટનાં રાજવીને દારૂબંધીનો આદેશ બહાર પાડવ નિવેદન કર્યું અને લખ્યું “દારૂની કમાણી એ પાપની કમાણી છે”. પાપનો સંચય પ્રભુતાનો નાશ કરે છે. અને આપનાં ધન્ય મનોરથ તો રાજકોટની પ્રજાનાં સાચા પ્રભુ થવાના છે તો તો આપે દારૂને દેશવટો દેવો જ પડશે. એ ક્યારે થશે ? રાજના આ સૌરાષ્ટ્ર રાજવીઓની ખફગીને કારણે ૧૯૩૧-૩૨ માં બંધ થયા પછી અને કાર્યાલયને સીલ લાગી ગયા પછી ૧૯૩૨ માં ફુલછાબ સાપ્તાહિક શરૂં થયું પછીથી તેનું સંપાદન શ્રી ઝવેરચંદભાઈ મેંઘાણીનાં હસ્તક શરૂ થયું. ટેબ્લીઇડ કદનાં ચોવીશ પાનાનાં આ સાપ્તાહિકની કિંમત દોઢ આનો હતી ! ગાંધીજ્યંતિએ તંત્રીસ્થાનેથી ભવ્ય અંજલીઓ ગાંધીજીને મળવા લાગી ૧૯૨૬ માં મેઘાણી તંત્રી બન્યાં દેશી રાજ્યોમાં ઉછામા કરનારા લોકો ‘ઓડાડીયા’ થી ઓળકાતાં તેવા અનેક કારણો થી ૧૯૩૯ થી ૪૧ નાં બે વરસ દરમ્યાન કેટલાક દેશી રાજ્યોએ ‘ફુલછાબ’ ને હદપાર કરેલું ૧૯૨૫ ની સાલમાં રામનવમીનાં દિવસે સૌરાષ્ટ્ર કાર્યાલયમાં ઉતારો કરી ગાંધીજીએ ‘ફુલછાબ’ની નિર્ભિકતાને બીરદાવેલી॰ ગાંધીજીનાં ૧૯૩૧ ની સાલનાં ૧૨ થી ૨૭ ઓગસ્ટનાં પંદર દિવસ સુધી મેઘાણી પોતાનાં આત્માનાં સાથી રહ્યા હોય તેવું પ્રતીત થતું હોવાનું શ્રી સહદેવભાઈ દેસાઈએ “છેલ્લો કટોરો” કાવ્ય કે ગીત પછી જણાવેલું કલમનાં આ કૌવતને પારખીને જ ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનુ બીરૂદ આપેલું.'
આમ થોડું વિષયાંતર થયું હોવાનો વાંચકને આભાસ થાય ખરો પણ રાજકોટની લડતોમાં ગાંધીજી મેઘાણી ‘ફુલછાબ' તેનું પુરોગામી ‘સૌરાષ્ટ્ર', શ્રી અમૃતલાલ શેઠનું સીધુ કે આડકતરું ઘણું મોટું પ્રદાન પડ્યું છે. ૧૯૩૮-૩૯ માં રાજકોટનાં દીવાનનાં જુલ્મી નિર્ણયો સામે રાજકોટની પ્રજાએ કરેલા સત્યાગ્રહમાં ગાંધીજી પણ જોડાયેલા તેની અંતર્ગત પ્રભાત ફેરીથી માંડીને સરધસ સુધી મેઘાણીનાં જ ગીતો ગવાતાં અને જન અસર ઘણી જ વ્યાપક અને પ્રત્યાવેગી હતી. રાજકોટની પ્રજાને દીવાનનાં આવા કાળા કામોથી માહિતગાર મેઘાણીએ જ પોતાનાં કાવ્યો દ્વારા કરયા સો ભાષણોની અસર જેટલી અસર મેઘાણીનાં એક કાવ્યથી પ્રજા પર થતી હતી. રાજકોટનાં સત્યાગ્રહીમાં બીકાનેરનાં રાજા સર ગંગાસિંહ પ્રજા માટે ઘણા વિઘ્નો ઊભા કરતાં હતાં. તેની આ કુટીલનીતિને દર્શાવતું અને તેની ચાડીખાતુ ગીત રાજકોટની પ્રજા ઉમંગભેર ગાતી (૧૯૩૯) વીરાવાલાની શાન ઠેકાણે લાવ્યે પાર !
“હશીયારી લે લો આયો મે રાજા બીકાનેર કો ફીશીયારી લે લો આયો મહારાજા બીકાનેર કો ગંગાજી રે ને......રેને..કિનારે અશો ખુંમારો ખાશું રાજકોટની ગાંધીસેના બી જારો કે આ શું ? હશીયારી લે લો આયો છોગાળો બીકાનેર કો
ફીશીયારી લે લો મુછડ ગુચ્છાળો બીકાનેર કો”
સત્યાગ્રહીઓનાં ટોળાનાં ટોળા રાજકોટની ભોમકા પર ઠલવાયે જતાં હતાં તેમને કચડના એક કડક એવા પોલીસ અમલદાર ખાનસાહેબને રાજકોટ રાજ્યે બોલાવાલા મેઘાણી ઉશ્કેરાઈ ગયા ને ખાનસાહેબ માટે કટાક્ષકાવ્ય બનાવ્યું
વેળા રે હોય તો વાંચજો રે, મારો કટકો કાગળીયો ખાંસાહેબ કટકો કાગળીયો, જંગ બહાર તમે જોરમાં રે જો,
પેટની પીડાયું કયાંય ના કે, જો મૂછને બે ઝાઝાં ગૂંચલા દે જો ફેર ઘોડે ચડિયો ! વેપારે (૧૯૩૯)
લૉર્ડ સર જેમ્સ મેસ્ટન ર્જ પ્રાંતમાં લેફ્ટેનન્ટ ગવર્નર હતા, ત્યારે ભોપાલનાં નામદાર બેગમે તેમને કહેલું કે “સફળ ક્રાંતિ માટે બે મહત્ત્વની વસ્તુઓ જોઈએ ભૂખમરો વેઠતો લોકવર્ગ અને અસંતુષ્ટ શિષ્ટવર્ગ પડખોપડખ હોય એટલે થયું” આવું વાતાવરણ વીરાવાળાએ સામે ચાલીને પ્રજામાં ઊભું કર્યું જ હતું. ધર્મસત્તારૂપી સંગિની કે મેરૂદંડની
‘પથિક’♦ મે, ૧૯૯૮ + ૧૩
For Private and Personal Use Only